Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha

View full book text
Previous | Next

Page 360
________________ ભાવના કલ્પલતા ૩૧૩ ધન સ્વજનને દેખતાં ઉન્મત્ત જેવા તું થઇ, શું કામ ફાગઢ ગવ ધારે લાભ એથી નહિ કંઇ,૪૧૪ અ—વળી આકાશમાં શાળા સહિત પ્રાસાદાવાળી ગંધવ નગરાની શ્રેણિ જે દેખાય છે તે જો સ્થિર ટકી રહે તે આ હારી ઋદ્ધિ પણ સ્થિર રહે, પરન્તુ જેમ ગાંધ નગરની શ્રેણિ સ્થિર રહેતી નથી તેમ ત્હારી ઋદ્ધિ પણ કાયમ રહેવાની નથી, તે એવાં અસ્થિર ધન સ્વજનાદિને જોઇને ગાંડા જેવા ઉન્મત્ત થઇને તુ નકામા ગ શા માટે કરે છે? યાદ રાખજે કે એવા ગવ કરવાથી કઈ પણ લાભ નથી. ૪૧૪ છેવટે ધનાદિને તજીને પરભવમાં જવાનુ કહે છે:અલ્પ કાલે તું નહી ને સ્વજન તારૂં ધન નહી, ભૂત કાલ અનંત ચક્રી વાસુદેવાદિક અહીં; ચાલ્યા ગયા તે સવ છડી કાણુ તુ તુજ સાહિખી, શા હિસાબે તેાય ન તજે માહ એહ અજાયબી.૪૧૫ અ: અલ્પકાળમાં એવા વખત આવશે કે જે વખતે તું નહિ. હાય, તેમ સ્વજન અને ધન પણ તે વખતે હારૂં નહિ રહે. ભૂતકાળમાં અનંત ચક્રવર્તીએ ને વાસુદેવા વિગેરે પેાતાની સર્વ ઋદ્ધિ અહિ છેડીને ચાલ્યા ગયા તા તેની અપેક્ષાએ તુ કાણુ ? અને ત્હારી સાહિખી, ઋદ્ધિ શું હિંસાત્રમાં છે? છતાં પણ ત્હારી અલ્પ માયાને તુ છેડી શકતા નથી એ મોટું આવ્યું છે. ૪૧૫

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372