Book Title: Ahimsa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 7
________________ ૧૧૬ જૈનધર્મને પ્રાણ નિર્ણય નથી થઈ શકતે. સાચેસાચ હિંસા પ્રમાદ-અયતના-અસંયમમાં જ છે, પછી ભલે કઈ જીવનો ઘાત ન પણ થતા હોય. એ જ રીતે જે અપ્રમાદ કે યતના-સંયમ સુરક્ષિત હોય તે છવધાત લેવામાં આવે છતાં પણ ખરી રીતે અહિંસા જ છે. જૈન ઉહાપોહની કમિક ભૂમિકાએ ઉપરના નિયમ ઉપરથી અહિંસાને લગતા જૈન ઊહાપોહની નીચે જણાવેલી કમિક ભૂમિકાએ ફલિત થાય છે – (૧) પ્રાણ નાશ હિંસા રૂપ હેવાથી એને રોકો, એ જ અહિંસા છે. (૨) જીવનધારણની સમસ્યામાંથી ફલિત થાય છે કે જીવન–ખાસ કરીને સંયમી જીવન–માટે અનિવાર્ય લેખાતી પ્રવૃત્તિઓ આદરતાં કદાચ છવઘાત થઈ પણ જાય, છતાં જે પ્રમાદ ન હોય તે એ છવધાત હિંસારૂપ ન બનતાં અહિંસા જ છે. • (૩) જે સંપૂર્ણપણે અહિંસક રહેવું હોય તે, ખરી રીતે અને સૌથી પહેલાં, ચિત્તમાં રહેલ કલેશ( પ્રમાદ)ને જ ત્યાગ કરવો જોઈએ. એ થે તે સમજવું કે અહિંસા સિદ્ધ થઈ. બાહ્ય પ્રવૃત્તિઓ સાથે અહિંસાને કોઈ અનિવાર્ય સંબંધ નથી; એને નિયત સંબંધ માનસિક પ્રવૃત્તિઓની સાથે છે. (૪) વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં એવાં પણ અપવાદસ્થાને આવે છે કે જ્યારે હિંસા કેવળ અહિંસા જ નથી રહેતી ઊલટી એ ગુણવર્ધક પણ બની જાય છે. આવા અપવાદરૂપ સ્થાનમાં, જે કહેવાતી હિંસાથી ડરીને, એનું આચરણ કરવામાં ન આવે તો ઊલટાને દોષ લાગે છે. જેને અને મીમાંસ વગેરે વચ્ચે સામ્ય જૈન અહિંસાના ઉત્સર્ગ અપવાદની આ ચર્ચા બરાબર અક્ષરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24