Book Title: Bandhashataka Prakaranam Author(s): Vairagyarativijay, Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 4
________________ प्रकाशकीय बन्धशतकप्रकरणम् સ્વ. સૂરિદેવના શિષ્યરત્નો મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. તથા મુનિશ્રી પ્રશમરતિવિજયજી મ.ના. કુશળ સંપાદન હેઠળ પ્રકટ થતા આ ગ્રંથનાં સંપાદનકાર્યમાં સ્વ. સુરિદેવના આજ્ઞાવર્તિની સા. શ્રી રોહિતાશ્રીજી મ.ના પરિવારના સા. શ્રી ચંદનબાળાશ્રીજી તેમ | જ પૂ. સા. શ્રી જયાશ્રીજી મ.ના પરિવારના સા. શ્રી ઇન્દુખાશ્રીજી મ. અને સા. શ્રી હિતપૂર્ણાશ્રીજી મ. એ સહાય કરી છે. પૂજયોની શ્રુતભક્તિની અમે ખૂબ અનુમોદના કરીએ છીએ. શ્રી બન્ધશતકપ્રકરણમ્ ગ્રંથ – આગમ અભ્યાસની અખંડ પરંપરાને આગળ વધારશે તેવી શુભભાવના. શ્રી પ્રવચન પ્રકાશન ટ્રસ્ટે પ્રાચીન ગ્રંથોને પ્રકાશિત કરવા રૂપે શ્રી મહોદયસૂરિ ગ્રંથમાળાના અન્વયે અનેક પુસ્તકાકાર શાસ્ત્રો પ્રકાશિત કર્યા છે. આ ગ્રંથ પ્રતાકાર છે તે શ્રી વિજયદાન-પ્રેમ-રામચંદ્રસૂરિગ્રંથમાળાનાં દ્વિતીય પુષ્પ તરીકે પ્રકાશિત કરીએ છીએ તેનો અમને આનંદ છે. જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત આ ગ્રંથનો ઉપયોગ કરતાં પહેલા ગૃહસ્થો જ્ઞાનખાતે યોગ્ય દ્રવ્ય અવશ્યમેવ સમર્પિત કરે તેવી નમ્ર વિનંતી. - પ્રવચન પ્રકાશનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 376