Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal
View full book text
________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૮૭ (૩) શ્રી મહાવીર સ્વામી ભગાવન
(૪) શ્રી નેમિનાથ ભગવાન (૩) ત્રીજે માળે , (૧) શ્રી નમીનાથ ભગવાન
(૨) શ્રી અનંતનાથ ભગવાન (૩) શ્રી નેમિનાથ ભગવાન
(૪) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન (૪) ચોથે માળે (૧) શ્રી પાર્શ્વનાથ ભગવાન
(૨) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન (૩) શ્રી શીતલનાથ ભગવાન
(૪) શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી કાપરડાજી તીર્થથી જોધપુર ૬૦ કિ.મી. દૂર છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી જૈન શ્વેતાંબર પ્રાચીન તીર્થ, શ્રી કાપરડા
કાપરડા - ૩૪૨૬૦૫, જિલ્લો - જોધપુર (રાજસ્થાન). ગામનું નામ કાપરડા છે, જ્યારે તીર્થ શ્રી કાપરડાજી તીર્થ તરીકે ઓળખાય છે.
(૧૨) શ્રી જોધપુર તીર્થ શ્રી કાપરડાજી તીર્થથી જોધપુર ૬૦ કિ.મી. દૂર છે. જોધપુર રેલ્વે સ્ટેશન છે. જોધપુરમાં ઉતરવા માટે ભેરૂબાગ ધર્મશાળા છે. જેમાં ભોજનશાળાની સગવડ છે. ભરૂબાગમાં ભવ્ય સુંદર દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના કાઉસગ્ગીયા, ગુરુ ગૌતમસ્વામી, શ્રી પદ્માવતી દેવી તથા શ્રી નાકોડા ભૈરવદેવના પ્રતિમાજી બિરાજમાન છે. જોધપુરમાં ૧૦ દેરાસરો છે. ગામ બહાર ૧ દેરાસર છે. જોધપુર થરના રણમાં આવેલું છે. રાણા રાણમલના પુત્ર જોધારાવે છે. ઈ.સ. ૧૪૫૯ માં આ સુંદર શહેર વસાવ્યું હતું.
ખરીદી માટે - છાપેલી ચાદરો, મોજડીઓ, હસ્તકલા ઉદ્યોગની ચીજ વસ્તુઓ, પથ્થરની કલાકૃતિઓ, ભરેલા વસ્ત્રો વગેરે છે. જોવાલાયક સ્થળોઃ (૧) ઉમેદ ભવનઃ મહારાજા ઉમેદસિંહે બંધાવેલ આ મહેલ પહાડ ઉપર છે. મહેલનો
અર્ધો ભાગ હોટલ તરીકે વપરાય છે. રાજમહેલ ગુલાબી પથ્થરમાંથી બનાવેલો છે. (૨) સરદાર સંગ્રહસ્થાન કલા-કારીગરી તથા દુનિયાના અન્ય દેશોના પુરાતત્વના
નમુનાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434