________________
૧૨૦
જૈનધર્મને પ્રાણ
અહિંસા-ભાવનાના એ ઝરણને પૂરનું રૂપ આપવામાં જરૂર અને કેને ભાગ છે, પણ નિર્ગથ અનારનું તો એના સિવાય બીજું કોઈ ધ્યેય જ ન હતું. તેઓ ભારતમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે અહિંસાની ભાવનાને જ ફેલાવો કર્યો અને જનતાને હિંસામૂલક અનેક વ્યસનના ત્યાગને ઉપદેશ આપવામાં જ નિગ્રંથ ધર્મની કૃતકૃત્યતા અનુભવી. જેવી રીતે શંકરાચાર્યે ભારતના ચારે ખૂણાઓમાં મઠની સ્થાપના કરીને બ્રહ્માદતને વિજયસ્તંભ રો, એ જ રીતે મહાવીરના અનુયાયી અનગાર નિ એ ભારત જેવા વિશાળ દેશના ચારે ખૂણાઓમાં અહિંસા-અદ્વૈતની ભાવનાના વિજયસ્તંભ રોપ્યા–એમ કહેવામાં આવે તે એમાં અતિશયોકિત નહીં લેખાય. લેકમાન્ય તિલકે આ વાતને એવી રીતે કહી હતી કે ગુજરાતની અહિંસા-ભાવના, એ જેનોનું જ અર્પણ છે. અને ઈતિહાસ આપણને કહે છે કે વૈષ્ણવ વગેરે અનેક વૈદિક પરંપરાઓની અહિંસામૂલક ધર્મવૃત્તિમાં નિJસંપ્રદાયના ડાઘણુ પ્રભાવે જરૂર ભાગ ભજવ્યો છે. એ વૈદિક સંપ્રદાયોના પ્રત્યેક જીવનવ્યવહારની છણાવટ કરવાથી કેઈપણ વિચારક એ સહેલાઈથી જાણી શકે છે કે એના ઉપર નિર્ચ થેની અહિંસા–ભાવનાને રંગ જરૂર લાગે છે. આજે ભારતમાં હિંસામૂલક યજ્ઞયાગાદિ ધર્મવિધિને સમર્થક પણ પિતાના યજમાનોને પશુવધની પ્રેરણું કરવાની હિંમત નથી કરી શકતે.
- આચાર્ય હેમચંદ્ર ગુર્જરપતિ પરમ માહેશ્વર સિદ્ધરાજ સુધ્ધાંને ઘણે અંશે અહિંસાની ભાવનાથી પ્રભાવિત કર્યા હતા. આનું ફળ અનેક દિશાઓમાં સારું આવ્યું. અનેક દેવ-દેવીઓની સામે ખાસ ખાસ પમાં થતી હિંસા બંધ થઈ ગઈ અને આવી હિંસાને અટકાવવાના એક વ્યાપક આંદેલનને પાયો નંખાઈ ગ. સિદ્ધરાજના ઉત્તરાધિકારી ગુર્જરપતિ કુમારપાળ તે પરમહંત જ હતા. એ યથાર્થ રૂપે પરમહંત એટલા માટે ગયા કે એમણે અહિંસાની ભાવનાને જેવી અને જેટલી પરિપુષ્ટ કરી, અને જે એને ફેલા કર્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org