Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 194
________________ ૮-૧૫૧૧ ૧૯૩ - - - - - - તેણે પણ તે રીતે સર્વથા વર્જેલા હતા. તે કારણથી તેઓ સુલભ બોધિ થયેલા. હવે કોઈક સમયે હે ગૌતમ ! ઘણાં શિષ્યોથી પરિવરેલા એવા તે ક્યાર મહર્ષિએ છેલ્લા સમયે દેહ છોડવા માટે સમેત શિખર નામના પર્વતના શિખર તરફ પ્રયાણ ક્યું. વિહાર ક્રતાં ક્રમાં કાળક્રમે તે જ માર્ગે ગયા કે જ્યાં તે રાજકુળ બાલિકાવરેન્દ્ર ચક્ષુકુશીલા હતી. રાજ મંદિરમાં સમાચાર આપ્યા. તે ઉત્તમ ઉધાનમાં વંદન ક્રવા માટે સ્ત્રી નરેન્દ્ર આવ્યા. કુમાર મહર્ષિને પ્રણામ ક્રયા પૂર્વક સપરિવાર યથોચિત ભૂમિ સ્થાનમાં તે સ્ત્રીનરેન્દ્ર બેઠી. મુનીશ્વરે પણ ઘણાં વિસ્તારથી ધર્મદિશાના કરી. ધર્મ દેશના સાંભળીને ત્યાર પછી સપરિવારને તે સ્ત્રી નરેન્દ્ર નિ સંગતાને ગ્રહણ કરવા તૈયાર થઈ. હે ગૌતમ ! ત્યાર પછી તે નરેન્દ્ર એ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી અત્યંત ધોર, વીર, ઉગ્ર, સ્ટારી, દુક્ર તપ, સંયમ, અનુષ્ઠાન ક્રિયામાં અણતા નાર એવા તે – સર્વે કોઈપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં મમત્વ રાખ્યા વિના જ વિહાર કરી રહ્યા હતા – વિયરતા હતા. ચક્રવતી, ઇન્દ્ર વગેરેની નાદ્ધિ સમુદાયના શરીર સુખમાં અથવા સાંસારિક સુખમાં અત્યંત નિસ્પૃહ ભાવ રાખનાર એવા તેમનો કેટલોક સમય પસાર થયો. વિહાર તાં-ક્યતાં સમેતપર્વતના શિખર નજીક આવ્યા. હે ગૌતમ ! ત્યાર પછી તે કુમાર મહર્ષિએ રાજકુમારી બાલિક્સ નરેન્દ્ર એવી તે શ્રમણીને કહ્યું કે હે દુક્રારિકે! તું શાંત ચિત્તથી, સર્વભાવથી, અંતાણપૂર્વક તદ્ગ વિશુદ્ધ અને શલ્ય વગરની આલોચના જલ્દી આપ. – કારણ કે અત્યારે અમો સર્વ દેહનો ત્યાગ ક્રવા માટે કટિબદ્ધ લડ્યવાળા થયા છીએ તેિમજ નિઃશલ્ય આલોચના, નિંદા, ગહ, યથોક્ત શુદ્ધાશયપૂર્વક શાસ્ત્રમાં જે પ્રમાણે ભગવંતે ઉપદેશેલું છે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરીને જ લ્યાણને જોયેલું છે જેમાં એવી સંલેખના રવી છે. ત્યાર પછી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ યથોક્ત વિધિપૂર્વક સર્વ [30 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210