________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત,
૩૫
( કહીને મુનિ તે અદશ્ય થઈ ગયા )તે કંઈ જેવું તેવું ન કર્યું એને મહિમા અવર્ણનીય થઈ પડે. કારણકે એ ત્રણ પદને સાંભળીને ચિલાતી પુત્રે વિચાર્યું કે, અહો ! ધર્મ સ્વરૂપ બતાવીને સાધુતે અન્તર્ધાન થયા પણ મારે એ વિષે બહુજ મનન કરવાની જરૂર છે. મુનિવરે ધર્મના સ્વરૂપમાં પ્રથમ ઉપશમ શબ્દ કહે, તેને અર્થ ઉપશાંતિ અર્થત શમી જવુંકેધનું શમી જવું, એ થાય છે. પણ હું તે અદ્યાપિ કેહાધીન છું; કરણ કે હજી એ કેધનું ચિન્હ જે ખડ્ઝ તે તે મારા હાથમાં છે માટે મેં ધર્મ આદર્યો ત્યારેજ કહેવાય કે જ્યારે હું તેને ત્યાગ કરૂં. એમ વિચારી એણે ખડગ ફેંકી દીધું. પુનઃ યેગીશ્વરે કહેલા દ્વિતીય શબ્દ “વિવેક” ઉપર ઉહાપોહ કરતાં એને “વિવેક બુદ્ધિ” એવો અર્થ સમજી જવાયેગ્ય વસ્તુ ત્યજી દેવા વિચારી પિતાના હાથમાં રહેલું સ્ત્રીનું મસ્તક ફેંકી દીધું વળી એ મુનિએ ત્રીજે કહેલ શબ્દ જે “સંવર તેને અર્થ વિચારતાં એને એમ લાગ્યું કે પાંચ ઈંદ્રિય અને છઠું મન એના અપ્રશસ્ત વેગને રોકવા એનું નામ સંવર છે. એ એ મારામાં નથી. આટલે ધર્મને અંશ પણ મારામાં નથી. કારણ કે હું તે સ્વેચ્છાચારી છું. માટે એ દુર્ગણને ત્યજી દઈ ધર્મવત થાઉં. આમ વિચારી તેજ સ્થળે કાર્યોત્સર્ગ રહી એણે અભિગ્રહ કર્યો. કે જ્યાં સુધી આ સ્ત્રી હત્યાનું પાપ મનમાં યાદ આવ્યા કરે ત્યાં સુધી મારે કાઉસ્સગ્ગ પાર નહીં. આમ કાયા સિરાવી એ એવે તે ધ્યાનારૂઢ થયે કે સ્ત્રીના લેહીથી ખરડાયેલા એના અંગપર ચઢી ગયેલી કીડીઓએ તેનું શરીર ચાલણ જેવું છિદ્ર છિદ્ર વાળું કરી નાખ્યું તો એ એ ધ્યાનથી ચલાયમાન થયે નહિ. પણ વેદનાને ઉપયોગથી સહન કરી, સાન સહિત સમાધિ મરણ પામી દેવકે દેવતા થયે. માટે सद्वाक्यभावार्थमवेत्यबुद्धया पुत्रश्चिलात्याः प्रजही बहूनि ।
For Private And Personal Use Only