Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 273
________________ સં. ૧૯૯૪ના મહા સુદ ૫ (વસંતપંચમી)ના શુભ દિવસે પ્રતિષ્ઠા નિમિત્તે પૂજ્યશ્રી ઘણા મુમુક્ષુભાઈબહેનો સાથે ભાદરણ પધાર્યા, અને શુભ મુહૂર્તમાં તેઓશ્રીની આજ્ઞાથી વિધિ સહિત ચિત્રપટોની સ્થાપના કરવામાં આવી. સં.૧૯૯૪ના વૈશાખ વદ ૩ના રોજ પૂજ્યશ્રી પાંચ સાત મુમુક્ષભાઈઓ સાથે ફરી વાર ભાદરણ પધાર્યા અને ૧ માસ ત્યાં રોકાયા. ભક્તિનો ક્રમ રોજ ચાલુ હતો. ઘણા મુમુક્ષુભાઈ બહેનો ભક્તિમાં ભાગ લેતા અને ઘણાએ સ્મરણમંત્ર પણ લીધો હતો. વસોની યાત્રા બાહુબળીજીની યાત્રા સં.૧૯૯૫ના જેઠ સુદ પૂર્ણિમાના શુભ દિવસે આશ્રમથી સંઘ સાથે પૂજ્યશ્રી બાહુબળીજીની યાત્રાએ પધાર્યા. વચ્ચે તિરુમલઈ ગામમાં ઊતર્યા. ત્યાં પહાડ ઉપર શ્રી નેમિનાથ ભગવાનની કાઉસગ્ગ મુદ્રાની ૧૫ ફુટની દિગંબરી પ્રતિમા છે. છેક ટેકરી ઉપર શ્રી સમંતભદ્રાચાર્યના પગલા છે, બાજુમાં વાદિભસિંહ આચાર્યનું સમાધિસ્થાન છે. ત્યાંના શાસ્ત્રીજીએ જણાવ્યું કે પાંડવોએ પોતાને દર્શન કરવા માટે આ પ્રતિમા કોતરેલી. આ પહાડ ઉપર તેઓ ચોમાસું રહ્યા હતા. ઉત્તરમાં દુષ્કાળ પડવાથી બાર હજાર સાધુઓ દક્ષિણ તરફ આવેલા, તે વખતે ચાર હજાર સાધુઓ આ પહાડ ઉપર સમાધિ પામ્યા હતા. મૈસુરથી સોળ માઈલ દૂર ગોમટ્ટગિરિ છે. ત્યાં બાહુબળીજીની તેર ફૂટ ઊંચી કાઉસગ્ગ મુદ્રાની પ્રતિમા છે. ત્યાં દર્શન ભક્તિ કરી મલિયુર ગામ (કનકગિરિ) આવ્યા. ત્યાં પહાડ ઉપર પૂજ્યપાદ સ્વામીના સમાધિ સ્થાને પાદુકાજી છે, જૂના લેખો છે, દશ ખંડનું એક મોટું મંદિર છે. ત્યાં દર્શન કરી મૈસુર પાછા ફર્યા. DI[L/X/X/ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, વસો સં.૧૯૯૫ના કાર્તિક વદ ૫ને દિવસે આશ્રમથી પચ્ચીસેક મુમુક્ષુઓ સાથે પગપાળા વિહાર કરી પૂજ્યશ્રી સંદેશર ગામે ગયા. ત્યાંથી મુમુક્ષુઓ સાથે પાદવિહાર કરી બાંઘણી ગામે પધાર્યા. ત્યાં રાતના આત્મસિદ્ધિ વગેરેની ભક્તિ કરી આરામ કર્યો. બીજે દિવસે સવારમાં પૂજ્યશ્રી પોતાનું સંસારી અવસ્થાનું જે ઘર છે ત્યાં સગાઓના આગ્રહથી સર્વ મુમુક્ષુઓ સાથે ગયા અને “બહુ પુણ્ય કેરા’નું પદ ત્યાં બોલ્યા. બાંઘણીથી બપોરના ત્રણ વાગ્યે સર્વ મુમુક્ષુઓ સાથે પગપાળા વિહાર કરી સાંજે સાત વાગે વસો પઘાર્યા. આશ્રમથી બીજા ઘણા મુમુક્ષુઓ ગાડીમાં બેસી ત્યાં આવી પહોંચ્યા. બીજે દિવસે સવારમાં ગામની બહાર સ્મશાનભૂમિ, કૂવા ઉપર, રાયણ નીચે, ગોચરભૂમિ (ચરો) વગેરે એકાંત સ્થળોમાં જ્યાં જ્યાં પરમકૃપાળુદેવ વિચરેલા તે તે પવિત્ર સ્થળોના દર્શન કરવા ૫૭ ફૂટ ઊંચી બાહુબલીજીની પ્રતિમા ગયા. સત્પરુષો જ્યાં વિચરેલા હોય છે તે તીર્થભૂમિ મહાપુરુષોની મૈસુરથી સ્પેશિયલ મોટર કરી સાંજના પાંચ વાગે સ્મૃતિ કરાવે છે. બાહુબળીજી આવી પહોંચ્યા. સવારમાં વિંધ્યગિરિ નામના બાહુસં.૧૯૫૪માં પરમકૃપાળુદેવે આ ગામમાં પ.પૂ. પ્રભુશ્રી- બળીજીના પહાડ ઉપર સર્વે ચઢ્યા. ત્યાં બાહુબળીજીની એક જ જીને આત્મબોધની પ્રાપ્તિ કરાવી હતી. જંગલમાં પણ જ્યાં બોઘ પથ્થરમાંથી કોતરેલ પ૭ ફૂટ ઊંચી ભવ્ય અને શાંત પ્રતિમા કરેલ તે સ્થળે જઈ ભક્તિના પદો બોલ્યા હતા. જોઈને બઘાને ખૂબ આનંદ થયો. ત્યાં ભક્તિ કરી ચૈત્યવંદન કર્યું. ૧૬૬

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303