Book Title: Hemchandracharyani Sahitya Sadhna
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 2
________________ પ્રથમ આવૃત્તિ : મે ૧૯૮૮ દ્વિતીય આવૃત્તિ : સપ્ટેમ્બર ૧૯૯૮ 0 સર્વ હક્ક લેખકના કિંમત : પ્રકાશકે : કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી પાલડી, અમદાવાદ-૩૮૦૦૭ મુખ્ય વિક્રેતા : હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના મુદ્ર કે : ભગવતી ફર્સટ સી,૧૫, બારડોલપુરા, દરિયાપુર દરવાજા બહાર અમદાવાદ-૩૮૦૪ ક્ષિતિજના ઓવારે પ્રગટેલા સહસરમિના તેજબિંબમાંથી ફૂટતાં કિરણો એકસાથે જન અને વન, માનવ અને મકાન – એમ સર્વને સર્વ દિશાએથી અજવાળે છે તે જ રીતે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વિરાટ પ્રતિભાપુંજમાંથી પ્રગટતી તેજસરવાણીઓએ સમકાલીન પ્રજાજીવનનાં સર્વ અંગોને પ્રકાશિત કર્યા છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી વિદ્વત્તાનો અપ્રતિમ માનદંડ હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. સોલંકીયુગની વિદ્વત્તા, રાજસત્તા, લોકવ્યવહાર, જનજીવન, ભાષા, સાહિત્ય, સભ્યતા અને સંસ્કારિતા – આ બધાં જ ક્ષેત્રો એમની વિશાળ પ્રતિભાના તેજથી છવાઈ ગયાં હતાં. આથી સવાલ એ જાગે છે કે એમને જ્યોતિર્ધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા ?

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 25