________________
ર્મણિ યશગાન !
૧૫૭
(ભાવાર્થ –હે જાળ નાખનાર ! હલામણના નામની જાળ આ મીઠામેરામણ (દરિઆ) માં નખ, કે મારાં કરમ પાળે છે, કે બધાં બરડે રહ્યાં તે જણાય.)
જાલીડા નાખને જાળ, તારા નમતની નેંધીને,
માંહી આવે શું શંખલા ને સેવાળ, કાં માછલીયું ટેળે મળે? (ભાવાર્થ –હે જાળ નાંખનાર ! હવે તારી નીમીતની જાળ નાંખ, મહી સંખલા, સેવાળ, કે ટોળે મળીને માછલીઓ આવે છે?)
સેનાના વિયોગથી હલામણુનું શરીર દિવસે દિવસે સુકાઈ જતું જોઈને તેની ફઈએ તેને બીજી સ્ત્રીઓ પરણવાને ઘણય સમજાવ્યું. ત્યારે તેણે કહ્યું કે
લાંબા પહેરે ઘાઘરા, પેટે ડમરીયું;
વારૂ સેનાના ઉપરે, લઈ સલસે સુમરીયું. (ભાવાર્થ –અત્રેની સુમરીયું (સ્ત્રીઓ) લાંબા ઘાઘરા પહેરે છે, અને પિટપર ડમરીયું (એક જાતનાં કપડાં) પહેરે છે. સિંધની સેલસે સુમરી સોનની ઉપરની ઉતારી લઉં. (સેલસે સાથે લઈએ તે પણ સેનની બરાબરી થાય નહિ.)
હલામણ રાત્ર દિવસ બેચેન રહે, કોઈ દિવસ ઘેર સુવા આવે ન આવે એ જોઈને તેની ફેઈએ તેનું આશ્વાસન કરી તેને સમજાવ્યું, ને રાત્રે સુવા નહિ આવવાનું કારણ પુછતાં તેણે કહ્યું કે –
સુખની શય્યા ન હોય, શયાએ સુવાય નહિ,
હલામણને હય, સાન વિયોગે સાથ. (ભાવાર્થ–સુખની શય્યાએ મારાથી સુવાય નહિ, કારણ સેનના વિગે હલામણને તો સાથરોજ હેવો જોઈએ. )
એક દિવસ હલામણ સેનના સંબંધી વિચાર કરતા જંગલમાં એક પથ્થરની શિલા પર બેઠા છે. એ શિલા નીચેથી એક ઝેરી નાગ નીકળી તેના પગને અંગુઠે કરડી ચાલ્યા ગયો, સોનના સમાગમની આશામાં ને આશામાં સાપનું ઝેર ચઢતાં ચઢતાં તે જમીન ઉપર પડી તરફડવા લાગે.
આ વખતની તેની સ્થિતિ ઘણી દયાજનક થઈ પડી ! ને સેનના વિવેગમાંજ ભરવાને વખત વિધિએ આ ! તેના કુલ્હાત આખુ વન ગજાવી મૂકયું. પ્રેમના જોગીડાના પ્રેમ આહલેકે વનમાં કરૂણરસ રેલી મૂકે. તે વખતના તેના કરૂણુ ઉપજાવનાર દુહા નીચે પ્રમાણે છે –
વળજે સેન સુજાણ, હું સુતો છેલ્લે સાથ પામી નથી તું પ્રાણ, અધ ઘડીએ આરામની, મનહર તારૂ મુખ, હે જાણુ અજાણે જોયું નહિ,
આશા રહી ઉર માંહ્ય, અંતે પાપે આ ગતિ. (ભાવાર્થ –હે સગુણી સોન ! હું છેલ્લે સાથરે સુતે ( મરવાની અણિએ) છું. હે! પ્રાણુ! તું અર્ધી ઘડી પણ આરામ મારા તરફથી પામી નથી. અરેરે ! તારું મનહર મુખ જાણીને તો શું ! પણ અજાણતાં પણ હેં જોયું નહિ. મારી આશા હૃદયમાં જ રહી ગઈ, અને અરે છેવટે એ દશાએ આવી પડ.