Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 243
________________ ૩૦ માગમોત આ બધું સમજવાથી સ્પષ્ટપણે સમજાશે કે દ્રવ્યસમ્યકત્વને પામવામાં પણ અપૂર્વકરણની જરૂર છે. પ્રશ્ન ૩ ભગવાન હરિભદ્રસૂરિજી શ્રીપંચવસ્તુમાં ધર્માસ્તિકાય વગેરેને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થ તરીકે લખે છે, અને શ્રીઉત્તરાધ્યયનની શ્રી શાન્તિસૂરિજીવાળી ટીકા તથા શ્રીતત્વાર્થનીવૃત્તિમાં ધર્માસ્તિકાયઆદિને હેતુ-યુક્તિથી સિદ્ધ કરવામાં આવ્યા છે તે ધર્માસ્તિકાયાદિકને આજ્ઞા ગ્રાહ્યા માનવા કે દાષ્ટ્રતિક માનવા? સમાધાન–આજ્ઞા ગ્રાહ્ય પદાર્થો દષ્ટાન્તગ્રાહ્ય ન હોય એમ સમજવાનું નથી. પરંતુ જે પદાર્થની સિદ્ધિમાં હેતુ, યુક્તિ કે - દષ્ટાન્તને પ્રયોગ કરતાં શ્રોતાઓની મતિ મુંઝાય તેવું હોય તેવા -પદાર્થોને હેતુ યુક્તિથી સિદ્ધ ન કરતાં આજ્ઞાથી સિદ્ધ કરવા. એટલે સામાન્ય શ્રોતાઓની અપેક્ષાએ ધર્માસ્તિકાયઆદિની સિદ્ધિ આજ્ઞા ગ્રાહા હોય અને તર્કનિપુણ શ્રોતાઓ માટે ધર્માસ્તિકાયાદિ આજ્ઞા ગ્રાહ્ય હોવા સાથે દષ્ટાન્તગ્રાહા હોય તે તે ગ્યાજ છે. પ્રશ્ન ૪ શમઆદિ પાંચ લક્ષણે દ્રવ્યસમ્યકત્વમાં હોય કે ભાવસમ્ય કત્વમાં હોય? સમાધાન-દ્રવ્યસમ્યકત્વ તો જીવાદિ અને રત્નત્રયીના અજ્ઞાનવાળું હોવાથી તેમાં પ્રમાદિ લક્ષણનો નિયમ નહિ, પરંતુ જીવાદિત અને રત્નત્રયીના યથાર્થ પણે જ્ઞાનવાળું ભાવસમ્યકત્વ હોવાથી તેમાં પ્રશમાદિ લક્ષણો નિયમિત હોય શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે માનવામાં પવિત્ર શોદ બાદä પરમાર-એટલે ભાવસમ્યકત્વ પ્રશમદિરૂપ પિતાના કાર્યને કરનાર છે. વળી નાચ એમ કહીને દ્રવ્યસમ્યકત્વથી પ્રશમાદિ ઉત્પત્તિને નિયમ નથી એમ પણ જણાવે છે.

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260