Book Title: Agam Jyot 1975 Varsh 11
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 155
________________ ૧૭ પુસ્તક થું સવાલ-૮ જીવાત્માની આવી ભવ પરંપરા માનવાની જરૂર શી? –આવું માનવાથી કર્તવ્યનિષ્ઠા જાગૃત થાય છે. સવાલ-૯ “કર્તવ્ય અટલે શું? –ક્ષણિક, નશ્વર, સંસારી પદાર્થોની મેહ-માયા અળગી કરી કદી નાશ ન પામનારા આત્માના સ્વરૂપની ઓળખાણ કરી તેના વિકાસ માટે પ્રયત્ન કરે. સવાલ-૧૦ સંસારી પદાર્થો નશ્વર છે, તે જીવાત્મા પણ મૃત્યુ પામે છે, એટલે નાશ પામે છે, તે ભવ–પરંપરાની માન્યતા શી રીતે ? -નારા શબ્દમાં ઝૂ ધાતુ છે, તેને અર્થ વ્યાકરણના ધાતુપાઠમાં ની બદ્ર દ્વારા “જે સ્વરૂપમાં હાલ છે, તે સ્વરૂપમાં ન દેખાય એ અર્થ છે જીવાત્માને માત્ર પર્યાય-બાહ્ય દેખાવ આપણ દષ્ટિથી મૃત્યુ દ્વારા અદશ્ય થાય છે, પણ જીવાત્મા તે કાયમ જ હોય, તે પોતાના શુભાશુભ કર્મોના આધારે સારી-નરસી ગતિઓમાં રખડે છે. એટલે કર્તવ્યનિષ્ઠાથી સમજુ માણસ પોતાના સતકર્મોને જલ્થ વધારે, જેથી પશુની ગતિઓમાં જઈ વધુ દુઃખી ન થવું પડે. સતકર્મોના જથ્થાથી સારી-ગતિમાં જઈ સકર્મોને પણ ખલાસ કરી આત્મા સર્વથા કર્મમુક્ત પણ બની શકે છે. એટલે કર્તવ્યનિષ્ઠા જીવનની મહત્વપૂર્ણ વસ્તુ છે. તે માટે હિંદુ શબ્દ દ્વારા જીવાત્માની ભવ–પરંપરાની માન્યતા મહત્વની છે.

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172