Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ દાનહાત્રિશિકા/પ્રસ્તાવના ‘હાત્રિશદ્વાચિંશિકા' : દાનહાનિંશિકા - સર્વનયમય વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજની ૫૦૫૦ શ્લોક પ્રમાણ અદ્ભુત, અર્થગંભીર અને અધ્યયનીય તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત એક અદ્ભુત અને અમર કૃતિરૂપે આ ‘ધાત્રિશદ્વાત્રિશિકા” ગ્રંથરત્ન છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. પૂજ્યશ્રીની એક એક કૃતિ master piece - નમૂનારૂપ છે, જે તેમના ઊંચા બૌદ્ધિક સ્તરનાં દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અભુત પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની તર્કશક્તિને, તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ ગ્રંથ સીધો આગમગ્રંથ નથી, પરંતુ આગમનાં રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે જ ઉપાધ્યાયજી મહારાજે પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું જ ટીકામાં સ્પષ્ટીકરણ કરેલ છે. દ્વાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલી છે. એટલું જ નહીં, આ સર્વ પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથો ષોડશક પ્રકરણ, અષ્ટક પ્રકરણ, વિંશતિ વિશિકા આદિનાં નામાભિધાન, તેના તેના વિવિધ શ્લોકસમૂહને આશ્રયીને આપેલ છે, તેમ અહીં વિવિધ વિષયોને નિરૂપણ કરતાં ચોક્કસ અંકસંલગ્ન ૩૨ પ્રકરણને રચ્યાં અને એક એકમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા મુખ્ય ૩૨ વિષયોની સંક્ષિપ્ત છતાં સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે, એવો આ મહાન ગ્રંથ છે. તેથી મૌલિક સ્વરૂપે આ ગ્રંથ અતિ ભવ્ય છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ દ્વાત્રિશદ્ધાત્રિશિકા' યોગ, આગમ અને ન્યાયના શિરમોર સમાન એક અણમોલ, અનુપમ અને અદ્દભુત મહાન ગ્રંથ છે. ખરે જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે આત્મકલ્યાણ સાધી ન શકત. વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ શાસ્ત્રો અમૂલ્ય ખજાનો છે. આ ગ્રંથનું આ પ્રથમ પ્રકરણ “દાનાત્રિશિકા” છે, જેમાં મુખ્યત્વે દાનધર્મનું વર્ણન કરેલું છે. દાન ક્યારે અપાય ? ક્યારે ન અપાય ? ઉત્સર્ગથી-અપવાદથી, વ્યવહારથી અને નિશ્ચયથી દાન કર્યું ? લૌકિક દાન-લોકોત્તર દાનનું સ્વરૂપ ઈત્યાદિ વિવેચન ખૂબ ઊંડાણથી કરેલ છે. પૂજ્યશ્રીના દરેક ગ્રંથની શરૂઆત સરસ્વતીના બીજમંત્રરૂપ શબ્દથી હોય છે અને દરેક બત્રીશીના અંતમાં “પરમેનન્ટ' શબ્દ જોવા મળે છે, તે એક વિશેષતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 142