Book Title: Atmanand Prakash Pustak 004 Ank 02
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમકિત, ૩૭ કારણ પૂછ્યું. મુનીશ્વરે ઉત્તર આપ્યો–મહાનુભાવ, સાધારણ પ્રાણીઓની પેઠે દુખી હાઈને, સુખનાં સાધન પ્રાપ્ત કરવાની આશાએ તું આવું કરે છે તે અનિષ્ટ છે. એમ કરવાથી તેને સુખ મળવાનું નથી. પરના પ્રાણ લેવાથી પાપ લાગે છે તેવી જ રીતે આત્મહત્યાથી પણ પ્રાણી ઉગ્ર પાપ બાંધે છે. એ સાંભળી નંદીજેણે દુઃખમાંથી મુક્ત થવાને કઈ માર્ગ હોય તે તે બતાવવાને મુનિને પ્રાર્થના કરી. પરની દાઝ જાણનાર અને બની શકે તે તેનાથી મુકત કરાવનાર ગુરૂ મુનિએ કહ્યું- હે ભદ્ર, તને તારાં ભેગાવળી કર્મ ઉદય આવ્યાં છે તે ભેગવ્યા વિના છૂટકે નથી, પરંતુ આ લેક અને પરલોકમાં સુખ આપી શકે એ એક ધર્મજ ફક્ત છે. દરિદ્રી નદીષેણના આગ્રહથી મુનિએ એને, પછી ધર્મવિષય સમજાવ્યું તેથી એ પ્રતિબંધ પામ્ય, અને એમની પાસે દીક્ષા લીધી. વ્રત અંગીકાર કરી, નંદીષેણ મુનિ વિનય વ્યવહાર શીખી. શાસ્ત્રાભ્યાસ કરી ગીતાર્થ થયા. પછી એમણે એવો અભિગ્રહ લીછે કે “જ્યાં જ્યાં હું સાધુ વર્ગના સંઘાતમાં હોઉં ત્યાં ત્યાં મારે જે કઈ બાળ, વૃદ્ધ કે વ્યાધિગ્રસ્ત આદિ સાધુ હોય એમની વૈયાવચ્ચ કરીને જ આહાર લે.” આવો એમને દઢ સંકલ્પ, દેવ સભામાં બેઠેલા ઇંદ્ર મહારાજે જાણે એમની પ્રશંસા કરી, તે માન્ય નહીં કરી બે મિથ્યા ત્વી દેવતાઓ એ મુનીશ્વરની પરીક્ષા કરવા આવ્યા. બેઉએ મુનિનાં રૂપ લીધાં. તેમાં એક વ્યાધિગ્રસ્ત બન્યા ત્યારે બીજાએ નંદણ મુનિ જેઓ છઠ્ઠ છઠ્ઠને પારણે આંબિલ કરતા હતા તેમની પાસે આવીને કહ્યું–હે મુનિવર, બહાર એક વ્યાધિગ્રસ્ત સાધુ આવેલા છે, એમની વૈયાવચ્ચ કર્યા વિના આપ પારાગું કરવા બેસી ગયા છે તે તમને યોગ્ય છે? એ સાંભળી નદિષેણ મુનિ એ નરમ પ્રકૃતિવાળા સાધુ પાસે જઈ મહાપ્રયાસે પ્રાસુક જળ લાવી આપી વૈયાવચ કરવા લાગ્યા. પણ એને અતિસારનો વ્યાધિ હોવાથી વાત વા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22