Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 223
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ♦ ‘તસ્સ ઉત્તરી' સૂત્રની પાંચ પ્રક્રિયાઓ પિંડસ્થાદિ ધ્યાનની વિધિઓને તો પ્રાયોગિક રૂપે સરસ રીતે કરી શકાય જ છે. ધ્યાનમાં મનોગુપ્તિ તો છે જ. કાયગુપ્તિ-કાયાની સ્થિરતા તેમાં ભળે છે ને કાયોત્સર્ગની સાધના થઇ રહે છે. કાયોત્સર્ગમાં સાક્ષીભાવની પરાકાષ્ઠા મળે છે. કાયોત્સર્ગમાં જિનમુદ્રાએ ઊભા રહેવાનું, મનને લોગસ્સ સૂત્ર કે નમસ્કાર મહામન્ત્રના પદોમાં જોડવાનું. અને એકાગ્રચિત્તતા આવતાં જ સાધક સ્વગુણની ધારામાં પ્રવાહિત થાય છે. અભિભવ કાયોત્સર્ગમાં શ્વાસોચ્છ્વાસ કે લોગસ્સના પદો જોડે સંબંધ નથી હોતો. સાધનાને સ્થિર કરવા માટે સાધક ભીતરી ઊતરી જાય છે. પ્રાયોગિક અભિગમ આવો હોઇ શકે ઃ ઇરિયાવહી કરી ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ આત્મનિર્મલીકરણાર્થે કાઉસ્સગ્ગ કરું? ઈચ્છે, આત્મનિર્મલીકરણાર્થે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય સુત્ર બોલી કાયોત્સર્ગમાં સ્થિર થવાનું. બે-પાંચ-સાત લોગસ્સ ગણાય અને ચિત્ત સ્થિર બની જાય એટલે સમભાવ આદિ કોઇ પણ એકાદ આત્મગુણમાં ડૂબકી લગાવી દેવાની. ચિત્ત સહેજ પણ બહાર જાય તો લોગસ્સ સૂત્ર છે જ. લોગસ્સ સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી, ગણી, ફરી સ્વગુણની ધારામાં જવાનું. ‘પુષ્પાનવિદ્દી શિયાય'ની શાસ્ત્રોક્ત પદ્ધતિને આ રીતે કાયોત્સર્ગમાં લઇ શકાય : દહેરાસરમાં પ્રભુમૂર્તિ કે ઉપાશ્રય આદિમાં પ્રભુ ચિત્રની ૨૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236