________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
આત્માનંદ પ્રકાશ,
પ્રત્યાખ્યાન એટલે ત્યાગ–ત્યાગથી સંયમ–સંયમથી દેવ સહિત તપ-તપથી નિર્જરા–નિર્જરાથી અકિય અને એથી પ્રાન્ત એક્ષએમ પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર પદની પ્રાપ્તિ થાય છે. શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વર પણ આ વાતને દઢીભૂત કરતાં કહે છે કે
क्षाराम्भस्त्यागतो यद्वत् मधुरोदकयोगतः । बीजः प्ररोहमादत्ते तद्वत्तवश्रुतेःनरः ॥
જેવી રીતે ખારું પાણી ત્યજી દઈ, મીઠા પાણીને વેગ કરવાથી બીજ ઉગે છે તેવી રીતે સિદ્ધાન્તના શ્રવણથી પ્રાણીને જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે ચિત્તવૃત્તિને નિરન્તર બની બની રાખી ભવસમુદ્રને તરી જવામાં પ્રવહણ સમાન એવાં જે જિનેશ્વર ભગવંતના પ્રરૂપેલાં શાસ્ત્રાગમે તેનું આદર સહિત શ્રવણ કરવું.
આ પ્રમાણે સમકિતનું પ્રથમ લિંગ શું છે તેને બોધ ગ્રહણ કરી, એના બીજા લિંગ વિષે કંઈક સમજ લઈએ.
રામ્યકત્વદર્શનનું બીજું લિંગ તે “ધર્મરાગ” લિંગ છે. ધર્મરાગ એટલે વીતરાગ પ્રભુએ પ્રરૂપેલા ધર્મપર પ્રીતિ ( અંતરંગ પ્રીતિ ) રાખવી તે. આ ધર્મ જે કહે તે યતિધર્મ અને શ્રાવકધર્મ એમ ઉભય ભેદવા સદનુષ્ઠાન રૂપ ધર્મ સમજ. શુશ્રષાલિંગમાં શ્રત ધર્મને આદર કરે કહ્યો છે તેમ આમાં ચારિત્ર ધર્મપર પ્રીતિ રાખવી એમ શાસ્ત્રકારોનું વચન છે.
આ વાત પર રાજગૃહી નગરીના ધન્ના શેઠના ચિલાતી નામના દાસી પુત્રનું દષ્ટાન્ત બહુજ ધડે લેવા લાયક છે. દેષને અને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવેલા પણ ત્યાંથી ઘેર આવી રાગને લીધે શેઠની પુત્રી સુશિમાને ઉપાડી જઈ નાસતા, પાછળ શેઠને આવતા દેખી, “પીવાયુ નહિ તે ઢાળી નાખવું”એમ ધારી એ (પિતાની પાસે રહેલી સુશિમા)ને વધ કરી એનું માથું હાથમાં લઈ જતા એ ચિલાતી પુત્રને, રસ્તે કાઉસગ્ય સ્થાને રહેલા મુનિએ, યેગ્ય જાણી, ઉપશમ, વિવેક અને સવર એ ત્રણ પદ રૂપ ધર્મ સ્વરૂપ કહ્યું.
For Private And Personal Use Only