________________
હેતુબિન્દુને પરિચય
[ ૯૯એકાનેકસ્વભાવપણું સ્થાપે છે જે ધર્મ કીર્તિને એકસ્વભાવત્વના સિદ્ધાન્તની વિરુદ્ધ પડે છે. તેથી અર્ચન્ટ સ્વામી સમંતભાની પ્રસિદ્ધ એક કારિકાને. અંશેઅંશ લઈ તેનું વિસ્તૃત નિરસન કરે છે. (હેતુબિન્દુટીકા પૃ. ૧૦૫, ૫. ૧૫). ૩. હેતુબિન્દુતીકાલક
શરૂઆતના બે અને અંતના ચાર પદ્યોને બાદ કરતાં દુર્વેકની સમગ્ર વ્યાખ્યા ગદ્યાત્મક છે, અલબત્ત, એણે વચ્ચે વચ્ચે અન્યકૃત અનેક પો. અનેક સ્થળે ઉદ્ધત કર્યા છે. દુર્વેકની શૈલીગત વિશેષતા પણ અચંટના જેવી જ છે. તે એ કે જ્યારે તે કોઈ શબ્દ કે પરિભાષાનું અર્થકથન કરવા ઈચ્છ હોય ત્યારે તે એટલું બધું વિશદ અને વિસ્તૃત ઉથાન રચે છે કે તેમાં પૂર્વપક્ષ સંપૂર્ણ પણે આવી જવા ઉપરાંત સિદ્ધાન્તી બૌદ્ધનો ઉત્તર પણ સમાઈ જાય, છે, અને પછી વ્યાપેય પદ કે પરિભાષાનું શાબ્દિક વિવરણ જ માત્ર બાકી, રહે છે. આ શૈલી અભ્યાસની દૃષ્ટિએ બહુ ઉપયોગી છે. દુર્વેકે પણ અર્ચટની, પેઠે પિતાના સમય સુધીનું બૌદ્ધ-ઠેર દાર્શનિક અને તાર્કિક વાત્મય સૂક્ષ્મ દૃષ્ટિથી અવગાડ્યું હોય તેમ લાગે છે. દુર્વેકની અચંટ કરતાં પ્રકૃતિ.. ગત એક વિશેષતા એ લાગે છે કે તે વિચારમાં વધારે સ્વતંત્ર છે; એટલે સુધી કે જે અર્ચનું તે હાર્દિક બહુમાન અને જેની કૃતિનું વિવેચન કરે છે. તેના જ વિચારેથી કેટલીક વાર જુદો પડે છે અને અંધળિયું સમર્થન કરતે નથી.
" [૪] વિષય પરિચય હતુબિન્દુને મુખ્ય વિષય છે હેતુનું સ્વરૂપ નિરૂપણ. એ વિષય સૂચવતી પ્રથમ કારિકા છે—
पक्षधर्मस्तदं शेन व्याप्तो हेतुस्त्रिधैव सः ।
अविनाभावनियमाद् हेत्वाभासास्ततोऽपरे ॥ અર્ચને પિતાની વ્યાખ્યામાં આ કારિકા ઉપરથી ત્રણ અથવા છ પ્રતિપાઘ વિષય સૂચવ્યા છે, જ્યારે કર્ણએ ચાર વિષય સૂચવ્યા છે. અનુક્રમે તે વિષયો આ પ્રમાણે છે: ૧. (૧) હેતુનું લક્ષણ, (૨) તેની સંખ્યાને નિયમ, (૩) સંખ્યાનિયમદર્શક પ્રમાણ. ૨. (1) હેતુનું સ્વરૂપ, (૨) હેતુસંખ્યા નિયમ, (૩) વિવિધ હેતુમાં હેતુત્વનું અવધારણ. (૪) સંમોનિયમ અને
૧હેતુબિન ૫, ૯ ૫, ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org