Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 215
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - કાયોત્સર્ગ દ્વારા સ્વગુણની ધારામાં આગળ ચાલે છે. અભિભવ કાયોત્સર્ગમાં અભિગ્રહ ધારી શકાય. કાયોત્સર્ગ શરૂ કરતાં પહેલાં અભિગ્રહ લીધો તો તે અભિગ્રહ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગ ચાલુ રહે. ચન્દ્રાવતંસક રાજાની વાત આવે છે કે તેમણે સંધ્યા સમયે સંકલ્પ કર્યો કે પોતાના ખંડમાં રહેલ દીવો જ્યાં સુધી બળે ત્યાં સુધી કાયોત્સર્ગ કરવો. આમ તો દવામાં બે-ત્રણ કલાક ચાલે એટલું ઘી હશે. - દીવાનો પ્રકાશ ઝાંખો પડવા માંડ્યો અને અચાનક એક દાસી ત્યાંથી પસાર થઈ. તેણીને થયું કે અરે, રાજાસાહેબ ક્રિયા કરે છે અને દીવો તો ઓલવાવા માંડ્યો. એણે નવું ઘી દીવામાં પૂર્યું અને પછી તો એણે બરોબરની ખટક રાખી કે દીવો ઓલવાવો ન જોઈએ. સવારના પ્રકાશના આગમન સુધી દીવો ચાલુ રહ્યો અને રાજાએ ત્યાં સુધી કાયોત્સર્ગ ચાલુ રાખ્યો. આવશ્યક નિર્યુક્તિ (કાયોત્સર્ગ નિર્યુક્તિ) કાયોત્સર્ગના સ્વરૂપને બતાવતાં કહે છે : ' વ્યાબાધા રહિત (ગાન્ધર્વ આદિનાં ગીતો સંભળાતા હોય તો મન ત્યાં જઈ શકે એટલે એવી જ્યાં તકલીફ નથી તેવા) અને કાંટા, પથ્થર વગેરેથી રહિત પ્રદેશમાં ઊભેલ, બેઠેલ કે સૂતેલ સાધક ચેતન કે અચેતન (સમવસરણમાં બિરાજેલ પરમાત્મા અથવા પ્રભુની મૂર્તિ આદિ) પદાર્થનું ३. 'आभिंग्गहिओ वि.' अभिगृह्यते इति अभिग्रहः, अभिग्रहेण निर्वृत्त आभिग्रहिकः कायोत्सर्गः - आ० नि०, हारि० टीका १५१० ૧૯૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236