Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 218
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - કાયોત્સર્ગ દ્વારા સ્વગુણની ધારામાં પ્રકરણના પ્રારંભે સાધકના પ્રશ્નના સંદર્ભે કરેલી ચર્ચાને ફરી જોઈએ. કાયોત્સર્ગ જ્યારે આત્મશુદ્ધિ માટે કરવો છે ત્યારે સમયાધારિત રીતે કરી શકાય. ૩૦ મિનીટ કે ૪૦ મિનીટ ઇત્યાદિનું કે શરૂઆતમાં ૧૫૨૦ મિનીટનું અવધારણ કરી શકાય. એલાર્મ ક્લોકમાં એ રીતે સમય ભરી કાયોત્સર્ગમાં ઊતરી જવાનું. લોગસ્સ સૂત્ર ૫-૧૦ ગણાય અને લાગે કે ચિત્તથૈર્ય મળ્યું છે, તો એ ચિત્તથૈર્યનો ઉપયોગ સ્વગુણમાં જવા માટે કરી શકાય. જ્ઞાતાભાવ, દ્રષ્ટાભાવ કે ઉદાસીનભાવને ઘેરો બનાવવાનું થઈ શકે. એટલે, એકાગ્રતા અને સ્વગુણસ્થિતિ આવા બે લયમાં કાયોત્સર્ગ ચાલી શકે. સહેજે મનની ચંચળતા આવેલી લાગે તો ઊંડા ઉચ્છવાસ સાથે લોગસ્સ સૂત્ર પર અનુધ્યાન કેન્દ્રિત કરવાથી વિચારો વિખેરાઈ જશે. અને ફરી સ્વગુણની ધારામાં જવાશે. કેટલો તો સરસ છે આ કાયોત્સર્ગ! રોજ એને કરનાર સાધક એના સમ્મોહનમાં એવો તો આવે કે એ વારંવાર કાયોત્સર્ગ કર્યા કરે. કાયોત્સર્ગ : દેહભાવને પેલે પાર, જ્યાં સ્વત્વની પ્રતિષ્ઠા છે ત્યાં સાધકનો પ્રવેશ. નવા વિશ્વમાં થયેલ સાધકના આ પદાર્પણનું અભિવાદન. Jain Education International ૧૯૮ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236