________________
प्रकाशकीय
बन्धशतकप्रकरणम्
સ્વ. સૂરિદેવના શિષ્યરત્નો મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. તથા મુનિશ્રી પ્રશમરતિવિજયજી મ.ના. કુશળ સંપાદન હેઠળ પ્રકટ થતા આ ગ્રંથનાં સંપાદનકાર્યમાં સ્વ. સુરિદેવના આજ્ઞાવર્તિની સા. શ્રી રોહિતાશ્રીજી મ.ના પરિવારના સા. શ્રી ચંદનબાળાશ્રીજી તેમ | જ પૂ. સા. શ્રી જયાશ્રીજી મ.ના પરિવારના સા. શ્રી ઇન્દુખાશ્રીજી મ. અને સા. શ્રી હિતપૂર્ણાશ્રીજી મ. એ સહાય કરી છે. પૂજયોની શ્રુતભક્તિની અમે ખૂબ અનુમોદના કરીએ છીએ.
શ્રી બન્ધશતકપ્રકરણમ્ ગ્રંથ – આગમ અભ્યાસની અખંડ પરંપરાને આગળ વધારશે તેવી શુભભાવના.
શ્રી પ્રવચન પ્રકાશન ટ્રસ્ટે પ્રાચીન ગ્રંથોને પ્રકાશિત કરવા રૂપે શ્રી મહોદયસૂરિ ગ્રંથમાળાના અન્વયે અનેક પુસ્તકાકાર શાસ્ત્રો પ્રકાશિત કર્યા છે. આ ગ્રંથ પ્રતાકાર છે તે શ્રી વિજયદાન-પ્રેમ-રામચંદ્રસૂરિગ્રંથમાળાનાં દ્વિતીય પુષ્પ તરીકે પ્રકાશિત કરીએ છીએ તેનો અમને આનંદ છે.
જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત આ ગ્રંથનો ઉપયોગ કરતાં પહેલા ગૃહસ્થો જ્ઞાનખાતે યોગ્ય દ્રવ્ય અવશ્યમેવ સમર્પિત કરે તેવી નમ્ર વિનંતી.
- પ્રવચન પ્રકાશન