Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 82
________________ - અંક ચાલ્યો 19s મુરલીધર (સખ્તાઈથી ) ગુલાબચંદભાઈ ! ડાકટરને અમારા પ્રણામ કહેજે. અમે આ આશ્રમ છેડીને જઈએ છીએ. જે આધ્યાત્મિક વિકાસ સાધવા અમે અહીં આવ્યા તે અહીં શક્ય નથી. કહેજે એમને કે માફ કરે. એમના સિદ્ધાંત ખરાં છે, તેને અમલ પદ્ધતિસર નથી. ગુલાબચંદ પંડિતભાઈ! મને પણ એજ પ્રતીતિ થતી જાય છે. ગંગાદાસ તમને પણ... ગુલાબચંદ આ શું? આ વખત પેલા ભગવાનદાસ ને મિલીને જોઈ જોઈ મારો જીવ અસંસ્કારી થઈ ચાલ્યો. ગંગાદાસ ( હસીને) તમને પણ એ જ નડયું? ગુલાબચંદ અરે કંઈ વાત છે ? પેલે રાધે ને પેલી સામે બેસીને પટલાઈ કરે. આ તે બહાચર્યાશ્રમ છે કે સંવનન કરવાનો અખાડે? ઉંહ. | મુરલીધર અમે હમણું જ વિચાર કરતા હતા કે અહીંથી ચાલી જઈએ. ગુલાબચંદ ચાલે હું પણ આવું. ગંગાદાસ પંડિત ! ત્યારે ડાકટરને ચીઠી લખીને મુકો. આપણે છાનામાના ચાલી જઇએ. ઉહ. જ્યાં નાટકનાં ગાયન ન ગવાય ત્યાં રહેવાય કેમ? મુરલીધર ખરી વાત. ( ટેબલ પર બેસી લખવા માંડે છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96