________________
૧૧૬
જૈનધર્મને પ્રાણ
નિર્ણય નથી થઈ શકતે. સાચેસાચ હિંસા પ્રમાદ-અયતના-અસંયમમાં જ છે, પછી ભલે કઈ જીવનો ઘાત ન પણ થતા હોય. એ જ રીતે જે અપ્રમાદ કે યતના-સંયમ સુરક્ષિત હોય તે છવધાત લેવામાં આવે છતાં પણ ખરી રીતે અહિંસા જ છે. જૈન ઉહાપોહની કમિક ભૂમિકાએ
ઉપરના નિયમ ઉપરથી અહિંસાને લગતા જૈન ઊહાપોહની નીચે જણાવેલી કમિક ભૂમિકાએ ફલિત થાય છે –
(૧) પ્રાણ નાશ હિંસા રૂપ હેવાથી એને રોકો, એ જ અહિંસા છે.
(૨) જીવનધારણની સમસ્યામાંથી ફલિત થાય છે કે જીવન–ખાસ કરીને સંયમી જીવન–માટે અનિવાર્ય લેખાતી પ્રવૃત્તિઓ આદરતાં કદાચ છવઘાત થઈ પણ જાય, છતાં જે પ્રમાદ ન હોય તે એ છવધાત હિંસારૂપ ન બનતાં અહિંસા જ છે. •
(૩) જે સંપૂર્ણપણે અહિંસક રહેવું હોય તે, ખરી રીતે અને સૌથી પહેલાં, ચિત્તમાં રહેલ કલેશ( પ્રમાદ)ને જ ત્યાગ કરવો જોઈએ. એ થે તે સમજવું કે અહિંસા સિદ્ધ થઈ. બાહ્ય પ્રવૃત્તિઓ સાથે અહિંસાને કોઈ અનિવાર્ય સંબંધ નથી; એને નિયત સંબંધ માનસિક પ્રવૃત્તિઓની સાથે છે.
(૪) વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં એવાં પણ અપવાદસ્થાને આવે છે કે જ્યારે હિંસા કેવળ અહિંસા જ નથી રહેતી ઊલટી એ ગુણવર્ધક પણ બની જાય છે. આવા અપવાદરૂપ સ્થાનમાં, જે કહેવાતી હિંસાથી ડરીને, એનું આચરણ કરવામાં ન આવે તો ઊલટાને દોષ લાગે છે. જેને અને મીમાંસ વગેરે વચ્ચે સામ્ય
જૈન અહિંસાના ઉત્સર્ગ અપવાદની આ ચર્ચા બરાબર અક્ષરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org