Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંતિમય જીવનની ઘટના. ગયા છે, તે ઉપદેશનો અમલ આપણે કરવો જોઈએ. આપણે તત્વજ્ઞાનને અભ્યાસ નહી કરતાં નવીન શોધખોળની ભ્રમણામાં પડીએ છીએ. તેના કરતાં સમર્થ જ્ઞાનીઓએ પોતાના અનુભવથી આપણને જે રસ્તે બતાવે છે, તેનું જ્ઞાન મેળવી તેને અમલ આપણે કેમ કરવો નહી જોઈએ? હું તે મારા પિતાના માટે એવા જ નિર્ણય ઉપર આવ્યો છું કે, જમાનાના અસંગત પ્રવાહમાં તણાવાના બદલે મહાન ગીતાર્થ પુર્વાચાર્યોએ જે ઉત્તમતમ દિશાઓએ મુસાફરી કરવાને પિતાનું જ્ઞાન અને અનુભવના અંગે બતાવ્યું છે, તે જ દિશાએ યથાશક્તિ મુસાફરી કર્યા કર વ કે પરિણામ સારૂ આવશે. આત્મસ્વરૂપની ઓલખાણમાં આ દ્રવ્ય અને ભાવદિશાની વિચારણુ ઘણું ઉપયેગી છે. એમ શાંત ચિતથી અને આત્મહિત બુદ્ધિથી વિચાર કરનારને ધ્યાનમાં આવ્યા સિવાય રહેશે નહિં. અને એ દ્રવ્ય તથા ભાવદિશાએ મુસાફરી કરવાનું બંધ કરવાનો એજ શરૂઆતને ઊપાય છે. शांतिमय जीवननी घटना. (ગઝલ) જીવન મંત્ર તણા નાદે, સુણ ચેતન્ય હિલે છે; ભુલી જીવન તણું કલહ, હૃદય એ શાંતિ ઝીલે છે. * અહા ! એ ખેદ જીવનના, કદી દુરે શું થાવાના; નિરાશા શું ધરી રાખી, જીવન સઘળું ગુમાવાના. નિરાશામાં રહી આશા, છુપાઈ વિશ્વની થડમાં; - હૃદય એ આશથી ધબકે, વિભૂતિના વિમળ પડમાં. જીવનમાં શાંતિ જે ધરશો, અશાંતિ શું હરી જાશે ? - અશાંતિ શાંતિમાં પલટઈ, હૃદય શું ગમય થાશે ? હજાર વિનની વચ્ચે, પ્રહારો સર્વ એ પડતાં જીવન સંગીત પ્રકટાવી, પ્રભુતામાં સદા ચડતા. વિકટ વિને અને કો, બનાવે શુદ્ધ જીવનને ઘડી એ આત્મના તત્વ, જમાવે નેહ ઉપવનને. પરમ સૌંદર્ય પ્રકટાવી, જીવન સદ્ધાસના પ્રેરી; અમૂલી આત્મ શાંતિના, કણે જ્યોતિ વિષે વેરી. જીવનની ભવ્યતા પામી, સદા આત્મા વિષે રાચી, કરી સત્કૃત્ય જીવનમાં, પરમ પદ મોક્ષમાં ગામી. ફતેહચંદ ઝવેરભાઈ. ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30