Book Title: Buddhiprabha 1962 06 SrNo 32 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 4
________________ તમે કુલ કચડી શકે, ફેરમ નહિ, તમે મારા દેહને રીબાવી શકે; મારા અંતરના અવાજને નહિ જ નહિ. હા, મેં ત્યારે જ કહ્યું માન્યું હેત તે એણે મને કીધું--“આ જિંદગી છે, પસંદગી નથી.” અને મેં પસંદગીમાં ને પસંદગીમાં અહી જિંદગી ખચી નાંખી. આજ હિસાબ કાવું છું ત્યારે ??? વાંસળીને મેં પૂછયું- “તે આટલે સૂલે અવાજ ક્યાંથી મેળવ્યું.?” છે હિંમત એ જાણવાની ? તે લે, ને, મેં એ અહીથી મેળવ્યા છે.” એ એક તીખી વેદનાથી જાણે બેલી ઉઠી. હું ચીસ પાડી ઊઠશે મેં જોયું તે કાળજું એનું ચીરાયેલું હતું ! .... તને કેણે કીધું: “જવાની જવાની છે?’ અરે ! ભાઈ, એ જુઠ્ઠાણું છે. એ તે માત્ર હાડકાંના રંગ જ બદલાય છે. તારે માંદાલે તે અખંડ જવાન છે. નિત જવાન છે. ઊઠ, નિરાશ ન બન. જા, તારા કામે લાગી જા. જીવન ગંગાના કિનારે એક દિવસ પ્રેમને વાસના નહાવા ઊતર્યા. વાસના વહેલી નાહીને આવી અને ઉતાવળમાં ને ઉતાવળમાં એ પ્રેમનાં કપડાં પડેરી ચાલતી થઈ પછી પ્રેમ આવ્યા. પણ આશ્ચર્ય!! એને પલક ન હતો. એણે નગ્ન જ જવાનું પસંદ કર્યું અને પ્રેમ નાગે પાછા ફર્યો !! જગતે આ હકીકત ન જાણી અને નગ્ન પ્રેમને એણે તિરસ્કાર અને પ્રેમના અંચ ળામાં છુપાયેલી વાસનાને વહાલ કર્યું ! ! ગાંડી દુનિયા આ ગેટાળે ક્યારે સમજશે?.. જીવનથી થાકેલે કહે છે–ત આવે તે સારું મિતના જડબામાં સપડાયેલ કહે છે-“જીવ બચે તે સારું.” કહો હવે. આ ઝગડાને નિકાલ ક્યાંથી આવે? બુદ્ધિ બગડે ત્યારે માનજે હજી કંઈ જ નથી બગડ્યું. લાગણી બગડે ત્યારે માનજે હવે કઈક બગડી રહ્યું છે. અને અંતરનો અવાજ તમારે જ્યારે તરડાય ત્યારે માનો તમે સર્વનાશના કિનારે ઊભા છે. –મૃદુલPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32