________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૭૫
એમાં વાંક કેને?
તમે રસ્તા ઉપરથી પસાર થતા હતા અને તમે જુવે કે ઉપરથી કઈ છાપરાનું નળીયું પડી રહ્યું છે. પરંતુ તમે ત્યાંથી ખસતા નથી અને નળીયું તમને લાગે છે. તેમાં વાંક કોને? એ વાંક તે તમારે જ ગણાય. કારણ તમે જે ત્યાંથી ખસી ગયા હતા તે એ નળીયું તમને વાગત નહિ.
માણસે જ્યાં માર ખાવાની ભીતિ હોય અને જ્યાં આધિ-વ્યાધિ થવાના કારણો હોય ત્યાં જ જાય તે પછી તેમને માર પડે અને આધિ વ્યાધિ લાગુ પડે છે. પણ જે તે માર્ગે ન જાય તે તે જીવન સુખરૂપે પસાર કરી શકે.
સંસારના વિલાસે જ એવા છે કે આધિ-વ્યાધિઉપાધિ ન હોય તે પણ તે આવીને વળગે છે. માટે સમજુએ છે તે માર્ગેથી ખસી જવામાં જ લાભ છે. જેઓ એવા રસ્તેથી જતાં રહ્યાં છે તે આત્મિક વિલાસના આનંદમાં હાલે છે. જ્યારે બીજાઓ આધિ-વ્યાધિને માર ખાય છે.
માર એક પ્રકારને નથી. ખરાબ વિચારોને માર, કડવા વચનને માર, કાયિક દુરાચારને માર, એમ અનેક માર છે. તેનાથી બચી શકાય તો જીવન નિર્ભય બને. દરેકે વિચારવું જોઈએ કે પિતાને ક્યા પ્રકારને માર પડે છે? તે શાથી પડે છે? તે જાણીને પછી તે મારથી બચાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ.
For Private And Personal Use Only