Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પ્રકાશ
મળી આભાર
દોહરે. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપ તત્વ વિકાશ આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ
પુસ્તક ૪ ૬. વિક્રમ સંવત ૧૯૬ર–ભાદ્રપદ
અંક ૨ જે.
પ્રભુ સ્તુતિ.
શિખરિણું. અખંડાનંદે જે ભવિ હદય આનંદિત કરે, પ્રબોધી પ્રેમે પ્રગટ ગુણ આત્મા નિજ કરે; ભવીની ભાવથી ભજનિત પીડા પરિહરે, જિતારિ તે જેગી જિનવર જયંતા જયધરે.
ઉપદેશ પદ.
સીયાને કહાન. સત્વ ધરી ભવિધર્મ વધારે, આ ભવ માનવ સદ્ય સુધારો (ટેક)
૧ અખંડ આનંદથી, ૨ ભવિપ્રાણીના હૃદયને. ૩ આનંદવાળા કરે. ૪ પ્રગટ જેન ગુણ છે એવો. ૫ ભવપ્રાણુની. ૬ સંસારથી ઉત્પન્ન થયેલી પીડા ૮ કામ ક્રોધ રૂ૫ શત્રુ જેણે જિત્યા છે એવા, હે ભવિ પ્રાણી. ૧૦ તલાલ,
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માન પ્રકાશ,
જિન આગમ અંતર આપી, સંયમ ભાવ સદા મન
ધારે. સત્વ, ૧ પ્રવચન જલની ધારા ધારી, કમર પકમલ દૂર નિવારે. સત્વ૨ આ ચિંતામણિ નરભવ દુર્લભ, સફલ થવા બહુ પુણ્ય પ્રસારે.
સત્વ૦ ૩ નિત્ય કરી વશ ચંચલ મનને, વિલય કરે બહુ વિષય વિકારે
સત્વ. ૪ દેઢ કરવા સુંદર સમક્તિને, ધર્મ કથા અનુગ વિચારે. સત્વ, ૫ ગર્વ રહિત ગુરૂ ભક્ત બનીને, જ્ઞાન તણો ગુણનિત્ય વધારે. સત્વ, ૬
સમકિત. देवत्वधी जिनेष्वेव मुमुक्षुषु गुरुत्वधीः । धर्मधीराहतां धर्मे तत्स्यात् सम्यक्तदर्शनम् ॥. અર્થ-જિનેશ્વર ભગવંતને વિષેજ દેવ૫ણની બુદ્ધિ-મુમુ
સુઓને વિષેજ ગુરૂપણની બુદ્ધિ અને જિનેશ્વર ભગવાન્ના (પ્રરૂપેલા) ધર્મને વિષેજ ધર્મની બુદ્ધિ
એનું નામ તે સમ્યકત્વ દર્શન, રાગદ્વેષાદિને જેમણે સર્વથા જીત્યા છે એવા જિન ભગ વાન એજ દેવ, પંચમહાવ્રત આદિ ગુણોએ કરીને મેક્ષની ઇચ્છા રાખનારા ગીશ્વરે એજ ગુરૂ અને જિન ભગવાને પ્રરૂપેલાં જે તત્વે એજ ધર્મ-એવી જે શ્રદ્ધા થવી એનું નામ સમકિત કહેવાય છે.
યથાર્થ તને વિષે વિજ્ઞાન પૂર્વક રૂચિ ” એ સમ કિત શબ્દનો અર્થ છે. એટલે સમ્યકત્વ અથવા સમતિ, ઉપર
૧ હદયમાં. ૨ કર્મ ૨૫ કાદવને મલ. ૩ નાશ કરો. ૪ કથા ના-ચરિતાનુયોગ, ૫ ગર્વ વગરના
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત,
૩૧
કહી ગયા પ્રમાણે દેવ તત્વ, ગુરૂ તત્વ અને ધર્મતત્વ એ ત્રણ તો પર યથાર્થ રૂચિ થવાથી થાય છે.
આવું જે સમકિત તે પ્રાપ્ત કરવાનાં બે માર્ગ છે. કાતે. સ્વભાવ અથવા તે ગુરૂનો ઉપદેશ–(૧) સ્વભાવથી એટલે ગુરૂના ઊપદેશ વિના સમકિત પામે તે; જેમકે અનાદિ સંસાર સાગરમાં રઝળનારે જતુ ભવ્યતા પરિપકવ થવાથી અજાણપણે યથાર્થ પ્રવૃત્તિ કરે કરીને ઉત્તમ અધ્યવસાયથી સમકિતી થાય છે તેનું નામ નિસર્ગરૂચિ અને બીજો (૨) જે ગુરૂના ઉપદેશનું આલંબન લઈને થાય છે તેનું નામ અધિગમસમકિતી કહે છે.
આ પ્રમાણે સમકિત પ્રાપ્ત કરવાના બે માર્ગ બતાવ્યા. હવે તે માસમા તે સમકિતના ત્રણ પ્રકાર કહેવાય છે તે નીચે પ્રમાણે –
આપશમિક સમકિત, ૨ ક્ષાપથમિક સમકિત, ૩ ક્ષાયિક સમકિત.
૧ ભસ્મથી ઢાંકેલા અગ્નિની પેઠે મિથ્યાત્વમોહિનીની તથાં અનંતાનુબંધી ચાર કષાયની જે અનુદય અવસ્થા તેનું નામ ઔપશમિક સમકિત.
૨ મિથ્યાત્વને અને ઉદય પામેલા અનન્તાનુબંધી ચાર કષાયને ક્ષય કે નાશ, અને ઉદય નહિ પામેલાને ઉપશ—એનું નામ ક્ષાપશમિક સમક્તિ.
૩ સમતિ મેહની, મિથ્યાત્વ મેહની, મિશ્રમેહની અને અનન્તાનુબંધી ચાર કષાયો એ જે સાત ( આત્માની ) પ્રકતિઓ તેને તદ્દન વિનાશ–તેનું નામ ક્ષાયિક સમકિત.
(આજ તે (ક્ષાયિક) સમકિત કે જેના પ્રભાવથી શ્રેણિક રાજાએ તીર્થકર પદ ઉપાર્જન કરેલું છે)
આ ત્રણે ભેદને વળી બીજી રીતે પાંચ ભેદમાં પણ લબાવ્યા છે તે એ રીતે કે –
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
આત્માનંદ પ્રકાશ,
- ૧ ઉપશમ સમકિતઃ જીવને રાગદ્વેષના પરિણામથી ઉત્પન્ન થયેલી ગ્રંથિને ભેદીને ઉપશમ શ્રેણિપર ચઢવાથી, મોહને યત્કિચિત ઉપશમ થાય તે ઉપશમ સમતિ.
૨ સાસ્વાદન સમકિતઃ ઉપશમ સમકિત પામ્યા પછી ઉદય આવેલા અનન્તાનુબંધિ કષાયને લીધે વખતે તેવી શ્રદ્ધા ઓછી થતાં કંઈક સ્વાદ માત્ર રહે તેનું નામ સાસ્વાદન સમતિ.
૩ ક્ષાપશમિક સમકિત.
૪ વેદક સમકિતઃ ક્ષપક શ્રેણિએ ચઢેલા પ્રાણીને અનન્તાનુબંધી કષાયને ક્ષય થઈ જે ગુણનું પ્રકટ થવું તેનું નામ વેદક સમતિ. ( મિથ્યાત્વહિની અને મિશ્રહિનીને સર્વથા ક્ષય થવાથી આ પ્રાપ્ત થાય છે. )
૫ ક્ષયિક સમકિત.
વળી પણ ગુણથી, આ સમકિત રેચક, કારક અને દીપક એ ત્રણ પ્રકારનું પણ કહેવાય છે. - ૧ રેચકઃ કંઈપણ કારણ કે દષ્ટાન્ત જોયા કે સમજ્યા વિનાજ શાને વિષે દર્શાવેલા તને વિષે જે શ્રદ્ધા તેનું નામ રેચક સમતિ. ( સિદ્ધાન્તમાં વર્ણવેલા સૂક્ષમ વિચારે સમજી શકીએ નહીં પણ ફકત એ સર્વજ્ઞના વચન છે માટે સત્ય છે એવી પ્રતીતિ-આસ્થા કે શ્રદ્ધા છે. )
हेतूदाहरणैः विना श्रुतोक्ततत्वेषु दृष्टिः प्रत्ययोत्पात्तः वा
૨ સિદ્ધાન્તથી સાંભળેલું હોય તેવી રીતે ગુરૂના વચનને અનુસરીનેતપ, વ્રતાદિ સર્વ આચરવાં—એનું નામ કારક સમકિત.
तथा कार्यगुरोर्वाक्यं यथा प्रवचनात् श्रुतम् । तपो व्रतादिकं सर्व सेवनात् कारको भवेत् ॥
૩ હવે ત્રીજું દીપક સમ્યકત્વ. પિતે મિથ્યાદષ્ટિહોય કે અભવ્ય હેય–ગમે તે હોય પરન્તુ ધર્મ કથા
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમક્તિ.
,'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરેથી બીજાઓને પ્રતિષેધ આપે-આનુ નામ દીપક
કિત કહેવાય છે. ભાવાર્થ એવે છે કે કાઇક મિથ્યાષ્ટિ જીવ કોઈ પુણ્યના ચેગે શ્રાવક કુળમાં જન્મ પામે અને ત્યાં ગુરૂ પ્રમુખની જોગવાઇ પામી, મ્હોટાઈ મેળવવા, મત્સરથી-અહુકારથી કે આગ્રહથી શ્રાવકને ઉચિત સુકા કરે, પરન્તુ પેતે દેવાદિકનું યથાર્થ સ્વરૂપ સમજતા નથી; એટલે કે ખરી શ્રદ્ધા વિના ધર્મ કરણી કરે--એનું નામ તે દીપક સમિકત.
ભવ્યમિથ્યાત્વી અને અભવ્ય એ બેઉ જણુ ધર્મકથાર્દિકના ચેાગથી અથવા પાંચ સમિતિથી અથવા એવી કેાઈ ખાદ્યકિ યાની સહાયથી અન્ય જીવાને પ્રતિબધ આપી જૈન શાસનને દીપાવે છે, એટલે એ સમકિત દીપક કહેવાય છે.
-
આપણે આ પ્રમાણે. સમકિતના સ`ખધમાં એને પ્રાપ્ત કરવાનાં બે માર્ગ એના ત્રણ અને ( ખીજી રીતે) પાંચ પ્રકારો, અને રેચક આદિ ત્રણ ગુણનું કંઈક જ્ઞાન મેળવ્યું. હવે એનાં શુષા પ્રમુખ ત્રણલિ'ગનું સ્વરૂપ સમજવા તરફ યત્ન કરીએ. शुश्रूषा भगवद्वाक्ये रागोधमें जिनोदिते । वैयावृत्यं जिने साधी चेतिलिंगं त्रिधाभवेत् ॥
For Private And Personal Use Only
33
S
અર્થ:જિન ભગવ ́તના વચન શ્રવણુ કરવાની ઈચ્છા, જિનેશ્વરે પ્રરૂપેલા ધર્મપર રાગ અને સાધુઓની વેયાવચ્ચ -એ ત્રણ સમ્યકત્વનાં લિગ છે; એટલે કે જે પ્રાણીનાં આવાં આવાં અનુષ્ટાન હેાય એ સમ્યકત્વવાનું છે–સમકિતી છે એમ સમજવુ. અહિ જિનેશ્વર ભગવાનનાં વચના અહેનિશ શ્રવણુ કરવાનુ‘ કહ્યું, એનુ’ કારણ એ કે એ શિવાય જ્ઞાનાદિ ગુણાની પ્રાપ્તિ થઈ શકતી નથી. કહ્યું છે કે—
सवणेण य नाणे य विन्नाणे पञ्चख्खाणे य सजमे । दोसरहिए तवे चैव बोदाण अकिरिअ निव्वाणे ॥ શ્રવણ કરવાથી જ્ઞાન-જ્ઞાનથી વિજ્ઞાન કે વૈરાગ્ય-વૈરાગ્યથી
*
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
આત્માનંદ પ્રકાશ,
પ્રત્યાખ્યાન એટલે ત્યાગ–ત્યાગથી સંયમ–સંયમથી દેવ સહિત તપ-તપથી નિર્જરા–નિર્જરાથી અકિય અને એથી પ્રાન્ત એક્ષએમ પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર પદની પ્રાપ્તિ થાય છે. શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વર પણ આ વાતને દઢીભૂત કરતાં કહે છે કે
क्षाराम्भस्त्यागतो यद्वत् मधुरोदकयोगतः । बीजः प्ररोहमादत्ते तद्वत्तवश्रुतेःनरः ॥
જેવી રીતે ખારું પાણી ત્યજી દઈ, મીઠા પાણીને વેગ કરવાથી બીજ ઉગે છે તેવી રીતે સિદ્ધાન્તના શ્રવણથી પ્રાણીને જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે ચિત્તવૃત્તિને નિરન્તર બની બની રાખી ભવસમુદ્રને તરી જવામાં પ્રવહણ સમાન એવાં જે જિનેશ્વર ભગવંતના પ્રરૂપેલાં શાસ્ત્રાગમે તેનું આદર સહિત શ્રવણ કરવું.
આ પ્રમાણે સમકિતનું પ્રથમ લિંગ શું છે તેને બોધ ગ્રહણ કરી, એના બીજા લિંગ વિષે કંઈક સમજ લઈએ.
રામ્યકત્વદર્શનનું બીજું લિંગ તે “ધર્મરાગ” લિંગ છે. ધર્મરાગ એટલે વીતરાગ પ્રભુએ પ્રરૂપેલા ધર્મપર પ્રીતિ ( અંતરંગ પ્રીતિ ) રાખવી તે. આ ધર્મ જે કહે તે યતિધર્મ અને શ્રાવકધર્મ એમ ઉભય ભેદવા સદનુષ્ઠાન રૂપ ધર્મ સમજ. શુશ્રષાલિંગમાં શ્રત ધર્મને આદર કરે કહ્યો છે તેમ આમાં ચારિત્ર ધર્મપર પ્રીતિ રાખવી એમ શાસ્ત્રકારોનું વચન છે.
આ વાત પર રાજગૃહી નગરીના ધન્ના શેઠના ચિલાતી નામના દાસી પુત્રનું દષ્ટાન્ત બહુજ ધડે લેવા લાયક છે. દેષને અને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવેલા પણ ત્યાંથી ઘેર આવી રાગને લીધે શેઠની પુત્રી સુશિમાને ઉપાડી જઈ નાસતા, પાછળ શેઠને આવતા દેખી, “પીવાયુ નહિ તે ઢાળી નાખવું”એમ ધારી એ (પિતાની પાસે રહેલી સુશિમા)ને વધ કરી એનું માથું હાથમાં લઈ જતા એ ચિલાતી પુત્રને, રસ્તે કાઉસગ્ય સ્થાને રહેલા મુનિએ, યેગ્ય જાણી, ઉપશમ, વિવેક અને સવર એ ત્રણ પદ રૂપ ધર્મ સ્વરૂપ કહ્યું.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત,
૩૫
( કહીને મુનિ તે અદશ્ય થઈ ગયા )તે કંઈ જેવું તેવું ન કર્યું એને મહિમા અવર્ણનીય થઈ પડે. કારણકે એ ત્રણ પદને સાંભળીને ચિલાતી પુત્રે વિચાર્યું કે, અહો ! ધર્મ સ્વરૂપ બતાવીને સાધુતે અન્તર્ધાન થયા પણ મારે એ વિષે બહુજ મનન કરવાની જરૂર છે. મુનિવરે ધર્મના સ્વરૂપમાં પ્રથમ ઉપશમ શબ્દ કહે, તેને અર્થ ઉપશાંતિ અર્થત શમી જવુંકેધનું શમી જવું, એ થાય છે. પણ હું તે અદ્યાપિ કેહાધીન છું; કરણ કે હજી એ કેધનું ચિન્હ જે ખડ્ઝ તે તે મારા હાથમાં છે માટે મેં ધર્મ આદર્યો ત્યારેજ કહેવાય કે જ્યારે હું તેને ત્યાગ કરૂં. એમ વિચારી એણે ખડગ ફેંકી દીધું. પુનઃ યેગીશ્વરે કહેલા દ્વિતીય શબ્દ “વિવેક” ઉપર ઉહાપોહ કરતાં એને “વિવેક બુદ્ધિ” એવો અર્થ સમજી જવાયેગ્ય વસ્તુ ત્યજી દેવા વિચારી પિતાના હાથમાં રહેલું સ્ત્રીનું મસ્તક ફેંકી દીધું વળી એ મુનિએ ત્રીજે કહેલ શબ્દ જે “સંવર તેને અર્થ વિચારતાં એને એમ લાગ્યું કે પાંચ ઈંદ્રિય અને છઠું મન એના અપ્રશસ્ત વેગને રોકવા એનું નામ સંવર છે. એ એ મારામાં નથી. આટલે ધર્મને અંશ પણ મારામાં નથી. કારણ કે હું તે સ્વેચ્છાચારી છું. માટે એ દુર્ગણને ત્યજી દઈ ધર્મવત થાઉં. આમ વિચારી તેજ સ્થળે કાર્યોત્સર્ગ રહી એણે અભિગ્રહ કર્યો. કે જ્યાં સુધી આ સ્ત્રી હત્યાનું પાપ મનમાં યાદ આવ્યા કરે ત્યાં સુધી મારે કાઉસ્સગ્ગ પાર નહીં. આમ કાયા સિરાવી એ એવે તે ધ્યાનારૂઢ થયે કે સ્ત્રીના લેહીથી ખરડાયેલા એના અંગપર ચઢી ગયેલી કીડીઓએ તેનું શરીર ચાલણ જેવું છિદ્ર છિદ્ર વાળું કરી નાખ્યું તો એ એ ધ્યાનથી ચલાયમાન થયે નહિ. પણ વેદનાને ઉપયોગથી સહન કરી, સાન સહિત સમાધિ મરણ પામી દેવકે દેવતા થયે. માટે सद्वाक्यभावार्थमवेत्यबुद्धया पुत्रश्चिलात्याः प्रजही बहूनि ।
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માન† પ્રકાશ,
पापानि एतत् भविकास्त्यजन्तु क्रीडन्ति हस्ते शिवसौख्यलक्ष्मीः || જેવીરીતે ચિલાતી પુત્ર ( મુનિનાં ) સદવાકયેના ભાવાર્ચ પેાતાની બુદ્ધિવર્ડ સમજીને ( પેાતાના ) અહુ બહુ પાપાને નાશ કરવા સમર્થ થયા તેવીરીતે, હું ભવિ પ્રાણીઓ, તમે પણ એવાં પાપોનો વિનાશ કરી ધર્મપર રાગ રાખીને રહે કે જેથી સહજમાં તમને મેક્ષ વધુ પ્રાપ્ત થાય.
6
આ પ્રમાણે સમક્તિનું બીજું લિંગ થયુ' હવે જિનરાજ અને ગુરૂની વૈયાવચ્ચ રૂપ ત્રીજા લિંગ વિષે શાસ્ત્રકાર શુ કહેછે તે તપાસીએ. વૈયાવચ્ચ એ શબ્દને અર્થ · સેવા ’ થાયછે. જિનરાજની વૈયાવચ્ચ એટલે સેવા, દ્રવ્ય અવે ભાવ એવા એ પ્રકારની પૂજા કરવાથી થાયછે. અને ગુરૂની વૈયાવચ્ચ, એમનેોશ્વેતાં અશન, પાન પ્રમુખ આપવાથી થાયછે. માટે ઉત્તમ ભાવથી એમની એ પ્રકારની વૈયાવચ્ચ કરીને પ્રાણીઓએ નદીષેણુ મુનિની પેઠે શુભ કર્મ ઉપાર્જન કરવા રૂપ મહા લાભ પ્રાપ્ત કરવા કછે.
નòિષ્ણુનાં દરિદ્રી માત પિતા નદિષેણુના જન્મની સાથેજ મૃત્યુ પામ્યાં હતાં. પુત્રને 'ઇપણ વારસા મળ્ય હાય તો એ દારિદ્રચના અને એના કુત્સિત રૂપના હતા. એના સર્વ અવયવ એટલા કકુપા હતા કે ઘણા ઘણા પ્રયત્નો કર્યા છતાં એના દુભાગ્યને લીધે એને કયાંકથી પણ કન્યા મળી નહી. તેથી નિરાશ થઈને પેાતાના મામાનું ઘર કે જયાં પાતે ઉઠ્યા હતા તે ત્યજીઇ છેવટ અરણ્યમાં ચાલી નીકળ્યા. ત્યાં તેણે કોઇપણ પ્રકારે આત્મઘાત કરવાને નિશ્ચય કર્યો. તેવામાં આસપાસ કાઉસગ્ગ ધ્યાને રહેલા કોઇ મુનિવરે “ માં, માં ” એમ કહી અટકાયે. આવા અરણ્યમાં કામને અટકાવે છે એમ વિચારી આસપાસ નજર કરતાં યાગીશ્વરને જૈયા. એ મહાત્માની પાસે જઈ, વન કરી, પેાતાને આત્મહત્યા કરતાં અટકાવવાનું
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત,
૩૭
કારણ પૂછ્યું. મુનીશ્વરે ઉત્તર આપ્યો–મહાનુભાવ, સાધારણ પ્રાણીઓની પેઠે દુખી હાઈને, સુખનાં સાધન પ્રાપ્ત કરવાની આશાએ તું આવું કરે છે તે અનિષ્ટ છે. એમ કરવાથી તેને સુખ મળવાનું નથી. પરના પ્રાણ લેવાથી પાપ લાગે છે તેવી જ રીતે આત્મહત્યાથી પણ પ્રાણી ઉગ્ર પાપ બાંધે છે. એ સાંભળી નંદીજેણે દુઃખમાંથી મુક્ત થવાને કઈ માર્ગ હોય તે તે બતાવવાને મુનિને પ્રાર્થના કરી. પરની દાઝ જાણનાર અને બની શકે તે તેનાથી મુકત કરાવનાર ગુરૂ મુનિએ કહ્યું- હે ભદ્ર, તને તારાં ભેગાવળી કર્મ ઉદય આવ્યાં છે તે ભેગવ્યા વિના છૂટકે નથી, પરંતુ આ લેક અને પરલોકમાં સુખ આપી શકે એ એક ધર્મજ ફક્ત છે. દરિદ્રી નદીષેણના આગ્રહથી મુનિએ એને, પછી ધર્મવિષય સમજાવ્યું તેથી એ પ્રતિબંધ પામ્ય, અને એમની પાસે દીક્ષા લીધી.
વ્રત અંગીકાર કરી, નંદીષેણ મુનિ વિનય વ્યવહાર શીખી. શાસ્ત્રાભ્યાસ કરી ગીતાર્થ થયા. પછી એમણે એવો અભિગ્રહ લીછે કે “જ્યાં જ્યાં હું સાધુ વર્ગના સંઘાતમાં હોઉં ત્યાં ત્યાં મારે જે કઈ બાળ, વૃદ્ધ કે વ્યાધિગ્રસ્ત આદિ સાધુ હોય એમની વૈયાવચ્ચ કરીને જ આહાર લે.”
આવો એમને દઢ સંકલ્પ, દેવ સભામાં બેઠેલા ઇંદ્ર મહારાજે જાણે એમની પ્રશંસા કરી, તે માન્ય નહીં કરી બે મિથ્યા
ત્વી દેવતાઓ એ મુનીશ્વરની પરીક્ષા કરવા આવ્યા. બેઉએ મુનિનાં રૂપ લીધાં. તેમાં એક વ્યાધિગ્રસ્ત બન્યા ત્યારે બીજાએ નંદણ મુનિ જેઓ છઠ્ઠ છઠ્ઠને પારણે આંબિલ કરતા હતા તેમની પાસે આવીને કહ્યું–હે મુનિવર, બહાર એક વ્યાધિગ્રસ્ત સાધુ આવેલા છે, એમની વૈયાવચ્ચ કર્યા વિના આપ પારાગું કરવા બેસી ગયા છે તે તમને યોગ્ય છે? એ સાંભળી નદિષેણ મુનિ એ નરમ પ્રકૃતિવાળા સાધુ પાસે જઈ મહાપ્રયાસે પ્રાસુક જળ લાવી આપી વૈયાવચ કરવા લાગ્યા. પણ એને અતિસારનો વ્યાધિ હોવાથી વાત વા
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
આત્માનંદ પ્રકાશ,
તમાં એનાં અંગો મલિન થવા લાગ્યાં ને અતિ દુધ છુટવા માંડી. પરંતુ મહા મુનિ નદિષેણે જરાપણ નાક મચકડયું નહીં. ઉલટું એની વિશેષ સારવાર કરવાની ઈચ્છાએ પોતાના સ્કધપર બેસારી એને પિતાને ઉપાશ્રયે આણ્યા. માર્ગમાં પિતાનું તમામ અંગ મલિન થયું તથાપિ લેશ માત્ર નહિ અકળાતાં ઉલટાં એને વ્યાધિ શમાવવાની પોતામાં શકિત ન હોવાને સબબે પોતાના આત્માને નિંદવા લાગ્યા.
આ પ્રમાણેને વૈયાવચ્ચવિષયમાં નંદિણ મુનિને દઢ સંકલ્પ જોઈ, બેઉ દેવ પ્રસન્ન થયા ને મુનિરાજ પર સુગંધી પુપની વૃષ્ટિ કરી ખમાવીને પિતાને સ્થાનકે ગયા.
આવા ઉગ્ર તપસ્વી નદીણ રૂષિએ બહુ કાળ સુધી તપ કરી પ્રાન્ત અનશન કર્યું તે વખતે તેમને વંદન કરવાને કઈ ચકવર્તી રાજા પિતાની ચોસઠ હજાર સ્ત્રીઓની સાથે આવ્યું. એ જોઈ નદિષણ મુનિને પોતાનાં કર્મ સ્મરણમાં આવ્યાં તેથી એમણે એવું નિયાણું કર્યું કે જે મારી આ ઉગ્ર તપશ્ચર્યા ફળવતી થવાની હોય તે હું આગામિ ભવમાં સ્ત્રીવલ્લભ થાઉં.
આવું નિયાણું કરી એ રૂષીશ્વર કાળ ધર્મ પામી દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવને સમુદ્રવિજય રાજાના વસુદેવ નામના પુત્ર થયા. પૂર્વ ભવમાં કરેલા નિયાણ પ્રમાણે તે સ્ત્રીઓને વલ્લભ થયા. આખા નગરની સ્ત્રીઓને પિતા પોતાનાં કાર્યો પડતાં મુકીને તેની પાછળ જ ફર્યા કરે. આ વાત સમુદ્ર વિજય રાજાએ સાંભળી ત્યારે બીજું જ બહાનું બતાવીને વસુદેવને કહેવરાવ્યું કે, તમારે મહેલની બહાર નીકળવું નહિં, અંદર રહીનેજ શાસ્ત્ર, કળા ઈત્યાદિને અભ્યાસ કરે.
આવો એકજ દેષ નહિ પણ વસુદેવના બીજા પણ અનેક અડપલાં હતાં તે તેમને તેમની સમક્ષજ કહી બતાવવામાં આવ્યાથી એક દિવસ કોપાયમાન થઈ ગુમરીતે નગર ત્યજીને જતાં રહ્યા. સહાય માત્ર કમ્મરે લટકી રહેલી એક ખડગની હતી. તેના
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત.
પ્રતાપ વડે એએ જયાં જ્યાં ગયા ત્યાં ત્યાં ઘણુ ઘણુ રાજા, વિદ્યાધર આદિની કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું. વળી શૌર્ય પુરમાં રેહિણીના સ્વયંવમાં પણ કુબડાંનુ રૂપ કરીને જઈ પહો આ. પણ હિણીએ તો એમને એમના મૂળ રૂપમાં જ જોઈને એમના કંઠમાં વરમાળા આપી. + + + + આ વસુદેવ પ્રાંતે સ્વર્ગ સુખના ભેંકતા થયા.
સુજ્ઞ વાચક, આ પ્રમાણે નદિષણ મુનિ મુનિની વૈયાવચ્ચ કરવાથી મુનિપુંગવપા, નરવીરપણું અને પ્રાન્ત સ્વર્ગનું અનુપમ સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા. એ સાંભળી, સમજી –વિચારી એનું અનુકરણ કરવા તત્પર થવું.
તંત્રી.
ધ્યાનવિલાસ. (લેખક મુનિ મણિવિજયજી મહારાજ) પ્રથમ ધ્યાન એટલે શું? તે જાણવું જોઈએ. ચેતનને ધર્મ ચપલતા છે, એ ચપલતાને સ્થિર કરવી એટલે ચેતનના આ ધ્યવસાયમાં સ્થિર ભાવ રાખીને જે ધ્યાવું-ચિંતવવું, તે ધ્યાન કહેવાય છે. આ સ્થાનને ભાવના, અનપેક્ષા અને ચિત્ ધ્યાન એવા ત્રણ પ્રકાર છે. એ ત્રણ પ્રકારથી ધ્યાન કરતાં ચિત્તની સ્થિતા થાય છે. એટલે તેને સંક્ષેપાર્થ એ છે કે, અંતર્મુહુર્ત સુધી એકાગ્ર ચિત્તનો ઉપગ સ્થિર રાખવે એનું નામ જ ધ્યાન કકહેવાય છે. તેનું સ્પષ્ટિકરણ એવી રીતે છે કે, એક અર્થને વિષે એ વિચાર કરો કે, બીજા ઘણુ અર્થ સંક્રમણ થાય તે પણ તેજ અર્થમાં સ્થિરપણે રહેવાય, અને તે ધ્યાનસ્થ વિષયનું ચિંતવન પરંપરાઓ થતુંજ થાય, તેમાં અંતર્મહુત્તિનો નિયમ નથી. આવી રીતની થાનની પ્રવૃત્તિ છવાસ્થને હોય છે. કેવલીને તે જે મન, વચન, કાયાના ચોગ. નિરોધ તેજ ઇયાન કહેવાય છે. તેને માટે આગમમાં નીચે પ્રમાણે લેખ છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાનંદ પ્રકાશ, ૦ =================૦e --------- -------- -
अंतो मुहूत्तमितं चित्तावस्यामेगवत्थुमि
छो मत्थाणं जोगनीरोहो जिणाणांतु ॥ १ ॥ અંહિ સૂધી ધ્યાનનું સ્વરૂપ અને તેના જુદાં જુદ્રાં લક્ષણ કહેવામાં આવ્યાં. તે ધ્યાનના ચાર ભેદ છે. ૧ આર્ત ધ્યાન ૨ રૂદ્ર ધ્યાન, ૩ ધર્મ ધ્યાન અને ૪ શુકલ ધ્યાન. તેમાં પહેલાં બે ધ્યાન અશુભ છે, તે અશુભ ધ્યાનથી અશુભ કર્મ બંધાય છે. અને તેને લઈ અશુભગતિ પ્રાપ્ત થાય છે. અને છેલ્લા બે ધ્યાન મુક્તિના કારણરૂપ છે તે પ્રાયઃ ઊત્તમ જીવને જ પ્રાપ્ત થાય છે.
જે પહેલું આર્તધ્યાન છે તેના ચાર પાયા છે. ઈષ્ટ વિગ, અનિષ્ટ સંગ, રેગચિંતા, અને અચશક-એવા તેના નામ છે.
પહેલે પા–ઈષ્ટ વિગ. ઈષ્ટ એટલે પિતાના મનને ગમતા જેવાકે, માતા, પિતા, ભાઈ, મિત્ર, પુત્ર, કલત્ર, ધન, ધાન્ય, સ્વજન, કુટુંબ, વિગેરે ઈષ્ટ પદાર્થોને જેમાં વિગ થાય, તે ઈષ્ટ વિગ કહેવાય છે. જે ધ્યાનમાં એવું ચિંતવેકે, ઉપર કહેલા ઈષ્ટ પદાર્થોને રખે મારે વિયેગ થાય, એવું ચિંતવન કરે. એમ કરતાં કદી તેમને વિગ થયે તે મહા ચિંતામાં પડી મહા શેક કરે, તે અભિલાષ રૂપ એકત્વપણે જે પરિણામ થાય, તે ઇષ્ટ વિયેગ નામે આ ધ્યાનને પહેલે પામે છે.
બીજે પા–એનિષ્ટ સંગ. આ ધ્યાનને બીજે પાયા અનિષ્ટ સંયોગ છે. અનિષ્ટ એટલે મનને ન ગમે તેવા પદાર્થોનો સંગ થાય તે અનિષ્ટ સંગ કહેવાય છે. જે માણસને અણગમતા પદાર્થને ચુંગ થયે હોય તે મનમાં ચિંતવે કે “આ પદાર્થ મને ક્યાંથી મ ? આ પદાર્થનો નાશ થાય થવાએ તે પદાર્થ મારાથી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
યાવિલાસ.
૪૧
ARA
દૂર થાય તેા વધારે સારૂં” આ પ્રમાણે ચિંતવી મનમાં શાક કરે, તે આર્ત્તધ્યાનને ને ખીજે પાયે-અનિષ્ટ સયાગ કહેવાય છે. ત્રીજો પાયે-રાણ ચિંતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરમાં વાત, પિત્ત અને કફની તથા બીજી રૂધિર સબંધી વ્યાધિઓની પીડાથી જે મનમાં ચિંતવન થાય, તે રેગચિંતા નામે આત્ત ધ્યાનના ત્રીજે પાયે કહેવાય છે. આધ્યાનને વિષે પ્રાયે કરીને નીલ લેહ્યા, કાપાત લેસ્યા અને કૃષ્ણા લેફ્સા- એ ત્રણ લેસ્યાઓ ઉત્પન્ન થાયછે. ચાથા પાયા-અગ્ર
ક જેથી હૃદયમાં—અગ્રે આવતા કાલને શેચ કરી ચિંતવન કરે જેમકે. આવતે વર્ષે અમુક કામ કરીશુ..” અથવા કોઇપણ તપકે વ્રત આચરતા નિદાન-નિયાણું ખાંધે જેમકે, કે તપનુ લ મને અમુક પ્રકારનું પ્રાપ્ત થશે! ” “ આ તપના પ્રભાવથી હું આવતે ભવે ઈંદ્ર દેવતા કે ચક્રવત્ત આવતા ભવને માટે જે જે
kr
આ દાન
થાઉં.
ચિતવન
આ પ્રમાણે કરવું તે અગ્રશેકમાં આવેછે. વલી હરકેઇ જાતને નિયાન કરવું. એ મધું અગ્ર શેકમાં આવેછે. તેને માટે શાસ્ત્રમાં લખે “ निदानचिंतनं पापम् છે કે, આ અગ્ર શેક તે આના યાનના ચાથા પાયા કહેવાય છે.
66
આર્ત્ત ધ્યાનનાં સામાન્ય લક્ષણો.
ܕܕ
આર્ત્ત ધ્યાનમાં અતિશય કિલષ્ટ ભાવ નથી એટલે ક્રૂર તથા દુર્જય તીવ્ર પરિણામ હાતાં નથી. અહી એ કર્મની પરિણતી એવીજ દીસેછે. આ ધ્યાનમાં પ્રાણી કેાઈવાર આ પ્રમાણે ચિંતવેછે.—, અરે હવે શુ કરીશ ? એમ કહી ઉંચે સ્વરે આ દ કરે છે—રૂદન કરેછે. વલી કેાઇવાર દૈવ અથવા દેવતાને ઉદ્દેશીને અનેક પ્રકારના ઉપાલભ આપેછે.
આ આર્તધ્યાન છઠા ગુણ ઠાણાં સુધી હાય છે. જે આ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાનંદ પ્રકાશ
તમાથી મુનિ હોય, તેણે પ્રમાદનું સ્વરૂપ જાણીને આ ધ્યાનને સર્વથા ત્યાગ કરે જઈએ. કારણ કે, આર્તધ્યાન કરનારા પ્રાણીની ગતિ તિર્યંચ સુધી હોય છે.
રૂ ધ્યાન, અતિ કઠોર, નિર્દય અને દુષ્ટ પરિણામમાં પ્રવર્તનારૂ જે ચિંતવન તે રૂદ્રધ્યાન કહેવાય છે આ રેડદ્ર ધ્યાનના પણ ચાર ગયા છે તેમના ૧ હિંસાનુબંધી ર મૃષાનુબંધી ૩ ચર્યનુબધી, અને ૪ પરિગ્રહરક્ષાનુબધી–એવાં નામ છે.
પેહેલે પાયે-હિંસાનુબંધી. જે જીવ હિંસા કરવાનું ચિતવે અથવા જીવહિંસા કરતા મનમાં હર્ષ કે સંતોષ માને તેમજ બીજાને હિંસા કરતા દેખી ખુશી થાય તે હિંસાનુંબંધી નામે રૈદ્ર યાનને પહેલે પામે છે. જયાં સંગ્રામની વાર્તાઓ થતી હોય, અથવા તેવાં શાસ્ત્ર વચાતાં હોય તેમાં સામેલ થવાની ઉમેદ રાખવી, ઘાતક એવા શુરવીર પુરૂની પ્રશંસા કે અનુમોદના કરવી, તે આ હિંસાનુબંધી દ્ર - ધ્યાનમાં આવે છે.
બીજે પાયે-મૃષાનુબંધી. જે જુઠું બેલી મનમાં હર્ષ પામે જેમકે, “હું કેવું જુઠું બો છું કે કઈને મારા જુઠાની ખબર પડતી નથી.” આવું ચિતવવું મૃષાનુબંધી નામે રદ્ર ધ્યાનને બીજે પાયે કહેવાય છે. તે સિવાય બીજાને જુઠું સમજાવવાનો વિચાર કરે, બીજાની ચુગલી કરવી, પરસ્પર મિથ્યા વાદ વિવાદ કરે, મિથ્યા ત્વનાં વચન ઊચ્ચારવાં અને કપટ સહિત વિચાર કરવા આ બધું અષાનુબંધી રૂદ્રયાનમાં ગણાય છે.
ત્રીજે પાયે–ચાર્યાનુબંધી.. ચોરી કરવી, ઠગાઈ કરવી, અને બીજાની વસ્તુ પચાવવીઈત્યાદિ કાર્ય કરવાનું ચિંતવવું તે ચોર્યાનુબંધી નામે દ્રિ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનવિલાસ.
ધ્યાનને ત્રીજે પા કહેવાય છે. મનમાં એ હર્ષ લાવેજેમકે, “હું કે બલવાન છું ? હું કેવો પારકે માલ ખાઊં છું? મારા જે બીજે છે?” આવા પરિણામનું જે ચિંતવન તે ચાર્યનુબંધી રદ્ર ધ્યાનમાં આવે છે.
ચેાથે પા--પરિગ્રહરક્ષાનુબંધી. - ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, પશુ, વાહન, અને ભુમિ, વિગેરે નવ પ્રકારના પરિગ્રહ રાખવાને અને વધારવાને ચિંતવવું, તે પરિગ્રહરક્ષાનુબંધી નામે રૂદ્રધ્યાનને ચોથો પાયે કહેવાય છે. પરિગ્રહ મેલવવાની ઈચ્છાએ અનેક જાતને પાપારંભ કરે, ઘણે પરિગ્રહ મલવાથી અભિમાન કરવું, પરિગ્રહને જમીનમાં દાટી, “ખે તે કઈ લઈ જાય તેવું ચિંતવન કરવું, અને પરિગ્રહની રક્ષાને માટે શસ્ત્રબદ્ધ સેવકે રાખવા ઈત્યાદિ અશુભ પરિણામમાં વર્તવું, તે બધું પરિગ્રહરક્ષાનુબંધીમાં ગણાય છે.
આ દ્રિધ્યાનના ચારે પાયામાં જે કહેવામાં આવ્યું છે, તેને કરે, કરાવે અને અનુદે અને તેને માટે સ્થિર પરિણામ કરે તે રદ્રધ્યાન કહેવાય છે. આ વૈદ્રધ્યાન મહા દુઃખનું કારણ છે અને અશુભ છે. એ ધ્યાન પાંચમા ગુણ ઠાણાં સુધી હોય છે. અથવા કેઈ જીવને છઠ્ઠા ગુણ ઠાણ સુધી હોય છે એમ કેટલાએક આચાર્યોને મત છે.
આ અશુભ ધ્યાનવાળાને પ્રાચે કરીને કૃષ્ણ, નીલ અને કાપિત– એ ત્રણ લેસ્યાઓ સંભવે છે. એ લેફ્સાને લઈને જીવના પરિણામ અતિ સંકિલષ્ટ થાય છે તેથી કરીને તેવા કર્મની પ્રકૃતિને લઈને તે વેશ્યાએ ઘણું દોષનું કારણ થવું પડે છે. હિંસાદિકની પ્રવૃત્તિ, અતિ પાપાચરણ, પીઠપણું, અપશ્ચાત્તાપ, પરાવાદથી હર્ષ અને વિષમાં, આસક્તિ એ બધાં રેદ્રધ્યાનના લક્ષણો છે. આવા રૌદ્રધ્યાનવાળા જીવની ગતિ પ્રાયે નરકમાં જ થાય છે.
જે આત્માથી મુનિઓ અને ભવ્ય પ્રાણીઓ છે, તેમણે આ બંને આર્તધ્યાન તથા વૈદ્રધ્યાનને અવશ્ય ત્યાગ કરે જોઈએ,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાન દ પ્રકાશ,
એ બને અશુભ ધ્યાન ઘણું જ નિર્બળ છે. તેમનો પરિચય - ખવાથી અતિશય કટુરસ પ્રાપ્ત થાય છે અને તેથી નઠારાં પરિણામ ઉદ્ભવે છે. માટે જેથી કરીને આત્મા નિર્મળ થાય, અને પિતાનું મૂલ સ્વરૂપે પ્રગટ થાય, તેવું શુભ ધ્યાન કરવું, કદિ સંપૂર્ણ નિર્મલ ધ્યાન ન આવે તે પણ દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવ જોઈને સર્વદા શુભ ભાવના ભાવવી અને આત્મસત્તાને અવલંબી શુભ ધ્યાન કરવું; તેથી નિરપેક્ષ પ્રવૃત્તિ થાય છે અને તે પ્રવૃત્તિ શુભ લેસ્યાનું કારણ થાય છે.
ગુણગ્રાહકતા.
( Likeness for Merits ) સમ્યક્ જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક્ આચરણ-ચારિત્રાદિક સદ્ગુણો અથવા ક્ષમા, વિનય, સરલતા, ઉદારતા વગેરે ઉત્તમ ગુણશ્રેણિ નિરન્તર આધેયરૂપ હેવાથી, આધારભૂત આત્માને વિષેજ વસે છે. જેમ રત્નાદિક ઉત્તમ વસ્તુઓના અથી એવા પુરૂષો, તે તે ઉત્તમ વસ્તુઓને પ્રાપ્ત કરાવી શકે એવા પ્રયત્ન સેવી, સ્વપુરુષાર્થ વડે તેને પેદા કરીને તેનું સંરક્ષણ કરવા માટે કાળછથી તેને ભંડારમાં સ્થાપે છે, અને જરૂર પડતાં તેને સ્વતંત્રપણે ઉપયોગ કરી શકે છે, તેમ સદૂગુણના અથ જને અનાદિ અજ્ઞાન--અશ્રદ્ધા-અવિવેકાદિ દોષોને અથવા રાગ-દ્વેષ અને મહાદિક પ્રબળ શત્રુવર્ગને દળવા સમર્થ પુરૂષાર્થ ફેરવી સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક ઉત્તમ ગુણરત્નને અછું તેમનું સંરક્ષણ તેમજ પિોષણ કરવા માટે તેમને બહુ કાળજીથી પ્રમાદ રહિતપણે આત્મ પ્રદેશમાં સ્થાપી–સ્થિર કરી સ્વતંત્રપણે તેમને લાભ લે છે, તેમજ ભાવકરૂણાથી અન્ય અધિકારી ભવ્ય જીને ઉદારતાથી–નિષ્કામી થઈને લાભ આપે છે. આવા સગુણનિધાન મહાપુરૂને જંગમ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણગ્રાહકતા,
૪૫
કલ્પવૃક્ષ, કામધેનુ, મંગળ કળશ યા ચિંતામણિની ઉપમા આપી શકાય. આવા સગુણી પુરૂવડેજ પૃથ્વી “બહુરત્ના ” ગણાય છે. અનાદિ અવિદ્યાજન્ય મિથ્યાભ્રમ (અનિત્ય એવા દેહ, લક્ષ્મીકુટુંબાદિકના સગને નિત્યવતુ માન, શરીરાદિક અશુચિ વસ્તુને–તેના વિષયોને શુચિ–પવિત્ર-સારા માનવા, અને પર વ
તુને પિતાની માનવી તે) ભાંગ્યા વિના આત્માને સત્યજ્ઞાનસભ્ય જ્ઞાન થતું જ નથી, સમ્યજ્ઞાન થયાં વિના સાચી શ્રદ્ધા (સમ્યગ્દર્શન) પ્રગટ થતી નથી, સમ્યગ દર્શન (સમકિત)પ્રાપ્ત થયા વિના સાચે વિવેક-ત્યાગ ભાવ આવતાજ નથી, અને સાચે વિવેક (ત્યજવા યોગ્યને ત્યાગ અને આદરવા ગ્યને આદર) પ્રગટયા વિના આ અનાદિ કાળથી મિથ્યા વાસનાવડે પરિભ્રમણ કરતા આત્માને એકાંત જન્મ મરણથી છુટવા રૂપ મોક્ષ થઈ શકતો નથી. માટે ઉપર કહેલા સદૂગુણના અથી જ એ ઉપર બતાવેલ અભ્યાસક્રમ અવશ્ય સેવવા યંગ્ય છે. - પ્રથમ સગુણના અથ જનેએ સદ્ગણની બની શકે તેટલી સેવા-સ્તુતિ–પ્રશંસા કરવી એગ્ય છે, કેમકે ગુણ ગુણીને કેઈરીતે અભેદ સંબંધ છે. સગુણ ઉપરના દૃઢ રાગ--પ્રેમથી સન્ ગુણ ઉપરને પ્રેમ સિદ્ધ થાય છે. અન્યથા સિદ્ધ થતું નથી. સદૂગુણ–ગુણીને પ્રેમ એ સદ્ગણ પામવાનું અપૂર્વ વશીકરણ છે તેજ સાચે વિનય છે, અને તેજ ભવ્ય પ્રાણીને ભવાંત કરાવી શકે છે. તેથી વિરૂદ્ધ, સદ્ગણુ–ગુણી ઉપર દ્વેષ, ઇર્ષ્યા, અસૂયા, મત્સર વગેરે ભવ બ્રમણજ કરાવે છે. એમ સમજી સદ્ગુણીની બની શકે તેટલી સ્તુતિ કરવી. પણ પ્રાણુતે પણ તેમની નિંદા તે નજ કરવી. કેમકે સગુણ ઉપરને દ્વેષ તે સગુણ ઉપર દ્વેષ કરવા બરાબરજ છે, અને સદ્ગણી ઉપરને સાચો રાગ તે સગુણ સાથેજ સાચે રાગ કરવા બરાબર છે એમ સમજી રાખવું એગ્ય છે. તેવા ગુણ રાગી સજ્જને પોતે ગુણપાત્ર હોવાથી જગમાં અનુકરણીય થાય છે. કહ્યું છે કે “આપ ગુણીને વળી ગુણ રાગી, જગમાં હી તેહની કરતિ રાજી લાલન કરતિ ગાજી. ” વળી કહ્યું છે કે,
કઈરીતે રતિ-સાત જનોએ સદા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ,
मनसि वचसि काये पूर्ण पीयूष पूर्णा स्त्रिभुवनमुपकार श्रेणिभिः प्रीणयंतः । परगुणपरमाणून् पर्वती कृत्य नित्यं निजहाद विकमतः संति संतः कियंतः ॥१॥ મનમાં,વચનમાં અને કાયામાં પુણ્ય અમૃતથી, શાંતરસથી ભરેલા અને અનેક પ્રકારના ઉપગારથી ત્રિભુવનજનને પ્રસન્ન કરતા, તથા પરના અણુ જેટલા ગુણને મોટા મેરૂ જેવા લેખી પિતાના હૃદયમાં પ્રસન્ન થતા એવા પણ કેટલાક સજજને પૃથ્વી તળ ઉપર વર્તેછે.” એવા ગુણ ગ્રાહક સત્પુરૂષો પ્રાણતે પણ વિકાર પામતા નથી. પરંતુ શરદ રૂતુના ચંદ્રની પરે અન્ય ભવ્ય સને શીતળતા આપે છે. તેવા સર્જન આપત્તિને સંપત્તિ રૂપ લેખે છે, તેમાં ધીરજ ધારી સ્વધર્મ-સ્વભાવ કદાપી પણ છોડતા નથી. ઉલટા સેનાની જેમ સખ્ત તાપ ને તેમને વાન વધતે. જાય છે. સરસ શેલડીની જેમ છેદ્યા ભેદ્યા છતાં શાંત રસજ આપે છે, અને શીતળ ચંદનની પરે કુહાડાથી કાપ્યા છતાં બીજાને કદાપિ પણ તાપ ઉપજાવતાજ નથી. તેવા સદ્ગુણ ગ્રાહક સજજનેની એજ બલિહારી છે કે તેઓ ગમે તેવા આત્મભેગે પણ ગુણ માત્રને ગ્રહણ કરે છે કેમકે તેઓ તેવા સદ્ગુણને જ સર્વસ્વ સમજે છે.
આવા સદ્ગુણ નિધિ સજ્જનેનું સ્મરણ પણ સુખદાયી થાય છે, તે પછી તેમનાં દર્શન, સ્પર્શન અને સદ્દભાવથી સેવા સ્તુતિનું તે કહેવું જશું? તેથી તે અનેક ભવ સંચિત કઠિન કર્મ પણ ક્ષય પામે છે અને આત્મ ગુણ સહેજ અલ્પ પ્રયાસે પ્રગટ થાય છે ઉક્ત હેતુ માટે સગુણ સજજને સાથે અકૃત્રિમ પ્રેમ જગાવ એ અવશ્યનું છે. જેમ મેઘની ગર્જના સાંભળતાંજ મધૂર (મોર ) ને અકૃતિમ અનહદ પ્રેમ જાગે છે; જેમ ચંદ્રની કળા દેખીને ચકર મનમાં અત્યંત ખુશી થાય છે, તેમ તેવા સદ્ગુણ સજજનોના સમાગમે પણ તેજ અકૃત્રિમ અનહદ પ્રેમ જાગૃત થવે જોઈએ. જેમ પતિવ્રતાનો પ્રેમ પિતાનાપતિ ઉપરજ કંઈપણ કાર્ય
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામણિ
કરતાં સહજ બન્યું રહે છે તેમ ઉદય સંબંધે ગમે તેવી સ્થિતિમાં પોતાનું પવિત્ર લક્ષ ચૂકાવું ન જોઈએ. Magnetic force (લેહચુંબક)ની પેરે સહજ ગુણાકર્ષણ થઈ રહેવું જોઈએ. આમ પ્રતિદિન સહજ ગુણ વૃદ્ધિ થતાં સંપૂર્ણતા પણ થવી સુસંભવિતજ છે.
ઈત્યલમ. (મુનિ કપૂર વિજયજી)
ચિંતામણિ.
એક ચમત્કારી વાર્તા. (ગત અંકના પૃષ્ટ ૧૩ થી શરૂ.)
(મુનિ વૈભવ વિજયની દેશના) સંઘ અને સંઘના અગ્રેસને ધર્મ. ભવ્ય જને, એવા સંઘરૂપ તીર્થના ચલાવનાર અને તેના અંગ ભૂત, સંઘના અગ્રેસરે હોય છે. તે અગ્રેસરે કેવા જોઈએ? અને તેમનું કર્તવ્ય શું છે? તે તમારે અવશ્ય જાણવું જોઈએ. પ્રથમ સંઘના અગ્રેસરે ન્યાયી, નિષ્પક્ષપાતી, દયાલુ, ધાર્મિક અને બુદ્ધિમાન હોવા જોઈએ. જેમના વચન ઉપર, જેમના વિચાર ઉપર અને જેમની પ્રમાણિકતા ઉપર આખા સંઘની અવનતિ તથા ઉન્નતિને આધાર છે, તેવા સંઘપતિઓના હદયમાં જે અન્યાય, પક્ષપાત, નિર્દયતા અને અધર્મ પ્રવેશ કરે તે પછી એ સંઘમાં કઈ જાતની સુધારણ થવાની આશા રખાય નહીં એટલું જ નહીં પણ તે સંઘ ઘણી નારી સ્થિતિમાં આવી જાય. સંઘ એક ધાર્મિક જનમંડલ છે, ધર્મની સર્વ જાતની મર્યાદાને સાચવનાર છે-તે મંડળના નાયકે જ્યારે પિતાનું શુદ્ધ કર્તવ્ય ભૂલિ જાયતે પછી સંઘની મર્યાદા શી રીતે રહે? જ્યારે મર્યાદા
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનદ પ્રકાશ.
ને લેપ થાય ત્યારે પછી સંઘમાં અનેક જાતના અકા થવા માંડે, જેથી કરીને જનસમૂહમાં જન ધર્મની હીલણ થયા વિના રહે જ નહીં.
સાંપ્રતકાલે દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યમાં જે અવ્યવસ્થા થઈ ગઈ છે, તેનું મૂલ કારણ સંઘપતિઓની ઉપેક્ષા છે. એવી ઉપેક્ષા રાખનારા અને સંઘના અગ્રેસરપણાને દાવ કરનારા ક્ષુલ્લક સંઘેશ્વરે તે બધા દેષનું પાત્ર બને, તેમાં કાંઈ પણ સંશય નથી. જેજે દ્રવ્યના ખાતાઓ તેમના આશ્રય નીચે ચાલે છે, તે તે ખાતાઓમાં લેકે સંઘપતિઓના વિશ્વાસ ઉપર દ્રવ્યાર્પણ કરે છે. જ્યારે સધપતિઓ તે દ્રવ્ય તરફ દુર્લક્ષ રાખે અને તેથી કરીને તે દ્રવ્યને વિચ્છેદ થાય, તે ખરેખરા દેવપાત્ર સઘપતિઓ અને તેમાં કાંઇપણ શંકા નથી.
ભવ્ય છે, જેમ પ્રજાને પતિ રાજા પિતાની પ્રજાને નીતિમાર્ગે ચલાવી ધર્મની મર્યાદા રખાવાને બધાએલે છે. તેમ એક સંઘપતિ પોતાની સલાહ ઉપર વર્તનારી શ્રાવક પ્રજાને ધર્મમાર્ગ ચલાવી ધર્મની મર્યાદા રખાવાને બંધાએલો છે. જોકે એવું ધારે છે કે, આપણે સંઘપતિ જે કરે છે, તે વ્યાજબી છે, તે જે પ્રમાણે આપણને દોરે છે, તે પણ સર્વ રીતે ઘટિત છે. આવી રીતે વિશ્વાસ પામેલા લેકોને પક્ષપાતની બુદ્ધિએ અન્યાય આપે અને તેમને દોષ ઉન્ન થાય તેવા માર્ગમાં દેરી જાય, એ સંઘપતિ ઘણજ અધમ છે. કેટલાએક સ્વાથી સંઘપતિઓ, પિતાની સત્તાને માટે વિપરીત પ્રવર્તન કરે છે, અને સત્તામાં અધ થઈને અધર્મના કામમાં સામેલ થાય છે તેવા સંઘપતિઓ ખરેખર ધિક્કારને પાત્ર છે. તેમનું જીવન દૂષિત છે, એટલું જ નહીં, પણ તેવા સંઘપતિઓ પિતાનો અને પોતાના આશ્રિતોને અધ:પાત કરે છે. આવા દુરાશય સંઘપતિઓથી સંઘની પવિત્ર મર્યાદા તુટી જાય છે, તીર્થરૂપ સંઘના પ્રવાહમાં મેટી ખલના થાય છે, અને સંઘના ખાતાઓમાં અવ્યવસ્થા થવાથી કે તે
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિતામણિ,
તરફ અનાદરથી જીવે છે, એટલે તે ખાતાં છિન્ન ભિન્ન થઈ જાય છે. દીર્ઘદૃષ્ટિવાળા કુશલ વિદ્વાનાએ સઘ, જ્ઞાતિ અને ગચ્છના આગેવાનના ત્રણ ભાગ પાડયા છે. ચિંતકે, પ્રવર્ત્તકે અને ધ માચાર્યે-આ ત્રણ ભાગથી સઘ, જ્ઞાતિ અને ગચ્છની સુધારણા થઇ શકે છે. સાથી પેહેલી અને મેટી જરૂર ચિંતકાની છે. એ ચિતકાએ પેાતાની મહાન મનઃ શક્તિના ઉપયાગ કરી એવા મહાન્ વિચારો બાહેર પાડવા જોઈએ કે જે વિચારો પ્રમાણે પગલાં ભરવાથી જનસમુદાયનુ` કલ્યાણુ થવાને પુરેપુરા સભવ રહે. તે ચિંતકે ઊચ્ચ નીતિ અને ઉચ્ચ મનઃ શક્તિવાળા હાવાથી તેઓને એવાજ વિચાર સુઝી આવે છે કે, જે વિચારને અમલ કરવાને પિરણામે જનસમૂહનું મહાન કલ્યાણુ થયા વગર રહેજ નહીં, આવા ચિતક વર્ગના મહાન ના પ્રજાના સર્વ માનને ચેાગ્ય છે. તેની મનેાવૃત્તિમાં ન્યાય અને નિષ્પક્ષ પાત હાવાથી તેઓજ પ્રજામાં મલવાન છે તેએજ ખરેખરા અગ્રેસર છે અને તેમનીજ પાછલ જનસમૂહ દોરવાય છે. જેના હૃદયમાં જૈન પ્રજાના હિતનું સર્વથા ચિ'તવન થયા કરે છે એવા તે ચિંતકવર્ગ સ‘ઘના અગ્રેસરની પદવીને લાચક છે. અને તેવા નો આ વિશ્વમાં સ`ઘરૂપ સૂર્યના પૂર્ણ પ્રકાશ પાડે છે અને તે પ્રકાશથી મિથ્યાત્વ, દુરાચાર અને મલિનતા રૂપ અધકાર દૂર થઇ જાય છે.
દેવાનુપ્રિય શ્રાતૃગણ, તમારે ચતુર્વિધ સ'ઘની ઉન્નતિ કરવાની જો ઈચ્છા હોય તે તેવા ચિ'તકનીને સઘ તથા જ્ઞાતિનુ અગ્રેસર પદ આપજો, તેવા અગ્રેસરાથી સઘનીભામાં સર્વ રીતે વૃદ્ધિ થશે. એટલુંજ નહી પણ તેમનાથી શ્રી વીરભગવંતનું પવિત્ર શાસન દીપી નીકલશે.
હવે ખીો ભાગ પ્રવર્તકેાના' એટલે જ્ઞાતિ નિયામકે પ્રવર્તકાનું ખરેખરૂં કર્તવ્ય જ્ઞાતિની સુધારણા કરવાનું છે. સઘની સુધારા જેમ ધર્મને લગતી છે, તેમ જ્ઞાતિની સુધાર
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 52 આમાનંદ પ્રકાશ. થાય છે. એ સેવા કરવાને લાંભ સંઘપતિઓને સારી રીતે મળ્યા કરે છે. વિચારને ધારણ કરનારા સંઘનાયકો પિતાના સાધર્મિ બંધુઓની સેવા કરી આત્માને કૃતકત્ય માને છે, તેથી કરીને તેઓ પહેલેકના સુખને આપનારા પુણ્યને સંપાદન કરી શકે છે. જેના સુવિચારથી સંઘમાં અને જ્ઞાતિમાં સારા સારા પ્રવર્તન થાય, હાનિકારક રીવાજો દૂર થઈ જાય, અને સર્વત્ર આહંત ધર્મની વૃદ્ધિ થાય, તેવા ચિંતક અને પ્રવર્તકોથી સંઘ પૂર્ણ રીતે પ્રકાશમાન થાય છે એટલું જ નહી પણ સંઘના અંગભૂત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ સર્વ પિત પિતાના કાર્યમાં યશસ્વી થઈ આ લેક અને પરલેકના ઈષ્ટ ફળ મેળવી શકે છે.–અપૂર્ણ. વર્તમાન સમાચાર. આપણી કેમના અગ્રેસર શેઠ વીરચંદ દીપચંદ સી.આઈ. ઈ.ના પુત્રરત્ન, ઉગતા યુવાન વિદ્યાથી મીત્ર સારાભાઈના અકાળ મૃત્યુથી, આપણે ખરેખર એક ભવિષ્યને હીરે ગુમાવ્યા છે. દરેક જૈન આવા ઉગતા તરૂણના મરણથી ખેદ પામ્યા વિના નહિં રહે. પણ કાળની ગતિ ગહન છે. માટે શોક નહિ કરતાં ચિત્તને ધર્મમાર્ગમાં જોડવાની અને મે. વીરચંદ શેઠને ભળામણ કરવાની સાથે ઇચ્છીએ છીએ કે પ્રભુ મી. સારાભાઈના આત્માને શાંતિ આપે. મહેમ શેઠ પ્રેમચંદ રાયચંદ-મુંબઈના સુપ્રખ્યાત વેપારી અને શેર બજારના દલાલ શેઠ પ્રેમચંદ રાયચંદના નામથી કોણ અજાણ્યું હોય ? આપણા જન વર્ગમાંજ નહિં પરંતુ આખા હિંદુસ્તાનમાં અને એથી પણ વધારે, છેક વિલાયત સુધી, જગી વેપાર અને લાખ રૂપિઆની સખાવતોને લીધે પ્રસિદ્ધ થએલા, ધનવાન છતાં પણ સદાના સાદા, નિરભિમાની નરરત્ન શેઠ પ્રેમચંદ રાયચંદ હરણું સ્વર્ગવાસ પામ્યા છે. એમના મૃત્યુથી આપણી સમગ્ર જન કોમને બહુ મહેટી ખેટ ગઈ છે. આપણી કોન્ફરન્સનો એક સ્તંભ તુટે છે અને સકળ સંઘનો એક અ For Private And Personal Use Only