Book Title: Hetubinduno Parichaya Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf Catalog link: https://jainqq.org/explore/249250/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ હેતબિન્દુને પરિચય [ ૧૭ ] [૧] પ્રતિપરિચય ૧. s પ્રતિ: આ હેતુબિટીકાની પ્રતિ Catalogue of Manuscripts at Pattan Vol. I (G. O. S. Vol. LXXVI ALL પૃ. ૧૭૭ માં સૂચવવ્યા પ્રમાણે સંધવી પાડાના ત્રાડપત્રીય ભંડારની નં ૩૦૨ વાળી છે, જેના તાડપત્રની લંબાઈ ૧૨ ઈએ અને પહોળાઈ ૧ એ છે અને પત્ર ૨૧૬ છે. આખી પ્રતિ જીણું છે. તેના પત્ર નં ૬, ૨૧, ૨૭, ૫૨, ૧૧૭ અને ૧૭૮ પત્ર તદ્દન નાશ પામ્યા છે. શરૂઆતના લગભગ ૨૦ પત્રમાં પત્રસંખ્યા ત્રુટિત છે. ખૂણાને ભાગ ગયેલ હોવાથી તેની સાથે ઘણે સ્થળે ડુંક લખાણ પણ નાશ પામ્યું છે. જ્યાં જ્યાં ડું કે ઘણું લખાણ પાનું તૂટી જવાથી નાશ પામ્યું છે ત્યાં ત્યાં લગભગ બધે સ્થળે અમે તૂટતા પાઠની પુરવણી [ ] આવા કેઠકમાં કરી છે. આ સિવાય પ્રતિમાં વચ્ચે કવચિત અક્ષર ગયેલા છે, તે પણ બન્યું ત્યાં એવા જ કાષ્ઠકમાં અમારા તરફથી જેડવામાં આવ્યા છે. જે પાઠ અમે અમારા તરફથી શુદ્ધ કર્યા છે તે મૂળપાઠ કાયમ રાખી ( ) આવા કોષ્ઠકમાં આપ્યો છે. પ્રસ્તુત પ્રતિના માર્જિનમાં ક્યાંક ક્યાંઈક ટિપ્પણે છે, તે અમે યથાસ્થાન પાદનોંધમાં લીધાં છે. એક પત્ર કોઈ બીજી જ હેતુબિન્દુટીકાની પ્રતિનું પ્રસ્તુત પ્રતિમાં આવી ગયેલું છે, જેમાં પ્રસ્તુત પ્રતિના ૨૦૭માં પત્રનું લખાણ છે. એ વધારાના પત્રમાંને પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ સાથે ક્યાંઈક જૂદે પડે છે. અમે એ બન્ને પાઠે સરખાવી એમાંથી જે વધારે શુદ્ધ લાગે તેને મૂળમાં રાખે છે અને બીજા પાઠને પાઠાંતર તરીકે રાખ્યો છે. વધારાના પત્રને સંકેત નવીન રાખ્યો છે, અને પ્રસ્તુત પ્રતિના એ પત્રને સંકેત ગુ=પુરાતન રાખેલ છે. એ વધારાના પત્રવાળી પ્રતિ પ્રસ્તુત પ્રતિને આદર્શ કે તેની નકલ નથી લાગતી. એનાં બે કારણો છે: પહેલું તે એ કે જે એ પ્રસ્તુત પ્રતિને આદર્શ અગર નકલ હોય તો તેની સાથે એક વધારાના * ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝમાં પ્રકાશિત હેતુબિકની પ્રસ્તાવના. Page #2 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુનો પરિચય [૮૮૫ પત્રમાં આટલે બધે પાઠભેદ ભાગ્યે જ સંભવે. બીજું અને બળવત્તર કારણ એ છે કે અમે જે ટિબેટન ભાષાન્તર સાથે પ્રસ્તુત પ્રતિને પાઠ સરખાવ્યો છે તે ટિબેટન ભાષાન્તર સાથે આ વધારાના પત્રમાંને પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ કરતાં વધારે પ્રમાણમાં મળી આવે છે. તે ઉપરથી એમ લાગે છે કે જે સંસ્કૃત પ્રતિને આધારે ટિબેટન ભાષાન્તર કરવામાં આવ્યું હશે તે અને પ્રસ્તુત વધારાના પત્રવાળી પ્રતિનું મૂળ કોઈ એક જુદી જ નકલ હોવી જોઈએ. આ સિવાય આ વધારાના પત્ર ઉપરથી એમ પણ સમજાય છે કે જ્યારે પ્રસ્તુત પ્રતિ ગુજરાતમાં લખાઈ અગર ક્યાંય બહારથી લાવી સંગ્રહાઈ ત્યારે કઈ બીજી પ્રતિ પણ સાથે હેવી જોઈએ, અને આ રીતે હેતુબિન્દુટીકાની અનેક પ્રતિઓ લખાઈ જ્યાંત્યાં ફેલા પામતી અને સંગ્રહાતી હોવી જોઈએ. અમારું આ અનુમાન બીજી રીતે પણ પુષ્ટ થાય છે. તે એ કે દૂર દક્ષિણમાં વિદ્યાનંદ જેવા દિગંબર આચાર્યોએ લખેલા ગ્રન્થમાં અને પાટણ જેવા ગુજરાતના અનેક શહેરમાં અનેક આચાર્યોને હાથે લખાયેલ અનેક જુદા જુદા ગ્રન્થમાં હેતુબિટીકાના લાંબા લાંબા ઉતારા થયેલા છે, તેમ જ હિમાલયના ટિએટ જેવા દૂર પ્રદેશમાં તેનાં ભાષાન્તરે થયાં છે.? - પ્રસ્તુત પ્રતિને અંતે તેની લખ્યા સાલ છે, પણ શરૂઆતના બે આંકડા ખંડિત છે. માત્ર ૭૫ ને અંક સ્પષ્ટ છે. (જુઓ પૃ. ૨૨૯) આ ખંડિત અંકને સદ્દગત શ્રી. સી. ડી. દલાલે ૧૦ કે ૧૧ અંક હોવાની કલ્પના કરી છે. તદનુસાર તે અંક વિક્રમ સંવત ૧૭૫ કે ૧૧૭૫ કદાચ હોય. પ્રતિલેખનની પૂર્ણાહુતિની તિથિ રવિવાર માગસર વદિ ૭ છે. લેખકની પ્રશસ્તિને એક પ્લેક ગુમ થયે છે અને બીજો અધૂરે છે, તેથી લેખક પરિચય મળતું નથી. પ્રસ્તુત પ્રતિ પં. અભયકુમારની માલિકીની છે. એ વિશેની પ્રશસ્તિના ત્રણ બ્લેક ઓછાવત્તે અંશે ઝુતિ છે (પૃ. ૨૨૯). પં. અભયકુમાર એ કોઈ સાધુ જ છે તે વિશે તે શંકા રહેતી જ નથી, કેમકે જેમ તેનું વિશેષણ પંડિત=ગણી છે તેમ તેના ગચ્છને બ્રહ્મા કહેલ છે. આ બ્રહ્માણગચ્છીય પં. અભયકુમારને વિશેષ પરિચય સુલભ નથી. પ્રસ્તુત પ્રતિની લિષિ છે તે દેવનાગરી, પણ તે બહુ જ પ્રાચીન નેવારી જેવી પૂર્વદેશીય દેવનાગરી છે. તેને સરળતાથી વાંચી તે ઉપરથી વિશ્વસ્ત કામ ૧. જુઓ આગળ હેતુબિનને પ્રભાવ અને ઉપયોગ એ મથાળાનીચેનું લખાણ, ૨. જુઓ તેમના કેટલેગની પ્રસ્તાવના, પૃ. ૪૨. ૩. મારવાડમાં જે વરમાણું ગામ છે તેના ઉપરથી બ્રહ્માણ ગચ્છનામ પડેલું છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] દર્શન અને ચિંતન લેવું એ બહુ જ અધરું અને સમયસાધ્ય હતું, પણ મુનિશ્રી પુણ્યવિજયજીએ અતિશ્રમે અને લાંબે ગાળે એના ઉપરથી કાગળ ઉપર એક સુંદર અને સુપ દેવનાગરી અક્ષરમાં પ્રતિલિપિ કરી આપી. એ પ્રતિલિપિ તેમણે અમને ભેટ રૂપે જ આપેલી, પણ ચાલુ શતાબ્દીની લેખનકળાને સુંદર નમૂને પૂરો પાડતી એ પ્રતિલિપિ ગુજરાત પુરાતત્ત્વ મંદિરના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનસંગ્રહમાં કાયમ માટે મૂકવામાં આવી છે. જેકે આ પ્રતિલિપિ ઉપરથી જ અમે પ્રેસકૉપી કરાવી હતી, પણ સંપાદન કરતી વખતે અસલી તાડપત્રની પ્રતિ સાથે મિલાન કરવામાં આવ્યુ છે. તેને લીધે અને T પ્રતિની મદદને લીધે પ્રતિલિપિમાં જે ખામીએ રહી ગયેલી તે દૂર કરીને જ સંપાદન કરવામાં આવ્યું છે. ૨. T પ્રતિ: Bstan-hgyur, Mdo (Cordier : Catalogue du Fonds Tibetain, Paris, 1915) CX1. 6 હેતુબિન્દુ ટીકાનું ટિબેટન ભાષાન્તર છે. આ ભાષાન્તર વિશ્વભારતીમાંના વિદ્યાભવનગત પુસ્તકસંગ્રહમાંથી મેળવવામાં આવેલું. તે ભાષાન્તર સાથે S પ્રતિનું અને ત્યાં લગી અક્ષરેઅક્ષર મિલાન કરવામાં આવ્યું છે. એ સરખામણીનું મુખ્ય-પણે નીચે પ્રમાણે પરિણામ આવ્યુ છે— (૧) જ્યાં જ્યાં પુત્રસ ંખ્યાને નબર નષ્ટ થવાથી અને ા કારણે પત્રા ઊલટાંસૂલટાં થઈ ગયેલાં અને તેને લીધે અથ બેસાડવામાં બહુ જ મુશ્કેલી પડતી તે પા યથાવત્ ગેઠવવાથી દૂર થઈ. ( ૨ ) કેટલેક સ્થળે પ્રતિના પાર્ડ લિપિદુર્ગંધતાને કારણે અગર પર્ પરાગત લેખક–દેષને કારણે વિકૃત થઈ ગયા હતા તે સુધર્યાં. (૩) અનેક સ્થળે!માં નવાં પાઠાન્તરો તારવી શકાયાં; જે ટિમેટન ભાષાન્તર ઉપરથી પ્રતિસંસ્કૃત રૂપે પ્રતિસસ્કાર કરનાર શ્રી. પી. તારકસે તારવેલા તે તેમના જ શબ્દમાં ફૂટનેટમાં લેવામાં આવ્યા. (૪) આખી S પ્રતિમાં જ્યાં જ્યાં એકાદ અક્ષર કે પદ્મ લુપ્ત થયેલ હતાં તે આ પ્રતિની મદદથી મળી આવ્યાં. એકટ્ટર X પ્રતિની મદદ આખા સપાદન દરમિયાન અભેધ કરવામાં ઘણુંી સરલતા પ્રાપ્ત થઈ છે. (૫) એમ પણ બન્યું છે કે S પ્રતિની મદદથી X પ્રતિનાં પત્રાની કૅટલેક સ્થળે અવ્યવસ્થા હતી તે પણ દૂર થઈ છે, અને જ્યારે ધણું સ્થળે ૧, આને પચિ ડૉ. વિધાભૂષણે પણ પાતાના પુસ્તક A History of Indian Logic, p. 332 માં આપ્યા છે, Page #4 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૮૮૦ એમ સમજાતું કે આ પ્રતિગત ભાષાતર મૂળ લેખનું યથાર્થ પ્રતિબિમ્બ છે ત્યારે ઘણે સ્થળે એમ પણ સમજાતું હતું કે $ પ્રતિની પાઠપરંપરા માં ગત પાઠ કરતાં મૂળ લેખની વધારે નજીક છે. એ જુદું કહેવાની જરૂર નથી કે ટિબેટન ભાષાન્તરકારે એટલી બધી ચોકસાઈથી પોતાનું કામ કરતા કે તેમના ભાષાન્તરમાં નવી ભૂલ ન ઉમેરાતી, જે મૂળમાં ભૂલ હોય તે તે ભાષાતરમાં આવતી જ. એટલે ભાષાન્તરકારે અર્થ હોય તે કરતાં ભાષાજ્ઞ વધારે હતા. જો એ ભાષાન્તરકારે પૂર્ણપણે વિષયના જ્ઞાતા હતા તે દેખીતી રીતે ભૂલભરેલા આદર્શગત પાઠનું યથાર્થ ભાષાન્તર કરી તેમાં આદર્શ પાઠની ભૂલ ન આણુત. ૩. N પ્રતિ : આ પ્રતિ હેતુ બદ્રીકાની “આલોક સંજ્ઞક અનુટીકાની છે. એની પૂરી નકલ નેપાળના રાજગુરુ પં. શ્રી હેમરાજ પાસેથી ત્રિપિટકાચાર્ય શ્રી. રાહુલ સાંકૃત્યાયન દ્વારા પ્રાપ્ત થયેલી. તે પ્રતિ સાવ ત્રુટિત પ્રતિ ઉપરથી થયેલી નકલ છે. તે પ્રતિ કાગળ ઉપર લખાયેલી છે. તેનાં પાત્રોની પહોળાઈ ૪ ઈંચ, લંબાઈ ૧૯ ઇંચ અને પત્રસંખ્યા ૮૧ છે. પત્રો બધાં જ અસ્તવ્યસ્ત હતાં. જે આગળ જતાં P પ્રતિની મદદ મળી ન હોત તો આ પ્રતિનો કશો જ ઉપયોગ કરી શકાતી નહિ, અને પત્રસંખ્યા, જે અમે પાછળથી વ્યવસ્થિત કરી તે પણ અત્યંત મુશ્કેલ હતું. આ પ્રતિ સાવ ત્રુટિત અને અશુદ્ધ હોવા છતાં તેણે P પ્રતિ વાંચવામાં એટલી બધી મદદ કરી છે કે તેને લીધે તેનું ગુટિતપણું જરાય સાલતું નથી. અહીં એ પણ કહેવું જોઈએ કે જે આ પ્રતિ ન હોત તો અમારે માટે પ્રતિનો ઉપયોગ કરવાનું કામ પણ કદાચ જતું કરવું પડત અને અત્યારે જે રૂપમાં આદર્શ અનુટીકા છપાઈ છે તે રૂપમાં કદી સુલભ ન થાત. ૪. P પ્રતિ : આ પટણામાંની બિહાર એન્ડ ઓરિસા રિચર્સ ઈન્સ્ટિટયૂટના સંગ્રહમાં રહેલા તિબેટથી મૂળ સંસ્કૃત ગ્રન્થના લાવવામાં આવેલા ફોટાઓમાં રહેલ હેતુબિન્દુતીકાલેકના ફેટા ઉપરથી ફરી લીધેલ ફેટા છે. ઈન્સ્ટિટ્યૂટમાંના મૂળ ફોટાને પરિચય શ્રી. રાહુલજીએ ન્યાયબિન્દુ-અનુરીકા તરીકે ભૂલથી આપ્યું છે, પણ વસ્તુતઃ તે હેતુબિન્દુકાકાની અનુકકા “આલોક ટિબેટના ભંડારમાં રહેલ મૂળ સંસ્કૃત પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે. તેનાં પત્રો ૭૦ છે, જે ૨૦ ફેટપ્લેટમાં સમાવી લેવામાં આવ્યા છે. ફેટાના અક્ષરે બહુ જ બારીક અને કેટલેક સ્થળે સાવ અસ્પષ્ટ છે. લિપિ પ્રાચીન નેપાળી છે. આ પ્રાચીન લિપિ ઉકેલવામાં અને બારીક તેમ જ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮) દર્શન અને ચિંતન અસ્પષ્ટ અક્ષરે, જે સૂકમદર્શક કાચની મદદથી પણ ઘણે સ્થળે વંચાતા નહિ, તેને વાંચવામાં ભગ્નાગ N પ્રતિએ ઘણુવાર બહુ ઉપયોગી મદદ કરી છે. પ્રતિપ્રાપિત ડ પ્રતિ ઈ. સ. ૧૯૨૬ ના માર્ચ માસમાં મળી આવેલી. જ્યારે અમે ગૂજરાત વિદ્યાપીઠમાં રહી સન્મતિતર્કનું સંપાદન કરતા ત્યારે એની તાડપત્રીય પ્રતિઓ મેળવવા પાટણ ગયેલા. તે વખતે અણધારી રીતે હેતુબિન્દુ (ટીકા) અને તપપ્લવ બને ગ્રન્થ મળી આવ્યા. અમે એ બન્નેને ઉપયોગ સન્મતિના સંપાદનમાં તે કર્યો જ, પણ આગળ જતાં એ બન્ને ગ્રન્થનું સંપાદન કરવાનું પણ ધ્યું. છેવટે તપદ્ધવ પ્રથમ પ્રસિદ્ધ થશે અને આ હેતુબિન્દુની પ્રતિ અત્યારે પ્રકાશમાં આવે છે. T પ્રતિ શ્રીયુત પુરુષોત્તમ તારકસ M. A, LL. B. એ ટિબેટન ભાષાનો અભ્યાસ કરતી વખતે શાંતિનિકેતન–વિશ્વભારતીમાંથી મેળવેલી, અને જ્યારે તેઓ ૧૯૩૭માં પિતાના અભ્યાસને પરિણામે તેના પાઠાંતર પૂરતું પ્રતિસંસ્કૃતરૂપાંતર લઈ અમને મદદ કરવા કાશીમાં આવ્યા ત્યારે ફરી એ ટિબેટન ભાષાન્તર પણ સામે રાખવામાં આવ્યું, જેને લીધે એક બાજુથી તેમણે પિતાનું પ્રતિસંસ્કૃત સુધાર્યું, અને બીજી બાજુથી અમને પાઠ સંશાધન, પાઠપૂર્તિ અને પાઠાતર લેવા આદિમાં ભારે કીમતી મદદ મળી. | N પ્રતિ શ્રી. રાહુલજી ટિબેટની બીજી યાત્રા વખતે નેપાળથી લાવેલ. તે અમને મળી, અને તેના ઉપરથી એક પ્રેસકોપી આચાર્ય શ્રી. જિનવિજયજીએ શેઠ શાંતિલાલ વનમાળી પાસે કરાવી લીધી. એ અસલી પ્રતિ અને પ્રેસકૉપી બને આખા સંપાદન દરમિયાન ઉપગી સિદ્ધ થયાં. P પ્રતિ : આ પ્રતિ પટના જઈ ૧૯૪૨ ના ઉનાળામાં પં. દલસુખ માલવણિયા અને શ્રી. નથમલજી ટાટિયા M. A. બન્નેએ મેળવી, અને તેના ઉપરથી ૧૯૪૩માં પંડિત માલવણિયાએ પ્રેસ યોગ્ય કેટલીક વાચના તૈયાર કરી અને બાકીની વાચના ૧૮૪૩ના છેલ્લા ત્રણ માસમાં તેમણે પં. મહેન્દ્રકુમાર “અભય”ની મદદથી પૂરી કરી. ઉપર્યુક્ત પ્રતિઓ ઉપરથી કરવામાં આવેલ આખા સંપાદનકાર્ય દરમિયાન હતુબિન્દુટીકા અને તેની ટીકા “આલેક’ બનેમાં ચર્ચાયેલા વિષય અને આવેલા અવતરણોને લગતા અનેક લભ્ય ગ્રન્થોને ઉપયોગ કર્યો છે. તેને આધારે અનેક સ્થળે પાડશુદ્ધિમાં મદદ મળી છે અને ટીકા તેમ જ અનુટીકામાં આવેલ અનેક અવતરણનાં મૂળ મળી આવ્યાં છે, જે તે તે સ્થાને નોંધવામાં આવ્યાં છે Page #6 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુનો પરિચય [ ૮૮ હેતુબિન્દુટીકાના મુદાણમાં s અને T પ્રતિઓના પત્રાંકે [ ] આવા કાષ્ઠકમાં આપ્યા છે, અને આલેકના મુદ્રણમાં P પ્રતિના પત્રાંકે પણ તેવા જ કેષ્ઠિકમાં આવ્યા છે. a' પત્રની પહેલી બાજુ સૂચવે છે જ્યારે “b” તેની બીજી બાજુ સૂચવે છે. મુદ્રણમાં હતુબિન્દુટીકાના જે ચાર મુખ્ય ભાગ પાડેલા છે તે અમે પાડેલા છે; અલબત્ત, બીજા અને ત્રીજા ભાગનું વિષયાનુરૂપે નામકરણ 1 પ્રતિમાં છે. પહેલા અને ચોથા ભાગનું નામકરણ 1 માં નથી, પણ અમે એ ચારે ભાગેનું વિષયાનુરૂપ નામકરણ કર્યું. છે. એ પણ ફેર નેંધવો જોઈએ કે અમારું વિષયાનુરૂ૫ નામકરણ તે તે વિષયની ચર્ચાના પ્રારંભમાં છાપ્યું છે, જ્યારે આ પ્રતિના બીજા અને ત્રીજા એ બન્ને નામકરણે તે તે વિષયની ચર્ચાને અંતે આવે છે. આ ચાર મુખ્ય વિષયવિભાગ ઉપરાંત બીજા પણ અનેક શીર્ષ કે તે તે સ્થાને ચર્ચાતા અગત્યના વિષયને લક્ષમાં લઈ તેની સૂચના અર્થે અમે જ કર્યો છે. આ સંસ્કરણમાં સાત પરિશિષ્ટ જોડેલાં છે. તેમાંથી પહેલા પરિશિષ્ટમાં હેતુબિન્દુ મૂળગત દાર્શનિક અને વિશેષ નામે આપેલાં છે. બીજા પરિશિષ્ટમાં ટીકાત વિશેષ નામે છે. ત્રીજામાં ટીકાગત અવતરણ અને ચેથામાં દાર્શનિક શબ્દ છે. પાંચમા પરિશિષ્ટમાં આલેક અનુટીકાત વિશેષ નામે છે અને છક્કામાં આકગત અવતરણે છે. સાતમા પરિશિષ્ટમાં ટિબેટન ભાષાન્તરને આધારે તેમ જ ટીકા અને અનટીકામાં આવેલ પ્રતીકોને આધારે નિષ્પન્ન થઈ શક્યો તે મૂળ હેતુબિન્દુ પાઠ આપવામાં આવ્યું છે. અને શુદ્ધિપત્ર આપવામાં આવ્યું છે. [૨] ગ્રન્થકારે ૧. ધર્મકીર્તિ પ્રસ્તુત સંસ્કરણમાં મૂળ ગ્રન્થ હેતુબિન્દુ છે. તેને કર્યો છે ધમકીર્તિ. ધમકીર્તિનું જીવન કેઈ ભારતીય ભાષામાં હોય તો તે ઉપલબ્ધ નથી. એના જીવન વિશે જે કાંઈ હકીકત મળે છે તે અત્યારે માત્ર ટિબેટન સાહિત્યમાં મળે છે. ટિબેટન લેખકોમાં મુખ્ય છે બુસ્તન (Buston) અને લામા તારાનાથ. 1. History of Buddhism (Chos-hbyung) by Buston-Materialien zur Kunde des Buddhismus Heidelberg, 1931. Translated from Tibetan by Dr. E, Obermiller. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ]. દર્શન અને ચિંતન આ બન્ને લેખકોનાં લખાણેને આધારે છે. શેરબાસ્કીએ ધર્મકીર્તિનું જીવન Buddhist Logic Vol. 1નીં પ્રસ્તાવના પૃ. ૩૪માં સંક્ષેપમાં આપ્યું છે. જોકે આ પહેલાં ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે મુખ્યપણે લામા તારાનાથને આધારે History of Indian Logic માં પૃ. ૩૦૩ ઉપર આપ્યું છે. ટિબેટન સાહિત્ય ધર્મકીર્તિનું જીવન વર્ણવે ખરું, પણ તે જેવું વર્ણવે છે તે પૂર્ણપણે અતિહાસિક તે નથી જ, છતાં એ પૌરાણિક જેવા લાગતા જીવનમાં ઘણી બાબતે સાચી હોવા વિશે જરાય શંકા રહેતી નથી. ડો. વિદ્યાભૂષણ કરતાં છે. શેરબાકીનું વર્ણન પ્રમાણમાં ટૂંકું છે અને કાંઈક વધારે સત્યની નજીક છે, તેથી અમે તે વર્ણન છે તેવું જ અહીં ઉતારી લેવાનું પસંદ કર્યું છે. “Dharmakirti was born in the South, in Trima. laya (Tirumalla ? ) in a brahmin family and received. a brahınanical education. He then became interested in Buddhism and adhered at first as a lay member to the Church. Wishing to receive instruction from a direct pupil of Vasubandhu he arrived at Nalanda, the celebrated seat of learning where Dharmapala, a pupil of Vasubandhu, was still living, although very old. From him he took the vows. His interest for logical problems being aroused and Dignaga no more living, he directed his steps towards Is'varasena, a direct pupil of the great logician. He soon sur. passed his master in the understanding of Dignaga's. system. Is'varsela is reported to have conceded that Dharmakirti understood Dignaga better than he could do it himself. With the assent of his teacher Dharmakirti then began the composition of a great work in mnemonic verse containing a thorough and enlarged commentary on the chief work of Dignaga. “ The remaining of his life was spent, as usual, in the composition of works, teaching, public discu. ssions and active propaganda. He died in Kalinga Page #8 -------------------------------------------------------------------------- ________________ હેતુ બિન્દુને પરિચય [Page #9 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન grieved by the absence of pupils who could fully understand his system and to whom the continuation of his work could have been entrusted. Just as Dignaga had no famous pupil, but his continuator emerged a generation later, so was it that Dharmakirti's real continuator emerged a generation later in the person of Dharmottara. His direct pupil Devendrabuddhi was a devoted and painstaking follower, but his mental gifts were inadequate to the task of fully grasping all the implications of Dignaga's and his own system of transcendental epistemology. Some verses of him in which he gives vent to his deepest feelings betray this pessimistic mentality. "The second introductory stanza of his great worki is supposed to have been added later, as an answer to his critics. He there says, "Mankind are mostly addicted to platitudes, they don't go in for finesse. Not enough that they do not care at all for deep sayings, they are filled with hatred and with the filth of envy. Therefore neither do I care to write for their benefit. However, my heart has found satisfaction in this (my work ), because through it my love for profound and long meditation over (every ) well spoken word has been gratified"2 "And in the last but one stanza of the same work he again says, " My work will find no one in this world who would be adequate easily to grasp 1 Pramanavaritika. ' 2 sa: martsfasiat ai mare, नाऽनर्येव सुभाषितैः परिगतो विद्वेष्टयपीमिलैः । तेनाऽयं न परोपकार इति नश्चिन्ताऽपि चेतस्ततः, सूक्ताभ्यासविवर्धितव्यसनमित्यत्राऽनुबद्धस्पृहम् ॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ I cea હતુબિન્દુને પરિચય its deep sayings. It will be absorbed by, and perish in, my own person, just as a river (which is absorbed and lost) in the ocean. Those who are endowed with no inconsiderable force of reason, even they cannot fathom its depth. Those who are endowed: with exceptional intrepidity of thought, even they cannot perceive its highest truth."1 "Another stanza is found in anthologies and hypothetically ascribed to Dharmakirti, because it is to the same effect. The poet compares his work. with a beauty which can find no adequate bridegroom. What was the creator thinking about when he created the bodily frame of this beauty! He has lavishly spent the beauty stulf! He has not spared the labor ! He has engendered a mental fire in the hearts of people who thereto fore were living placidly ! And she herself is also wretchedly unhappy, since she never will find a fiance to match her!” “In this personal character Dharmakirti is repor: ted to have been very proud and self-reliant, full of contempt for ordinary mankind and sham scholar1 अनध्यवसितावगाहनमनल्पधीशक्तिनाप्यदृष्टपरमार्थतत्त्वमधिकाभियो गैरपि । मतं मम अगत्यलब्धसाशप्रतिग्राहक प्रयास्यति पयोनिधेः पय इच स्व देहे जराम् ॥ -Quoted in Dhvanyaloha (N. S. P. 1891), p. 217. 2 zavaslaureat anfora: astaršia, स्वच्छदं चरतो जनस्य हृदये चिन्ताज्वरी निर्मितः । एषाऽपि स्वयमेव तुल्यरमणाभावाद्वराकी इता, कोऽर्थ श्वेतसि वेधसा विनिहितस्तन्व्यास्तनुं तन्वता । Ibid. p. 216. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ ] દર્શન અને ચિંતન ship. Taranatha tells us that when he finished his great work, he showed it to the pandits, but he met with no appreciation and no good will. He bitterly complained of their slow wits and their envy, His enemies, it is reported, then tied up the leaves of his work to the tail of a dog and let him run through the streets where the leaves became scattered. But Dharmakirti said, “ just as this dog Tuns through all streets, so will my work be spread in all the world." શેરબસ્કીએ આપેલા ઉપરના જીવનમાં સમયનો પ્રશ્ન ચર્ચા નથી, જ્યારે તે પ્રશ્ન ડૉ. વિદ્યાભૂષણ અને શ્રી. રાહુલજીએ ચર્ચે છે. વિદ્યાભૂષણ ધર્મ કાર્તિને અસ્તિત્વ–સમય ઈ. સ. ૬૩૫–-૬૫૦ ધારે છે, જ્યારે રાહુલ (વાદન્યાયની પ્રસ્તાવના તેમાં થોડે જ ફેરફાર સૂચવી તે સમયને ૬૨૫ થી શરૂ કરે છે. આ સમય એટલે જન્મસમય લેખવાનો નથી. એ માત્ર તેના કાર્ય કાળને સૂચક છે. આ વિશે કોઈ એક ચોક્કસ નિર્ણય ઉપર આવવું એ શક્ય નથી, તેમ છતાં પંડિત મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યો અલંગ્રન્થત્રયની પ્રસ્તાવના (પૃ૦૧૮–૨૩)માં એ સમય વિશે જે ઊહાપોહ કર્યો છે તે વિશેષ સંગત લાગતો હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે. તે પ્રમાણે ધર્મકીર્તિને સમય ૬૨૦ થી ૬૯૦ આવે છે. ગમે તેમ હો, પણ ધમકીર્તિ સાથે સંબંધ ધરાવનાર કેટલાક આગળપાછળના મહત્વના વિદ્વાનોનું પૌવંપર્ય નક્કી કરવામાં તે સંદેહને ભાગ્યે જ સ્થાન રહે છે. અમારા વિચાર પ્રમાણે તે પૌપયં નીચે પ્રમાણે છે. વૈયાકરણ ભતૃહરિ, ઉદ્યોતકર, ઈશ્વરસેન અને કુમારિલ એ ચારેય ધર્મકાતિના સમકાલીન હોવા છતાં તેના કરતાં ઓછેવત્તે અંશે વૃદ્ધસમકાલીન હોવા જોઈએ, કેમકે ધમકીર્તિ ઈશ્વરસેનને શિષ્ય લેખાય છે અને હેતુબિન્દુ આદિમાં તેના મતની, અચંટ આદિ ટીકાકારેના કથનાનુસાર, સમાચના પણ કરે છે. એ જ રીતે તે ઉદ્યોતકર, ભર્તુહરિ અને કુમારિક એ ત્રણેનાં ભક્તની તીવ્ર સમાલોચના પણ કરે છે, જ્યારે તે ત્રણ વિદ્વાન પૈકી કોઈપણ ધર્મ કીર્તિના વિચારની સમાલોચના કરતા હોય તેવું ચોક્કસ પ્રમાણ મળતું નથી. જૈનતાર્કિક સમન્તભદ્ર અને પ્રભાકર એ બને ધમકીર્તિના સમકાલીન હોવા છતાં લઘુસમકાલીન છે, કેમકે સમન્તભદ્ર ધર્મકીર્તિના પ્રમાણવાર્તિકગત પ્રથમ પરિડેનું અનુકરણ કરી આપ્તમીમાંસા રચે છે. ૧, અલંકગ્રંથવય પ્રસ્તાવના ૫૦ ૧૯. Page #12 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૮૯ વ્યોમશિવ, અકલંકર હરિભદ્ર, જયંતી એ ચારેય ધમકીર્તિના ઉત્તરવર્તી છે, કેમકે તે બધા ધમકીર્તિનાં મન્તવ્યનું ખંડન કરે છે. ધર્મકીર્તિના ગ્રન્થો અને તેની વ્યાખ્યાઓની જે માહિતી શ્રી. રાહુલજીએ વાદન્યાયનાં પરિશિષ્ટોમાં પૂરી પાડી છે તેને આધારે અહીં નીચે મૂળ ગ્રન્થો અને વ્યાખ્યાઓનું કેલ્ડક આપવામાં આવે છે– ધર્મકીર્તિના ગ્રંથો અને તેની વ્યાખ્યાઓ ગ્રંથનામ, વ્યાખ્યાઓ વ્યાખ્યાકર્તા વિશેષ १. प्रमाणवातिक १. स्वोपज्ञवृत्ति धर्मकीर्ति प्रकाशित ૨. વનિ देवेन्द्रमति भोट भाषान्तर ३. टीका शाक्यमति 1.મા(માળવારંવારુંવાર) જ્ઞાતિ અગણિત १. भाष्यटीका जयानन्त भोट भाषान्तर यमारि . ટી शंकरानन्द ૬. रविगुप्त ૭. » मनोरथनन्दी प्रकाशित २. प्रमाणविनिश्चय भोट भाषान्तर ૧. સૌ धर्मोसर २, टीका হালীম ३. न्यायबिन्दु प्रकाशित धर्मोत्तर १. धर्मोत्तरप्रदीप अप्रकाशित ૨. ટિqળ मलवादी प्रकाशित २. टीका વિનીત' મોટ માતર ૧. બેમવતી પૃ. ૩૦૬, ૩૦૭, ૬૮૦ આદિ તુલના કરે પ્રમાણુવાતિક ૧–૧૩, ૧૪, ૧૫, ૩-૬૭, ૬૮, ૧૯, ૨. અકલંકગ્રન્થત્રય, પ્રસ્તાવના પૃ. ૨૫. ૩. શાસ્ત્રવાર્તાસમુચ્ચય પૃ. ૪, ૧૫-૩૨; અનેકાન્તજયપતાકા પૃ. ૨૩, ૩૩. જુઓ પ્રમાણુવાર્તિક ૩, ૧૮૧; ૧, ૨૧૯. ૪. ન્યાયમંજરી ભાગ ૨, ૫, ૧૦૭, ૧૯૧. ૫. છે. વિદ્યાભૂષણ વિનીતદેવને જે સમય માને છે તેનાથી કાંઈક પાછળ સમક્ષ રાહલ માને છે, વિશેષ માટે જુઓ History of Indian Logic p. 320 અને વાદન્યાયની રાહુલની પ્રસ્તાવના, Page #13 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] ४. हेतुबिन्दु ५. संबन्धपरीक्षा' ६. वादन्याय ३. टीका ४. टीका ૧. ટીજા (વિવરન ) ૧. आलोक २. टीका १. वृत्ति २. टीका ३. टीका १. टीका २. टोका ७. सन्तानान्तर सिद्धि 1. ટોળા દર્શન અને ચિંતન भोट भाषान्तर कमलशील जिन मित्र મર્ચંટ (ધમાંજરવૃત્ત) પ્રજ્ઞાશિત दुवेंक विनीतदेव धर्मकीर्ति विनीतदेव शंकरानन्द विनीतदेव शान्तरक्षित विनीतदेव در 33 भोट भाषान्तर .. ,, >> પ્રજાણિત भोट भाषान्तर प्रकाशित भोट भाषान्तर ૨. અડ પ્રસ્તુત સંસ્કરણમાં ખીજો ગ્રન્થ હેતુબિન્દુટીકા છે. તેના કર્તા અટ છે. નામ ઉપરથી તે કાશ્મીરી લાગે છે, અને લામા તારાનાથ તે વાતનુ સમન પણ કરે છે. એ જાતે બ્રાહ્મણુ જાતે બ્રાહ્મણ હતા. હૅતુબિન્દુટીકાના ટિમેટન ભાષાન્તરમાં ત્રણ સ્થળ · #ામળાચતેન ’ એમ ચોખ્ખા નિર્દેશ છે (પૃ. ૧૪૯, ૧૬૬, ૨૨૯). એનું ખીજું નામ ધર્મોંકરદત્ત છે (પૃ. ૨૩૩, ૨૬૧). એમ લાગે છે કે પાછળથી અદ્ર બૌદ્ધ ભિક્ષુ થયા હોય, અને ભિન્નુઅવસ્થાનુ એ ખીજું નામ હાય. વેક, અઢ સાથે ‘ભટ્ટ’ વિશેષણ (પૃ. ૨૩૭, ૨૪૧, ૨૪૩, ૩૩૩, ૩૪૩, ૩૭૦, ૩૭૭) યેાજે છે જ્યારે ધર્મોકરદત્ત નામ સાથે ભદન્ત (પૃ. ૨૬૧) વિશેષણ ચેાજે છે, જે ભિક્ષુ માટે જ પ્રયુક્ત થાય છે. તુટીકાકાર દુક મિશ્ર પોતાની વ્યાખ્યા આલાફ 'ના પ્રારંભમાં જ (પૃ. ૨૩૩) એ બન્ને નામેાના નિર્દેશ કરે છે. r અટના જીવન વિશે આથી વિશેષ માહિતી નથી, પણ એના પેાતાના લખાણ ઉપરથી ( પૃ. ૮૨, ૮૭) તેમ જ વેંકના વ્યાખ્યાન ઉપરથી એછામાં આછી એની નીચેની ત્રણ કૃતિએ હાવા વિશે જરાય સંદેહ રહેતા નથી--- ૧. જીએ પ્રમેચકમલમાંડ પૃ. ૫૦૪-૧૧ અને સ્યાદ્વાદનાકર પૃ. ૮૧૨-t ૨. History of Indian Logic, p. 329-32. "" Page #14 -------------------------------------------------------------------------- ________________ હેતુખિન્ને પરિચય [ ૮૯ ૧. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૮૨, ૮૭ ૩૨૭) ૨. પ્રમાણુદ્ધિત્વસિદ્ધિ (પૃ. ૧૮૯) ૩. હેતુબિન્દુટીકા. અચટનું લખાણ કાશ્મીરી ન્યાયમંજરીકાર જયન્ત અગર વાચસ્પતિ મિશ્ર જેવું પ્રસન્ન છે, અને તેનું દાર્શનિક જ્ઞાન બહુ જ ઊંડું તેમ જ વિશદ છે. જ્યાં જ્યાં તેણે બૌદ્ધમત કે દર્શનાન્તના મતે વિશે ચર્ચા કરી છે ત્યાં સર્વત્ર તેના વિચારની પારદર્શિતા જણાઈ આવે છે. એમ લાગે છે કે ધર્મકીર્તિને પિતાના જીવનમાં કદાચ સુયોગ શિષ્ય લાગ્યો ન હોય, પણ ઉત્તર કાળમાં તે તેને અચંટ જેવા અનેક સુયોગ્ય શિષ્યો સાંપડ્યા છે. ન્યાયબિન્દુકાકાર ધર્મોત્તર તે આ જ અચંટને શિષ્ય છે, એમ તારાનાથના ઉલ્લેખ ઉપરથી સિદ્ધ થાય છે, કેમકે તારાનાથ ધર્મોત્તરને ધમકરદત્તના શિષ્ય તરીકે નિર્દેશ છે, જે ધર્માકરદા પોતે અચંટ જ છે. એ પણ ફલિત થાય છે કે ભદત થયા પછી જ ધર્માકર શિષ્યદીક્ષા આપી હોય. અર્ચને સમય ધર્મકીર્તિ અને ધર્મોત્તર વચ્ચે તેમ જ ધર્મકીર્તિ અને કમળશીલ તેમ જ પ્રજ્ઞા કરગુપ્ત વચ્ચે પડે છે. એટલે તેને જીવનકાળ સાતમા સૈકાના અંતિમ ભાગથી આઠમા સૈકાના પ્રથમ પાદ સુધી તે મા જ જોઈએ.. છે દુર્વેક મિશ્ર પ્રસ્તુત સંસ્કરણમાં ત્રીજો ગ્રન્થ અચંટની ટીકાની “આલેક” નામક વ્યાખ્યા છે, જેને કર્તા દુર્વેક મિત્ર છે. એના જીવનની વિશેષ સામગ્રી અત્યારે ઉપલબ્ધ નથી. જે કાંઈ જાણી શકાય છે તે તેની પોતાની પ્રશસ્તિ ઉપરથી જ (પૃ. ૪૧૧). એ પ્રશસ્તિ ઉપરથી નીચેની હકીકત સ્પષ્ટપણે ફલિત થાય છે – ૧. તે પિતે વિક્રમશિલા વિદ્યાપીઠના અધ્યક્ષ અને પાછળથી ટિબેટમાં ગયેલ જિતારિ આચાર્યને વિદ્યાશિષ્ય હતે. ૨. તે પિતે બ્રાહ્મણ હતા અને ધનદરિદ્ર હતું. સંભવ છે કે તે વિક્રમશિલા વિદ્યાપીઠમાં અધ્યાપકનું કામ કરતો હોય અને સાથે સાથે બૌદ્ધ પરં. પરાનું સૂક્ષ્મ અધ્યયન પણ કર્યું હોય, કેમકે એવા અધ્યયન સિવાય અર્ચને ગંભીર વિચારની આવી બહુ પારદર્શી વ્યાખ્યા થઈ શકે નહિ. ૩. એની વ્યાખ્યામાં એના પિતાના રચેલા પાંચ ગ્રન્થોને નિર્દેશ છે, એટલે તેણે ઓછામાં ઓછી “આલેક ઉપરાંત પાંચ ગ્રન્થ તે રચ્યા જ હોવા જોઈએ. 1. History of Indian· Logic, p. 329. ૫૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ ] દર્શન અને ચિંતન આ પાંચ પૈકી ધર્મોત્તરપ્રદીપ, જે ન્યાયબિન્દુની અનુકકા છે, તેની કેટપ્રતિ પટને રિચર્સ સેસાયટીમાંના સંગ્રહમાં છે. આ પાંચે ગ્રન્થોના નામ નીચે મુજબ છે – ૧. ધર્મોત્તરપ્રદી૫ (પૃ. ર૫૯, ૩૦૮, ૩૩૭) ૨. સ્વયુવ્યવિચાર (પૃ. ૩૩૭) ૩. વિશેષાખ્યાન (પૃ. ૩૪૦, ૩૬૫, ૩૭૦, ૩૭૩) ૪. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૩૭૦, ૩૭ર) ૫. ચતુદશતી (પૃ. ૩૭૦, ૩૭ર). એમ લાગે છે કે દુર્વેક મિએ જિતારિના સંનિધાનમાં રહી વિક્રમશિલા વિદ્યાપીઠમાં કામ કરતાં કરતાં બૌદ્ધ દર્શન સાહિત્યને સમૃદ્ધ કરવાનું જ એકમાત્ર મુખ્ય કામ કર્યું હોય. તેની મિશ્ર ઉપાધિ જોતાં અને તે સમયમાં મિથિલાની વિદ્યા સમૃદ્ધિ તેમ જ વિક્રમશિલાનું સાંનિધ્ય જોતાં એમ લાગે છે કે તે મથિલ બ્રાહ્મણ હશે. આ વસ્તુસ્થિતિ એક બાબત ઉપર બહુ પ્રકાશ ફેંકે છે. તે એ કે ધર્મ અને જાતિની દષ્ટિએ બ્રાહ્મણ-શ્રમણનો નિત્ય વિષેધ હોવા છતાં વિદ્યા અને તત્વચિંતનના પ્રદેશમાં ઘણીવાર બન્નેને વિરોધ શમી જાય છે અને એક નવી જ સમન્વય સંસ્કૃતિનું નિર્માણ થાય છે. દક મિશ્રને ગળે ઉપલબ્ધ થયા ન હોત તે તેનું નામ કાલમાં જ ભૂંસાઈ જાત, કેમકે તેને નામનિર્દેશ નથી ટિબેટન લેખકોના ગ્રંથમાં કે નથી ભારતીય લેખકોના ગ્રન્થમાં. અચંટને તે જૈન વિદ્વાનો નામપૂર્વક નિર્દેશ છે, જ્યારે બ્રાહ્મણ દુક માત્ર એના પિતાના જ ગ્રન્થમાં સમાઈ જાય છે. જૈન વિદ્વાન વાદી દેવસૂરિ જેવા દુર્વેક વિશે અજાણ્યા હોય એમ લાગે છે. જેસલમેરના ભંડારમાંથી જે થોડાંક ન્યાયબિન્દુ-અનુટીકાનાં પત્રો મળ્યાં છે? તે ઘણું કરી દુર્વેક મિશન હોવાં જોઈએ. જો તેમ કરે છે એમ માનવું જોઈએ કે ગમે ત્યારે કોઈ ને કોઈ જૈન વિદ્વાને દુર્વેકના લખાણને ભારતમાં સંધરવા ને તેને ઉપયોગ કરવા પ્રયત્ન કરેલ. - દુર્વેકનું પાંડિત્ય એક દાર્શનિક મૈથિલ બ્રાહ્મણને શોભા આપે એવું છે. તે બહુશ્રત છે અને વૈયાકરણ પણ. આની પ્રતીતિ તેની વ્યાખ્યામાં પદે પદે થાય છે. તેની વ્યાખ્યા અચંટની વિકૃતિને અનુરૂપ જ છે. તે જ્યારે જ્યારે અચંટની પ્રતીકે લઈ તેનું વ્યાખ્યાન કરે છે ત્યારે બહુધા પૂર્વ પક્ષ રૂપે કે ૧. એ પાનાં મુનિશ્રી જિનવિજયજી પાસે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૮૯ ઉત્થાનરૂપે અર્ચન્ટના વક્તવ્યનું હાર્દ પૂર્ણપણે વ્યક્ત કરતે લાગે છે. તે વિચારમાં સ્વતંત્ર છે. કેટલેક સ્થળે અચંટના મંતવ્યથી તે જુદો પડી પિતાનું સ્વતંત્ર ભવ્ય દર્શાવે છે. આ ઉપરથી એક એ બાબત ફલિત થાય છે કે બૌદ્ધ વિદ્યાપીઠમાં વિચારવાતંત્ર્યનું વાતાવરણ અવશ્ય હતું. જે અચંટને તે ગુરુરૂપે નિર્દેશે છે તેના જ મંતવ્યથી તે જુદે પણ પડે છે, એ જ વિચારસ્વાતંત્ર્યની ભૂમિ સૂચવે છે. દુર્વેકને સમય ઈ. સ. દશમા સૈકાના અંતિમ ચરણથી અગિયારમા સૈિકાના પૂર્વાર્ધ સુધી તે માનવો જ જોઈએ, કેમકે તે દીપંકર જ્ઞાનશ્રીના ગુરુ જિતારિને વિદ્યાશિષ્ય હતું અને જિતારિ તેમ જ જ્ઞાનથી બન્ને દશમ શતકના અંતિમ પાદમાં તે હતા જ. વળી દુક મિત્રની અનેક કૃતિઓ અને તેનું બહુમુખી પાંડિત્ય પણ તેના જીવનની લાંબી અવધિ સૂચવે છે. [૩] ગ્રન્થ પરિચય ૧, હેતુબિન્દુ પ્રસ્તુત હેતુબિન્દુને પરિચય કરીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે ધર્મકીર્તિએ હેતુબિન્દુ અને બીજા પ્રત્યે ર તે તેણે વારસામાં મળેલ કેવા પ્રકારના વિચાર અને સાહિત્યને આધારે રચ્યા ? ધમકીર્તિના ગ્રન્થમાં પ્રતિપાદિત થયેલા વિચાર અને વપરાયેલી પરિભાષા આદિને એતિહાસિક પરિચય પૂર્ણપણે તે કરાવ અસંભવિત છે, તેથી અહીં એનું ટૂંકમાં દિગ્દર્શન કરાવવા ધારીએ છીએ. આ કારણથી અમે આ સ્થળે મુખ્યપણે બે મુદ્દા પૂરતી જ ચર્ચા કરવા ધારી છે. તે મુદ્દા છે– (૧) પ્રમાણવિચાર અને તેને અંગભૂત ન્યાયવિચાર તેમ જ ન્યાયના અંગભૂત હેતુ આદિ પ્રમેયને વિચાર કર્યો લયની સિદ્ધિ અર્થે ઉત્પન્ન થયે અને વિક ? (૨) આ વિચારને સંઘરતું અને વિકસાવતું સાહિત્ય કેવી કેવી રીતે પલટા લેતું ગયું અને ધીરે ધીરે છતાં અખંડપણે ધર્મકતિ સુધી આવ્યું? તત્વ અને સત્યશૈધનને પ્રયત્ન ભારતમાં હજારો વર્ષ પહેલાં શરૂ થવાની વાત હવે કઈથી અજાણ નથી. સત્યશોધનને પ્રયત્ન બે રીતે ચાલતું ? કેટલાક વિરલ પુરુષો માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ તત્વશોધન ભણી પ્રેરાતા, તે બીજા કેટલાક ભૌતિક અને બાહ્ય દષ્ટિએ એ દિશામાં વળતા. આવા શોધકેમાં 1. હેબિટીકાક પૃ. ૨૪૩, ૨૬૨, ૨૭૧, ૩૦૩, ૩૬૭, ૩૯૩ આદિ, 2. History of Indion Logic, p. 337. Page #17 -------------------------------------------------------------------------- ________________ હ૦૦] દર્શન અને ચિંતન જે જે વ્યક્તિએ એક કે બીજી બાબતમાં પિતાને કાંઈ પણ ન ફાળે આપે તેવી પ્રતીતિકાર શોધ કરતી તે વ્યક્તિઓની આસપાસ શિષ્યમંડળ અને અનુયાયીમંડળ જામતું અને તેમાંથી તેની પરંપરા સ્થિર થતી. ઘણીવાર એક જ બાબત પર જુદા જુદા બે કે તેથી વધારે ધકેની શેધ પરસ્પર જુદી પડતી અને પરસ્પર અથડાતી પણ ખરી. મૂળ શોધક પિતાની શોધને જ યથાર્થરૂપે પ્રતીતિકર થાય તે રીતે રજુ કરતે, જ્યારે એનું શિષ્યમંડળ એ જ વસ્તુને વધારે તર્કપુરસ્સર સ્થાપિત કરવા અને તેને પ્રચાર કરવા મથતું. અનુયાયીમંડળ મુખ્ય શોધક અને તેના શિષ્ય પરિવારમાં શ્રદ્ધા કેળવીને જ મુખ્યપણે તે શોધને પોષતું. આમ શોધ, પછી તે મુખ્યપણે પ્રમેય વસ્તુને લગતી હોય કે ચરિત્રને લગતી હોય, તેનું રક્ષણ, સંવર્ધન અને પહેલવન થતું. આવી પ્રવૃત્તિ જ્યાં એક જ પ્રદેશમાં અનેકવિધ ચાલતી હોય ત્યાં શોધકોના વિચારે વચ્ચે અથડામણી થાય એ સ્વાભાવિક છે. આવી અથડામણ મુખ્યપણે બે પ્રકારની જોવામાં આવે છે. એક પરંપરા પૂરતી અને બીજી અન્ય પરંપરાઓ સાથે. જ્યારે જ્યારે પરંપરા પૂરતી શોધને લગતી બાબતમાં ગુરુશિષ્ય વચ્ચે કે બ્રહ્મચારી શિષ્ય વચ્ચે ચર્ચા થતી ત્યારે ત્યારે તે ચય જય કે પરાજયમાં ન પરિણમતાં માત્ર તત્વજિજ્ઞાસાની તૃતિમાં જ પરિણમતી, પણ જ્યારે જ્યારે બીજી પરંપરાઓ સાથે આવી ચર્ચા થતી ત્યારે ત્યારે ઘણીવાર તે જય-પરાજયમાં જ પરિણામ પામતી, અને તે તત્ત્વબુભુત્યુની કશા મટી વિજિગીષની કથા બનતી. જે કથા ગમે તે હોય, પણ તે જે અમુક નિયમોથી સીમિત હેય તે જ ફળદાયી નીવડે, એટલે સત્યશોધના ઉમેદવારની ચર્ચામાંથી આપોઆપ તેમ જ બુદ્ધિપૂર્વક કેટલાક નિયમે નક્કી થયા; તેમ જ કયું જ્ઞાન પ્રમાણે, કયું અપ્રમાણ, એવાં કયાં અને કેટલા પ્રમાણે માનવાં અને ક્યાં ન માનવાં ઈત્યાદિ વિચાર પણ થવા લાગે. આને પરિણામે એક બાજુથી પ્રમાણુવિદ્યા સ્થિર થતી ગઈ અને બીજી બાજુથી તેની જ અંગભૂત ન્યાય, તર્ક કે આશિકી વિદ્યા સ્થિર થતી ચાલી. આ બન્ને વિદ્યાઓને ઉપગ આધ્યાત્મિક શાસ્ત્રોમાં તેમ જ ભૌતિક કહેવાતા બધા જ વ્યાવહારિક શાસ્ત્રોમાં થતો રહ્યો. એક તે શોધને વિષયે જ ઘણું, બીજું એક એક વિષય પર જુદી પડતી માન્યતાઓ ઘણી અને એક એક શોધ તેમ જ તેના વિષયનું અમુક અંશે જુદું જુદું નિરૂપણ કરનાર પરંપરાઓ પણ ઘણી. તેથી કરીને ૧. વિશેષ માટે જુઓ પ્રમાણમીમાંસા ભાષાટિપણે, પૃ. ૧૦૮-૨૩. Page #18 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૯૦૧ સ્વાભાવિકપણે જ પ્રમાણુવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પણ અનેકવિધ પરંપરાઓ ઊભી થતી ગઈ મનુષ્યનું જન્મસિદ્ધ સહજ વલણ શ્રદ્ધાનુસારી હોઈ વારસામાંથી કે પરિસ્થિતિમાંથી જે મળ્યું હોય તેને ચલાવી કે નભાવી લેવામાં જ તે ચરિતાર્થતા અનુભવે છે. આમ છતાં કેટલાક અપવાદભૂત દાખલાઓ એવા પણ બને છે કે તેમાં અમુક પુરુષો વારસામાં મળેલ સંસ્કારેનું ઊંડું પરીક્ષણ કરે છે અને ઘણીવાર એ પરીક્ષાને પરિણામે માત્ર શ્રદ્ધાવી વિચારેની સામે થાય છે ને તેની વિરુદ્ધ ન જ વિચાર મૂકે છે. નવા વિચારની પૃષ્ઠભૂમિકા મુખ્યપણે બુદ્ધિની શુદ્ધિ અને તર્કબળ તેમ જ ચરિત્રબળ હોય છે. જ્યારે શરૂઆતમાં શ્રદ્ધા ઉપર બુદ્ધિ અને તર્ક પ્રહાર કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ શ્રદ્ધા જીવી વિચારે બુદ્ધિ અને તર્કવી વિચારેને અવગણે છે; એટલું જ નહિ, પણ નિંદા સુધ કરે છે. ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં પહેલાં પણ આ ભૂમિકા પસાર થઈ છે. તેથી જ આપણે બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ બધી પરંપરાએના પ્રાચીન સાહિત્યમાં તર્ક વિદ્યાની નિન્દા સાંભળીએ છીએ. પણ આ ભૂમિકા લાંબે વખત ટકતી નથી. શ્રદ્ધા અને બુદ્ધિ બને છેવટે તો જીવનના અવિભાજ્ય અંગે હેઈ પરસ્પર માંડવાળ કરે છે ને અથડામણ ન થાય તે રીતે પિતાપિતાના વિષષની મર્યાદા આંકે છે. આ જ શ્રદ્ધા અને બુદ્ધિના સમન્વયની ભૂમિકા કહેવાય. એને જ શાસ્ત્રોમાં અહેતુવાદ–હેતુવાદ તરીકે ઓળખાવેલ છે; અને છેવટે બધી પરંપરાઓએ એ બને વાદોને માન્ય રાખી પિોતપોતાની મર્યાદામાં તેના વિષયની સીમા બાંધી છે. આ સમન્વયની ભૂમિકામાં જ્યારે શ્રદ્ધાળવી વિચારકોએ તર્કવિદ્યાની પ્રતિષ્ઠા કરી ત્યારે તેનું પિષણ વધારે થવા લાગ્યું. પછી તે આધ્યાત્મિક કે ભૌતિક બધી જ ધના ક્ષેત્રમાં તર્કવિદ્યાનો પણ અભ્યાસ વચ્ચે અને તેનાં શાસ્ત્રો પણ રચાતાં ચાલ્યાં. કોઈ પરંપરાએ પહેલાં તે કેઈએ પછી, પણ તર્કવિદ્યાના શાસ્ત્રો રચવામાં એવો ફાળો આપે જ છે. પ્રમાણુવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પ્રાચીન ફાળો મુખ્યપણે ન્યાયપરંપરાના પુરસ્કર્તાઓને જ છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં કે ચરક જેવા શારીરવિજ્ઞાનશાસ્ત્રમાં જે તન્ત્રયુકિતને નામે સંગ્રહ થયો છે તે મૂળમાં મોટે ભાગે ન્યાયપરંપરાને ફાળો છે. પૂર્વમીમાંસક 9. History of Indian Logic, p. 36. ૨. દા. ત. જુઓ સન્મતિ ૩,૪૩-૪૫. ૩. અર્થશાસ્ત્ર ૨૪૧. ( ત્રિવેન્દ્રમ LXXXII) પ્રકરણ ૧૮૦. વિદ્યાભૂષણ : History of Indian Logic, p, 24, ૪. વિમાનસ્થાન, અત્રે ૮. History of Indian Logic p. 28. Page #19 -------------------------------------------------------------------------- ________________ હ૦૨] દર્શન અને ચિંતન કે ઉત્તરમીમાંસક, સાંખ્ય કે એ, બૌદ્ધ કે જૈન એ એક પરંપરાના પ્રાચીનતમ ગ્રન્થમાં પિતપોતાનું આગવું હોય તેવું ન્યાયવિદ્યાનું બંધારણ ઘડાયેલું મળતું નથી, જેવું કે એ પરંપરાઓના પાછળનાં શાસ્ત્રોમાં મળે છે. ન્યાયવિદ્યાના તે કાળ સુધીમાં ઘડાયેલા નિયમ–પ્રતિનિયમો અને ન્યાયના અંગ–પ્રત્યંગને પિતાની પરંપરામાં જેમના તેમ અગર થોડા ફેરફાર સાથે અપનાવનાર પરંપરાઓમાં સૌથી મોખરે બૌદ્ધપરંપરા આવે છે. અલબત્ત, કદાચ આયુર્વેદ અને અર્થશાસ્ત્ર આદિ અન્ય વિજ્ઞાને એ બૌદ્ધ પરંપરા પહેલાં પણ ન્યાયવિદ્યાના નિયમ-પ્રતિનિયમ અને અંગ-પ્રત્યંગને પિતામાં સમાવ્યાં હય, પણ બૌદ્ધપરંપરાની વિશેષતા એ છે કે તેણે પિતાની પરંપરામાં ન્યાયવિદ્યાને સ્થાન આપ્યું તે માત્ર સંગ્રહપૂરતું અને ભાપૂરતું જ નહિ, પણ એમાં સંશોધન કરવાની દૃષ્ટિ સુધ્ધાં હતી, જ્યારે ચાણક્ય કે ચરક આદિને સંગ્રહથી આગળ વધવું ઈષ્ટ ન હતું. એ જ સબબ છે કે ઉત્તર કાળમાં બૌદ્ધપરંપરામાં જેવું એક ન્યાયશાસ્ત્ર સ્વતંત્ર નિર્માણ થયું તેવું અર્થશાસ્ત્રની પરંપરા કે આયુર્વેદની પરંપરામાં કશું બન્યું નહિ. બૌદ્ધપરંપરાએ જે કામ પહેલાં શરૂ કર્યું તે જેનપરંપરાએ પાછળથી શરૂ કર્યું. ઉપલબ્ધ સાહિત્યને આધારે તે એમ પણ કહી શકાય કે મીમાંસક અને વેદાંત પરંપરાએ પિતાનું પ્રમાણ તેમ જ ન્યાયશાસ્ત્ર તેથીયે પાછળથી વ્યવસ્થિત કર્યું. ઉપાયહૃદય નામને ગ્રન્થ ચાઈનીઝ પરંપરામાં નાગાર્જુનને નામે ચડેલ છે. તે તેને ન હોય, તો પણ તેના વિગ્રહવ્યાવતિની અને મધ્યમકકારિકા જોતાં એમ ચોક્કસપણે કહી શકાય કે તેણે બૌદ્ધપરંપરામાં કદાચ સૌથી પહેલાં પ્રમાણ અને ન્યાયવિદ્યા વિશે ભૌલિક ચિંતન શરૂ કર્યું. મયનાથે ગચયભૂમિશાસ્ત્રમાં અને તેના શિષ્ય અસંગે અભિધર્મસંગીતિમાં તેમ જ અસંગના શિષ્ય સ્થિરમતિએ અભિધમં સંયુક્ત સંગીતિમાં જે પ્રમાણુવિદ્યા તેમ જ ન્યાયવિદ્યાનો સંગ્રહ કર્યો છે તે કઈ મૌલિક નથી. ન્યાયપરંપરાની જુદી જુદી શાખાઓમાં થયેલા વિચારે જેમ એક અથવા બીજી રીતે અર્થશાસ્ત્ર, ચરક આદિમાં સંગ્રહીત થયા તેમ જ મૈત્રેય, અસંગ આદિએ પણ સંગ્રહ કર્યો. અલબત્ત, એના સંગ્રહમાં સુધારક દૃષ્ટિબિન્દુ અવશ્ય હતું. તેથી જ તેમાં ન્યાયપરંપરાના પાંચ કે દશ અવયના સ્થાનમાં ત્રણ અવયવને સુધારે તેઓ કરે છે, અગર બીજા કેઈને સુધારે 4. Tucci: Pre-Dinnaga Buddhist Texts-Introduction, p.XI. 3. On Some Aspects of the Maitraya [natha ] and Asanga. Also JRAS 1929 Hial Pre--Dignaga Buddhist Logic, - -- —** Page #20 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુના પરિચય [ ૯૦૩ સ્વીકારે છે. અસગના લઘુભ્રાતા અને શિષ્ય વસુબધુ આગળ વધે છે અને તે પોતાના વાદવિધિ આદિ ગ્રન્થામાં ત્રણ અવયવાના પૂર્વ સુધારાને કાયમ રાખી હેતુના ન્યાયપર પરાસંમત પાંચ રૂપના સ્થાનમાં ત્રરૂપ્સના સુધારા કરે છે. તર્ક શાસ્ત્ર વસુખ ક ક હોય કે અન્ય કતું કે, પણ તે દિઙનાગ પહેલાના કાઇ બૌદ્ધ તાર્કિકની કૃતિ છે એટલું તે નક્કી જ. એ તર્કશાસ્ત્રમાં પાંચ અવવા વધુ વેલ છે, પણ ન્યાયપર પરાસમત જાતિ અને નિગ્રહસ્થાનામાં સુધારા વધારે કર્યાં છે. આવો સુધારે ખીજી રીતે ઉપાયવ્યમાં પણ છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ મૈત્રેય અને અસંગની પેઠે સ્વીકાર્યો છતાં વસુખ એની વ્યાખ્યામાં સુધારા કરે છે; એટલું જ નહિ, પણ તે તથાગત યુદ્ધની દૃષ્ટિને બંધબેસતું થાય તે રીતે આગમ પ્રમાણનું સ્થાન ગોઠવે છે અને કહે છે કે આગમ એ પ્રમાણુ છે ખરું, પણ તે પ્રત્યક્ષ ને અનુમાનની ઉપર અવલ ંબિત હોઈ તે બન્ને કરતાં ગૌણ છે. આ સ્થળે વસુબંધુ સ્પષ્ટપણે ન્યાયપર પરાના દૃષ્ટિબિન્દુથી આગમ પ્રામાણ્યના મહત્ત્વની બાબતમાં બુધે પડે છે, કેમકે ન્યાયપરંપરા આગમને ઇશ્વરપ્રણીત માનતી હોવાથી તે અનુસારે લૌકિક પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ કરતાં અલૌકિક આગમનું સ્થાન ચડિયાતું છે. વસુબના શિષ્ય દિનાગ તો પાતાના પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ, હેતુચક્ર આદિ ગ્રન્થામાં અનેકવિધ સુધારાએ કરે છે અને બૌદ્ધપર પરામાં સર્વમાન્ય થાય તેવી ન્યાયવિદ્યાની સ્થાપના કરે છે. જોકે વસુખ અને દફ્નાગના સમય પછી પણ બૌદ્ધ પરંપરામાં એવા અનેક પ્રકારના વિચારવહેણા હતાં જેઓ વસુખ અને દિનાગને ન અનુસરતા, પણ પ્રાચીન મૈત્રેયનાથ આદિના ગ્રન્થોમાં સંગૃહીત થયેલા મન્ત વ્યાને અક્ષરશઃ માનતા કે જે મન્તવ્યને વસુક્ષ્મ અને દિાગ આદિએ સુધાર્યો અને પરિવર્તિત કર્યાં હતાં. તેમ છતાં એકંદર આગળ જતાં વસુબધું અને તેના કરતાંય વિશેષ દિનાગનું સ્થાન ખૌદ્રુપરંપરામાં વધારે પ્રતિષ્ઠિત થયું છે, ને તેથી જ તેમના ગ્રન્થો અને વિચારાનુ અનુકરણ, ભાષાન્તર ને તેના ઉપર સાધન ઉત્તરાત્તર વધારે અને વધારે થયું છે. આ કાર્ય માત્ર ભારતમાં જ નહિ, પણ ભારતની બહાર મધ્ય એશિયા, ચીન, બેટ દિ દેશામાં પણ પુષ્કળ પ્રમાણમાં થયુ છે. પ્રમાણ તેમ જ ન્યાયવિદ્યાને લગતુ સ ંસ્કૃત બૌદ્ધવાહમય ભારતની સીમા બહાર ગયું અને નવાં નવાં સ્વરૂપે માં વિકસતું તેમ જ ફેલાતું ગયું, તે પહેલાં પણ બૌદ્ધ પિટકાનું પાલિવાઙમય ભારતની સીમા ઓળંગી ગયુ હતુ. ધર્માંસાત્ ૧. Pre-Dinnaga Buddhist texts-Intro. p. IX Page #21 -------------------------------------------------------------------------- ________________ હ૪] દર્શન અને ચિંતન અશોકની ધર્મસંતતિ મહેન્દ્ર અને સંધમિન્નાએ સિલેનમાં પાલિવાડ્મયનું વટવૃક્ષ રોપ્યું. ત્યારઆાદ તે તેની શાખા-પ્રશાખાઓ બીજા દેશો સુધી પણ પહોંચી. જાણે કે બદ્ધપરંપરાની અઢારે નિકા ફેલાવાના કામમાં સ્પર્ધા કરતી ન હોય તેમ ભારતના એક ખૂણાથી બીજા ખૂણું સુધીમાં અને મધ્ય એશિયા તથા ચીન આદિ દેશોમાં પણ બૌદ્ધ વાત્મયે પિતાના સૌરભથી વિદ્યાભ્રમરને આકર્ષી. ભારત બહાર દક્ષિણ દિશામાં જે બૌદ્ધ વાડ્મયને લગતી પ્રવૃત્તિ શરૂ થઈ તે પાલિ ભાષામાં મુખ્યપણે હતી; અને ગાંધાર, કાશ્મીર જેવા ઉત્તરીય દેશોમાં જે પ્રવૃત્તિ ચાલતી તે મુખ્યપણે સંસ્કૃતાવલમ્બી બની. તળ ભારતમાં તો બન્ને ભાષામાં એ પ્રવૃત્તિ ચાલતી. શરૂઆતમાં આ પ્રવૃત્તિને વિષય મુખ્યપણે ત્રિપિટક હતે. સવસ્તિવાદીએ સંસ્કૃતને જ મુખ્યપણે અવલંબી પ્રવૃત્તિ કરતા, જ્યારે મહાસાધિકે પ્રાકૃત ભાષાઓને અવલંબી પિતાનું ધ્યેય સાધતા. ૧ એમ લાગે છે કે પ્રમાણ અને ન્યાયશાસ્ત્રના પ્રવેશ પહેલાં જ ચીનમાં સંસ્કૃત ત્રિપિટકે પહોંચી ગયાં હતાં, એને તેને આશરી ચીની ભાષામાં ભાષાન્તરનું કામ પણ શરૂ થઈ ગયું હતું. ભારતીય અને અભારતીય વિદ્વાનોએ મળી બૌદ્ધ વાત્મયને લગતી જે પ્રતિ કરી છે તેના ચાર ભાગ પાડી શકાય: ૧. ભાષાતર, ૨. વ્યાખ્યાઓ અને ટીકાટિપણે, ૩. એક જ વિદ્વાન દ્વારા આકર ગ્રન્થનું તેમ જ તેમાં પ્રવેશ કરાવનાર એકાદ મુદ્દા ઉપરનાં નાનાં નાના પ્રકરણનું નવું પ્રણયન, ૪. અન્યના આકર ગ્રન્થ કે પ્રકરણે ઉપરથી માત્ર પ્રવેશક જિજ્ઞાસુને ઉપયોગી થાય તેવાં નાનાં નાનાં પ્રકરણની નવીનવી રચના. ત્રીજા વિભાગની પ્રવૃત્તિના ઉદાહરણ તરીકે નાગાર્જુનને મધ્યમ કારિકા ગ્રન્થ અને તેમાં પ્રવેશ કરવા માટે ઉપગી થાય તેવું વિગ્રહવ્યાવર્તિની પ્રકરણ સૂચવી શકાય. દિદ્ભાગે પોતે જ પ્રમાણસમુચ્ચયના પ્રારંભમાં (કા. ૧ અને વૃત્તિ) સૂચવ્યું છે કે તેણે છૂટાં છૂટાં પ્રકરણે રચ્યાં અને પછી તે પ્રમાણસમુચ્ચય નામક આકર ગ્રન્થ રચે છે. દિદ્ભાગની પ્રવૃત્તિનું જ જાણે અનુકરણ ન કરતા હોય તેમ તેના પછી લગભગ ૧૫૦ વર્ષે થયેલ ધર્મકીર્તિ પ્રમાણ વાર્તિક જેવા આકરગ્રન્થ અને ન્યાયબિન્દુ, વાદન્યાય આદિ જેવાં પ્રકરણે રચે છે. દિક્નાગ સુધીમાં જે પ્રમાણવિદ્યા અને ન્યાયવિદ્યાને બૌદ્ધપરંપરાએ વિકાસ કર્યા હતા તેમાં ધમકીર્તિના સમય સુધીમાં ઘણે ઉમેરે પણ થયે હતો. ધમકીર્તિની સમગ્ર વાડ્મયપ્રવૃત્તિ પ્રમાણ અને ન્યાયવિદ્યાને કેન્દ્રમાં રાખીને જ Kimura : Hinayana and Mahayana, p. 6, 7, Page #22 -------------------------------------------------------------------------- ________________ હતુબિન્દુને પરિચય થયેલી હોય એમ લાગે છે. પ્રમાણવાર્તિક તે દિદ્ભાગના પ્રમાણસમુચ્ચયની કારિકાબદ્ધ આકરવ્યાખ્યા છે, પણ ન્યાયબિન્દુ અને હેતુબિન્દુ જેવાં પ્રકરણોનું સ્વરૂપ જુદું છે. ન્યાયબિન્દુ ગદ્યમાં છે, જ્યારે હેતુબિન્દુ વાદન્યાયની જેમ પ્રારંભિક એક કારિકાનું વિસ્તૃત ગદ્ય વિવરણ છે. જેમ ન્યાયપ્રવેશમાં પ્રારંભિક સંગ્રહકારિકા આગળના બધા વક્તવ્યને સંક્ષિપ્ત સંગ્રહ છે, તેમ જ હતુબિન્દુની પ્રથમ કારિકા આગળના સમગ્ર વક્તવ્યને અતિસંક્ષિપ્ત સંગ્રહ છે. પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા હોવાથી ધમકીર્તિ પિતાના આકર ગ્રન્થનું પ્રમાણુવાર્તિક એવું નામ રાખે તે તો સમજી શકાય, પણ પિતાનાં લઘુપ્રકરણોનાં ન્યાયબિન્દુ, હેતુબિન્દુ, વાદન્યાય આદિ જેવા જે નામ રાખ્યાં છે તેમાં પણ વિચાર અને સાહિત્યની પૂર્વ પરંપરાનું પ્રતિબિમ્બ સ્પષ્ટપણે દેખાય છે. દિદ્ભાગે પિતાના પ્રકરણોમાં ન્યાયમુખ (ન્યાયકાર), હેતુમુખ, હેતુચક્ર જેવાં નામે રાખેલાં, શંકરસ્વામીએ ન્યાયપ્રવેશ એવું નામ પસંદ કરેલું; જ્યારે ધમકીતિ તેવા જ વિષયના પ્રકરણ માટે ન્યાયબિન્દુ, હેતુબિન્દુ જેવાં નામે પસંદ કરે છે. માત્ર નામકરણ અને રચનામાં જ પૂર્વ પરંપરાને વારસો નથી સમાતો, પણ ધમકીતિએ જે જે વિઘયો ચર્ચો છે તે બધામાં પોતાના સમય સુધીની બૌદ્ધ કે બહેતર વિચારપરંપરાઓ અને પરિભાષાઓનો વારસે પૂર્ણપણે સમાવેલ છે. વારસામાં મળેલ વિચારો તેમ જ પરિભાષાઓને ધર્મકીર્તિ પોતાની પરીક્ષક કસોટીએ કસે છે અને જ્યાં ગ્ય લાગે ત્યાં તે પ્રાચીન વિચાર અને પરિભાષાઓનું નિયપણે ખંડન પણ કરે છે. તે એટલે સુધી કે તેના કહેવાતા ગુરુ ઈશ્વરસેન સુધ્ધાને તે છોડતો નથી. પિતાના પૂર્વવતી બૌદ્ધ આચાર્યોએ જે બહેતર પરંપરાઓના મંતવ્યનું નિરસન કર્યું છે તે ઉપરાંત પણ આગળ વધી ધમકીતિ બીજા અનેક બહેતર દર્શનેનાં મન્તનું નિરસન કરે છે. તેથી જ ધર્મ કીર્તિને ગ્રન્થમાં ભર્તુહરિ, ઉદ્યોતકર, કુમારિલ જેવા અનેક વૈદિક દાર્શનિકના મન્તવ્યોની સમાલોચના મળે છે. મૂળ હેતુબિન્દુ મંગળ સિવાય જ પ્રારંભિક એક ઉત્થાનવાક્ય સાથેની એક કારિકાથી શરૂ થાય છે, જે કારિકા પ્રમાણુવાર્તિકના મનોરથનંદિનીના ક્રમ પ્રમાણે ત્રીજા પરિચછેદની પ્રથમ કારિકા અને કહ્યુંગામીના ક્રમ પ્રમાણે પત્તવૃત્તિવાળા પ્રથમ પરિચ્છેદની ત્રીજી કારિકા છે. એ કારિકામાં મુખ્યપણે હેતુનું લક્ષણ અને હેતુના પ્રકારનું કથન છે. હેવાભાસનું સ્વરૂપ અને તેના પ્રકારે હેતુના લક્ષણ અને પ્રકારે ઉપરથી જ સચિત કરાયેલાં છે. કારિકામાં જે વસ્તુ બીજરૂપે સંક્ષેપમાં કહી છે તેનું જ આખા ગ્રન્થમાં ગદ્યરૂપે ધમકીર્તિએ વિવરણ કર્યું છે. આપણી સામે અત્યારે એ ગદ્ય જેમનું તેમ અવિકલ Page #23 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ઉપલબ્ધ નથી, માત્ર અચંટની વ્યાખ્યામાં તેની પ્રતીકે લેવામાં આવી છે કે જે પ્રતીક રચનાના ક્રમથી ઘણીવાર વિપરીત કમે પણ લેવાયેલી છે, અને તે પ્રતીકે પણ મૂળને અંશમાત્ર સૂચવે છે. એટલે એ પ્રતીકે ઉપરથી ધર્મ કીર્તિરચિત અખંડ સંસ્કૃત ગદ્યમય વિવરણને ખ્યાલ પૂર્ણપણે આવી નથી શકતે. અલબત્ત, ટિબેટન અનુવાદ ઉપરથી એને ખ્યાલ કાંઈક આવી શકે. શ્રી. રાહુલજીએ ટિબેટન અનુવાદ ઉપરથી પ્રતિસંસ્કૃત કરી આપ્યું છે, પણ એ પ્રતિસંસ્કૃત અને અચંટે લીધેલી પ્રતીકે એ બન્નેને મેળવતાં પણ અમને એમ લાગે છે કે ધમકીર્તિ રચિત ગદ્યમય સંસ્કૃત વિવરણ જેમનું તેમ તૈયાર થતું નથી. એટલે પ્રસ્તુત સંસ્કરણમાં ધર્મકીર્તિના અવિકલ સંસ્કૃત ગદ્ય વિવરણ પૂરતી ત્રુટિ રહી જ જાય છે એમ કબૂલ કરવું જોઈએ. ધર્મકીર્તિએ હેતુબિન્દુના ગદ્યવિવરણમાં દિનાગ સિવાય બીજા કોઈ આચાર્યને નામપૂર્વક નિર્દેશ કર્યો લાગતું નથી. એણે પિતાના ગ્રન્થ પૈકી પ્રમાણુવિનિશ્ચયન જ નામપૂર્વક ઉલ્લેખ કર્યો છે. હેતુબિંદુમાં ચર્ચાયેલ વિષય મુખ્યપણે સ્વાર્થનુમાન સાથે સંબંધ ધરાવે છે, એટલે હેતુબિંદુપ્રકરણને સ્વાર્થનુમાનનું એક પ્રકરણ કહી શકાય. ધર્મકીર્તિએ ન્યાયબિંદુમાં સ્વાર્થનુમાન અને પરાથનુમાન બન્નેનું નિરૂપણ કર્યું છે. પ્રમાણુવાર્તિકમાં પણ બન્નેનું નિરૂપણ છે. એ કહેવું કઠણ છે કે તેણે આ ત્રણ પૈકી કયા ગ્રંથની રચના પ્રથમ કરી, પણ વધારે સંભવ એ છે કે પહેલાં પ્રકરણો રચ્યાં હોય અને પછી તે બધાંનું સંકલન કરી અને બીજા નવા વિષયે તેમ જ વિચારો ઉમેરી પ્રમાણુવાર્તિક જે આકર ગ્રંથ રચ્યો હોય. ધર્મકીર્તિએ પિતાના ઉપયુક્ત ત્રણ ગ્રંથમાં હેતુના પ્રકાશને વર્ણનક્રમ એકસરખો રાખ્યો નથી. ન્યાયબિંદુમાં અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એ ક્રમ છે; પ્રમાણુવાર્તિકમાં કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિ એ ક્રમ છે, જ્યારે હેતુબિંદુમાં સ્વભાવ, કાર્ય અને અનુપલબ્ધિ એ ક્રમ છે. તેથી એકંદર હતુબિંદુપ્રકરણના મુખ્ય વિષયની દષ્ટિએ ચાર ભાગ પડે છે. એ ચારેય ભાગમાં બીજા અનેક વિષે અને અનેક દાર્શનિક-તાર્કિક પરિભાષાઓની ચર્ચા છે, જેને ખ્યાલ વાચક વિષયાનુક્રમ ઉપરથી કરી શકશે. ' હેતુ” શબ્દ પ્રાચીન ગ્રંથોમાં સામાન્ય પ્રમાણુના અર્થમાં પણ આવે છે અને ધણીવાર ન્યાયના પર્યાય તરીકે પણ વપરાય છે, જેમકે હેતુવિદ્યા=ન્યાયવિદ્યા, તર્કવિદ્યા, આનીક્ષિકી. પણ પ્રસ્તુત ગ્રન્થના નામમાં વપરાયેલ હતું' શબ્દ અનુમાનના અન્યતમ અંગભૂત સાધનને જ બાધક છે. તેની સાથે સમાસ પામેલ બિન્દુ’ શબ્દ સૂચવે છે કે પ્રસ્તુત પ્રકરણ એ તે હેતુવિષયક વિચાર, Page #24 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુના પરિચય [ e કે જે વસ્તુતઃ મહાદ્ધિ જેવા અપાર અને અગાધ છે, તેનું એક બિન્દુમાત્ર હાઈ તેમાં એ વિશે એછામાં ઓછો વિચાર છે. બીજી રીતે કદાચ બિન્દુ’ શબ્દથી ધકીર્તિ પાતાના આકરઅન્ય પ્રમાણવાતિ કગત હેતુવિષયક વિસ્તૃત વિચારના હેતુબિન્દુપ્રકરણમાં અંશમાત્ર છે. એમ પણ સૂચવતો હોય. ગમે તે હા, એટલું તો અસદિગ્ધ છે કે ધમકીતિ એ પ્રસ્તુત પ્રકરણમાં હતુ વિશેના પોતાના મંતવ્યો તદ્દન સ્પષ્ટપણે રજૂ કર્યાં છે, કે જે મન્તવ્યો બૌદ્ધપરંપરાની વિચારસરણી સાથે બધએસતાં હોઈ તેમ જ વધારે તર્કશુદ્ધ હાઈ આગળના બૌદ્ધે તર્કશાસ્ત્રમાં એકસરખી રીતે પ્રતિષ્ઠા પામ્યા છે અને મેટે ભાગે ખીજા વિરાધી વિચારશનું સ્થાન ઔપર પરામાં ધર્મતિ ખાદ રહ્યું જ નથી. ખરી રીતે દિનાગે જે પ્રભાવ તર્કશાસ્ત્રમાં પાડેલા તેનું સ્થિરીકરણ અને વિશદીકરણ ધમકીર્તિએ કર્યું છે, અને બૌદ્ધ તર્કશાસ્ત્રની એક ચાસ વિચારસરણી ધડી છે. તેથી જ આપણે જોઈ એ છીએ કે ન્યાય-વૈશેષિકમીમાંસક જેવી વૈદિક પર પરાના ગ્રન્થોમાં અને જૈન ત ગ્રન્થોમાં દુિનાગ અને ધર્મ કીતિનું પ્રમાણમાં વધારેમાં વધારે ખંડન થયેલું છે—જાણે કે તે એ ઔદ્વેતર દાતાના મહાન પ્રતિસ્પર્ધી હાય ! આ સ્થળે દિનાગકૃત પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ અને હેતુચક્ર સાથે ધર્મ કીતિના સંસ્કૃતમાં ઉપલબ્ધ એવા જ ત્રણ ગ્રન્થોની વિષય અને રૌલીની દૃષ્ટિએ તુલના કરવી યોગ્ય છે. પ્રમાણસમુચ્ચયમાં બધાં જ પ્રમાણેાનો મુખ્યપણે ચર્ચા છે, તે તે વૃત્તિક કારિકાબદ્ધ છે. ન્યાયમુખમાં મુખ્યપણે અનુમાનની ચર્ચા છે; જેમકે સિટ્રુસૈનકૃત ન્યાયાવતારમાં. હેતુચક્રમાં મુખ્યપણે ન્યાયયંગભૂત હતુસ્વરૂપની ચર્ચા છે. ધર્મપ્રીતિનું પ્રમાણુવાર્તિક તો પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા હોઇ તેમાં તેને જ વિષય આવે એ સ્વાભાવિક છે, પણ એને પ્રમાણવિનિશ્ચય ગ્રન્થ મુખ્યપણે બધાં જ પ્રમાણાનું નિરૂપણ કરે છે, જ્યારે ન્યાયબિન્દુમાં મુખ્યપણે અનુમાનની જ ચર્ચા છે, અને હેતુબિન્દુમાં હેતુચક્રની પૈઠે મુખ્યપણે હેતુસ્વરૂપની ચર્ચા છે. P હેતુબિન્દુમાં હેતુનું સ્વરૂપ એક જ કારિકામાં નિર્દેશી તે વિશે તેની વ્યાખ્યામાં વિશેષ ઊહાપોહ લખાણથી કરવામાં આવ્યું છે, જ્યારે ન્યાયબિન્દુના ખીજા પરિચ્છેદમાં હેતુના સ્વરૂપ વિશે બૌદ્ધ સિદ્ધાન્તાના સૂત્રરૂપે માત્ર ઉક્તિસંગ્રહ છે, પરંતુ પ્રમાણુવાર્તિકના સ્વાર્થીનુમાન પરિચ્છેદમાં સમગ્ર હેતુબિન્દુમાં લખાણથી ચર્ચાયેલ વિષય પણ ધણા જ લખાણુથી સ્વાપન્નવૃત્તિ સહિત ૩૪૨ કારિકાઓમાં ચર્ચાયેલા છે. હેતુબિન્દુમાં જે ગદ્ય ભાગ છે તે સમગ્ર પ્રમાણવાર્તિકની સ્વાથ્યનુમાનની વૃત્તિમાં આવી જ જાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ૨. હેતુબિદ્દીકા અર્ચત હેતુબિન્દુથી પણ ગઘાત્મક જ છે. એમાં અર્યટના પિતાનાં થોડાંક પદ્ય છે ખરાં; જેમ કે શરૂઆતના ચાર પદ્યો સુરતની સ્તુતિ અને ધમકીતિની કૃતિનું ગૌરવ તેમ જ પિતાની લઘુતા વિશેનાં છે, અંતમાં એક પદ્ય ઉપસંહારસૂચક છે અને વચ્ચે જ્યાં સ્વાદાદનું ખંડન આવે છે ત્યાં તે સ્વરચિત ૪પ પ (પૃ. ૧૦૪) મૂકે છે. આ પદ્ય તેણે હેતુબિંદુટીકા રચતી વખતે જ રહ્યાં છે કે કોઈ પિતાના બીજા ગ્રન્થમાંથી ઉદ્ધત કર્યો છે એ નક્કી થઈ શકતું નથી, પણ તેના વ્યાખ્યાકાર દુકના સ્પષ્ટ કથન (પૃ. ૩૪૪ ) ઉપરથી એ નક્કી થાય છે કે તે પદ્યો તેના પિતાનાં જ છે. આ સિવાય અચંટે અનેક સ્થળે અન્યકૃત પદ્યો ઉહત કર્યા છે. તેમાં દિનાગ, ભર્તુહરિ, કુમારિલ અને ધર્મકીર્તિ મુખ્ય છે. (જુઓ પરિશિષ્ટ ન. ૩) - અચંટ હેતુબિન્દુ મૂળના પ્રત્યેક પદને અર્થ કરે છે. એટલે સુધી કે તે કેટલીક વાર ર અને તું જેવાં અવ્યય પદોના પ્રવેગનું પણ તાત્પર્ય દર્શાવે છે. તે પદના શબ્દાર્થને જ દર્શાવવામાં કૃતાર્થતા ન માનતાં તેના રહસ્યનું પૂર્ણપણે વિસ્તૃત વિવરણ કરે છે. તે પિતે શરૂઆતમાં કહે છે તેમ તેણે ધમકીર્તિની સમગ્ર ઉકિતઓનું ચર્વિતચર્વણ તો કર્યું જ છે, પણ તે ઉપરાંત ધમકીર્તિએ પિતે જે જે બૌદ્ધ ને બૌદ્ધતર વાલ્મય પચાવ્યું છે તે પણ તેણે યથાવત્ અવગાહ્યું છે. આ વસ્તુની પૂર્ણ પ્રતીતિ તેનું વિવરણ કરાવે છે. જ્યાં જ્યાં ધમકીર્તિએ વિશેષ નામ સિવાય જ તિ, મજે, અવરે જેવાં સર્વનામો વાપરી તાતને નિર્દેશ કરી સમાલોચના કરી છે ત્યાં અચંટ એ મતાન્તરો જેના ના હોય તેનો નામપૂર્વક નિર્દેશ પણ કરે છે અને એ મતાન્તરવાળાં સ્થળે પણ સૂચવે છે. દાર્શનિક અને તાર્કિક વિચારધારાઓનું વિશાળ અને ઊંડું અવગાહન અચંટને એટલું બધું છે કે તે જ્યારે કોઈ પણ મુદ્દાની ચર્ચામાં પૂર્વપક્ષ રચે છે અને તેને બૌદ્ધ તેમ જ ધમકીર્તિની દષ્ટિએ જવાબ આપે છે ત્યારે આપણી સામે સર્વતંત્રસ્વતંત્ર વાચસ્વતિ મિશનું લખાણ ઉપસ્થિત હેય એમ ઘડીભર લાગે છે. ધમકીર્તિના સમય સુધીના દાર્શનિક વાડ્મય ઉપરાંત તેણે પિતાના અને ધમકીર્તિને ગાળા દરમિયાન રચાયેલ પ્રસિદ્ધ પ્રસિદ્ધ તાર્કિક વાડ્મય પણ અવગાડ્યું હોય એમ લાગે છે. ખાસ કરીને ધમકીર્તિના ભાથી વિરુદ્ધ જતું હોય એવું ધમકીર્તિના ઉત્તરવર્તી પ્રસિદ્ધ વિદ્વાનનું કોઈ લખાણ હોય તે તેની સમાલોચના તે કરે છે અને ધર્મ કીતિના મંતવ્યને દઢ કરે છે. દાખલા તરીકે ધમકીતિ પછી જૈન આચાર્ય સમતભદ્ર એક વસ્તુનું Page #26 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુને પરિચય [ ૯૯એકાનેકસ્વભાવપણું સ્થાપે છે જે ધર્મ કીર્તિને એકસ્વભાવત્વના સિદ્ધાન્તની વિરુદ્ધ પડે છે. તેથી અર્ચન્ટ સ્વામી સમંતભાની પ્રસિદ્ધ એક કારિકાને. અંશેઅંશ લઈ તેનું વિસ્તૃત નિરસન કરે છે. (હેતુબિન્દુટીકા પૃ. ૧૦૫, ૫. ૧૫). ૩. હેતુબિન્દુતીકાલક શરૂઆતના બે અને અંતના ચાર પદ્યોને બાદ કરતાં દુર્વેકની સમગ્ર વ્યાખ્યા ગદ્યાત્મક છે, અલબત્ત, એણે વચ્ચે વચ્ચે અન્યકૃત અનેક પો. અનેક સ્થળે ઉદ્ધત કર્યા છે. દુર્વેકની શૈલીગત વિશેષતા પણ અચંટના જેવી જ છે. તે એ કે જ્યારે તે કોઈ શબ્દ કે પરિભાષાનું અર્થકથન કરવા ઈચ્છ હોય ત્યારે તે એટલું બધું વિશદ અને વિસ્તૃત ઉથાન રચે છે કે તેમાં પૂર્વપક્ષ સંપૂર્ણ પણે આવી જવા ઉપરાંત સિદ્ધાન્તી બૌદ્ધનો ઉત્તર પણ સમાઈ જાય, છે, અને પછી વ્યાપેય પદ કે પરિભાષાનું શાબ્દિક વિવરણ જ માત્ર બાકી, રહે છે. આ શૈલી અભ્યાસની દૃષ્ટિએ બહુ ઉપયોગી છે. દુર્વેકે પણ અર્ચટની, પેઠે પિતાના સમય સુધીનું બૌદ્ધ-ઠેર દાર્શનિક અને તાર્કિક વાત્મય સૂક્ષ્મ દૃષ્ટિથી અવગાડ્યું હોય તેમ લાગે છે. દુર્વેકની અચંટ કરતાં પ્રકૃતિ.. ગત એક વિશેષતા એ લાગે છે કે તે વિચારમાં વધારે સ્વતંત્ર છે; એટલે સુધી કે જે અર્ચનું તે હાર્દિક બહુમાન અને જેની કૃતિનું વિવેચન કરે છે. તેના જ વિચારેથી કેટલીક વાર જુદો પડે છે અને અંધળિયું સમર્થન કરતે નથી. " [૪] વિષય પરિચય હતુબિન્દુને મુખ્ય વિષય છે હેતુનું સ્વરૂપ નિરૂપણ. એ વિષય સૂચવતી પ્રથમ કારિકા છે— पक्षधर्मस्तदं शेन व्याप्तो हेतुस्त्रिधैव सः । अविनाभावनियमाद् हेत्वाभासास्ततोऽपरे ॥ અર્ચને પિતાની વ્યાખ્યામાં આ કારિકા ઉપરથી ત્રણ અથવા છ પ્રતિપાઘ વિષય સૂચવ્યા છે, જ્યારે કર્ણએ ચાર વિષય સૂચવ્યા છે. અનુક્રમે તે વિષયો આ પ્રમાણે છે: ૧. (૧) હેતુનું લક્ષણ, (૨) તેની સંખ્યાને નિયમ, (૩) સંખ્યાનિયમદર્શક પ્રમાણ. ૨. (1) હેતુનું સ્વરૂપ, (૨) હેતુસંખ્યા નિયમ, (૩) વિવિધ હેતુમાં હેતુત્વનું અવધારણ. (૪) સંમોનિયમ અને ૧હેતુબિન ૫, ૯ ૫, ૨૫. Page #27 -------------------------------------------------------------------------- ________________ - ૯૦ 1 દર્શન અને ચિંતન અવધારણા તેમ જ બન્નેનું કારણ, (૫) શ્લિષ્ટ નિર્દેશકથન, (૬) વાભાસનું લક્ષણ - કહેવાનું કારણ. ૩. (૧) હેતુનું લક્ષણ, (૨) તેની સંખ્યાને નિયમ, (૩) નિયમનું કારણ, (૪) વિપક્ષનિવૃત્તિ. ૨ ખરી રીતે જોતાં જે પ્રથમ ત્રણ અર્થે સૂચવ્યા છે તેમાં જ બાકીનાને સમાવેશ થઈ જાય છે. સાહચર્યાનિયમ, અવ્યભિચારનિયમ, અવિનાભાવનિયમ, અન્યથાનુપપતિ એ બધા વ્યાપ્તિના પર્યાય છે, જેમાંથી અન્યથાનુપપત્તિ શબ્દ જૈન પરંપરામાં વિશેષે પ્રસિદ્ધ છે. અનુમાનને પ્રમાણુ માનનાર હરકોઈ વ્યાપ્તિ સ્વીકારીને જ ચાલે છે, અને તે જેમાં જેમાં સાધ્યની વ્યાપ્તિ માનતે હોય તે બધાને સહેત કહે છે. આ તત્વ સર્વ અનુમાનવાદીઓને સમાન છે, તેમ છતાં વ્યાપ્તિના “નિયામક તત્ત્વ વિશે મતભેદ છે. ન્યાય, વૈશેષિક, જૈન આદિ તાર્કિકે સાધ્ય અને હેતુ વચ્ચે સાહચર્યનિયમ કે અવ્યભિચારનિયમના નિયામક તરીકે સંબધેની મર્યાદા આંકતા નથી; જ્યાં જે સંબંધ હોય તે સંબંધ માનીને ચાલે છે. એટલે તેમને મતે સંગ, એકાયંસમવાય વગેરે અનેક સંબધે વ્યાપ્તિના -નિયામક બની શકે છે, પણ બૌદ્ધપરંપરા એમ ન માનતા માત્ર તાદામ્ય અને કાર્યકારણુભાવ એ બે સંબંધોને જ વ્યાપ્તિના નિયામક માને છે. બૌદ્ધપરંપરાનુસાર અન્ય પરંપરાસંમત વધારાના બધા જ સંબંધ ઉક્ત બે સંબંધમાં જ સમાઈ જાય છે. દિનાગ પહેલાં બૌદ્ધપરંપરામાં આ માન્યતા સ્વષ્ટ થઈ હશે કે નહિ તે અજ્ઞાત છે, કારણ કે યોગચયભૂમિશાસ્ત્રમાં જે જે અનુમાનના પ્રકારે આપ્યા છે તે ઉપરથી મૈત્રેયનાથ બે જ સંબંધ માનતા હોય તેમ લાગતું નથી (જુઓ Docrines of Maitrayanath and Àsagna, p. 67), પણ દિનાગથી માંડી આગળના બધા જ બૌદ્ધ તાર્કિકોએ એ બે સંબંધને જ વ્યાપ્તિનિયામક તરીકે માની તેમાં બાકીના બધા સંબધે ધટાવ્યા છે. બૌદ્ધપરંપરાની આ માન્યતા સામે ન્યાય-વૈશેષિક-મીમાંસકજૈન આદિ પરંપરાઓ તિપિતાના મંતવ્યો રજૂ કરી દર્શાવે છે કે હેતુ– સાધના તાદાભ્યસંબંધ તેમ જ કાર્યકારણસંબંધ ઉપરાંત સહચાર અને કમ પણ વ્યાપ્તિના નિયામક બને છે. આ વિધી માન્યતાનું હેબિનમાં વિસ્તારથી અને સચોટપણે ખંડન કરવામાં આવ્યું છે. ૧. હેતુ બિન્દુ પૃ. ૧. ૫. ૨૭. ૨, કર્ણગમી ટીકા ૫. ૮, Page #28 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુના પરિચય [ ૧૧ શિશપાલ જેવા વિશેષથી વૃક્ષત્વ જેવા સામાન્યનું અનુમાન થતું હાય સાં તાદાત્મ્યસંબંધ અને ધૂમ જેવા કાર્યાંથી વિષે જેવા કારણનું અનુમાન થતુ ડ્રાય ત્યાં કાય કારણભાવસંબંધ દર્શાવવામાં આવ્યો છે. ક્રાઈ કૂળમાં રૂવિશેષથી રસવિશેષતુ અનુમાન કરે છે, ત્યાં ઔદ્વેતર પર પરાએ સાહચય સંબંધ માની વ્યાપ્તિ ટાવે છે, અને કૃત્તિકાના ઉદ્દય જોઈ શકટ નક્ષત્રના ઉદ્યનું અનુમાન કરવામાં તેઓ ક્રમસંબંધ માની વ્યાપ્તિ ટાવે છે. આવાં બધાં જ સ્થાએ દિનાગ અને તેના અનુયાયી ધમકીર્તિ તાદાત્મ્ય અગર તદુત્પત્તિ ઘટાવી દે છે. તે એટલે સુધી કે અનુપલંભ હેતુ દ્વારા પ્રતિષેધ સિદ્ધ કરવા હાય ત્યાં પણ તેઓ સાક્ષાત કે પરંપરાથી તાદાત્મ્ય ને તદ્રુપત્તિનો જ નિયમ બટાવી સ્પષ્ટ ધોષણા કરે છે કે " कार्यकारणभावाद्वा स्वभावाद्वा अविनाभावनियमो दर्शनान्न न S नियामकात् । दर्शनात् ॥ " આ જ મુદ્દાને ધતિ એ હતુબિન્દુમાં સવિશેષે સ્પર્ષોં છે. હેતુબિન્દુમાં હેતુનુ લક્ષણ દર્શાવતાં ત્રણ રૂપે વર્ણવાયેલાં છેઃ પક્ષમાં સત્ત્વને નિયમ, સપક્ષસત્ત્વ અને વિવક્ષાસત્ત્વ. આ ત્રણ રૂપે તર્ક શાસ્ત્ર જેટલાં તેા જૂનાં છે. તર્કશાસ્ત્ર એ દિશ્નાગ અને પ્રશસ્તપાદ પહેલાંની કૃતિ છે એ વિશે શંકા નથી, ભલે તેના કર્તા અને સમય વિશે ચોક્કસ નિણૅય ન હાય. વસુક્ષ્મ એ પણ ત્રૈપ્ય સ્વીકાર કર્યો છે. (જુએ ન્યાયવા. પૃ. ૧૩૬, તાપ. પૃ. ૨૯૮) સાંપ્યકારિકાની માઠેરવ્રુત્તિમાં પણ એ જ ત્રણ રૂપા ગણાવ્યા છે. તર્કશાસ્ત્ર અને માારવૃત્તિ ખન્નેના ચીની અનુવાદ પરમાથે કરેલા છે. ન્યાયસૂત્ર કે તેના ભાષ્યમાં જોકે રૂપાની સખ્યા ગણાવી નથી, પણ હેતુસ્વરૂપનું વર્ણન એમ સૂચવતું લાગે છે કે તેમને પણ ત્રણ રૂપે! જ માન્ય હરો. આ ત્રણ રૂપમાં ઉમેશ કરી પાંચ રૂપ માનનાર અને છ રૂપ માનનાર ક્રાણુ કાણુ છે તે ચોક્કસ થતું નથી, પણ ધર્માંકાંતિ એ પાંચ અને છ રૂપનુ ખંડન કર્યુ” છે તે ઉપરથી એમ લાગે છે કે પ્રશસ્તપાદ અને ધાતિ વચ્ચે. ના સમયમાં કયારેક પાંચ અને છ રૂપની કલ્પના હેતુલક્ષણમાં દાખલ થયેલી છે. જૈનપર પરા અન્યથાનુપપત્તિને જ હેતુનુ એક સ્વરૂપ માને છે. એના સામાન્ય નિર્દેશ ન્યાયાવતાર (કા. ૨૨)માં છે. ધમકીતિ એ જૈનસ મત એકરૂપનું ખંડન નથી કર્યું; એનું કારણ ગમે તે હાય, છતાં આગળ જતાં શાંતરક્ષિત અને -પ્રમાળા. ૩, ૩. Page #29 -------------------------------------------------------------------------- ________________ હાર ] દર્શન અને ચિંતન ધમકીતિને વ્યાખ્યાકાર કર્ણગમી જૈન તાર્કિકસંમત અન્યથાનુ૫૫ત્તિ સ્વરૂપ એકરૂપનું પણ ખંડન કરે છે (તત્ત્વસંગ્રહ ક. ૩૬૪, કર્ણ. પૃ. ૯). કાર્યથી કારણના સાધક ધૂમ-વહ્નિ જેવાં અનેક અનુમાન પ્રકારે સર્વ સંમત છે. તેમ છતાં જુદી જુદી તત્ત્વજ્ઞાનની માન્યતાવાળી અનેક પરંપરાઓ હોવાથી દરેક પરંપરાના કેટલાક અનુમાન પ્રકારે એવા હોય છે કે તે સર્વસંમત હેતા નથી. જ્યારે બૌદ્ધપરંપરા વસ્તુમાત્રમાં અનિત્યત્વ સિદ્ધ કરે ત્યારે તેને મતે સત્વ હેતુ સહેતુ છે, પણ અન્ય પરંપરાઓને તે અનુમાન માન્ય નથી. - જૈનપરંપરા વસ્તુમાત્રમાં પરિણામિત્વ સિદ્ધ કરવા સત્વને સહેતુ ઠરાવે છે, ત્યારે તે અન્ય પરંપરાસંમત નથી હોતો. એવા જ દાખલાઓ બીજી પરંપરાઓને સંમત એવા અનુમાન પ્રકાર વિશે સરલતાથી આપી શકાય. આમ હોવાથી અને કેટલેક સ્થળે વરતુસ્વભાવની વિચિત્રતાને લીધે હેતુના અનેક પ્રકારે પડી જાય છે. કેઈ હેતુ એ હોય છે કે તેની પક્ષથી ભિન્ન સ્થળમાં અથવ્યક્તિ બતાવી શકાતી નથી, પણ વ્યતિરેક વ્યાપ્તિ બતાવી શકાય છે. એવા કેવલવ્યતિરેક હેતુને પણ સહેતુમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક હેતુ એવા હોય છે કે તેની વ્યતિરેક વ્યાપ્તિ વાસ્તવિક વિપક્ષમાં મળતી જ નથી. તેવા કેવલાન્વયી હેતુને પણ સહેતુમાં સ્થાન મળ્યું છે. જ્યાં સીધી રીતે હેતુનું અસ્તિત્વ પક્ષમાં બતાવાતું ન હોય ત્યાં પણ તેને સહેતુ માની લેવામાં કેટલાકને કશો પણ બાધ દેખાતો નથી. જ્યાં અન્વય અને વ્યતિરેક બને સુલભ હોય ત્યાં તે સહેતુ વિશે મતભેદને સ્થાન જ નથી. આ રીતે પક્ષ અને સાધ્ય આદિના વૈવિધ્યને લીધે તેમ જ, સાંપ્રદાયિક માન્યતાભેદને લીધે લિંગના અનેક પ્રકારો પડી જાય છે. તે બધા માંથી વ્યાપ્તિને દર્શાવતું કોઈ એક જ સ્વરૂપ નક્કી કરવું તે સરલ નથી. તેમ છતાં એવું સ્વરૂપ નક્કી કરી તે પ્રમાણે પિતતાની તર્કપરંપરા સ્થાપવાના. અનેક પ્રયત્ન થયા છે. દરેક પ્રયત્ન કાર પિતાની જ રીતમાં અન્ય પરંપરાઓની રીતિને સમાવવાને પણ પ્રયત્ન કરે જ છે. દા. ત. અર્થોપત્તિને જુદું પ્રમાણું. માનનાર મીમાંસક આદિ અન્યથાનુપપત્તિને જ મુખ્ય આશ્રય લઈ તેને આધારે ઇષ્ટ સિદ્ધ કરે છે ત્યારે એ જ અથપત્તિના બધા દાખલાઓને, અથપત્તિને અનમાનમાં સમાવનાર બધા જ તાર્કિકે, પિતાની પક્ષ–સપક્ષ-વિપક્ષની કલ્પના દ્વારા અનુમાનમાં ઘટાવે છે. અન્વયવ્યાપ્તિને આવશ્યક અનુમાનાંગ લેખનાર જયારે પક્ષભિન્નમાં તે દર્શાવવી અશક્ય હોય ત્યારે પક્ષના એક જ ભાગમાં અગર પક્ષની અંદર જ તે ધટાવી લે છે. વ્યતિરેક વ્યાપ્તિને આવશ્યક અનુમાનાંગ લેખનાર વાસ્તવિક વિપક્ષ ન હોય ત્યાં પણ કલ્પનાથી વિપક્ષ સરજી Page #30 -------------------------------------------------------------------------- ________________ હેબિન્ને પરિચય [ ૨૩ તેથી વ્યાવૃત્તિ દર્શાવી વ્યતિરેક વ્યાપ્તિ ઘટાડે છે. પક્ષસર્વને આવશ્યક અનુમાનાંગ લેખનાર ગમે તે રીતે હેતુમાં પક્ષસત્ત્વ ધરાવે છે. આમ દાર્શનિકોમાં વ્યાપ્તિશૃંક સ્વરૂપ વિશે મતભેદની પરંપરાને ઈતિહાસ બહુ પ્રાચીન છે. દિક્નાગ પહેલાં પણ અન્તવ્યપ્તિ દ્વારા અનુમાન કરવાની પરંપરા હતી. જ્યારે પક્ષથી ભિન્ન સપક્ષ કે વિપક્ષ જેવું કશું જ ન હોય અને બહિવ્યક્તિ બતાવવી શક્ય ન હોય, છતાં સાધ્ય સિદ્ધ કરવું હોય ત્યારે અન્તવ્યક્તિને જ આશ્રય લે પડે છે. આ આશ્રય લેનાર પરંપરાએ હેતુનું સ્વરૂપ અન્યથાનુપપત્તિમાત્રમાં ઘણાવ્યું. આ સિદ્ધાંત શરૂઆતમાં અમુક દાખલા પૂરતો જ રહ્યો, પણું જ્યારે બહિર્બાપ્તિના પક્ષપાતીઓએ તેની સામે વાંધા રજૂ કર્યા ત્યારે અન્તવ્યક્તિના સમર્થકોએ બહિવ્યક્તિ હોય છતાં પણ નિષ્ણાત સમક્ષ તેને દર્શાવવાની જરૂર નથી રહેતી એ વસ્તુસ્થિતિને લાભ લઈ સાર્વત્રિકપણે બહિર્બોતિની નિરર્થકતા સાબિત કરવા પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાંથી અન્યથાનુપપત્તિમાત્રને હેતુસ્વરૂપ માનનાર તેમ જ અંતવ્યપ્તિનો જ પક્ષ કરનાર એક પરંપર સ્થિર થઈ કે જે જૈન તર્કશાસ્ત્રમાં દેખાય છે. એ જ રીતે કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી લિંગની પણ પરંપરા સ્થિર થઈ. આ બધું બન્યું જતું હતું ત્યારે પણ એક વૈરૂયની પરંપરા ચાલુ જ હતી, જે પક્ષસત્વ, સાક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એ ત્રણ તને વ્યાપ્તિના અનિવાર્ય અંગ લેખતી. તે પરંપરા પક્ષથી ભિન્ન સપક્ષ ન હોય ત્યારે પક્ષના એકદેશને જ સપક્ષ માની લે અને વાસ્તવિક વિપક્ષ ન હોય ત્યાં પણ કાલ્પનિક વિપક્ષ ઊભો કરી તેથી વ્યાવૃત્તિ ધટાવે અને ઘણી વાર એક સંભવિત સ્પષ્ટ અંગમાં બીજા અંગને અર્થગતિથી સમાવેશ ધટાવે અને છેવટે ઐરૂપ્ય સિદ્ધ કરે. આ પરંપરાનું સચેટ સમર્થન દિદ્ભાગે કરેલું ને તે જ હેતુબિન્દુમાં વિસ્તારથી, ચર્ચાયેલું છે. તે એટલે લગી કે કોઈએ દિનાગ આદિ દ્વારા સમર્થિત ત્રણ્યનો વિરોધ કરતાં પંચરૂષ, ષડરૂણ કે એકરૂપનું સમર્થન કરેલું, તે બધાનું નિરસન ધર્મકીર્તિ અને તેના વ્યાખ્યાકાર કરે છે. અને આ જ કારણથી ધમકીર્તિ સ્વભાવ, કાર્ય તેમ જ અનુપલંભ એ ત્રણે હેતુપ્રકારમાં અન્વયે અને વ્યતિરેક વ્યાપ્તિ બનેને નિશ્ચય આવશ્યક સમજી તે કેવી રીતે થાય છે તે દર્શાવે છે. ' હેતુનાં વ્યાક્ષિદર્શક પક્ષસર્વ આદિ ત્રણ રૂપે સ્વીકાર્યા છે, તે ઉપરથી જ ૧, અલકઝરાય ૫. ૧૭૭, ૨. તર્કશાસ્ત્ર પ્ર. ૧૪. ૫૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ 'બr ] દર્શન અને ચિંતન ત્રણ હેત્વાભાસની જૂની પરંપરા ચાલી આવતી. એ જ પરંપરાનું દિáાગે સમર્થન કર્યું અને ધમકીર્તિએ પ્રમાણુવાર્તિક તેમ જ ન્યાયબિંદુમાં અતિવિસ્તારથી તે તે એક, બે કે ત્રણ સ્વરૂપને અભાવે કેવી કેવી રીતે હેવાભાસ બને છે તે બતાવ્યું, અને હેત્વાભાસ પણ ત્રણ જ છે એમ સ્થાપ્યું. હતુ. બિંદુમાં પ્રમાણુવાર્તિક કે ન્યાયબિંદુની પેઠે આ બાબતનું વિશદીકરણ નથી, માત્ર હેવાભાસની સૂચના છે. ઉપર્યુક્ત મુખ્ય વિષય ઉપરાંત હેતુબિંદુમાં અનેક એવા વિષયે સ્પષ્ટપણે ચર્ચા છે, જે બૌદ્ધપરંપરાની ખાસ વિશેષતા લેખાય છે; જેમ કે, જતિ કે સામાન્યવાદનું નિરસન, અપહરૂપ સામાન્યનું સ્થાપન, વિશેષમાત્રની અર્થાત્ ક્ષણિકત્વની સિદ્ધિ અને પરિણામે નિહેતુકવિનાશવાદ, નિર્વિકલ્પક પ્રત્યક્ષમાત્રનું પ્રામાણ્ય અને તેમ છતાં સવિકલ્પક અનુમાનમાં પારંપરિક પ્રામાણ્યનું ઉપપાદન, કાર્યકારણભાવ તેમ જ સામગ્રીજન્ય એકસ્વભાવત્વનું સમર્થન, સહકારિત્વનું સ્વરૂપ અને અભાવનું સ્વરૂપ. આ બધા વિષયો એવા છે કે એકનું સમર્થન કરવા જતાં બીજાઓનું સમર્થન અનિવાર્ય બની જાય છે. આ વિષયમાં ક્ષણિકત્વ જ કેન્દ્રસ્થાને છે. એને સિદ્ધ કરતાં બીજા વિષયેનું સમર્થન આવશ્યક બની જાય છે. ધર્મ કીતિ પહેલાં ઘણુ લાંબા વખતથી આ વિષયેનું સમર્થન બૌદ્ધ દૃષ્ટિએ થતું આવેલું. દા. ત. નિર્દેતુકવિનાશવાદ જેવા વિષયોની ચર્ચા મિત્રેયનાથના યોગચર્યાભૂમિશાસ્ત્ર જેટલી તો જાની છે જ (જુઓ દર્શનદિગ્દર્શન પૃ. ૭૧૮, યેગચર્યાભૂમિ-ચિંતામયીભૂમિ ૧૧). તે બધી ચર્ચાઓનું સંકલન તેમ જ વિશદી કરણ ધમકીર્તિના પ્રમાણુવાતિક જેવા ગ્રંથોમાં દેખાય છે. હેતુબિંદુમાં પણ ધર્મકીર્તિએ આ વિષયે અતિસ્પષ્ટપણે ચર્ચા છે, અને તેમ કરતાં જે જે વિધી વાદ સામે આવતા ગયા તે બધાનું નિર્દય અને છતાં સપરિહાસ (દા. ત. પૃ. ૬૭) નિરસન કર્યું છે. ધમકીતિએ હેતુબિંદુમાં સ્પષ્ટ ચર્ચાઓ કરી છે ખરી, પણ ચર્ચિત વિષયે એટલા બધા સૂક્ષ્મ અને ગંભીર છે કે જિજ્ઞાસુ માત્ર તેટલા વિવેચનથી પૂર્ણપણે સંતોષાત નથીએટલે એવા વિસ્તૃતરુચિ જિજ્ઞાસુઓની દષ્ટિએ અર્ચ. પિતાની ટીકામાં મૂળ ચર્ચિત બધા જ વિષયોને તેના યથાર્થ રૂપમાં વિસ્તારથી ચર્ચા છે. એટલે તેની ટીકા એક એક વિષય પરત્વે બૌદ્ધ વિચારસરણીનું ચિત્ર રજૂ કરે છે અને ધર્મકીર્તિનાં કેટલાંક મમળાં વાક્યોનું હાઈ તલસ્પર્શી પણે પ્રગટ કરે છે. આ ઉપરાંત અર્ચન્ટે એવા પણ છેડા વિષય ચર્ચા છે કે મૂળમાં જેનું કાઈ સૂચન નથી; દા. ત. આદિવાક્ય વિશેની ચર્ચા. Page #32 -------------------------------------------------------------------------- ________________ હેતુબિન્દુના પરિચય [૫] હેતુબિન્દુના પ્રભાવ અને ઉપયોગ ચૂંટની ટીકા દ્વારા હેતુબિન્દુના પ્રભાવ વ્યાપક રીતે ઉત્તરકાલીન સાહિત્ય ઉપર પડ્યો છે. ઔદ્ધપરંપરાના વિદ્વાને અચૂંટના ઉપયોગ કરે એ તા સ્વાભાવિક છે, પણ બ્રાહ્મણ અને જૈન પરંપરાના સુવિાને એ સુધ્ધાં તેને અનેકવિધ ઉપયાગ કર્યો છે. પ્રકરણપ'ચિકાકાર શાલિકનાથ અને વ્યોમશિવ ખંડન દૃષ્ટિએ તેનો ઉપયોગ કરે છે, જ્યારે વાચસ્પતિ મિશ્ર જેવા સત ંત્રવતંત્ર દાનિકે અટના વિચારોનું મૂલ્યાંકન પણ પોતાની મે કર્યું હોય તેમ લાગે છે. ઉદયને પોતાના બધા જ ગ્રન્થોમાં ધર્મ કીતિના અનેક ગ્રન્થો અને તેની વ્યાખ્યાઓના ખંડનદષ્ટિએ મુખ્યપણે ઉપયોગ કર્યાં છે,૪ એટલે એમાં સટીક હેતુબિન્દુનો કેટલો અને કયા ઉપયોગ થયા છે તે તારવવુ સરલ નથી; છતાં એવે સંભવ લાગે છે કે ઉદ્યને અટની ટીકા અવશ્ય જોઈ હશે. એ ગમે તેમ હા, પણ વધારે ચેકસાઇથી હેતુબિન્દુને બૌદૅતર પરંપરા ઉપર પ્રભાવ દર્શાવવા હોય તે જૈન તર્ક વાડ્મય તરફ વળવું પડે. દિગમ્બર-શ્વેતામ્બર અને જૈન તાર્કિકાએ અરનું ખંડન પણ કર્યું છે અને તેને પાતપેાતાની રીતે ઉપયોગ પણ કર્યો છે. અકલ કપ અને તેના ટીકાકાર અનન્તવીર્ય, અષ્ટસહસ્રીકાર વિદ્યાનન્દ, પ્રમેયકમલમાણ્યપ્રણેતા પ્રભાદ્ર અને અકલ કકૃત ન્યાયવિનિશ્ચયનો અલ કાર રચનાર વાદિરાજ તથા ન્યાયમંજરીકાર જયન્ત ભટ્ટએ બધાએ અર્ચંટ દ્વારા હેતુબિન્દુનો ઉપયોગ છૂટથી કર્યો છે. [ ૯૧૫ ૧. નવનિયાવૃતિ -મોવાનોવરક્ષા છુ. રૂ. ૨. બ્યામવતીમાં “ રાધાવિજ્ઞામાવયોવિજ્ઞાન” ( રૃ, ૫૬૫ ) એ હેતુબિન્દુનું વાકય આવે છે. ૩. તાવ ટીના (વિજ્ઞયા.), રૃ. ૨, ૩,૨૧૦ માિ ન્યાય પુમાકારિ (વૃત્તિ). ફ્, ૪. चर्चा आदि ૫. વિદ્ધિતિનિશ્ચય સ્વોવસવૃત્તિ પત્ર ૧૦૭ અ; હથીયાય-ન્યાયજીમુલ. પૃ. ૧૫૦૪, ૬. મિલિવિનિશ્ચયટીના રૃ. ૨૦૦ ૭. તત્ત્વાર્થો છુ. ૪, ૨૧૨. आत्मतत्त्वविवेकगल क्षणभंग ૮. ન્યાયિિનશ્ચયટીન- - શ્વેતુચિસ્યુતવિરામ ’ (g: રૂ×ખ્ ય), ‘ ફૈત્રુવિન્તુ ચણાનાયેટન ’(બ્રુ. ૪૮૬૬), • જેંટેનોવા હેતુર્િ’(ટ્ટ, ૧૦૦ અ). . Page #33 -------------------------------------------------------------------------- ________________ *૧૬ ] દર્શન અને ચિંતન શ્વેતામ્બર આચાયમાં પ્રસિદ્ધ આચાય હરિભદ્ર યાકિનીનુથી હેતુબિન્દુના ઉપયોગ શરૂ થાય છે. અને પછી તે અઢ દ્વારા તે ઉપયોગ એટલા બધા વ્યાપક અને છે કે, સિદ્ધતિ ૨ સન્મતિ ટીકાકાર અભયદેવ, ત વાતિ કકાર શાંતિસૂરિ', સ્યાદ્વાદરત્નાકરકાર વાદી દેવસૂરિપ, આચાર્ય હેમચંદ્ર જેવા પ્રસિદ્ધ પ્રસિદ્ધ તાકિ કાએ જાણે અંટને પોતાના અભ્યાસના વિષય જ અનાવ્યો હોય તેમ ક્ષણભર લાગે છે. મલયગિરિ જેવા બહુશ્રુત લેખકે અટકૃત સ્યાદ્વાદના ખંડનનું નિરસન શબ્દશઃ કર્યું છે. એ જ રીતે ચન્દ્રે ઉત્પાદાદિસિદ્ધિત્રયમાં એજ કામ કર્યું છે. આ રીતે જૈન વિદ્વાનેાના અભ્યસનીય અને અવલાનીય ગ્રન્થામાં અટની ટીકાનું પ્રધાન સ્થાન રહેલું. તેથી જ આપણે જોઈ એ છીએ કે જ્યારે અત્યાર લગીમાં કાઈ પણ સ્થળેથી અટની ટીકા ઉપલબ્ધ ન થઈ ત્યારે પણ પાટણ જેવા જૈનભડારપ્રધાન જૂના શહેરમાંથી એની જૂની તાડપત્રીય એકમાત્ર નકલ મળી આવી. સંભવ છે કે ખીન્ન પણ કાઈ જૈન ભારામાંથી એની અન્ય પ્રતિ મળી આવે. આભાર દર્શન ・ આ મથાળા નીચે મારે અનેકાને આભાર માનવાને છે. જે ભંડારની પ્રતિ મને મળી તેના તત્કાલીન વ્યવસ્થાપકાને હું આભારી છું કે જેમણે પૂ ધીરજથી એ પ્રતિ મને ધીરી. પ્રવર્તક શ્રી. કાંતિવિજયજીના સાહિત્યનિષ્ઠ પ્રશિષ્ય મુનિ શ્રી. પુણ્યવિજયજીના ઉદાર સાથ મળ્યો ન હોત તો અમારે માટે આગળ કામ લખાવવાનું ભાગ્યે જ શકય બન્યું હોત. એમણે જૂની દુષ્પ′ લિપિ ઉપરથી અદ્યતન સુપડ લિપિમાં એવા સુંદર આદશ તૈયાર કરી આપ્યું કે જે લેખનકળાના અદ્યતન નમૂનારૂપે અત્યારે પણ શ્રીમદ્રાજચંદ્ર જ્ઞાનસ’ગ્રહમાં મોજૂદ છે, અને જેના ઉપરથી પ્રેસકોપી કરવાનું કામ બહુ જ સરલ બન્યું. શ્રીયુત પુરુષોત્તમ આઈ તારસની મદદ તે અસાધારણ. રીતે ઉપકારક નીવડી છે. એમણે શરૂઆતથી દ્વિબેટનના અભ્યાસ કરી અટની ટીકાને ટિએટન અનુવાદ સાથે મેળવી જે અનેકવિધ ઉપયાગી કામ કરી ૧. અનેકાન્તજચપતાકા ૨. ન્યાયાવતારવિકૃતિ પૃ. ૩. ૭. સન્મતિટીકા રૃ. ૧૯૧, ૫૫૬, ૫૬૮, ૪, ન્યાયાવતારવાતિ કવૃત્તિ પ્ર. ૧૨. ૫. સ્યાદ્વાદરાિકર્ પૃ. ૧૬, ૫, ૨૧. ૬. પ્રમાણમીમાંસા રૃ. ૩૮ અને તેનાં ટિપ્પણુ પૃ. ૯૮ ૭. ધમ સસંગ્રહણી ટીકા રૃ. ૧૪૭ થી. ૮. ઉપાદાદિસિદ્ધિ, રૃ, ૪, ૧૫, ૩૭, ૪૫, ૭૬, ૯૨, ૧૪૦, ૧૪૨ આદિ Page #34 -------------------------------------------------------------------------- ________________ [ 917 હતુબિન્દુને પરિચય આપ્યું તે થયું ન હતું તે તાડપત્રીય સંસ્કૃત મૂળ આદર્શ, જે ઘણે સ્થળે ખંડિત અને અસ્તવ્યસ્ત સ્થિતિમાં હતું, તેવા એકમાત્ર આદર્શ ઉપરથી આ બન્યું છે તેવું સંસ્કરણ કદી તૈયાર થઈ શક્યું ન હોત, ગૂજરાત વિદ્યાપીઠના વ્યવસ્થાપકેની સહાનુભૂતિ પણ ઉપકારક નીવડી છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે તેમણે શ્રીમદ્વાજચંદ જ્ઞાનસંગ્રહમાંના મુનિ શ્રી. પુણ્યવિજ્યજીત નો આદર્શ અમને ધીરજપૂર્વક ધી છે. શ્રી. રાહુલજીની અનન્ય ઉદારતા અને અસાધારણ પુષાર્થને લાભ મળ્યો ન હોત તો નેપાલના ભંડારની ખંડિત પ્રતિ અને બિહાર ઓરિસા રિસર્ચ સોસાયટીમાં સંગ્રહાયેલ ફોટો પ્રતિને લાભ કદી જ મળત નહિ અને આ પ્રસિદ્ધ થતું દુર્વેકનું લખાણ કોઈના હાથમાં–વાચકેના હાથમાં–ક્યારે આવત તે કહેવું કઠણ છે. મારા અન્યતમ શિષ્ય 50 મહેન્દ્રકુમાર “અભય” કેટે વાંચવા આદિમાં જે એકાગ્ર શ્રેમપૂર્વક મદદ કરી છે તે અમારે માટે બહુમૂલ્ય નીવડી છે. કાશી વિશ્વવિદ્યાલયના સંસ્કૃત મહાવિદ્યાલયના જૈનદર્શનાધ્યાપક શ્રી. દલસુખ માલવણિયા, જે મારા પ્રિયતમ શિષ્ય અને મિત્ર છે, તેમની સતત અને અસાધારણ ખંત તેમ જ મહેનત ન હોત તો આ આખું સંસ્કરણ આ રૂપમાં, બીજી બધી સામગ્રી હોવા છતાં, કુદી જ તૈયાર થયું ન હોત. તાડપત્રીય મૂળ પ્રતિથી માંડી દુર્વેકકૃત અનુટીકાના ફોટા વાંચવા સુધીનું સમગ્ર કામ તેમ જ જરૂર જણાઈ ત્યાં નવી નકલ કરવાનું કામ અને પહેલેથી છેલ્લે સુધી બધાં જ પ્રો જોવા સુધારવા વગેરે સંપાદનને લગતું યાવત ઝીણું ઝીણું કામ તેમણે જ કર્યું છે. એ રીતે આખા સંપાદનનો યશ તેમને જ ભાગે જાય છે. નેત્રની પરાધીનતા અને બીજુ ઘણાં કારણોસર હું ઉત્તરોત્તર લંબાતું આ કામ કદી જ શ્રી. માલવણિયાની મદદ વિના પાર પાડી શક્યો ન જ હેત, અને મેં જે હેતુબિન્દુના સંપાદનનું કામ સ્વીકારેલું તે પણ તેમના સહકારની ખાતરી વિના સ્વીકાર્યું જ ન હોત. આ સંપાદનમાં શું પરિશિષ્ટ કે શું અવતરણોની શેધ કે શું શીર્ષક, વિષયવિભાજન અને શુદ્ધીકરણ આદિ જે કાંઈ ધ્યાન ખેંચે તેવું છે તે બધું શ્રીયુત માલવણિયાની અનન્ય સાહિત્યોપાસનાનું જ ફળ છે. ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝના મુખ્ય સંપાદક શ્રીયુત બી. ભટ્ટાચાર્યે પ્રસ્તુત સંપાદન માટે અમને પસંદ કર્યા અને તે કામ હૈયું તેથી જ આ સંપાદન-ન્યજ્ઞ અત્યારે પૂર્ણ થયો છે. આ સબબથી ઉપર નિર્દેશલ બધા જ મહાનુભાવે પ્રત્યે અમે અમારી હાર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ.