Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ દાખલાઓ આપી સમજાવ્યું છે કે ‘આ જગતમાં કોઈ એકથી એમ ના કહેવાય કે મેં આ કર્યું !' સાદી કઢી બનાવવી હોય તો કેટલી બધી વસ્તુઓની જરૂર પડે તમારે ? બધું જ હોય પણ પેલી દિવાસળીની કાડી, ના હોય તો થાય? તો મીઠું ના હોય તો થાય ? દહીં, આવ કે તપેલું ના હોય તો થાય ? ત્યારે પોતે ય ના હોય તો થાય ? કોઈ વસ્તુ એમ ના કહે કે “મેં કરી'. કારણ કે એમનામાં અહંકાર નહીં ને ! અને આ મનુષ્ય એકલામાં જ અહંકાર એટલે એ બોલી ઊઠે કે “મેં કઢી કરી !' જો બધામાં અહંકાર હોત તો રસોડામાં બહેનોથી જવાય જ નહીં. તપેલું, સાણસી, ગેસ, સ્ટવ એ બધાં જ બૂમાબૂમ કરતાં હોય કે “મેં કર્યું , મેં કર્યું !” પણ મનુષ્યો જ કર્તા થઈ બેસે છે. જ્યાં “મેં કર્યું માન્યું, કે કર્તા થયો ને કર્તા થયો એટલે એને ભોક્તા થવું જ પડે. એક્શનનું રિએક્શન આવ્યા વગર રહે જ નહીં ! અને જ્યાં સાચું જ્ઞાન હાજર થાય કે “આ બધાં જ સંયોગો મળ્યાં ત્યારે કઢી થઈ. આમાં મેં શું કર્યું ?” તો પણ કર્તા મટયો. તો પછી ભોક્તા રહે નહીં. એટલે આ જગતમાં કોઈથી એમ ના કહેવાય કે ‘મેં એકલાએ કર્યું.” કેટલાં બધાં સંયોગો ભેગા થાય ત્યારે એક કઢી થાય ! આ તો બાહ્ય સ્થળ સંયોગો દેખાડ્યા, પણ મહીં સૂક્ષ્મમાં તો કેટલા બધા સંયોગો હોય ત્યારે થાય ! આપણો ભાવ, શરીર, બધાં સ્પેરપાર્ટસ વિ. પણ મુખ્ય નિમિત્ત છે, પણ હોલ એન્ડ સોલ કર્તા આપણે નથી ! એટલે પરમ પૂજ્ય દાદાશ્રીએ એક જ વાક્યમાં અંગ્રેજીમાં સમજાવ્યું કે આ જગત ચાલી રહ્યું છે માત્ર ‘સાયન્ટિફિટ સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી.” (વૈજ્ઞાનિક સંયોગીક પુરાવાઓથી) ! અને ગુજરાતીમાં એમણે એક શબ્દ વાપર્યો, ‘વ્યવસ્થિત શક્તિથી” આ બધું ચાલે છે. ‘વ્યવસ્થિત શક્તિ એટલે બધાં સંયોગો ભેગાં થઈને પછી જે કાર્ય પરિણામમાં આવે છે તે. જે રિઝલ્ટ છે તે વ્યવસ્થિત છે, કરેક્ટ જ છે, ઈન કરેક્ટ ક્યારે ય હોતું નથી. એટલે બન્યું એ જ જાય ! થઈ ગયા પછી ‘વ્યવસ્થિત’ કહેવાય, પહેલેથી નહીં ! કાચનો પ્યાલો હાથમાંથી સરકતો હોય તો તેને ઠેઠ સુધી બચાવવાના પ્રયત્નો કરવાના અને તે હેજાહેજ થઈ જ જાય, પ્રયત્નો. છતાં ય પડી ગયો ને ફૂટી ગયો તો તે ‘વ્યવસ્થિત’ શક્તિએ તોડ્યો ! પડ્યો જેના હાથથી તેણે તોડ્યો ના કહેવાય ! એણે તો બિચારાએ ઊલ્ટો બચાવવા પ્રયત્ન કરેલો ! એટલે વ્યવસ્થિત શક્તિને વ્યવહારમાં કઈ રીતે ઉપયોગમાં લેવું ? કાચનો પ્યાલો હાથમાંથી પડતો હોય તો ઠેઠ સુધી પોઝિટિવ રહીને બચાવવા પ્રયત્નો કરવાં પછી પડી ગયો ને ફૂટી ગયો તો તે ‘વ્યવસ્થિત ! રસ્તામાં સાચવીને ચાલવા છતાં ગજવું કપાઈ ગયું તો તે “વ્યવસ્થિત’ કાપ્યું, સમજી જવાનું ! વ્યવસ્થિત કહેતાં જ મહીં પેટનું પાણી નહીં હાલે ને કર્મ નહીં બંધાવા દે ! અને આવેલું કર્મ ભોગવટો આપ્યા સિવાય પૂરું થઈ જાય. ‘વ્યવસ્થિત' બની ગયા પછી કહેવાય પહેલેથી ના કહેવાય, નહીં તો એ જ્ઞાનનો દુરૂપયોગ થયો કહેવાય ! આ બધું વિજ્ઞાન છે. જગતનું આપણા બધાનું વિજ્ઞાનથી ચાલી રહ્યું છે! વિજ્ઞાન એટલે બે વસ્તુ ભેગી થઈને એનું રૂપાંતર થવું એ વિજ્ઞાન ! આપણું પેટ અને ઝેર બે ભેગું થયું તો રૂપાંતર શેમાં થઈ જાય ? એમાં કોઈને કશું કરવું પડે ? ભગવાનને આમાં મારવા આવવું પડે ? એની મેળે, વૈજ્ઞાનિક રીતે જ થાય છે ! એટલે આમાં કોઈ કર્તા જ નથી. ભગવાન પણ નથી ને તમે પણ નથી. આ તો બધા સંજોગો ભેગા થાયને કાર્ય થાય, ત્યારે આપણે આપણી રાગી-દ્વેષી દષ્ટિથી માની લઈએ કે આ ‘મેં કર્યું કે પેલા એ કર્યું. સારું થાય તો ‘મેં કર્યું” ને બગડી જાય તો બીજા પર ઢોળી દે ! અને ખોટા આક્ષેપો કરે, તેનો આ દંડ ભોગવવો પડે છે ! આ બધા સંયોગો કોણ ભેગા કરી આપે ? વ્યવસ્થિત શક્તિ ! આમાં ભગવાન હાથ ઘાલતા નથી અને એમને વળી હાથે જ ક્યાં છે. તો કોઈનામાં એ ઘાલે ? આ તો સંયોગો ભેગાં થયાં તેથી થાય છે ! જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી જાતજાતની કર્તા સંબંધીની ડગલે ને પગલે બદલાતી માન્યતાઓ છે. સારું થાય તો ‘મેં કર્યું’, બગડ્યું તો બીજા પર ઢોળી દે, ‘ભગવાન કર્તા છે' કહે ! ધર્મમાં પણ કર્તાપદ હેઠ સુધી રહ્યું છે. મારે ધ્યાન કરવાનું, જપ કરવાના, ઉપવાસ કરવાના.' ત્યાં 18 13

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 204