Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 200
________________ | १४८ । શ્રી રાયપસણીય સૂત્ર બાણ છોડવાના સામર્થ્યની ભિન્નતાનો પાંચમો તર્ક - ७२ तए णं पएसी राया केसीकुमार समणं एवं वयासी- अत्थि णं भंते ! एस पण्णा उवमा, इमेण पुण मे कारणेणं णो उवागच्छइ- से जहाणामए केइ पुरिसे तरुणे जाव सिप्पोवगए पभू पंचकंडयं णिसिरित्तए ? हंता, पभू ।। जइ णं भंते ! सो चेव पुरिसे बाले जाव मंदविण्णाणे पभू होज्जा पंचकंडयं णिसि- रित्तए, तो णं अहं सद्दहेज्जा जहा- अण्णो जीवो, तं चेव । जम्हा णं भंते ! स चेव से पुरिसे जाव मंदविण्णाणे णो पभू पंचकंडयं णिसीरित्तए, तम्हा सुपइट्ठिया मे पइण्णा जहा- तज्जीवो तं सरीरं, णो अण्णो जीवो अण्णं सरीरं । ભાવાર્થ - પૂર્વોક્ત યુક્તિને સાંભળીને પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું- હે ભગવન્! મારી આ ઉપરોકત માન્યતા છે, તેને ટેકો આપતો અન્ય પણ પુરાવો છે, જેના કારણે હું આપના કથનનો સ્વીકાર કરતો નથી, તે આ પ્રમાણે છે–પ્રદેશી- હે ભગવન્! શું કોઈ યુવાન તથા પોતાના કાર્યમાં નિપુણ પુરુષ એક સાથે પાંચ બાણો ફેંકી લક્ષ્યવેધ કરવામાં સમર્થ હોય શકે ? કેશીકુમારશ્રમણ- હા, પ્રદેશી ! તે તેમ કરી શકે છે. પ્રદેશી- હે ભગવન્! તે જ યુવાન જ્યારે મંદવિજ્ઞાનવાળી બાલ્યાવસ્થામાં હોય ત્યારે એક સાથે પાંચ બાણ ફંકી, લક્ષ્ય વેધ કરવામાં સમર્થ હોત તો હું શ્રદ્ધા કરત કે આત્મા અને શરીર ભિન્ન- ભિન્ન છે. પરંતુ હે ભગવન્! જ્યારે તે યુવાન પુરુષ મંદજ્ઞાનવાળો બાળક હોય છે ત્યારે તે એક સાથે પાંચ બાણ ફેંકી શકતો નથી(યુવાનનો આત્મા છે તે જ આત્મા બાળકમાં છે તેથી યુવાન જેવું જ સામર્થ્ય બાળકમાં હોવું જોઈએ. પણ જગતમાં બંનેનું સામર્થ્ય જુદું-જુદું જણાય છે. શરીર અને આત્મા એક જ હોવાથી શરીરના વિકાસ સાથે જીવનો(જીવની શક્તિનો) વિકાસ થવાથી બાલ્યાવસ્થા અને યુવાવસ્થાના સામર્થ્યમાં ભિન્નતા દેખાય છે.) તેથી જીવ અને શરીર એક છે, તેવી મારી માન્યતા સુસંગત જ છે. અપર્યાપ્ત ઉપકરણના દષ્ટાંતે જવાબ:|७३ तए णं केसी कुमारसमणे पएसिं रायं एवं वयासी- से जहाणामए केइ पुरिसे तरुणे जावसिप्पोवगए णवएणं धणुणा णवियाए जीवाए णवएणं इसुणा पभूपंचकंडगं णिसिरित्तए । हता, पभू । सो चेव णं पुरिसे तरुणे जावणिउणसिप्पोवगए कोरिल्लए णं धणुणा कोरिल्लयाए जीवाए कोरिल्लएणं इसुणा पभू पंचकंडगं णिसिरित्तए ? णो तिणढे समढे । ___ कम्हा णं ? भंते ! तस्स पुरिसस्स अपज्जत्ताई उवगरणाई हवंति । एवामेव पएसी! सो चेव परिसे बाले जाव मंदविण्णाणे अपज्जत्तोवगरणे, णो पभ पंचकंडयं णिसिरित्तए, तं सद्दहाहि ण तुमं पएसी ! जहा अण्णो जीवो, तं चेव ।

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238