Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation
Catalog link: https://jainqq.org/explore/008851/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દાનનાં વહેણ ચાર પ્રકારના દાન છે:- એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન, ભૂખ્યા માણસને ખવડાવ્યું તે અન્નદાન. માંદા માણસને દવા ફ્રી ઑફ કોસ્ટ લાવી આપીએ તે ઔષધદાન. લોકોને સમજણ પાડીને સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવા એ જ્ઞાનદાન. અને કોઈ જીવમાત્રને ત્રાસ ન થાય એવું વર્તન રાખવું, એ અભયદાન, - દાદાશ્રી ----- ઔષધ દાન દાન જ્ઞાન દાન આહાર દાન દાદા ભગવાન કથિત અભય દાન Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ': દાદા ભગવાન ફાઉન્ડેશન વતી શ્રી અજિત સી. પટેલ ૫, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજ પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૧૪. ફોન : (૦૯) ૭૫૪,૪૦૮, ૭૫૪૩૯૭૯. દાદા ભગવાન પ્રરૂપિત : સંપાદકને સ્વાધીન દાન પ્રથમ આવૃતિ : પ000, દ્વિતિય આવૃતિ : ૪000, તૃતીય આવૃતિ : ૫000, સને ૧૯૯૯ સને ૨૦OO સને ૨૦૦૨ ભાવ મૂલ્ય : ‘પરમ વિનય અને ‘હું કંઈ જ જાણતો નથી', એ ભાવ ! દ્રવ્ય મૂલ્ય : ૫ રૂપિયા (રાહત દરે) લેસર કંપોઝ : દાદા ભગવાન ફાઉન્ડેશન, અમદાવાદ. સંપાદક : ડૉ. નીરુબહેન અમીન મુદ્રક : મહાવિદેહ ફાઉન્ડેશન (પ્રિન્ટીંગ ડીવીઝન), ભોંયરામાં, પાર્શ્વનાથ ચેમ્બર્સ, રિઝર્વ બેંક પાસે, ઈન્કમટેક્સ, અમદાવાદ. ફોન : ૭૫૪૨૯૬૪) Page #3 -------------------------------------------------------------------------- ________________ દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રકાશનો - જે આપ્તવાણી -૧ થી ૧૨ આપ્તસ્ત્ર ૩. હું કોણ છું? ૪. પ્રતિક્રમણ (ગ્રં, સં.) ૫. નિજદોષદર્શનથી,નિર્દેષ કર્મનું વિજ્ઞાન ૭. ચિંતા ૮. ક્રોધ ૯. પ્રેમ ૧૦. અહિંસા ૧૧. ચમત્કાર ૧૨. પાપ-પુણ્ય ૧૩. ગુરુશિષ્ય ૧૪. વાણી, વ્યવહારમાં....... ૧૫. સત્ય-અસત્યનારહસ્યો ૧૬.ભાવના સુધારે ભવોભવ ૧૭. ભોગવતની ભૂલ(ગુ.અં,હિં.) ૧૮. બન્યું તે ન્યાય(ગુ, અં.,હિં.) ૧૯. એડજસ્ટએવરીવ્હેર(ગુ,,હિં.) ૨૦. અથડામણ ટાળો (ગુ,,હિં.) ૨૧. દાદા ભગવાનનુંઆત્મવિજ્ઞાન ૨૨. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ૨૩. પૈસાનો વ્યવહાર (ગ્રંથ, સંક્ષિપ્ત) ૨૪. પતિ-પત્નીનોદિવ્યવાર (શં, સં) ૨૫. મા-બપછwતોવ્યવહર(5,સ) ૨૬. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય(., સં.) ૨૭. વાણીનો સિદ્ધાંત (ગ્રં, સં.) ૨૮. મૃત્યુ સમયે, પહેલાં અને પછી ૨૯. દુતા માવાના નાત્મવિજ્ઞાન ). Who aml? ત્રિમંત્ર 31. Ultimate Knowledge દાદાવાણી' મેગેઝિન દર મહિને પ્રકાશિત થાય છે Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય દાદા ભગવાન' કોણ ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન' સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્યું અધ્યાત્મનું અભૂત આશ્વર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’ નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘ અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ( ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.'' પુણ્ય કરવાનાં રસ્તાઓ શાસ્ત્રોએ ને ધર્મગુરુઓએ અનેક વર્ણવ્યા છે. તેમાંનું એક છે દાન. દાન એટલે બીજાંને આપણું કંઈક આપી તેને સુખ આપવું તે. દાન આપવાની પ્રથા તો મનુષ્યના જીવનમાં નાનપણથી અપનાવવામાં આવી છે. અને નાનું બાળક હોય તેને ય મંદિરમાં લઈ જાય તો બહાર ગરીબ માણસોને પૈસા અપાવડાવે છે, ખાવાનું અપાવડાવે છે, મંદિરમાં દાનની પેટીમાં પૈસા નખાવડાવે છે. આમ બાળપણથી દાનના સંસ્કાર મળતાં જ હોય છે. દાન આપતાં અંદરની અજાગૃતિ હોય તો આપીને ય કેવી ખોટ ખવાય છે, તેનું સૂક્ષ્મ નીરુપણ પરમ પૂજ્ય દાદાશ્રીએ કર્યું છે. દાન દેતાં કઈ જાગૃતિ રાખવી ? ઊંચામાં ઊંચું દાન કર્યું ? દાન કેવાં કેવાં પ્રકારે હોઈ શકે ? એની પાછળ ભાવનાઓ કેવી ઘટે ? દાન કોને દેવાય ? વિ.વિ. અનેક દાનસંબંધી વિગતો જે દાદાશ્રીની જ્ઞાનવાણી દ્વારા વહી છે. તે પ્રસ્તુત પુસ્તિકામાં સંકલિત કરી પ્રકાશિત કરવામાં આવી છે. જે સુજ્ઞ વાંચકને દાન દેવામાં ઉત્તમ માર્ગદર્શિકા બની રહેશે ! આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંક પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાન સિદ્ધિ આપેલ. પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન તેમના પગલે પગલે તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ લઈને હજારો મોક્ષાર્થી સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. - ડૉ. નીરુબહેન અમીન Page #5 -------------------------------------------------------------------------- ________________ દાન દાન દાત શા માટે ? પ્રશ્નકર્તા : આ દાન શા માટે કરવામાં આવે છે? દાદાશ્રી : એવું છે ને, એ દાન પોતે આપીને લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો. એ સુખ લોકોને આપો તો તમને સુખ મળશે. જે તમે આપો તે મળશે. એટલે એ તો નિયમ છે. એ તો આપવાથી આપણને મળે છે, પ્રાપ્તિ થાય છે. લઈ લેવાથી ફરી જતું રહે છે. પ્રશ્નકર્તા : ઉપવાસ કરવો સારો કે કંઈક દાન કરવું સારું ? દાદાશ્રી : દાન કરવું એટલે શું કે ખેતરમાં વાવવું. ખેતરમાં વાવી આવવું એટલે એનું ફળ મળશે. અને ઉપવાસ કરવાથી મહીં જાગૃતિ વધશે. પણ શક્તિ પ્રમાણે ઉપવાસ કરવાનું ભગવાને કહ્યું છે. દાત એટલે જ સુખ આપવું! દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું. એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રીએક્શન' આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠાં આવે ! તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું. સારું કામ કરે એટલે સુખ થાય અને ખરાબ કામ કરે તે ઘડીએ દુઃખ થાય. એના ઉપરથી આપણને ઓળખાય કે કયું સારું ને કયું ખોટું ? આનંદ પ્રાપ્તિના ઉપાય ! પ્રશ્નકર્તા: માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી કે કોઈને દાન આપવું ? શું કરવું ? દાદાશ્રી : માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસ્ક્રીમનું પીપડું ભરીને લાવજે અને આ બધાને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ લોકોને આઈસ્ક્રીમ ખાવો નથી. તું તારે શાંતિનો અખતરો કરી જો. આ કંઈ શિયાળામાં નવરા નથી આઈસ્ક્રીમ ખાવા. એવી રીતે તું જ્યાં હોય ત્યાં, કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે, તેમને ચણા નાખ નાખ કરે તો તે કૂદાકૂદ કરે, ત્યાં તારા આનંદનો પાર નહીં રહે. એ ખાતાં જશે અને તને આનંદનો પાર નહીં રહે. આ કબૂતરાંને તું ચણ નાખે તે પહેલાં કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને તેં નાખ્યું, તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરૂ થઈ જાય. હમણે કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું તે વખતે તને આનંદ થાય. ભલેને સો રૂપિયાનું ધોતિયું હોય, તે ફાડીને તું બાંધે પણ તે ઘડીએ તને આનંદ ખૂબ થાય. દાત, ક્યાં અપાય ? પ્રશ્નકર્તા : અમુક ધર્મોમાં એવું કહ્યું છે કે જે કોઈ કમાણા હોય એમાંથી અમુક ટકા દાન કરો, પાંચ-દસ ટકા દાન કરો, તો એ કેવું ? Page #6 -------------------------------------------------------------------------- ________________ દાન દાન દાદાશ્રી : ધર્મમાં દાન કરવાનો વાંધો નથી. પણ જ્યાં આગળ ધર્મની સંસ્થા હોયને અને એ લક્ષ્મીનો ધર્મમાં સદુપયોગ થતો હોય તો ત્યાં આપો. દુરુપયોગ થતો હોય ત્યાં ના આપો, બીજી જગ્યાએ આપો. પૈસો સદુપયોગમાં જાય એવો ખાસ ખ્યાલ કરો. નહીં તો તમારી પાસે પૈસો વધારે હશે તો એ તમને અધોગતિમાં લઈ જશે. માટે એ પૈસાનો ગમે ત્યાં આગળ સદુપયોગ કરી નાખો, પણ ધર્માચાર્યોએ પૈસા લેવા ના જોઈએ. વાળવી લક્ષ્મી, ધર્મ ભણી ! પૈસા સાચવવા એ તો બહુ મુશ્કેલી ! એના કરતાં ઓછું કમાઈએ તે સારું. અહીં બાર મહિને દસ હજાર કમાયા અને એક હજાર ભગવાનને ત્યાં મૂકી દે, તો એને કંઈ ઉપાધિ નથી. પેલો લાખો આપે અને આ હજાર આપે, બે ય સરખાં, પણ હજારેય કંઈક આપવા જોઈએ. મારું શું કહેવાનું કે લખ્યું ના રાખવું, ઓછામાંથી પણ કંઈક આપવું અને વધારે હોય અને તે આ ધર્મ બાજુ વળી ગયું એટલે આપણે પછી જવાબદારી નથી, નહીં તો જોખમ. બહુ પીડા એ તો ! પૈસા સાચવવા એટલે બહુ મુશ્કેલી. ગાયોભેંસો સાચવવી સારી, ખીલે બાંધી તો સવાર સુધી જતી તો ના રહે. પણ પૈસા સાચવવા બહુ મુશ્કેલી. મુશ્કેલી, ઉપાધિ બધી. શાતે ન ટકે, લક્ષ્મી ? પ્રશ્નકર્તા: હું દસ હજાર રૂપિયા મહિને કમાઉં છું, પણ મારી પાસે લક્ષ્મીજી ટકતી કેમ નથી ? દાદાશ્રી : ૧૯૪૨ની સાલ પછીની લક્ષ્મી ટકતી નથી. આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે, એથી ટકતી નથી. હવે પછીનાં બે-પાંચ વરસ પછીની લક્ષ્મી ટકશે. ‘અમે’ ‘જ્ઞાની” છીએ તો પણ લક્ષ્મી આવે છે, છતાં ટતી નથી. આ તો ઇન્કમટેક્ષ ભરાય એટલી લક્ષ્મી આવે એટલે પત્યું. પ્રશ્નકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ? દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે રસ્તે જાય છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઈ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે, તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં ક્લેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો ક્લેશ ને ઝઘડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઈ પુણ્યશાળીના હાથે લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય ને, તે બહુ ભારે પુણ્ય કહેવાય. ૧૯૪૨ની સાલ પછીની લક્ષ્મીમાં કશો કસ જ નથી. અત્યારે લક્ષ્મી યથાર્થ જગ્યાએ વપરાતી નથી. યથાર્થ જગ્યાએ વપરાય તો બહુ સારું કહેવાય. સાત પેઢી સુધી ટકે લક્ષ્મી ! પ્રશ્નકર્તા : જેમ ઇન્ડિયાની અંદર કસ્તુરભાઈ લાલભાઈની પેઢી હોય તો એ બે-ત્રણ-ચાર પેઢી સુધી પૈસા ચાલ્યા કરે, એનાં છોકરાંઓના છોકરા સુધી. જ્યારે અહીંયા (અમેરિકામાં) કેવું છે કે પેઢી હોય, પણ બહુ બહુ તો છ-આઠ વર્ષમાં બધું ખતમ થઈ જાય, કાં તો પૈસા હોય તો જતાં રહે અને ના હોય તો પૈસા આવી પણ જાય. તો એનું કારણ શું હશે ? દાદાશ્રી : એવું છેને, ત્યાંની જે પુણ્ય છેને, ઇન્ડિયાની પુણ્ય, એ પર્ય એવી ચીકણી હોય છે કે ધો ધો કરીએ તો ય જાય નહીં અને પાપે ય એવાં ચીકણા હોય છે કે ધો ધો કરીએ તો ય જાય નહીં. એટલે વૈષ્ણવ હોય કે જૈન હોય, પણ એણે પુણ્ય એવી સજ્જડ બાંધેલી હોય છે કે ધો ધો કરે તો ય જાય નહીં. તે પેટલાદના દાતાર શેઠ, રમણલાલ શેઠ તે સાત પેઢીથી એ ઘર આવેલું. પાવડેથી ખોંપી ખોંપીને ધન આપ આપ કરે લોકોને, તો ય કોઈ દહાડો ખૂટ્યું નહીં. એમણે પુણ્ય સજજડ બાંધેલી, સચોટ. અને પાપેય એવા સચોટ બાંધે, સાત-સાત પેઢી સુધી ગરીબાઈ ના Page #7 -------------------------------------------------------------------------- ________________ દાન જાય. પાર વગરનાં દુ:ખ ભોગવે, એટલે એક્સેસેય (વધારે) થાય છે અને મિડિયમય રહે છે. વધારતું વહાવો, ધર્માદામાં! આ તો લોકસંજ્ઞાથી બીજાનું જોઈને શીખે છે. પણ જો જ્ઞાનીને પૂછીએને તો તે કહે કે, “ના, આ શું કરવા આમ આ ખાડામાં પડે છે ?” આ દુઃખના ખાડામાંથી નીકળ્યો ત્યારે આ પૈસાના ખાડામાં પડ્યો પાછો. વધારે હોય તો નાખી દે ધર્માદામાં અહીંથી. એ જ તારે ખાતે જમે થાય છે. ને આ બેન્કનું જમે નહીં થાય. અને અડચણ નહીં પડે તને. જે ધર્માદામાં નાખતો હોય, તેને અડચણ પડે નહીં. એનું વહેણ બદલો ! ખરે ટાઈમે તો એક ધર્મ જ તમને મદદ કરીને ઊભો રહે. માટે ધર્મના વહેણમાં લક્ષ્મીજી જવા દેજો. ફક્ત એક સુષમકાળમાં લક્ષ્મી મોહ કરવા જેવી હતી. એ લક્ષ્મીજી તો આવ્યા નહીં ! અત્યારે આ શેઠિયાઓને હાર્ટ ફેઈલ અને બ્લડ પ્રેશર કોણ કરાવે છે ? આ કાળની લક્ષ્મી જ કરાવે અહીં (અમેરિકામાં) તો ઉભરાય છે ય ખરું, પાછું બેસી ય જાય ને પાછું ઉભરાય છે ય ખરું. બેસી ગયેલાં પછી ય પાછું ઉભરાય. અહીં વાર નથી લાગતી ને ત્યાં (ઈન્ડીયામાં) તો બેસી ગયા પછી ઉભરાતા બહુ ટાઈમ જાય. એટલે ત્યાં તો સાત-સાત પેઢી સુધી ચાલતું. હવે બધી પુણ્ય ઘટી ગઈ છે. કારણ કે શું થાય છે ? કસ્તુરભાઈને ત્યાં જન્મ કોણ લે ? ત્યારે કહે, એવાં પણ્યશાળી એમનાં જેવાં જ હોય તે જ ત્યાં જન્મ લે. પછી એને ત્યાં કોણ જન્મે ? એવો જ પુણ્યશાળી પાછો ત્યાં જન્મે. એ કસ્તુરભાઈની પુણ્ય નથી કામ કરતી. એ પાછો બીજો એવો આવ્યો હોય તે પછી એની પુણ્ય, એટલે કહેવાય કસ્તુરભાઈની પેઢી અને અત્યારે તો એવાં પુણ્યશાળી છે જ ક્યાં છે ?! આ હમણે આ છેલ્લાં પચ્ચીસ વર્ષમાં તો કોઈ ખાસ એવું નથી. નહીં તો ગટરમાં વહી જશે ! પહેલાં તો લક્ષ્મી પાંચ પેઢી તો ટકે, ત્રણ પેઢી તો ટકે. આ તો લક્ષ્મી એક પેઢી જ ટકતી નથી. આ કાળની લક્ષ્મી કેવી છે ? એક પેઢી ય ટકતી નથી. એની હાજરીમાં ને હાજરીમાં આવે ને હાજરીમાં જતી રહે એવી આ લક્ષ્મી છે. આ તો પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. થોડી ઘણી મહીં પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી હોય, તે તમને અહીં આવવા પ્રેરણા કરે. અહીં ભેગા કરે ને તમને અહીં ખર્ચ કરાવડાવે. સારા માર્ગે લક્ષ્મી જાય, નહીં તો આ ધૂળધાણીમાં જતું રહેવાનું. બધું ગટરમાં જ જતું રહેશે. આ છોકરાંઓ આપણી લક્ષ્મી જ ભોગવે છે કે, આપણે છોકરાંઓને કહીએ કે તમે અમારી લક્ષ્મી ભોગવી. ત્યારે એ કહેશે, ‘તમારી શેની ? અમે અમારી જ ભોગવીએ છીએ.” એવું બોલે. એટલે ગટરમાં જ ગયું ને બધું પૈસાનો સ્વભાવ કેવો છે ? ચંચળ છે. એટલે આવે અને એક દહાડો પાછાં જતાં રહે. માટે પૈસા લોકોના હિતને માટે વાપરવા. જ્યારે તમારો ખરાબ ઉદય આવ્યો હોય ત્યારે લોકોને આપેલું તે જ તમને હેલ્પ કરે. એટલે પહેલેથી જ સમજવું જોઈએ. પૈસાનો સદ્વ્યય તો કરવો જ જોઈએને ચારિત્રનો ડાહ્યો થયો કે આખું જગત જીતી ગયો. પછી છોને બધું જ ખાવું હોય તે ખાય-પીવે ને વધારે હોય તો ખવડાવી દે. બીજું કરવાનું છે શું? કંઈ જોડે લઈ જવાય છે ? જે નાણું પારકાં માટે વાપર્યું એટલું જ નાણું આપણું, એટલી આવતા ભવની સિલક. એટલે કોઈને આવતા ભવની સિલક જો જમે કરવી હોય તો નાણું પારકા માટે વાપરો. પછી પારકો જીવ, એમાં કોઈ પણ જીવ, પછી એ કાગડો હોય ને એ આટલું ચાખી પણ ગયો હશે, તોય પણ તમારી સિલક ! પણ તમે ને તમારાં Page #8 -------------------------------------------------------------------------- ________________ દાન દાન છોકરાંએ ખાધું, એ બધી તમારી સિલક ન હોય, એ બધું ગટરમાં ગયું. ત્યારે ગટરમાં જવાનું બંધ કરાય નહીં, એ તો ફરજિયાત છે. એટલે કંઈ છૂટકો છે ? પણ જોડે જોડે સમજવું જોઈએ કે પારકાંને માટે નહીં વપરાયું એ બધું ગટરમાં જ જાય છે. મનુષ્યોને ના જમાડો ને છેવટે કાગડાને જમાડો, ચકલીને જમાડો, બધાંને જમાડો તોય એ પારકાને માટે વાપર્યું ગણાય. મનુષ્યોની થાળીની કિંમત તો બહુ વધી ગઈ છેને ? ચકલીઓની થાળીની કિંમત ખાસ નહીંને ? ત્યારે જમા પણ એટલું ઓછું જ થાયને ? મત બગડેલાં તેથી... પ્રશ્નકર્તા : હું અમુક સમય સુધી મારી આવકમાંથી ત્રીસ ટકા ધર્માદામાં આપતો હતો પણ એ બધું અટકી ગયું. જે જે આપતો હતો, તે હવે આપી શકતો નથી. દાદાશ્રી : એ તો તમારે કરવું છે તો એ બે વર્ષ પછી પણ આવશે જ ! ત્યાં કંઈ ખોટ નથી. ત્યાં તો ઢગલાબંધ છે. તમારા મન બગડેલાં હોય, તે શું થાય ? આવે તો આપે કે આપે તો આવે ? એક માણસને ત્યાં બંગલામાં બેઠા હતા તે વંટોળિયો આવ્યો. તે બારણાં ખડખડ ખડાખડ થયાં. તે મને કહે, ‘આ વંટોળિયો આવ્યો. બારણાં બધાં બંધ કરી દઉં ?” કહ્યું, ‘બારણાં બધાં બંધ ના કરીશ. અંદર પ્રવેશ કરવાનું એક બારણું ખુલ્લું રાખ અને નીકળવાનાં બારણાં બંધ કરી દે. એટલે મહીં હવા પસે કેટલી ? ભરેલું ખાલી થાય તો હવા પેસેને ? નહીં તો ગમે તેવો વંટોળિયો પસે નહીં. પછી એને અનુભવ કરાવ્યો. ત્યારે મને કહે છે, ‘હવે નથી પેસતું.” તે આ વંટોળિયાનું આવું છે. લક્ષ્મીને જો આંતરશો તો પછી નહીં આવે. એટલું ભરેલું ને ભરેલું રહેશે. અને આ બાજુથી જો જવા દેશો તો બીજી આવ્યા કરશે. નહીં તો આંતરેલી રાખશો તો એટલી ને એટલી રહેશે. લક્ષ્મીનું કામ એવું છે. હવે કયા રસ્તે જવા દેવું એ તમારી મરજી ઉપર આધાર રાખે છે કે બૈરાં-છોકરાંના મોજશોખ ખાતર જવા દેવું કે કીર્તિ માટે જવા દેવું કે જ્ઞાનદાન માટે જવા દેવું કે અન્નદાન માટે જવા દેવું? શેને માટે જવા દેવું એ તમારી પર છે પણ જવા દેશો તો બીજું આવશે. જવા ના દે તેનું શું થાય ? જવા દે તો બીજું ના આવે ? હા, આવે. બદલાયેલા વહેણની દિશાઓ ! કેટલા પ્રકારના દાન છે એવું જાણો છો તમે ? ચાર પ્રકારનાં દાન છે. જો એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન. પહેલું આહારદાત ! પહેલા પ્રકારનું દાન છે તે અન્નદાન. આ દાનને માટે તો એવું કહ્યું છે કે ભઈ, અહીં કોઈ માણસ આપણે ઘેર આવ્યો હોય તે કહે, “કંઈક મને આપો, હું ભૂખ્યો છું.” ત્યારે કહીએ, ‘બેસી જા, અહીં જમવા. હું તને મૂકું.' એ આહારદાન. ત્યારે અક્કલવાળા શું કહે, આ તગડાને પણ અત્યારે ખવડાવશો પછી સાંજે તમે શી રીતે ખવડાવવાના હતા ? ત્યારે ભગવાન કહે છે, તું આવું ડહાપણ ના કરીશ. આ ભાઈએ ખવડાવ્યું તો આજનો દહાડો તો એ જીવશે. કાલે પછી એને જીવવા માટે કોઈ મળી આવશે. પછી કાલનો વિચાર આપણે નહીં કરવાનો. તમારે બીજી ભાંજગડ નહીં કરવાની કે કાલે એ શું કરશે ? એ તો કાલે એને મળી આવે પાછું. તમારે એમાં ચિંતા નહીં કરવાની કે કાયમ અપાય કે ના અપાય ? તમારે ત્યાં આવ્યો એટલે તમે એને આપો, જે કંઈ અપાય છે. આજ તો જીવતો રહ્યો, બસ ! પછી કાલે વળી એને બીજું કંઈ ઉદય હશે, તમારે ફિકર કરવાની જરૂર નથી. પ્રશ્નકર્તા: અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે ? Page #9 -------------------------------------------------------------------------- ________________ દાન ૧૦ દાન દાદાશ્રી : અન્નદાન સારું ગણાય છે. પણ અન્નદાન કેટલું આપે ? કંઈ કાયમને માટે આપે નહીં ને લોકો. એક ટંકેય ખવડાવે તો બહુ થઈ ગયું. બીજે ટંકે પાછું મળી રહેશે. પણ આજનો દિવસ, એક ટંકેય જીવતો રહ્યોને ! હવે એમાંય આ લોકો વધ્યું-ઘટ્યું આપે છે કે નવું બનાવીને આપે પ્રશ્નકર્તા : વધેલું હોય તે જ આપે. પોતાની જાન છોડાવે. વધી પડે એટલે હવે શું કરે ? દાદાશ્રી : છતાં એનો ઉપયોગ કરે છે, મારા ભઈ ! પણ નવું બનાવીને આપે ત્યારે હું કહું કે કરેક્ટ છે. કંઈ વીતરાગોને ત્યાં કાયદા હશેને કે ગપ્પગપ્પ ચાલશે ? પ્રશ્નકર્તા : ના, ના, ગપ્પાં હોય ?! દાદાશ્રી : વીતરાગને ત્યાં ના ચાલે, બીજે બધે ચાલે. ઔષધદાત ! અને બીજું ઔષધદાન. એ આહારદાનથી ઉત્તમ ગણાય. ઔષધદાનથી શું થાય ? સાધારણ સ્થિતિનો માણસ હોય તે માંદો પડ્યો હોય ને દવાખાનામાં જાય એટલે ત્યાં આગળ કોઈ કહેશે કે, “અરે, ડૉક્ટરે કહ્યું છે પણ દવા લાવવાના પચાસ રૂપિયા મારી પાસે નથી. એટલે દવા શી રીતે લાવું? ત્યારે આપણે કહીએ કે “આ પચાસ રૂપિયા દવાના અને દસ રૂપિયા બીજા. અગર તો ઔષધ આપણે મફત આપીએ ક્યાંકથી લાવીને. આપણે પૈસા ખર્ચાનિ ઔષધ લાવીને એને ફ્રી ઑફ કોસ્ટ (મફત) આપવું. તો એ ઔષધ કરે તો એ બિચારો કંઈ ચાર-છ વર્ષ જીવે. અન્નદાન કરતાં ઔષધદાનથી વધારે ફાયદો છે. સમજાયું તમને ? કયો ફાયદો વધારે ? અન્નદાન સારું કે ઔષધદાન ? પ્રશ્નકર્તા: ઔષધદાન. દાદાશ્રી : ઔષધદાનને આહારદાનથી વધારે કિંમતી ગણ્યું છે. કારણ કે એ બે મહિના ય જીવતો રાખે. માણસને વધુ ટાઈમ જરા જિવાડે. વેદનામાંથી થોડી ઘણી મુક્તિ કરે. બાકી, અન્નદાન ને ઔષધદાન એ તો સહેજે આપણે ત્યાં બૈરાંછોકરાં બધાં કર્યા કરે. એ કંઈ બહુ કિંમતી દાન નથી, પણ કરવું જોઈએ. આવું કંઈ આપણને ભેગો થાય તો આપણે ત્યાં દુખીયો માણસ આવ્યો, તેને જે તૈયાર હોય તે તરત આપી દેવું. ઊંચું જ્ઞાતદાત ! પછી એનાથી આગળ જ્ઞાનદાન કહ્યું. જ્ઞાનદાનમાં પુસ્તકો છપાવવાં, લોકોને સમજણ પાડી સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવાં એવું તેવું એ જ્ઞાનદાન. જ્ઞાનદાન આપે તો સારી ગતિઓમાં, ઊંચી ગતિઓમાં જાય અગર તો મોક્ષે પણ જાય. એટલે મુખ્ય વસ્તુ જ્ઞાનદાન ભગવાને કહેલું છે અને જ્યાં પૈસાની જરૂર નથી ત્યાં અભયદાનની વાત કહી છે. જ્યાં પૈસાની લે-દે છે, ત્યાં આગળ આ જ્ઞાનદાન કહ્યું છે અને સાધારણ સ્થિતિ, નરમ સ્થિતિનાં માણસોને ઔષધદાન ને આહારદાન બે કહ્યું છે. પ્રશ્નકર્તા : પણ તે પૈસા વધ્યા હોય તો તેનું દાન તો કરે ને ? દાદાશ્રી : દાન એ ઉત્તમ. જ્યાં દુઃખ હોય ત્યાં દુઃખ ઓછાં કરો અને બીજું સન્માર્ગે વાપરવા. લોકો સન્માર્ગે જાય એવું જ્ઞાનદાન કરો. આ દુનિયામાં ઊંચું જ્ઞાનદાન ! તમે એક વાક્ય જાણો તો તમને કેટલો બધો લાભ થાય ! હવે એ પુસ્તક લોકોના હાથમાં જાય તો કેટલો બધો લાભ થાય ! પ્રશ્નકર્તા: હવે બરાબર સમજાયું. દાદાશ્રી : હા, એટલે આ જેની પાસે પૈસા વધારે હોય તેણે જ્ઞાનદાન મુખ્ય કરવું જોઈએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ દાન ૧૨ દાન હવે એ જ્ઞાન કેવું હોવું જોઈએ ? લોકોને હિતકારી થાય એવું જ્ઞાન હોવું જોઈએ. હા, બહારવટિયાની વાતો સાંભળવા માટે નથી. એ તો સ્લીપ થયા કરે. એ વાંચે તો આનંદ તો થાય એમાં પણ નીચે અધોગતિમાં જયા. ઊંચામાં ઊંચું અભયદાત ! અને ચોથું અભયદાન. અભયદાન તો કોઈ જીવમાત્રને ત્રાસ ના થાય એવું વર્તન રાખવું, એ અભયદાન. પ્રશ્નકર્તા : અભયદાન જરા વધુ સમજાવો. દાદાશ્રી : અભયદાન એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય. એનો દાખલો આપું. હું સિનેમા જોવા જતો હતો, નાની ઉંમરમાં બાવીસ-પચ્ચીસ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બારસાડાબાર વાગેલા હોય. તે ચાલતો આવું એટલે પેલા બૂટ ખખડે. અમે પેલી ચકતીઓ નંખાવીએ એટલે ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે સૂતાં હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જભ્યા આ પોળમાં કે આ કતરાં આપણાથી ચમકે છે ? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં મારો પ્રયોગ. આપણે લીધે ચમક્યુંને ?! પ્રશ્નકર્તા ઃ હા, એની ઊંઘમાં પણ વિક્ષેપ પડ્યોને ? દાદાશ્રી : હા, પાછું તે ચમક્યું ને, તે એનો સ્વભાવ ના છોડે. પછી કોઈ ફેરો ભસેય ખરું, સ્વભાવ પડેલો છે. એટલે એનાં કરતાં ઊંઘવા દઈએ તો શું ખોટું ? તેમાં પોળવાળાને ના ભસે. માટે અભયદાન, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવાં ભાવ પહેલાં રાખવા અને પછી એ પ્રયોગમાં આવે. ભાવ કર્યા હોય તો પ્રયોગમાં આવે. પણ ભાવ જ ના કર્યા હોય તો ? એટલે આને મોટું દાન કહ્યું ભગવાને. એમાં પૈસાની કોઈ જરૂર નથી. ઊંચામાં ઊંચું દાન જ આ છે પણ એ માણસોનું ગજું નથી. લક્ષ્મીવાળા હોય તોય આવું કરી શકે નહીં. માટે લક્ષ્મીવાળાએ લક્ષ્મીથી પતાવી દેવું. એટલે આ ચાર પ્રકાર સિવાય બીજું કોઈ પ્રકારનું દાન નથી એમ ભગવાને કહેલું છે. બીજાં બધાં તો દાનની વાત કરે છે એ બધી કલ્પનાઓ છે, આ ચાર પ્રકારનું જ દાન છે. આહારદાન, ઔષધદાન, પછી જ્ઞાનદાન અને અભયદાન. બનતાં સુધી અભયદાનની ભાવના મનમાં કરી રાખવી. પ્રશ્નકર્તા : પણ અભયદાનમાંથી આ ત્રણેય દાન નીકળી આવે છે, આ ભાવમાંથી ? દાદાશ્રી : ના, એવું છે કે અભયદાન તો ઊંચો માણસ કરી શકે. જેની પાસે લક્ષ્મી નહીં હશે, એ સાધારણ માણસ પણ આ કરી શકે. ઊંચા પુરુષો પાસે લક્ષ્મી હોય યા ના પણ હોય. માટે લક્ષ્મી સાથે એમનો વ્યવહાર નથી પણ અભયદાન તો અવશ્ય કરી શકે. ત્યારે લક્ષ્મીપતિઓ અભયદાન કરતાં પણ અત્યારે એમને એ ના થઈ શકે, એ કાચા હોય. લક્ષ્મી જ રળી લાવ્યા છેને, તેય લોકોને ભય પમાડી પમાડીને ! પ્રશ્નકર્તા : ભયદાન કર્યું છે ? દાદાશ્રી : ના, એવું કહેવાય નહીં. એવું કરીનેય જ્ઞાનદાનમાં ખર્ચે છેને ! અહીંથી આમ ગમે તેવું કરીને આવ્યો, પણ અહીં જ્ઞાનદાનમાં ખર્ચ છે એ ઉત્તમ છે, એવું ભગવાને કહ્યું. જ્ઞાતીઓ જ આપે ‘આ’ દાત ! એટલે શ્રેષ્ઠ દાન અભયદાન. બીજા નંબરે જ્ઞાનદાન. અભયદાનને ભગવાને વખાણ્યું છે. પહેલું, કોઈ તારાથી ભય ના પામે એવું અભયદાન Page #11 -------------------------------------------------------------------------- ________________ દાન ૧૩ ૧ ૪ દાને સોલૈયા દાત! પ્રશ્નકર્તા: આપણા ધર્મમાં વર્ણવેલું છે કે પહેલાં તો સોનૈયાદાન આપતાં, તે એ લક્ષ્મી જ કહેવાય ? દાદાશ્રી : હા, એ સોનૈયાદાન હતુંને, એ તો અમુક પ્રકારના લોકોને જ અપાતું. એ બધા લોકોને નહોતા અપાતાં. સોનૈયાદાન તો અમુક શ્રમણ બ્રાહ્મણો એ બધાંને જેને કંઈક છોકરીઓ પૈણાવાની અટકી હોય. બીજું, સંસાર ચલાવવા માટે એ બધાને આપતા હતા. બાકી બીજા બધાને સોનૈયાદાન અપાતું ન હતું. વ્યવહારમાં રહેલા હોય, શ્રમણ હોય, તેમને જ અપાવું જોઈએ. શ્રમણ એટલે કોઈની પાસે માંગી ના શકે. તે દહાડે બહુ સારે રસ્તે નાણું જતું હતું. આ તો અત્યારે ઠીક છે. દેરાસરો ભગવાનનાં બંધાય છેને, તેય ‘ઑન'ના પૈસાથી બંધાય. આ યુગની અસર ખરીને ! આપ. બીજું જ્ઞાનદાન, ત્રીજું ઔષધદાન અને ચોથું આહારદાન. જ્ઞાનદાનથી તો શ્રેષ્ઠ અભયદાન ! તે લોકો અભયદાન આપી શકે નહીંને ! એ જ્ઞાનીઓ એકલા જ અભયદાન આપે. જ્ઞાનીઓ અને જ્ઞાનીઓનો પરિવાર હોય તે અભયદાન આપે. જ્ઞાનીના ફોલોઅર્સ હોયને, તે અભયદાન આપે. કોઈને ભય થાય નહીં એવી રીતે રહે. સામો ભયરહિત રહે એવી રીતે વર્તે. કૂતરું પણ ભડકે નહીં એવી રીતે એમનું વર્તન હોય. કારણ કે એને દુઃખ કર્યું કે પોતાની મહીં પહોંચ્યું. સામાને દુઃખ કર્યું કે અહીં પહોંચ્યું એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર પણ ભય ના થાય એમ રહેવું. લક્ષ્મી' ત્રણેયમાં આવે ! પ્રશ્નકર્તા : તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી ? દાદાશ્રી : લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે પુસ્તકો છપાવડાવોને, તો એ લક્ષ્મી એમાં આવી ગઈ, એ જ્ઞાનદાન. પ્રશ્નકર્તા: લક્ષ્મી થકી જ બધું થાય છેને ? અન્નદાન પણ લક્ષ્મી થકી જ અપાય છેને ? દાદાશ્રી : ઔષધ આપવું હોય તોય આપણે સો રૂપિયાનું ઔષધ લાવીને પેલાને આપીએ ત્યારેને ? એટલે લક્ષ્મી તો બધામાં વાપરવાની જ. પણ લક્ષ્મીનું આ રીતે દાન હોય તે સારામાં સારું. એ કઈ રીતે અપાય? પ્રશ્નકર્તા : એટલે દાનોમાં લક્ષ્મી સીધી રીતે વર્ણવી નથી. દાદાશ્રી : હા, સીધી રીતે આપવી ય ના જોઈએ. આપો એવી રીતે કે જ્ઞાનદાન તરીકે એટલે પુસ્તકો છપાવીને આપો કે આહાર જમાડવા તૈયાર કરીને આપો. સીધી લક્ષ્મી આપવાની કોઈ જગ્યાએ કહી નથી. જ્ઞાતીની દ્રષ્ટિએ.. પ્રશ્નકર્તા : વિદ્યાદાન, ધનદાન, એ બધાં દાનમાં આપની દ્રષ્ટિએ કયું દાન શ્રેષ્ઠ ગણાય ? ઘણી વાર આમાં દ્વિધા ઉત્પન્ન થાય છે ? દાદાશ્રી : વિદ્યાદાન ઉત્તમ ગણાય છે. લક્ષ્મી હોય તેણે વિદ્યાદાન, જ્ઞાનદાનમાં લક્ષ્મી આપવી જોઈએ. જ્ઞાનદાન એટલે પુસ્તકો છપાવવાં કે બીજું-ત્રીજું કરવું. જ્ઞાનનો ફેલાવો કેવી રીતે થાય ? એના માટે જ પૈસા વાપરવા જોઈએ. લક્ષ્મી હોય તેણે અને લક્ષ્મી ના હોય તેણે અભયદાનનો ઉપયોગ કરવો જોઈએ. કોઈને ભય ના થાય એવી રીતે આપણે ચેતીને ચાલવું જોઈએ. કોઈને દુઃખ ના થાય, ભય ના થાય એ અભયદાન કહેવાય છે. દાનની બાબતમાં લોકો નામ કાઢવા માટે દાન આપે છે, એ વ્યાજબી નથી. નામો કાઢીને તો આ ખાંભીઓ બધી ઘાલે છે ને ખાંભીઓ Page #12 -------------------------------------------------------------------------- ________________ દાન ૧૫ ૧૬ દાન કોઈની રહી નથી અને અહીં આપેલું તે સાથે આવે ક્યારે ? વિદ્યા ફેલાય, જ્ઞાન ફેલાય એવું કંઈક કરીએ તો એ આપણને જોડે આવે. કામ લાગે તે પુસ્તક કામતું ! પ્રશ્નકર્તા : આ ધર્મનાં લાખો પુસ્તકો છપાય છે પણ કોઈ વાંચતું નથી. - દાદાશ્રી : એ બરાબર છે. એ તમારી વાત ખરી. કોઈ વાંચતું નથી. એમ ને એમ ખાલી પુસ્તકો પડી રહે છે બધાં. જો વંચાતું હોય એવું પુસ્તક હોય તો કામનું. તમારું કહેવું બરાબર છે. અત્યારે કોઈ પુસ્તક વંચાતું નથી. નર્યા ધર્મનાં જ પુસ્તકો છપાય છપાય કરે છે. પેલા મહારાજ શું કહે છે. ? મારા નામનું છપાવો. તે મહારાજ એનું નામ ઘાલે છે. એમના દાદાગુરુનું નામ ઘાલે છે. એટલે અમારા દાદા આ હતા, અમારા દાદાના દાદા ને તેના દાદા. ત્યાં સુધી પહોંચે છે. લોકોને કીર્તિઓ કાઢવી છે અને તેને માટે ધર્મનાં પુસ્તકો છપાવે છે. ધર્મનું પુસ્તક એવું હોય કે જ્ઞાન આપણને કામ લાગે, એવું પુસ્તક હોય તો માણસને કામ લાગે. એવું પુસ્તક છપાયેલું કામનું, નહીં તો આમ ને આમ રઝળપાટ કરવાનો શો અર્થ ? અને તે બધાં કોઈ વાંચતાં જ નથી. એક ફેરો વાંચીને મૂકી દે. ફરી કોઈ વાંચતું નથી અને એક ફેરોય કોઈ પૂરું વાંચતું નથી. લોકોને કામ લાગે એવું છપાવ્યું હોય તો પૈસા દીપે આપણા અને તે પુણ્ય હોય તો જ, પૈસા સારા હોય તો જ છપાવાય, નહીં તો છપાવાય નહીંને ! એ મેળ ખાય નહીંને ! પૈસા તો આવવાના ને જવાના અને ક્રેડિટ હંમેશાં ડેબિટ થયા વગર રહે નહીં. તમારે ત્યાં કેવો કાયદો છે ? ક્રેડિટ થયા કરે કે ડેબિટ થાય ખરી દાદાશ્રી : પણ તે બે રસ્તા છે. ડેબિટ કાં તો સારે રસ્તે જાય કે કાં તો ગટરમાં જાય, પણ તેમાંથી એક રસ્તેથી જાય. આખા મુંબઈનું નાણું ગટરમાં જ જાય છે. નાણું જ બધું ગટરમાં જાય છે. મુંબઈ એટલે પુણ્યશાળીઓનો મેળો ! પ્રશ્નકર્તા: મોટામાં મોટાં દાનો મુંબઈમાં જ થાય છે. લાખો ને કરોડો રૂપિયા દાનમાં અપાય છે. દાદાશ્રી : હા, પણ એ દાન તો કીર્તિદાન છે બધાં અને કેટલીક સારી વસ્તુઓ છે. ઔષધદાન થાય એવી ઘણી સારી વસ્તુઓ છે. એટલે બીજું પણ ઘણું છે મુંબઈમાં. પ્રશ્નકર્તા : એ બધાને લાભ મળે ખરો કે નહીં ? દાદાશ્રી : બહુ લાભ મળે. એ તો છોડે નહીં ને એ લાભ ! પણ આ મુંબઈમાં નાણું કેટલું બધું છે ?! એના હિસાબે તો, અહીં કેટલી બધી હોસ્પિટલો છે ! આ મુંબઈનું નાણું ઢગલેબંધ, દરિયા જેટલું નાણું છે અને એ દરિયામાં જ જાય. પ્રશ્નકર્તા: મુંબઈમાં જ લક્ષ્મી ભેગી થાય છે, એનું શું કારણ ? દાદાશ્રી : મુંબઈમાં જ લક્ષ્મી ભેગી થાય ? એવો નિયમ જ એવો છે કે મુંબઈમાં ઊંચામાં ઊંચી વસ્તુ ખેંચાઈને આવી પડે. પ્રશ્નકર્તા: એ ભૂમિના ગુણ છે ? દાદાશ્રી : ભૂમિના જ સ્તો ! મુંબઈમાં બધી ઊંચામાં ઊંચી વસ્તુઓ ખેંચાય. મરચાંય ઊંચામાં ઊંચા, મહાન પુરુષો તેય પણ મુંબઈમાં જ હોય અને નીચામાં નીચા, નાલાયક માણસો, તેય પણ મુંબઈમાં હોય. મુંબઈમાં બન્નેય ક્વૉલિટી હોય. એટલે ગામડામાં ખોળવા જાવ તો ના જડે. પ્રશ્નકર્તા : મુંબઈમાં સમદ્રષ્ટિ જેવા માણસ છેને ? પ્રશ્નકર્તા : બંને સાઈડે છે. દાદાશ્રી : એટલે હંમેશાં ક્રેડિટ-ડેબિટ જ થયા કરે છે. પ્રશ્નકર્તા: એ જ થવું જોઈએ. Page #13 -------------------------------------------------------------------------- ________________ દાન દાને દાદાશ્રી : બધું પુણ્યશાળીઓનો મેળો છે આ. પુણ્યશાળી લોકોનો મેળો છે એક જાતનો. અને બધા પુણ્યશાળીઓ ભેગાં ખેંચાઈ આવે. મુંબઈના લોકો બધું નભાવી લે. એ એવું બીજું ના કરે. અને પોતાના પગ ઉપર કંઈક કો'કનો બૂટ પડેને, તો પ્લીઝ પ્લીઝ કરે. ધોલ ના મારે, પ્લીઝ પ્લીઝ કરે અને ગામડામાં મારે. એટલે આ મુંબઈના લોકો ડેવલપ કહેવાય. તાણું હેંડ્યું, ગટરમાં ! લોકોનું નાણું ગટરમાં જ જઈ રહ્યું છેને, સારા રસ્તે તો કો'ક પુણ્યશાળીને જ જાયને ! નાણું ગટરમાં જાય ખરું ? પ્રશ્નકર્તા : બધું જઈ જ રહ્યું છે ને ! દાદાશ્રી : આ મુંબઈની ગટરોમાં તો બહુ નાણું, જથ્થબંધ નાણું જતું રહ્યું છે. નર્યા મોહને, મોહવાળું બજારને ! હડહડાટ નાણું ચાલ્યું જાય. નાણું ખોટું જ ને ! નાણુંય સાચું નહીં. સાચું નાણું હોય તો સારે રસ્તે વપરાય. અત્યારે આખી દુનિયાનું ધન ગટરમાં જઈ રહ્યું છે. આ ગટરોની પાઈપો મોટી કરી છે, તે શા હારુ કે ધનને જવા માટે સ્થાન જોઈએ ને ? કમાયેલું બધું ખાઈ-પીને ઢોળાઢોળ કરી ગટરમાં બધું જાય છે. એક પૈસો સાચે માર્ગે જતો નથી અને જે પૈસો ખર્ચ છે, કોલેજોમાં દાન આપ્યું, ફલાણું આપ્યું એ બધું ઇગોઈઝમ છે ! ઇગોઈઝમ વગરનો પૈસો જાય તે સાચું કહેવાય. બાકી આ તો અહંકાર પોષવાનો મળી રહે, કીર્તિ મળ્યા કરે નિરાંતે ! પણ કીર્તિ મળ્યા પછી એનું ફળ આવે. પાછી એ કીર્તિ જ્યારે ઊંધી થાય ત્યારે શું થાય ? અપકીર્તિ થાય. ત્યારે ઉપાધિ ઉપાધિ થઈ જાય, એનાં કરતાં કીર્તિની આશા જ ના રાખવી. કીર્તિની આશા રાખે તો અપકીર્તિ આવેને ? જેને કીર્તિની આશા નથી, એને અપકીર્તિ આવે જ શાથી ? સારા રસ્તે વાપરો ! પૈસા તો ખાલી ય થાય ને ઘડીમાં ભરાઈ પણ જાય. સારા કામ માટે રાહ ના જોવી. સારા કામમાં વપરાય, નહીં તો ગટરમાં તો ગયું લોકોનું નાણું. મુંબઈમાં કરોડો રૂપિયા ગટરમાં ગયા લોકોના, ઘર વાપર્યું ને પારકા માટે ના વાપર્યું એ બધુંય ગટરમાં ગયું. તે હવે પસ્તાય છે. હું કહું છું કે ગટરમાં ગયું ત્યારે કહે છે કે ‘હા, એવું જ થયું. ત્યારે મૂઆ પહેલેથી ચેતવું હતુંને ?! હવે ફરી આવે ત્યારે પાછો ચેતજે. ત્યારે કહે, ‘હા, ફરી તો હવે કાચો નહીં પડું.” ફરી તો આવવાનું જ ને ! નાણું તો ચઢ-ઉતર થયા કરવાનું. કોઈ ફેરો બે વર્ષ રાશિ જાય પાછાં, પાછાં પાંચ વર્ષ સરસ આવે એવું ચાલ્યા કરે. પણ સારા રસ્તે વાપર્યું, એ તો કામ લાગેને ? એટલું જ આપણું, બીજું બધું પારકું. આટલું બધું કમાયા પણ ક્યાં ગયું ? ગટરમાં !! ધર્માદા કર્યું ? ત્યારે કહેશે, એ પૈસા તો મળતાં જ નથી. ભેગા થતાં જ નથી ને તો આખું શી રીતે ? ત્યારે નાણું ક્યાં ગયું? આ તો કોણ ખેડે ને કોણ ખાય ? જે કમાય તેનું નાણું નહીં. જે વાપરે તેનું નાણું. માટે નવા ઓવરડ્રાફટ મોકલ્યા એટલા તમારા. ના મોકલ્યા એ તમે જાણો ! દાત એટલે વાવીને લણો ! પ્રશ્નકર્તા : આત્માને અને દાનને કંઈ સંબંધ નથી તો પછી આ દાન કરવું જરૂરી કે નહીં ? દાદાશ્રી : દાન એટલે શું કે આપીને લ્યો. આ જગત પડઘા સ્વરૂપ છે. એટલે જે તમે કરીને તેવાં પડઘા પડશે, એના વ્યાજ સાથે. એટલે તમે આપો અને લ્યો. આ ગયે અવતાર આપ્યું, સારા કામમાં પૈસો વાપરેલો એવું કંઈ કરેલું, તેનું આપણને ફળ મળ્યું. હવે ફરી આવું ના કરો તો પછી ધૂળધાણી થઈ જાય. આપણે ખેતરમાંથી ઘઉં તો લઈ આવ્યા ચારસો મણ, પણ ભઈ એ પચાસ મણ વાવવા ન ગયા તો પછી !? Page #14 -------------------------------------------------------------------------- ________________ દાન ૨૦ દાન પ્રશ્નકર્તા : તો ઊગે નહીં. દાદાશ્રી : એવું આ બધું. એટલે આપવાનું. આ પડઘો જ પડશે, પાછું આવશે, અનેકગણું થઈને. ગયે અવતારે આપેલું તેથી તો અમેરિકા અવાયું, નહીં તો અમેરિકા આવવાનું સહેલું છે કંઈ ?! કેટલાં પુણ્ય કર્યા હોય ત્યારે આ પ્લેનમાં બેસવાનું મળે છે, કેટલાંય લોકોએ પ્લેન તો જોયું ય નથી ! લક્ષ્મી ત્યાં જ પાછી આવે ! તમારું ઘર પહેલાં શ્રીમંત હતુંને ? પ્રશ્નકર્તા : એવાં બધાં પૂર્વકર્મના પુણ્ય ! દાદાશ્રી : કેટલું બધું લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે, નહીં તો લક્ષ્મી આવે નહીંને ! જેને લઈ લેવાય એવી ઇચ્છા છે, એની પાસે લક્ષ્મી આવે નહીં. આવે તો જતી રહે, ઊભી ના રહે. જેમ તેમ કરીને લઈ લેવું છે, એને ત્યાં લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે, છેતરાય, નોબિલીટી વાપરે ત્યાં આવે. આમ જતી રહેલી લાગે ખરી પણ આવીને પાછી ત્યાં ઊભી રહે. જો જો, દાત રહી ન જાય ! એ તો આવે ત્યારે જ અપાયને ! અને કાંઈ ના હોય ત્યારે મનમાં શું વિચારે, જાણો છો ? જ્યારે મારે આવે ત્યારે આપી દેવા છે. અને આવે ત્યારે પડીકું બાજુએ મેલી દે ! નહીં તો મનુષ્ય મનનો સ્વભાવ કેવો કે થાય છે હમણાં, હમણાં દોઢ લાખ છે, બે લાખ પૂરા થાય પછી આપીશું. એ એમ ને એમ પેલું રહી જાય પછી ! આવાં કામમાં તો આંખો મીંચીને આપી દીધેલું તે સોનું. પ્રશ્નકર્તા : બે લાખ થાય તંયે (ત્યારે) વાપરીશું, એમ કહેવાવાળો માણસ એમ ને એમ કરતાં કરતાં વયો જાય (જતો રહે) તો ? દાદાશ્રી : એ વહી જાય ને રહી જાય પણ. રહી જાય ને કશું વળે નહીં. જીવનો સ્વભાવ જ આવો. પછી ના હોય ત્યારે કહેશે, ‘મારી પાસે આવે ને તરત આપી દેવા છે. આવે કે તરત આપી દેવા છે. હવે આવે ત્યારે આ માયા મૂંઝવી નાખે. હમણાં છે તે કોઈ માણસે સાઠ હજાર રૂપિયા ના આપ્યા ત્યારે કહેશે, ચાલશે હવે, હેંડો કંઈક છે આપણા નસીબમાં નહોતા. પણે છૂટે પણ અહીં ના છૂટે, મનુષ્યનો સ્વભાવ એવો માયા મૂંઝવે એને. એ તો હિંમત કરે તો જ અપાય. તેથી અમે આવું કહીને કે કંઈ કર. તે માયા મુંઝવે નહીં પછી. ફૂલ નહીં ને ફૂલની પાંખડી. તેય એક આંગળીનો ટેકો આપવાની જરૂર છે, સહુ સહુના ગજા પ્રમાણે. માંદા માણસેય આમ હાથ અડાડવામાં શું વાંધો છે ? સાચો દાતાર ! કોઈ દહાડોય ખૂટે નહીં, એનું નામ લક્ષ્મી ! પાવડથી ખોપી ખોપીને ધર્માદા કર કર કરે, તોય ના ખૂટે એનું નામ લક્ષ્મી કહેવાય. આ તો ધર્માદા કરે તે બાર મહિને બે દહાડા આપ્યા હોય, એને લક્ષ્મી કહેવાય જ નહીં. એક દાતાર શેઠ હતા. હવે દાતાર નામ કેમ પડ્યું કે એમને ત્યાં સાત પેઢીથી ધન આપ્યા જ કરતા હતા. પાવડેથી ખોપીને જ આપે. તે જે આવ્યો તેને, આજ ફલાણો આવ્યો કે મારે છોડી પૈણાવવી છે, તો તેને આપ્યા, કો’ક બ્રાહ્મણ આવ્યો તેને આપ્યા. કોકને બે હજારની જરૂર છે તેને આપ્યા. સાધુ-સંતોને માટે, જગ્યા બાંધેલી ત્યાં બધા સાધુ-સંતોને જમવાનું, એટલે દાન તો જબરજસ્ત ચાલતું હતું, તેથી દાતાર કહેવાયા ! અમે આ જોયેલું બધું. દરેકને આપ આપ કરે તેમ નાણું વધ વધ કરે. નાણાંનો સ્વભાવ કેવો છે ? જો કદી સારી જગ્યાએ દાનમાં જાય તો પાર વગરનું વધે. એવો નાણાનો સ્વભાવ છે. અને જો ગજવાં કાપે તો તમારે ઘેર કશું નહીં રહે. આ બધા વેપારીને આપણે ભેગા કરીએ અને પૂછીએ કે ભઈ, કેમનું છે તારે ? બેન્કમાં બે હજાર તો હશેને ? ત્યારે Page #15 -------------------------------------------------------------------------- ________________ દાન ૨૨ દાન કહેશે કે સાહેબ, બાર મહિને લાખ રૂપિયા આવ્યા, પણ હાથમાં કશું નથી. તેથી તો કહેવત પડેલીને કે ચોરની મા કોઠીમાં મોટું ઘાલીને રડે ! કોઠીમાં કશું હોય નહીં, તે રડે જ ને ! લક્ષ્મીનો પ્રવાહ દાન છે અને જે સાચું દાન આપનારો છે તે કુદરતી રીતે જ એક્સપર્ટ હોય છે. માણસને જોતાંની સાથે જ સમજી જાય કે ભઈ, જરા એ લાગે છે. એટલે કહે કે ભઈ, છોડીને લગન માટે રોકડા પૈસા નહીં મળે. તારે જે કપડાં-લત્તાં જોઈતાં હોય, બીજું બધું જોઈતું હોય તે લઈ જજે. અને કહેશે કે છોડીને અહીં બોલાવી લાવ. તે છોડીને કપડાંદાગીના બધું આપે. સગાંવહાલાંને ત્યાં મીઠાઈ પોતાને ઘેરથી મોકલાવી આપે. એવો વ્યવહાર બધો સાચવે પણ સમજી જાય કે આ નંગોડ છે. રોકડા હાથમાં આપવા જેવો નથી. એટલે દાન આપનારા ય બહુ એક્સપર્ટ હોય છે. દાત કોને અપાય ? તમે ગરીબને પૈસા આપો ને એની તપાસ કરી તો પાસે પોણો લાખ રૂપિયા પડ્યા હોય. કારણ કે એ લોકો ગરીબોના નામ પર પૈસા ભેગા કરે છે ? બધો વેપાર જ ચાલે છે. દાન તો ક્યાં આપવાનું છે ? જે લોકો માંગતા નથી ને અંદર મહીં કચવાયા કરે છે ને દબઈ દબઈને ચાલે છે એ કોમન માણસો છે ત્યાં આપવાનું છે. એ લોકોને બહુ સપડામણ છે, એ મધ્યમ વર્ગને ! મળસ્કે ચાર વાગે જઈને, બીજે દહાડે ઓઢાડ્યા બધાને, સૂતા હોય ત્યાં જઈને ઓઢાડ્યા. પછી પાંચ-સાત દહાડા પછી ત્યાં પાછો ગયો, ત્યારે ધાબળો-બાબળો કંઈ દેખાતો ન હતો. બધા નવેનવા વેચીને પૈસા લઈ લીધા એ લોકોએ. તે કહું છું કે અલ્યા, ના અપાય આવું. આવું અપાતું હશે ? એમને તો શુક્કરવારીમાંથી જૂના ધાબળા આવે તે લઈને આપીએ. તે એને કોઈ બાપેય વેચાતો લે નહીં, એની પાસેથી. આપણે એને માટે સીત્તેર રૂપિયાનું બજેટ કાઢ્યું હોય એ માણસને માટે, તો સિત્તેરનો એક ધાબળો લાવવો, એના કરતાં જૂના ત્રણ મળતા હોય તો ત્રણ આપવા. ત્રણ ઓઢીને સૂઈ જજે, કોઈ બાપેય લેનારો ના મળે. એટલે આ કાળમાં દાન આપવાનું તે બહુ વિચાર કરીને આપજો. પૈસો મૂળ સ્વભાવથી જ ખોટો છે. દાન આપવામાં ય બહુ વિચાર કરશો ત્યારે દાન અપાશે, નહીં તો દાનેય નહીં અપાય. અને પહેલાં સાચો રૂપિયો હતોને, તે જ્યાં આપો ત્યાં સાચું જ દાન થતું. અત્યારે રોકડો રૂપિયો અપાય નહીં, નિરાંતે કોઈ જગ્યાએથી ખાવાનું લઈ અને વહેંચી દેવું. મીઠાઈ લઈ આવ્યા તો મીઠાઈ વહેંચી દેવી. મીઠાઈનું પડીકું આપીએ તો પેલાને કહેશે, અડધી કિંમતે આપી દે. હવે આ દુનિયાને શું કરીએ ? આપણે નિરાંતે ચેવડો છે, મમરા છે, બધું છે. અને ભજીયાં લઈ અને ભાંગીને આપીએ. લે બા ! વાંધો શો છે ? અને આ દહીં લેતો જા. શા હારુ આમ ભાંગ્યાં કહેશે. એને વહેમ ન પડે એટલા હારુ. દહીં લઈ જા એટલે દહીંવડા થઈ જાય તારે. અલ્યા, પણ શું કરે ત્યારે ? આ તો કંઈક હોવું જોઈએ ને ! આ તો પહોંચી વળાય એવું નથી અને એ માંગવા આવશે તોય આપજે, બા. પણ રોકડા ના આપીશ. નહીં તો દુરુપયોગ થાય છે આ બધો. આપણા દેશમાં જ આ. આ ઈન્ડિયન પઝલને કોઈ સોલ્વ કરી શકે નહીં આખા વર્લ્ડમાં ! દાંત, સમજણ સહિત ! એક જણને મનમાં જ્ઞાન થયું. શું જ્ઞાન થયું કે આ લોકો ટાઢે મરી જતાં હશે. અહીં ઘરમાં ટાઢમાં રહેવાતું નથી. અલ્યા, હિમ પડવાનું થયું. છે ને આ ફૂટપાથવાળાનું શું થશે ? એવું એને જ્ઞાન થયું, આ એક પ્રકારનું જ્ઞાન જ કહેવાયને ! જ્ઞાન થયું ને એની પાસે સંજોગ સીધા હતા. બેન્કમાં નાણું હતું, તે સો-સવા સો ધાબળા લઈ આવ્યો, હલકી ક્વૉલિટીના ! અને Page #16 -------------------------------------------------------------------------- ________________ દાન ૨૪ દાન આ શી રીતે, આ શું છે, એનું સોલ્વ કરવા મોકલીએ કે ભઈ અમારે આ શું છે ? આ ધાબળા દાનમાં આપ્યા તે ક્યાં ગયા ? એની શોધખોળ કરો. ત્યારે કહે કે સી.આઈ.ડી. લાવો. અલ્યા, ન હોય આ સી.આઈ.ડી.નું કામ. અમે તો આ વગર સી.આઈ.ડી. એ પકડી પાડીશું. આ પઝલ ઈન્ડિયન પઝલ છે. તમને સોલ્વ નહીં થાય. તમારા દેશમાં સી.આઈ.ડી. થી પકડી લાવો. અમારા દેશવાળા શું કરે એ અમે જાણીએ, બા ! બીજે દહાડે જા વેપારીને ત્યાં. એટલે પૈસાની બરકત ક્યારે આવશે ? કંઈક નિયમ હોવો જોઈએ કે નીતિ હોવી જોઈએ. સાધારણ તો હોયને ! કાળ વિચિત્ર છે જરા. તે સાધારણ નીતિ તો હોવી જોઈએ ને ! હપુ એમ કંઈ ચાલે ? બધું વેચી ખાય ત્યારે છોડીઓ હઉ વેચી ખાય, લક્ષ્મીની બાબતમાં છોડીઓ હઉ વેચેલી. ત્યાં સુધી આવી ગયા છે અંતે ! અલ્યા, આવું ના થાય. દાનમાં રોકડા રૂપિયા આપવા નહીં. એને મેઈન્ટેનન્સીની હેલ્પ કરવી. ધંધે ચઢાવવો. હિંસક માણસને રૂપિયા આપશો તો તે હિંસા વધારે કરશે. દાત, પણ ઉપયોગપૂર્વક ! પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય. ઉપયોગ એ જાગૃતિ છે. આપણે શુભ કરીએ, દાન આપીએ, તે દાન કેવું ? જાગૃતિપૂર્વકનું કે લોકોનું કલ્યાણ થાય. કીર્તિ-નામ આપણને પ્રાપ્ત ના થાય એટલા માટે ઢાંક્યું આપીએ. એ જાગૃતિપૂર્વક કહેવાયને ! એનું નામ ઉપયોગ કહેવાય. પેલું તો નામ ના છપાયું હોય તો ફરી આપે નહીં. એવું છે, શુભમાર્ગમાં પણ જાગૃતિ ક્યારે કહેવાય ? આ ભવમાં ને પરભવમાં લાભકારી થાય એવું શુભ હોય ત્યારે એને જાગૃતિ કહેવાય. નહીં તો એ દાન આપતો હોય, સેવા કરતો હોય, પણ આગળની જાગૃતિ એને કશી જ ના હોય. જાગૃતિપૂર્વક બધી ક્રિયા કરે તો આવતા ભવનું હિત થાય, નહીં તો ઊંઘમાં બધુંય જાય. આ દાન કર્યું તે બધું ઊંઘમાં ગયું ! જાગતાં ચાર આનાય જાય તો બહુ થઈ ગયું ! આ દાન આપે ને મહીં અહીંની કીર્તિની ઇચ્છા હોય તો તે બધું ઊંઘમાં ગયું. પરભવના હિતને માટે જે દાન અહીં આપવામાં આવે છે એ જાગતો કહેવાય. હિતાહિતનું ભાન એટલે પોતાનું હિત શેમાં છે ને પોતાનું અહિત શેમાં છે એ પ્રમાણે જાગૃતિ રહે તે ! આવતા ભવનું કંઈ ઠેકાણું ના હોય ને અહીં દાન આપતો. હોય, તેને જાગૃત કઈ રીતે કહેવાય ? આમ અંતરાય પડે ! આ ભાઈ કોઈ એક જણને દાન આપતા હોય, ત્યાં આગળ કોઈ બુદ્ધિશાળી કહેશે કે, “અરે, આને ક્યાં આપો છો ?” ત્યારે આ ભાઈ કહેશે. ‘હવે આપવા દોને, ગરીબ છે.” એમ કરીને એ દાન આપે છે ને પેલો ગરીબ લઈ લે છે. પણ પેલો બુદ્ધિશાળી બોલ્યો, તેનો તેણે અંતરાય પાડ્યો. તે પછી એને દુઃખમાં ય કોઈ દાતા ના મળી આવે. અને જ્યાં પોતે અંતરાય પાડે છે તે જગ્યાએ જ આ અંતરાય કામ કરે છે. પ્રશ્નકર્તા : વાણીથી અંતરાય ના પડ્યા હોય, પણ મનથી અંતરાય પડ્યા હોય તો ? દાદાશ્રી : મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે. એ તો બીજે અવતારે અસર કરે અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. વાણી થઈ કે રોકડું થયું, કૅશ થયું. તે ફળેય કૅશ આવે અને મનથી ચીતર્યું તે તો આવતે અવતારે રૂપક થઈને આવશે. તે આમ અંતરાય ઊડે ! પ્રશ્નકર્તા : એટલે એટલી જાગૃતિ રાખવી જોઈએ કે જરાય આડો Page #17 -------------------------------------------------------------------------- ________________ દાન અવળો વિચાર ના થાય. દાદાશ્રી : એવું બને એવું નથી. વિચાર તો એવાં થયા વગર રહેવાના જ નથી. એને આપણે ભૂંસી નાખીએ એ આપણો ધંધો. એવાં વિચાર ના થાય એવું આપણે નક્કી કરીએ એ નિશ્ચય કહેવાય. પણ વિચાર જ ના આવે એવું ત્યાં આગળ ચાલે નહીં. વિચાર તો આવે પણ બંધ પડતાં પહેલાં ભૂંસી નાખવાનો. તમને વિચાર આવ્યો કે, “આને દાન ના આપવું જોઈએ.’ પણ તમને જ્ઞાન આપ્યું છે એટલે જાગૃતિ આવે કે આપણે વચ્ચે ક્યાં અંતરાય પાડ્યો ? એમ તે પાછો તમે એને ભૂંસી નાખો. પોસ્ટમાં કાગળ નાખતાં પહેલાં ભૂંસી નાખો તો વાંધો નહીં. પણ એ તો જ્ઞાન વગર કોઈ ભૂંસે નહીંને ! અજ્ઞાની તો ભૂંસે જ નહીંને ?! ઊલટું આપણે એને એમ કહીએ કે “આવો ઊંધો વિચાર શું કામ કર્યો ?” ત્યારે એ કહેશે કે, “એ તો કરવો જ જોઈતો હતો. એમાં તમને સમજણ ના પડે.” તે પછી પાછો એવું ડબલ કરે ને જાડું કરી આપે. અહંકાર બધું ગાંડું જ કરે, નુકસાન કરે, એનું નામ અહંકાર. પોતે પોતાના જ પગ પર કુહાડી માર માર કરે, એનું નામ અહંકાર. હવે તો આપણે પશ્ચાતાપથી બધું ભૂંસી શકાય અને મનમાં નક્કી કરીએ કે આવું ના બોલવું જોઈએ. અને બોલ્યો તેની ક્ષમા માગું છું, તો ભૂંસાઈ જાય. કારણ કે તે કાગળ પોસ્ટમાં પડ્યો નથી તે પહેલાં આપણે ફેરફાર કરી નાખીએ કે પહેલાં અમે મનમાં વિચાર કર્યો હતો કે, ‘દાન આપવું ના જોઈએ’ તે ખોટું છે પણ હવે અમે વિચાર કરીએ છીએ કે આ દાન આપવામાં સારું છે. એટલે એનું આગળનું ભૂંસાઈ જાય. દાન આપવું, લોકોની ઉપર ઉપકાર કરવો, ઓબ્લાઈઝિંગ નેચર રાખવો, લોકોની સેવા કરવી એ બધાને રિલેટિવ ધર્મ કહ્યો. એનાથી પુણ્ય બંધાય. અને ગાળો ભાંડવાથી, મારામારી કરવાથી, લૂંટી લેવાથી પાપ બંધાય. પથ્ય અને પાપ જ્યાં છે ત્યાં રિયલ ધર્મ જ નથી. પુણ્ય-પાપથી રહિત રિયલ ધર્મ છે. પાંચમો ભાગ પાક્કા માટે ! પ્રશ્નકર્તા : આવતા જન્મના પુણ્યના ઉપાર્જન માટે આ આ જન્મમાં શું કરવું ? દાદાશ્રી : આ જન્મમાં જે પૈસા આવે, તેમાં પાંચમો ભાગ ભગવાનને ત્યાં મંદિરમાં નાખી આવવો. પાંચમો ભાગ લોકોના સુખને માટે વાપરવો. એટલે એટલું તો ત્યાં આગળ ઓવરડ્રાફટ પહોંચ્યો ! આ ગયા અવતારના ઓવરડ્રાફટ તો ભોગવો છો. આ જન્મનું પુણ્ય છે તે આગળ પછી આવે. અત્યારની કમાણી આગળ ચાલશે. રિવાજ, ભગવાન માટે જ ધર્માદા ! આ મારવાડી લોકોને ત્યાં જાઉં છું તે પૂછું, ધંધો કેમનો ચાલે છે ? ત્યારે કહે, “ધંધો તો સારો ચાલે છે.’ નફો-બસો ? ત્યારે કહે, “બે-ચાર લાખનો ખરો !' ભગવાનને ત્યાં આપવા-કરવાનું ? “વીસ-પચ્ચીસ ટકા નાખી આવવાના ત્યાં, દર સાલ.’ એમને શું કહેવાનું ? ખેતરમાં વાવીએ તો દાણા નીકળેને, બળ્યા ! વાવ્યા વગર દાણા શેના લેવા જઉં ? વાવીએ જ નહીં તો ? આ મારવાડી લોકોને ત્યાં આ જ રિવાજ કે ભગવાનના કામમાં નાખવા. જ્ઞાનદાન ભગવાનમાં, બીજી-ત્રીજી જગ્યાએ દાનમાં આપવા અને પેલા દાનમાં નહીં, એ હાઈસ્કૂલને, ફલાણાને, એમાં નહીં, આ એકલું જ ખાલી. મંદિરોમાં કે ગરીબોમાં ? પ્રશ્નકર્તા : આપણે મંદિરોમાં ગયા’તાને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને કીધું કે આ જીવતા જાગતા અંતર્યામી અને તે દરેક જીવમાત્રમાં બિરાજમાન છે. અને Page #18 -------------------------------------------------------------------------- ________________ દાન ૨૭ જીવતાને લોકો તતડાવે છે. એ લોકોને કગરાવે છે ને અહીંયા કરોડો રૂપિયા પથ્થરની મૂર્તિ પાછળ ખર્ચે આવું કેમ ? દાદાશ્રી : હા, પણ લોકોને કકળાવે છે એ તો એની અણસમજણથી કકળાવે છેને, બિચારાને ! ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાથી કકળાવે છેને ! એવું છેને, આ પૈસા કમાવા જે નીકળે છે, હવે સારી રીતે ઘર ચાલે એવું હોય છે, તોય પૈસા કમાવા નીકળે. તે આપણે ના સમજીએ કે આ એના ક્વોટા ઉપરાંત વધારે ક્વોટા લેવા ફરે છે ?! જગતમાં તો ક્વોટા બધાનો સરખો છે. પણ આ લોભિયા છે તે વધારે ક્વોટા લઈ જાય છે એ પેલાં અમુક લોકોને ભાગ જ ના આવે. હવે એય છે તે એમ ને એમ ગપ્પાથી નથી મળતું, તે પુણ્યથી મળે છે. ત્યારે પુણ્ય વધારે કર્યું તો આપણી પાસે નાણું આવ્યું તો નાણું આપણે ખર્ચી નાખીએ પાછું. આપણે જાણીએ કે આ તો ભેગું થવા માંડ્યું. ખર્ચી નાખ્યા તો ડીડક્શન(બાદ) થઈ શકેને ? પુણ્ય ભેગું તો થઈ જ જાય. પણ ડીડક્શન કરવાની રીત તો જાણવી જોઈએને ? એટલે લોકો મંદિરો બધું કરે છે, બરોબર કરે છે. એમને ચાવી જોઈએ છે. એમને દર્શન ક્યાં કરવાં છે ? જે જ્યાં દર્શન કરવા જાયને તો એને શરમ ના આવે એવું જોઈએ છે. જીવતાં જોડે એને શરમ આવે છે અને મૂર્તિ પાસે તમે કહો એવો નાચે હઉ. નાચે-કૂદે એકલો ! પણ જીવતાં જોડે એને શરમ આવે છે. આ જીવતાં હોયને અને જીવતાં પાસે ના કશું થાય. અને જો જીવતાં પાસે જો કર્યું તો એનું કલ્યાણ થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય, આત્યંતિક કલ્યાણ થઈ જાય. પણ એવી શક્તિ ના હોયને ! એવી પુણ્ય ના હોય ! ભગવાન પાસે મૂકેને, તે બધું નિષ્કામ નહીં સકામ. હે ભગવાન, છોકરાને ઘેર એક છોકરો ! મારો છોકરો પાસ થાય. ઘેર પૈડા ડોસા છેને, ૨૮ દાન એમને પક્ષઘાત થયો છે તે મટી જાય. તેના બસ્સો ને એક મૂકે. હવે અહીં તો કોણ મૂકે ? આપણે કંઈ એવું કારખાનું છે ? અને અહીં લે ય કોણ તે મૂકે ? એ ય હિંસા જ ! પ્રશ્નકર્તા : વેપારી નફાખોરી કરે, કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનતના પ્રમાણમાં ઓછું વળતર અથવા કોઈ મહેનત વગરની કમાણી થાય તો એ હિંસાખોરી કહેવાય ? દાદાશ્રી : એ બધી હિંસાખોરી જ છે. પ્રશ્નકર્તા : હવે એ ફોગટની કમાણી કરીને ધર્મમાં નાણાં વાપરે, તો તે કઈ જાતની હિંસા કહેવાય ? દાદાશ્રી : જેટલું ધર્મકાર્યમાં વાપર્યું, જેટલું ત્યાગ કરી ગયો, એટલો ઓછો દોષ બેઠો. જેટલું કમાયો હતો, લાખ રૂપિયા કમાયો હતો, હવે એ એંસી હજારનું દવાખાનું બંધાવ્યું તો એટલા રૂપિયાની જવાબદારી એને ના રહી. વીસ હજારની જ જવાબદારી રહી. એટલે એ સારું છે, ખોટું નથી. પ્રશ્નકર્તા : લોકો લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં ? દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીંને ! જેવું આવ્યું, તેવું જાય.... આ તો ભગવાનના નામ પર, ધર્મના નામ પર બધું ચાલ્યું છે ! પ્રશ્નકર્તા : દાન આપનારા માણસ તો એમ માને કે મેં શ્રદ્ધાથી આપ્યું છે. પણ જેને વાપરવાનું છે એ કેવું કરે છે, એની આપણને શું ખબર પડે ? Page #19 -------------------------------------------------------------------------- ________________ દાન ૩૦ દાદાશ્રી : પણ એ તો આપણા રૂપિયા ખોટા હોય તો એ અવળે રસ્તે જાય. જેટલું નાણું ખોટું એટલું ખોટે રસ્તે જાય ને સારું નાણું એટલે સારે રસ્તે જાય ! એરણચોરી, સોયાત ! પ્રશ્નકર્તા ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે ? દાદાશ્રી : દાન કરે છતાં નર્ક જાય એવાં ય છે. કારણ કે દાન કોઈના દબાણથી કરે છે. એવું છેને, કે આ દુષમકાળમાં દાન કરવાની લોકોની પાસે લક્ષ્મી જ નથી હોતી. દુષમકાળમાં જે લક્ષ્મી છે એ તો અઘોર કર્તવ્યવાળી લક્ષ્મી છે. માટે એનું દાન આપે તે તો ઊલટું નુકસાન થાય છે, પણ છતાંય આપણે કોઈક દુઃખીયા માણસને આપીએ, દાન કરવા કરતાં એની મુશ્કેલી દૂર કરવા માટે કરીએ તે સારું છે. દાન તો નામના કાઢવા માટે કરે, તેનો અર્થ શું ? ભૂખ્યો હોય તેને ખાવાનું આપો, કપડાં ના હોય તો કપડું આપો. બાકી આ કાળમાં દાન આપવા રૂપિયા ક્યાંથી લાવે ? ત્યાં સૌથી સારું તો દાન-બાન આપવાની જરૂર નથી. આપણા વિચારો સારા કરો. દાન આપવા ધન ક્યાંથી લાવે ? સાચું ધન જ નથી આવ્યુંને ! ને સાચું ધન સરપ્લસ રહેતું ય નથી. આ જે મોટાં મોટાં દાન આપે છેને તે તો ચોપડા બહારનું ઉપરનું નાણું આવ્યું છે તે છે. છતાંય દાન જે આપતા હોય તેને માટે ખોટું નથી. કારણ કે ખોટે રસ્તે લીધું અને સારા રસ્તે આપ્યું, તોય વચ્ચે પાપમાંથી મુક્ત તો થયો ! ખેતરમાં બીજ રોપાયું એટલે ઊગ્યું ને એટલું તો ફળ મળ્યું ! પ્રશ્નકર્તા : પદમાં એક લીટી છેને કે, ‘દાણચોરી કરનારાઓ, સોયદાને છૂટવા મથે.” તો આમાં એક જગ્યાએ દાણચોરી કરી અને બીજી જગ્યાએ દાન કર્યું, તો એ એટલું તો પામ્યોને ? એવું કહી શકાય ? દાદાશ્રી : ના, પામ્યો ના કહેવાય. એ તો નર્કમાં જવાની નિશાની કહેવાય. એ તો દાનતચોર છે. દાણચોરે ચોરી કરી અને સોયનું દાન કર્યું, એના કરતાં દાન ના કરતો હોય ને પાંસરો રહેને તોય સારું. એવું છે ને કે છ મહિના જેલની સજા સારી, વચ્ચે બે દહાડા બાગમાં લઈ જાય એનો શો અર્થ ? આ તો શું કહેવા માંગે છે કે આ બધા કાળાબજાર, દાણચોરી બધું કર્યું અને પછી પચાસ હજાર દાન આપીને પોતાનું નામ ખરાબ ના દેખાય, પોતાનું નામ ના બગડે એટલા માટે આ દાન આપે છે. આને સોયનું દાન કહેવાય. પ્રશ્નકર્તા : એટલે સાત્ત્વિક તો એવા આજે નથીને ? દાદાશ્રી : સંપૂર્ણ સાત્ત્વિકની તો આશા રાખી શકાય જ નહીંને ! પણ આ તો કોને માટે છે કે જે મોટા માણસો કરોડો રૂપિયા કમાય અને આ બાજુ એક લાખ રૂપિયા દાનમાં આપે. તે શા માટે ? નામ ખરાબ ના થાય એટલા માટે. આ કાળમાં જ એવું સોયનું દાન ચાલે છે. આ બહુ સમજવા જેવું છે. બીજા લોકો દાન આપે છે એમાં અમુક ગૃહસ્થ હોય છે, સાધારણ સ્થિતિના હોય છે, એ લોકો દાન આપે તેનો વાંધો નથી. આ તો સોયનું દાન આપીને પોતાનું નામ બગડવા ના દે, પોતાનું નામ ઢાંકવા માટે કપડાં બદલી નાખે છે ! ખાલી દેખાવ કરવા માટે આવાં દાન આપે છે !! અત્યારે તો ધનદાન આપે છે કે લઈ લે છે ! ને દાન થાય છે તો “મીસા’નાં (દાણચોરીનાં). એ તાણું પુણ્ય બાંધે ! પ્રશ્નકર્તા : બે નંબરના રૂપિયાનું દાન આપે તો તે ન ચાલે ? દાદાશ્રી : બે નંબરનું દાન ના ચાલે. પણ છતાંય કોઈ માણસ ભૂખે મરતો હોય અને બે નંબરનું દાન આપે તો પેલાને ખાવા માટે ચાલેને ! Page #20 -------------------------------------------------------------------------- ________________ દાન દાન એ છે કેમોક્લેગ સમ ! પ્રશ્નકર્તા : બે નંબરના જે પૈસા છે એ જ્યાં જાય ત્યાં ડખો થાય કે નહીં ? દાદાશ્રી : પૂરી હેલ્પ નહીં કરે. આપણે ત્યાં આવે છે, પણ તે કેટલા ? દસ-પંદર ટકા, પણ વધારે નથી આવતા. પ્રશ્નકર્તા : ધર્મમાં હેલ્પ ના કરે, જ્યાં જાય ત્યાં હેલ્પ ના થાય એટલી ? બે નંબરનું અમુક કાયદેસર વાંધો આવે, બીજી રીતે વાંધો નથી આવતો. એ નાણું હોટલવાળાને આપે તો એ લે કે ના લે ? પ્રશ્નકર્તા : લઈ લે. દાદાશ્રી : હા, તે વ્યવહાર ચાલુ જ થઈ જાય. પ્રશ્નકર્તા : ધર્મમાં બે નંબરનો પૈસો છે તે વપરાય છે હમણાંના જમાનામાં, તો એનાથી લોકોને પુણ્ય ઉપાર્જન થાય ખરું ? દાદાશ્રી : ચોક્કસ થાયને ! એને ત્યાગ કર્યોને એટલો ! પોતાની પાસે આવેલાનો ત્યાગ કર્યોને ! પણ એમાં હેતુ પ્રમાણે પછી એ પુણ્ય એવું થઈ જાય, હેતુવાળું ! આ પૈસા આપ્યા તે એક જ વસ્તુ જોવાતી નથી. પૈસાનો ત્યાગ કર્યો એ નિર્વિવાદ. બાકી પૈસા ક્યાંથી આવ્યા, હેતુ શો, આ બધું પ્લસ-માઈનસ થતાં જે બાકી રહેશે એ એનું. એનો હેતુ શો કે સરકાર લઈ જશે, એના કરતાં આમાં નાખી દોને ! નિરપેક્ષ લૂંટાવો ! પ્રશ્નકર્તા : ઑનના પૈસા ભલે વપરાતા, છતાંય ધર્મની ધજા લાગી જાય છે, કે ધર્મના નામે ખર્ચા. દાદાશ્રી : હા, પણ ધર્મના નામે ખર્ચે તો સારું છે. પણ ઑનના નામથી એ કરે ને. કારણ કે ઑન એ બહ ગુનેગાર નથી, ‘ઑન’ એટલે શું કે સરકારનો પેલો ટેક્ષ છે તે લોકોને ભારે પડી જાય છે, કે તમે અમારા ધાર્યા કરતાં વધારે મૂકો છો એટલે આ લોકો છુપાવે છે. પ્રશ્નકર્તા : કંઈ મેળવવાની અપેક્ષાએ જે દાન કરે છે, તે પણ શાસ્ત્રમાં મનાઈ નથી. એને વખોડતા નથી. દાદાશ્રી : એ અપેક્ષા ના રાખે તો ઉત્તમ છે. અપેક્ષા રાખે છે એ દાન નિર્મૂળ થઈ ગયું, સત્ત્વહીન થઈ ગયું કહેવાય. હું તો કહું છું કે પાંચ જ રૂપિયા આપો પણ અપેક્ષા વગર આપો. દાદાશ્રી : હેલ્પ ના કરે. આમ દેખાવમાં હેલ્પ કરે પણ પછી આથમી જતાં વાર ના લાગે. એ બધાં વૉર ક્વૉલિટીનાં અચર, વૉર. ક્વૉલિટીનાં સ્ટ્રક્વર બંધાયેલાં બધાં ! તમે જોયેલાંને ! એ બધાં કેમોક્લેગ છે. મનમાં શું ખુશ થવાનું કેમોક્લેગથી ? શ્રેષ્ઠિ - શેટ્ટી - શેઠ - શઠ ! પહેલાંના કાળમાં, તે વખતે દાનેશ્વરી હોય. તે દાનેશ્વરી તો મનવચન-કાયાની એકતા હોય ત્યારે દાનેશ્વરી પાકે અને તેને ભગવાને શ્રેષ્ઠિ કહ્યા હતા. એ શ્રેષ્ઠિને અત્યારે મદ્રાસમાં શેટ્ટી કહે છે. અપભ્રંશ થતું થતું શ્રેષ્ઠિમાંથી શેટ્ટી થઈ ગયેલું છે ત્યાં આગળ, એ આપણે અહીં અપભ્રંશ થતું થતું શેઠ થઈ ગયું છે. તે એક મિલના શેઠને ત્યાં સેક્રેટરી જોડે હું વાત કરતો હતો. મેં કહ્યું કે, “શેઠ ક્યારે આવવાના છે ? બહારગામ ગયા છે તે ?” એ કહે છે. ‘ચાર-પાંચ દિવસ લાગશે.” પછી મને કહે છે, “જરા મારી વાત સાંભળો.” મેં કહ્યું, ‘હા, ભઈ’તો એ કહે છે, “ઉપરથી માતર કાઢી નાખવા જેવા છે.’ મેં એને સમજણ પાડી કે અત્યારે તું પગાર ખાઉં છું ત્યાં સુધી બોલીશ નહીં. બાકી માતર કાઢી નાખીએ એટલે શું રહ્યું બહાર સિલકમાં Page #21 -------------------------------------------------------------------------- ________________ દાન ૩૪ દાન પ્રશ્નકર્તા : શઠ રહ્યા. દાદાશ્રી : છતાં આપણાથી બોલાય નહીં ! આવી દશા થઈ છે. કેવા જગડુશા ને બધા શેઠિયા થતા હતા ! એ શેઠિયા કહેવાતા હતા. જેવો ભાવ, તેવું ફળ ! ઘણોને દાન ના આપવું હોય, મનમાં ના આપવું હોય અને વાણીમાં બોલે, મારે આપવું છે અને વર્તનમાંય રાખે ને આપે. પણ મનમાં ના આપવું હોય એટલે ફળ ના થાય. પ્રશ્નકર્તા : દાદા, એ કેમ થાય એવું ? દાદાશ્રી : એક માણસ મનમાં આપે છે, એની પાસે સાધન નથી, એટલું અને વાણીથી બોલે છે કે મારે આપવું છે પણ અપાતું નથી, એનું ફળ આવતા ભવમાં મળે. કારણ કે એ આપ્યા બરાબર છે. ભગવાને સ્વીકાર્યું. અરધો લાભ તો થઈ ગયો. દેરાસરમાં જઈને એક માણસે એક જ રૂપિયો મૂક્યો અને બીજા શેઠિયાએ એક હજારની નોટો મહીં ધર્માદામાં નાખી, એ જોઈને આપના મનમાં થયું કે અરે, મારી પાસે હોત તો હું આપત. એ તમારું ત્યાં આગળ જમે થાય. નથી માટે તમારાથી નથી અપાતું. અહીં તો આપ્યાની કિંમત નથી, ભાવની કિંમત છે. વીતરાગોનું સાયન્સ છે. અને આપનાર હોય તેનું ક્યારે કેટલાય ગણું થઈ જાય. પણ તે કેવું ? મનથી આપવું છે, વાણીથી આપવું છે, વર્તનથી આપવું છે, તો એનું ફળ તો આ દુનિયામાં શું ના કહેવાય એ પૂછો ! અત્યારે તો બધાં કહેશે, ફલાણા ભાઈને લીધે મારે આપવું પડ્યું, નહીં તો હું ના આપત. ફલાણા સાહેબે દબાણ કર્યું એટલે મારે તો આપવા પડ્યા. એટલે ત્યાં આગળ જમે પણ એવું જ થાય, હં. એ તો આપણે મનથી, રાજીખુશીથી આપેલું કામનું. એવું કરે ખરાં લોકો ? કો'કના દબાણથી આપે ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : અરે, કેટલાંક તો રોફ રાખવા હારુ આપે. નામ, પોતાની આબરૂ વધારવા માટે. મહીં મનમાં એમ હોય, બધું આપવા જેવું નથી પણ આપણું નામ ખોટું દેખાશે, ત્યારે એવું ફળ મળે. જેવું આ બધું ચીતરે છે એવું ફળ મળે. અને એક માણસ પાસે ના હોય અને “મારી પાસે હોત તો હું આપત’ એમ કહે તો કેવું ફળ મળે ? સ્થૂળકર્મ સૂક્ષ્મકર્મ એક શેઠે પચાસ હજાર રૂપિયા દાનમાં આપ્યો. તે તેના મિત્રે તેને પૂછયું, “આટલા બધા રૂપિયા આપી દીધા ?” ત્યારે શેઠ બોલ્યા, ‘હું તો એક પૈસો ય આપું તેવો નથી. આ તો આ મેયરનાં દબાણને લઈને આપવા પડ્યા.’ હવે આનું ફળ ત્યાં શું મળે? પચાસ હજાર દાન કર્યું તે સ્થૂળકર્મ, તે તેનું ફળ અહીંનું અહીં શેઠને મળી જાય. લોકો ‘વાહ વાહ’ બોલાવે, કીર્તિ ગાય અને શેઠે મહીં, સૂક્ષ્મકર્મમાં શું ચાર્જ કર્યું ? ત્યારે કહે, “એક પૈસો ય આપું તેવો નથી.’ તેનું ફળ આવતા ભવમાં મળે. તે આવતા ભવે શેઠ પૈસો ય દાનમાં આપી ના શકે. હવે આવી ઝીણી વાત કોને સમજાય ? ત્યાં બીજો કોઈ ગરીબ હોય, તેની પાસે પણ એ જ લોકો ગયા હોય દાન લેવા, ત્યારે એ ગરીબ માણસ શું કહે કે, “મારી પાસે તો અત્યારે પાંચ જ રૂપિયા છે તે બધા ય લઈ લો. પણ અત્યારે જો મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા ય આપી દેત !” આમ દીલથી કહે. હવે આણે પાંચ જ રૂપિયા આપ્યા, તે ડિસ્ચાર્જમાં કર્મફળ આવ્યું. પણ મહીં સૂક્ષ્મમાં શું ચાર્જ કર્યું ? પાંચ લાખ રૂપિયા આપવાના, તે આવતા ભવે પાંચ લાખ આપી શકશે, ડિસ્ચાર્જ થશે ત્યારે. Page #22 -------------------------------------------------------------------------- ________________ દાન ૩૬ દાન એક માણસ દાન આપ્યા કરતો હોય, ધર્મની ભક્તિ કર્યા કરે, મંદિરોમાં પૈસા આપે, બીજું બધું આખોય દહાડો ધર્મ કર્યા કરતો હોય, તેને જગતના લોક શું કહે કે આ ધર્મિષ્ઠ છે. હવે એ માણસનાં અંદરખાને શું વિચાર હોય કે કેમ કરીને ભેળું કરું ને કેમ કરીને ભોગવી લઉં ! અંદર તો એને અણહક્કની લક્ષ્મી પડાવી લેવાની ઈચ્છા બહુ હોય. અણહક્કનાં વિષય ભોગવી લેવામાં જ તૈયાર હોય ! એટલે ભગવાન એનો એક પૈસો ય જમે કરતાં નથી. એનું શું કારણ ? કારણ એ કે એ બધાં સ્થૂળકર્મ છે અને એ સ્થૂળકર્મનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે. લોકો આ સ્થૂળકર્મને જ આવતા ભવનાં કર્મ માને છે. પણ એનું ફળ તો અહીંનું અહીં જ મળી જાય છે અને સૂક્ષ્મકર્મ કે જે અંદર બંધાઈ રહ્યું છે, જેની લોકોને ખબર જ નથી. તેનું ફળ આવતા ભવે મળે છે ! આજે કોઈ માણસે ચોરી કરી, તે ચોરી એ સ્થૂળકર્મ છે. તેનું ફળ આ ભવમાં જ મળી જાય છે. જેમ કે એને અપજશ મળે, પોલીસવાળો મારે તે બધું ફળ, એને અહીનું અહીં મળી જ જવાનું. લક્ષ્મી માટે ચાર્જિંગ ! પ્રશ્નકર્તા: બધા લોકો લક્ષ્મીની પાછળ બહુ દોડે છે. તો એનું ચાર્જ વધારે થાયને, તો એને આવતા ભવ લક્ષ્મી વધારે મળવી જોઈએ ને ? દાદાશ્રી : આપણે લક્ષ્મી ધર્મને રસ્તે વાપરવી હોય એવું ચાર્જ કર્યું હોય તો વધારે મળે. પ્રશ્નકર્તા : પણ આમ મનથી ભાવ કર્યા કરે કે મને લક્ષ્મી મળે, તો આવતા ભવમાં, આ ભાવ કર્યા, એ “ચાર્જ' કર્યું તો એને કુદરત લક્ષ્મી પૂરી ના પાડે ? દાદાશ્રી : ના, ના, એનાથી લક્ષ્મી ના મળે. આ લક્ષ્મી મળવાના જે ભાવ કરે છે ને તેનાથી લક્ષ્મી મળતી હોય તો ય ના મળે. ઊલટો અંતરાય પડે. લક્ષ્મી સંભારવાથી મળે નહીં, એ તો પુણ્ય કરવાથી મળે. ચાર્જ' એટલે પુણ્યનું ચાર્જ કરે, તો લક્ષ્મી મળે. એ ય લક્ષ્મી એકલી ના મળે. પુણ્યના ચાર્જમાં જેની ઇચ્છા હોય, કે મને લક્ષ્મીની બહુ જરૂર છે, તો એને લક્ષ્મી મળે. કોઈ કહેશે, મારે તો ફક્ત ધર્મ જ જોઈએ, તો ધર્મ એકલો મળી જાય અને પૈસા ના ય હોય. એટલે એ પુણ્યનું પાછું આપણે ટેન્ડર ભરેલું હોય કે આવું મારે જોઈએ છે. એ મળવામાં પુણ્ય વપરાય. કોઈ કહેશે, “મારે બંગલા જોઈએ, મોટરો જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ'. તો પુણ્ય એમાં વપરાઈ જાય, ધર્મમાં કશું ના રહે. અને કોઈ કહેશે, મારે ધર્મ જ જોઈએ, મોટરો ના જોઈએ. મારે તો આવડી બે રૂમો હશે તો ય ચાલશે, પણ ધર્મ જ વધારે જોઈએ તો એને ધર્મ વધારે હોય ને બીજું ઓછું હોય. એટલે એ પુણ્યનું પોતાના હિસાબે પાછું ટેન્ડર ભરે. આવી દાતતો ? ત્યાં દાત તક્કામું ત્યારે આ વીતરાગ વિજ્ઞાન તમને કેટલું મુક્ત કરે એવું સુંદર છે વિચારતાં નથી લાગતું ?! કેવું સુંદર છે ! જો સમજે તો ‘જ્ઞાની પુરુષ” પાસે સમજી લે અને બુદ્ધિ પોતાની સમ્યક્ કરાવી લે તો કામ ચાલે એવું છે. વ્યવહારમાં લોકો મારી પાસે બુદ્ધિ એમની સમ્યક કરાવી લે, ભલે જ્ઞાન ના લીધું હોય, તોય મારી સાથે થોડોક વખત બેસે તો બુદ્ધિ સમ્યક થઈ જાય, તે એનું કામ આગળ ચાલે ! આ જ્ઞાન ના હોય ત્યારે શી દશા થાય ? એવું જો માણસ સમજે તો કામનું ! પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગર તો આનો પાર જ નથી આવે એવો. દાદાશ્રી : પાર જ નથી આવે એવો. એ તો વાત જ કરવા જેવી નથી. એ પચાસ હજાર રૂપિયા દાન આપતો હોય, તોય તમને પાછો શું કહે, “આ શેઠનું દબાણ છે એટલે આપું, નહીં તો આવું નહીં.” પોતે એકલો જાણે એટલું જ નહીં. તમને હઉ જણાવે. પાછો બીજાને જણાવે કે હું તો Page #23 -------------------------------------------------------------------------- ________________ દાન ૩૭ ૩૮ દાનું આવો પાકો છું. આ જુઓ છોને, આ બધું બહાર તો ?” નકામાં ધૂળધાણી થઈ ગયા. એટલે આ સત્સંગમાં પડી રહ્યા, તેનું કામ થઈ ગયુને ! આખી દુનિયાની ભાંજગડ ગઈને ! દાત પણ ગુપ્તપણે ! પ્રશ્નકર્તા: આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છેને ? દાદાશ્રી : કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે. આત્માને રસ્તે કીર્તિ તો એની બહુ ફેલાય, પણ એ કીર્તિમાં એ ઈન્ટરેસ્ટ ના પડે. કીર્તિ તો ફેલાય જ ને ! ચક્યકિત હીરો હોય તે જોઈને સહુ કોઈ કહે કે “કેટલું સરસ લાઈટ આવે છે, એરીયા કેટલાં બધાં પડે, કહે ખરાં પણ એને પોતાને એમાં મઝા ના આવે. જ્યારે આ સંસારી સંબંધની કીર્તિઓ છે, એ કીર્તિ માટે જ ભિખારી છે. કીર્તિની ભીખ છે અને એટલા હારુ લાખ રૂપિયા હાઈસ્કૂલમાં આપે, દવાખાનામાં આપે, પણ કીર્તિ એને મળી જાય એટલે બહુ થઈ ગયું ! પાછાં તેય વ્યવહારમાં બોલે કે દાન ગુપ્ત રાખજો. હવે ગુપ્ત કો'ક જ આપે. બાકી સહુને કીર્તિની ભૂખ એટલે આપે. તો લોકોય વખાણ કરે કે ભાઈ, આ શેઠ, ઓહોહો, લાખ રૂપિયાનું દાન આપ્યું ! એટલો એનો બદલો અહીંનો અહીં જ મળી ગયો. એટલે આપીને એનો બદલો અહીંનો અહીં જ લઈ લીધો. અને જેણે ગુપ્ત રાખ્યું, એને બદલો આવતે ભવે લેવાનો રાખ્યો. બદલો મળ્યા વગર તો રહેતો જ નથી. તમે લો કે ના લો, પણ બદલો તો એનો હોય દાન ગુપ્ત હોવું જોઈએ. જેમ આ મારવાડી લોકો ભગવાનની પાસે છાનામાના નાખી આવે છેને ! કોઈને ખબરેય ના પડે તો એ ઊગે. એ વ્યવહાર સારો ગણાય ! પ્રશ્નકર્તા: હીરાબાની બાબતમાં તમે આ પાછળ વાપર્યું એ વ્યવહારમાં કેવું કહેવાય ? દાદાશ્રી : આ સંસાર વ્યવહારમાં સારું કહેવાય એ. પ્રશ્નકર્તા: આપણે રહેવાનું સંસાર વ્યવહારમાં જ. દાદાશ્રી : આ સંસારના વ્યવહારમાં ખરું, પણ એમાં સારું દેખાય આ. અને એ તો સારું દેખાય એટલા માટે હું ના કરું. એ તો હીરાબાની ઇચ્છા હતી એટલે મેં કર્યું. આ મને સારું-ખોટાની પડેલી ના હોય તે છતાં ખોટું ના દેખાય એવું રહેતાં હોઈએ. પ્રશ્નકર્તા : એ તો તમારા માટે વાત થઈ પણ અમારે માટે શું ? દાદાશ્રી : તમારે થોડું વર્તવું પડે, બહુ ખેંચવાની જરૂર નહીં, સાધારણ વર્તવું પડે. વાહ વાહમાં પુણ્ય વપરાઈ જાય ! પ્રશ્નકર્તા : આ કહો છો એવો કાયદો હોય તો તો હીરાબાનું વાપર્યું એટલે તમને પુણ્ય મળે. દાદાશ્રી : મને શું મળે ? અમારે લેવાદેવા નહીં. મારે તો કશું લેવાદેવા જ નહીં ને ! આમાં પુણ્ય બંધાય નહીં આ. આ તો પુણ્ય ભોગવાઈ જાય. વાહ વાહ બોલાઈ જાય. અગર તો કોઈ ખરાબ કરી જાય તો મૂઆએ જુઓને, બગાડ્યું બધું” કહેશે. એટલે અહીંનું અહીં જ બધું થઈ જાય. હાઈસ્કૂલ બંધાવી'તી, પોતપોતાની ઇચ્છાપૂર્વક દાન આપવાનું હોય. આ તો બધું ઠીક છે, વ્યવહાર છે. કોઈ દબાણ કરે કે તમારે આપવા જ પડશે. પછી ફૂલહાર કરે એટલે આપે એ. Page #24 -------------------------------------------------------------------------- ________________ દાને ૩૯ ૪૦ દાન તે અહીં ને અહીં જ વાહ વાહ થઈ ગઈ. ત્યાં મળે નહીં. પ્રશ્નકર્તા : સ્કૂલ તો છોકરાઓ માટે બનાવી, એ લોકો ભણ્યાગણ્યા, સદ્વિચાર ઉત્પન્ન થયા. દાદાશ્રી : એ જુદી વસ્તુ છે. પણ તમારી વાહ વાહ મળે તે થઈ ગયું, વપરાઈ ગયું. કોઈના તિમિતે કોઈને મળે ? પ્રશ્નકર્તા : વાહ વાહ તો જેને માટે વાપર્યું એને જાયને નહીં કે તમને. તમો જેને માટે જે કાર્ય કરો છો, એનું ફળ એને જાય. જેના માટે આપણે જે પુણ્ય કરીએ તે એને મળે. આપણને ના મળે. કરે એને ના મળે. દાદાશ્રી : આપણે કરીએ ને પેલાને મળે ? એવું સાંભળ્યું છે કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : એના નિમિત્તે આપણે કરીએ છીએને ? દાદાશ્રી : એના નિમિત્તે આપણે કરોને ?! એના નિમિત્તે આપણે ખાતાં હોય તો શું વાંધો ? ના, ના, એ બધું આમાં ફેર નથી. આ તો બધું બનાવટ કરીને લોકોને અવળે રસ્તે ચઢાવે, એના નિમિત્તે ! એને ખાવાનું ના હોય ને આપણે ખાઈએ તો શું ખોટું ? બધું કાયદેસર જગત છે આખું આપણા આત્માની શક્તિ એકદમ ખીલી જાય. એ આપણી જોડે આવ્યું. પ્રશ્નકર્તા અને અહીં તો જે વાપર્યું, એ તો વાહ વાહ કરે એ જ મળેને ? દાદાશ્રી : મળી ગયું. વાહ વાહ મળી ગઈ. વાહ વાહ'તું જમણ' ! પ્રશ્નકર્તા: હું જે દાન કરું છું એમાં મારો ભાવ ધર્મ માટેનો, સારાં કામ માટેનો હોય છે. એમાં લોકો વાહવાહ કરે તો એ આખું ઊડી ના જાય ? દાદાશ્રી : આમાં મોટી રકમો વપરાઈ તે બહાર પડી જાય ને તેની વાહ વાહ બોલાય. અને એવી રકમોય દાનમાં જાય છે જેને કોઈ જાણે નહીં ને વાહ વાહ કરે નહીં એટલે એનો લાભ રહે ! આપણે એની માથાકૂટમાં પડવા જેવું નથી. આપણા મનમાં એવો ભાવ નથી કે લોકો ‘જમાડે ! આટલો જ ભાવ હોવો જોઈએ ! જગત તો મહાવીરનીય વાહ વાહ કરતું હતું ! પણ એને એ “પોતે' સ્વીકારે નહીંને ! આ દાદાનીય લોક વાહ વાહ કરતું હતું ! પણ એને એ ‘પોતે' સ્વીકાર કરે નહીંને ! અને આ ભૂખ્યા લોકો તરત સ્વીકારે છે. દાન ઉઘાડું પડ્યા વગર રહે જ નહીંને ! લોકો તો વાહ વાહ કર્યા વગર રહે નહીં પણ પોતે એને સ્વીકારે નહીં એટલે પછી શો વાંધો ? સ્વીકારે તો રોગ પેસેને ?! જે વાહવાહ સ્વીકારતો નથી એને કશું જ હોતું નથી. વાહવાહ પોતે સ્વીકારતો નથી. એટલે એને કશી ખોટ ના જાય અને વખાણ કરે છે અને પુણ્ય બંધાય છે. સત્કાર્યની અનુમોદનાનું પુણ્ય બંધાય છે. એટલે આવું બધું અંદરખાને છે. આ તો બધા કુદરતી નિયમો છે. જે વખાણ કરે એને એ કલ્યાણકારી થાય. વળી જે સાંભળે એના મનમાં સારા ભાવનાં બીજ પડે કે “આ પણ કરવા જેવું ખરું, આપણે તો આવું જાણતા જ નહોતા !” ત્યાં ખીલે આત્મશક્તિઓ ! બાકી જોડે પેલું આવવાનું છે. આ જોડે આવે નહીં. અહીં તરત ને તરત કિંમત મળી જાય એની, વાહ વાહ તરત મળી જાય. અને આત્મા માટે મૂકેલું હોય એ જોડે આવે. પ્રશ્નકર્તા : જોડે શું આવવાનું, કહ્યું ! દાદાશ્રી : જોડે તો આપણે પેલું આપીએ ત્યાં આત્મા માટે, તે Page #25 -------------------------------------------------------------------------- ________________ દાન ૪૧ ૪૨ દાન પ્રશ્નકર્તા: આપણે સારું કામ તન, મન ને ધનથી કરતા હોઈએ, પણ કોઈ આપણું ખરાબ જ બોલે, અપમાન કરે તો તેનું શું કરવું ? દાદાશ્રી : જે અપમાન કરે છે તે ભયંકર પાપ બાંધી રહ્યો છે. હવે આમાં આપણું કર્મ ધોવાઈ જાય છે ને અપમાન કરનારો તો નિમિત્ત બન્યો. વાહ વાહતી પ્રીતિ ! અરે, હું તો મારો સ્વભાવ માપી જોઉંને ! હું છે તે અગાસ જતો હતો. તે ઘડીએ કોન્ટ્રાક્ટનો ધંધો હતો. હવે સો રૂપિયાની કંઈ ભીડ નહી, તે દહાડે પૈસાની કિંમત બહુ. પૈસાની છૂટ હતી તોય પણ હું અગાસ જઉં ત્યારે ત્યાં આગળ રૂપિયા લખાવી લઉં. તે સોની નોટ કાઢીને કહ્યું કે, ‘લો પચીસ લઈ લો ને પોણા સો પાછા આપો.” હવે પોણા સો પાછા ના લીધા હોત તો ચાલત. પણ મન ચીકણું ને ભિખારી, તે પોણા સો પાછા લેતો. પ્રશ્નકર્તા : દાદા, તમે ત્યારે પણ કેટલું સૂક્ષ્મ જોતા હતા ? દાદાશ્રી : હા, પણ મારું કહેવાનું કે આ સ્વભાવ, પ્રકૃતિ જાય નહીંને ! તે પછી મેં તપાસ કરી. આમ લોકો મને કહે કે “બહુ નોબલ છો તમે !” કહ્યું, “આ કેમનું નોબલ ?!” અહીં આગળ ચીકાશ કરે છે. પછી તપાસ કરતાં મને પોતાને જડ્યું કે મને વાહ વાહ કરે ત્યાં લાખ રૂપિયા ખર્ચી નાખે, નહીં તો રૂપિયો ય ન આપે. એ સ્વભાવ તદન ચીકણો નહીં. પણ વાહ વાહ ના કરે, ત્યાં ધર્મ હોય કે ગમે તે હોય, પણ ત્યાં અપાય નહીં અને વાહ વાહ કરી કે બધી કમાણી ધૂળધાણી કરી નાખે. દેવું કરીનેય કરે. હવે વાહ વાહ કેટલા દહાડા ? ત્રણ દહાડા. પછી કશુંય નથી. ત્રણ દહાડા સુધી પોક પડે જરા પછી બંધ થઈ જાય. જુઓને, મને યાદ આવે છે. સો આપવાના તેના પોણા સો પાછા લઉં. મને આ દેખાય છે, હજુયે. એ ઓફિસ દેખાય છે. પણ મેં કહ્યું, ‘આવો ઢંગ !” આ લોકોનાં કેવાં મોટાં મન હોય છે ! હું મારા ઢંગને સમજી ગયેલો. ઢંગ બધા. આમ મોટું મનેય ખરું. પણ વાહવાહ, ગલીપચી કરનાર જોઈએ. ગલીપચી કરી કે ચાલ્યું. પ્રશ્નકર્તા : દાદા, એ જીવનો સ્વભાવ છે. દાદાશ્રી : હા, એ પ્રકૃતિ, બધી પ્રકૃતિ છે. અને આ પાકાં, પેલા (વાણિયા) બેઠા છેને, તે પાકાં. એ વાહ વાહથી છેતરાય નહીં. એ તો આગળ જમે થાય છે કે અહીંનું અહીં રહે છે ? પેલું વાહ વાહવાળું તો અહીં વટાઈ ગયું. એનું ફળ લઈ લીધું મેં, ચાખી લીધું મેં અને આ તો વાહ વાહ ના ખોળે, ત્યાં ફળ ખોળે એ ઓવરડ્રાફટ, બહુ પાકા, વિચારશીલ લોકોને ! આપણા એક કરતાં વધારે વિચારશીલ. આપણે તો ક્ષત્રિય લોકોનો એક ઘા ને બે ટુકડા ! બધા તીર્થકરો ય ક્ષત્રિય થયેલા. સાધુઓ જાતે કહે છે, અમારાથી તીર્થંકર થવાય નહીં. કારણ કે અમે સાધુ થઈએ તો વધુ ત્યાગ કરીને પણ એકાદ ‘ગીની” રહેવા દઈએ અંદર ! કો'ક દહાડો અડચણ પડે તો ? એ એમની મૂળ ગ્રંથિ અને તમે તરત આપી દો. પ્રોમિસ ટુ પે એટલે બધું પ્રોમિસ જ ! બીજું આવડે નહીંને ! સમજણ નહીં મહીં. “થીંકર જ નહીં. પણ છૂટકારો વહેલો એમને મળે. પ્રશ્નકર્તા છૂટકારો વહેલો મળે ! દાદાશ્રી : હા, એ લોકો મોક્ષે જાય. કેવળજ્ઞાન થાય. પણ તીર્થકરો તો આ ક્ષત્રિયો જ હોય. એ લોકો બધા કબૂલ કરે કે મારી પાસે, આપણે ક્ષત્રિય કહેવાઈએ. આપણને એવું આવડે નહીં. બહુ ઊંડું આ. અને આ તો વિચારશીલ પ્રજા ! બધું વિચારી વિચારીને, દરેક વસ્તુ વિચારીને કામ કરે. અને આપણે (ક્ષત્રિયોને) પસ્તાવાનો પાર નહીં. પેલાને પસ્તાવો ઓછો આવે. ...પણ તક્તીમાં ભેલાઈ ગયું! Page #26 -------------------------------------------------------------------------- ________________ દાન ૪૪ કોઈ ધર્માદામાં લાખ રૂપિયા આપે અને તક્તી મૂકાવડાવે અને કોઈ માણસ એક રૂપિયો જ ધર્માદામાં આપે, પણ ખાનગી આપે, તો આ ખાનગી આપે એની બહુ કિંમત છે, પણ ભલેને એક જ રૂપિયો આપ્યો હોય. અને આ તક્તી મૂકાવી એ તો ‘બેલન્સ શીટ’ પૂરી થઈ ગઈ. સોની નોટ તમે મને આપી ને મેં તમને છૂટા આપ્યા, એમાં મારે લેવાનુંય ના રહ્યું ને તમારે દેવાનુંય ના રહ્યું ! તમે આ ધર્માદા કરીને પોતાની તક્તી મૂકાવી, તેને પછી લેવા-દેવાનું કશું રહ્યું નહીંને ! કારણ કે જે ધર્માદો આપ્યો, એનું એણે તક્તી મૂકાવી લઈ લીધું. અને જેણે એક જ રૂપિયો પ્રાઈવેટમાં આપ્યો હશે એનું લેવાઈ-દેવાઈ ગયું નથી, એટલે એને બેલેન્સ બાકી રહ્યું. અમે મંદિરોમાં ને બધે ફર્યા. ત્યાં કેટલીક જગ્યાએ આખી ભીંતો તક્તીઓ, તક્તીઓથી ભરેલી હોય ! એ તક્તીઓની વેલ્યુએશન (કિંમત) કેટલી ? એટલે કીર્તિ હેતુ માટે ! અને જ્યાં કીર્તિ હેતુ ઢગલેબંધ હોય ત્યાં માણસ જુએ જ નહીં કે આમાં શું વાંચવું ? આખા મંદિરમાં એક જ તક્તી હોય તો વાંચવા નવરો હોય, પણ આ તો ઢગલાબંધ, આખી ભીંતોના ભીંતો તક્તીઓવાળી કરી હોય તો શું થાય ? છતાંય લોક કહે છે કે મારી તક્તી મૂકાવજો ! લોકોને તક્તીઓ જ પસંદ છેને !! - લક્ષ્મી દીધી તે તક્તી લીધી ! પ્રશ્નકર્તા : કેટલાંક લોકો સમજ્યા વગર આપે તો અર્થય નહીં એનો. દાદાશ્રી : ના, સમજ્યા વગર ના આપે. એ તો બહુ પાકાં. એ તો પોતાના હિતનું જ કરે. પ્રશ્નકર્તા : ધર્મનું સમજ્યા વગર, નામ માટે આપે, તક્તી લગાડવા માટે આપે. દાદાશ્રી : એ નામ તો, હમણે આ નામનું થઈ ગયું ! પહેલાં તો નામનું નહીં. આ તો હમણે વેચવા માંડ્યા નામ, આ કળિયુગને લીધે. બાકી પહેલાં નામ-બામ હતું જ નહીં. એ આપ્યા જ કરે નિરંતર એટલે ભગવાન એમને શું કહેતા હતા ? શ્રેષ્ઠી કહેતા હતા અને અત્યારે એ શેઠ કહેવાય છે. શુભ ભાવ ર્યે જાવ ! પ્રશ્નકર્તા : એક તરફ મહીં ભાવ થાય કે મારે આમ દાનમાં બધું આપી દેવું છે, પણ રૂપકમાં એય થતું નથી. દાદાશ્રી : એ અપાય નહીંને ! આપવું કંઈ સહેલું છે ? દાન આપવું એ તો અઘરી વસ્તુ ! તેમ છતાં ભાવ કરવો. નાણું સારા રસ્તે આપવું એ આપણી સત્તાની વાત નથી. ભાવ કરી શકાય પણ આપી ના શકાય અને ભાવનું ફળ આવતા ભવે મળે. દાન તો ભમરડા શી રીતે આપે ? અને જો આપે છે તે ‘વ્યવસ્થિત’ અપાવડાવે છે, તેથી આપે છે. ‘વ્યવસ્થિત' કરાવડાવે છે એટલે માણસ દાન કરે છે. અને ‘વ્યવસ્થિત નથી કરાવડાવતું એટલે માણસ દાન નથી કરતા. ‘વીતરાગ’ને દાન લેવાનો કે આપવાનો મોહ ના હોય. એ તો ‘શુદ્ધ ઉપયોગી’ હોય ! દાન આપતી વખતે ‘હું દાન આપું છું’ એવો ભાવ થાય છે, તે વખતે પુણ્યનાં પરમાણુઓ ખેંચાય છે અને ખરાબ કામ કરતી વખતે પાપના ખેંચાય છે. એ પછી ફળ આપતી વખતે શાતા ફળ આપે કે અશાતા ફળ આપે. જ્યાં સુધી અજ્ઞાની હોય, ત્યાં સુધી ફળ ભોગવે, સુખદુ:ખ ભોગવે. જ્યારે જ્ઞાની એ ભોગવે નહીં, ‘જાણ્યા’ કરે. લક્ષ્મીનો સદુપયોગ શેમાં ? પ્રશ્નકર્તા : પણ ધારો કે કોઈના પુણ્યકર્મ એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી પોતે જ ઉપયોગ કરવો ? દાદાશ્રી : નહીં, એ પૈસા ઘરના માણસોને દુઃખ ન થાય એવી રીતે વાપરવા. ઘરનાં માણસને પૂછવું કે ભઈ, તમને અડચણ નથી ને ? ત્યારે Page #27 -------------------------------------------------------------------------- ________________ દાન ૪પ ઇન એ કહે, “ના, નથી.” તો એ લિમિટ એની, પૈસા વાપરવાની. એટલે પછી આપણે એ પ્રમાણે કરવું. પ્રશ્નકર્તા: સન્માર્ગે તો વાપરવાનું ને ? દાદાશ્રી : પછી, બીજા બધા સન્માર્ગે જ વાપરવાના. ઘરમાં વપરાશે એ બધા ગટરમાં જશે. અને બીજે જે વપરાશે એ તમારા પોતાને જ માટે સેફસાઈડ થઈ ગઈ. હા, અહીંથી જોડે લઈ જવાતા નથી, પણ બીજે રસ્તે સેફસાઈડ કરી શકાય છે. પ્રશ્નકર્તા : પણ આમ તો એ જોડે જ લઈ ગયા જેવું કહેવાય ને ! દાદાશ્રી : હા, જોડે લેવા જેવું જ આપણે સેફસાઈડવાળું. એટલે કોઈ રસ્તે બીજાને કંઈ પણ સુખ થાય એને માટે વાપરવું. એ બધું તમારી સેફસાઈડ છે. પ્રશ્નકર્તા ઃ લક્ષ્મીનો સદુપયોગ કોને કહેવાય ? દાદાશ્રી : લોકોના ઉપયોગ માટે કે ભગવાન માટે વાપરીને તે સદુપયોગ કહેવાય. અમારી ય ભાવતા સદા રહી ! મારી પાસે લક્ષ્મી હોત તો હું લક્ષ્મી ય આપત, પણ એવી કંઈ મારી પાસે લક્ષ્મી હજુ આવી નથી અને આવે તો હજુ ય આપવા તૈયાર છું. શું કંઈ મારે જોડે લઈ જવાનું છે બધું ? પણ કંઈક આપો બધાંને ! છતાં જગતને લક્ષ્મી આપ્યા કરતાં કેવી રીતે આ જગતમાં સુખી થાય, જીવન કેવી રીતે ચલાવાય એવો માર્ગ દેખાડો. લક્ષ્મી તો દસ હજાર આપીએને તો બીજે દહાડે એ નોકરી બંધ કરી દે. એટલે ના અપાય લક્ષ્મી. એવી રીતે લક્ષ્મી આપવી એ ગુનો છે. માણસને આળસુ બનાવી દે. એટલે બાપે દીકરાને માટે લક્ષ્મી વધારે નહીં આપવાની, નહીં તો દીકરો દારૂડિયો થશે. માણસને નિરાંત વળી કે બસ, બીજે ઊંધે રસ્તે ચઢ્યો ! છોકરાઓને આપવું કે દાન કરવું ? પ્રશ્નકર્તા : એટલે પુણ્યના ઉદય જોઈએ, તેના કરતાં વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ? દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારુ બહુ રાખવી નહીં. એમને ભણાવવા-ગણાવવા, બધું કમ્પ્લિટ કરી, એમને સર્વિસ લગાવી દીધાં એટલે પછી એ ડાળે (કામ) લાગ્યા. એટલે બહુ રાખવી નહીં. થોડુંક બેન્કમાં કોઈ જગ્યાએ મૂકી રાખવું. દસ-વીસ હજાર, તે કો'ક ફેરો મુશ્કેલીમાં આવ્યો હોય તો એને આપી દેવા. એને કહેવું નહીં કે ભઈ, મેં મૂકી રાખ્યા છે. હા, નહીં તો મુશ્કેલીમાં ના આવતા હોય તોય આવે. એક માણસે મને પ્રશ્ન કર્યો કે, “છોકરાંને કશું ના આપવું ?” કહ્યું, “છોકરાંને આપવાનું. આપણા બાપે આપણને આપ્યું એ બધું જ આપવું. વચલો જે માલ છે તે આપણો. તે આપણે ફાવે ત્યાં ધર્માદામાં વાપરી નાખીએ. પ્રશ્નકર્તા : અમારા વકીલના કાયદામાં ય એવું ખરું કે વડીલોપાર્જિત પ્રોપર્ટી(મિલકત) ખરી, તે છોકરાંને આપવી જ પડે અને સ્વોપાર્જિત તેની અંદર બાપને જે કરવું હોય તે કરે. દાદાશ્રી : હા, જે કરવું હોય તે કરે. હાથે જ કરી લેવું ! આપણો માર્ગ શું કહે છે કે તારો પોતાનો હોય તે માલ તું જુદો કરીને વાપર, તો તે તારી જોડે આવે. કારણ કે આ જ્ઞાન લીધા પછી હજુ એક-બે અવતાર બાકી રહ્યા છે, તે જોડે જોઈશને ! બહારગામ જઈએ છીએ તો થોડાં ઢેબરાં લઈ જઈએ છીએ, તો આ ના જોઈએ બધું ? પ્રશ્નકર્તા : વધારે તો ક્યારે કહેવાય ? ટ્રસ્ટી તરીકે રહે તો. દાદાશ્રી : ટ્રસ્ટી તરીકે રહેવું ઉત્તમ છે. પણ એવું ન રહી શકાય, બધાથી ના રહી શકાય. તેય સંપૂર્ણ ટ્રસ્ટી તરીકે ના રહેવાય. ટ્રસ્ટી એટલે તો જ્ઞાતા-દ્રષ્ટા થયો. પણ ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ ના રહેવાય. પણ ભાવ એવો Page #28 -------------------------------------------------------------------------- ________________ દાન ૪૮ દાન થોડાક આપણે આપી દેવા. એને જોઈતી હોય, તેમાં અડધી રકમ આપણે આપવી ને અડધી બેંકની લોન ભર્યા કરે. એટલે ગોદા મારનાર જોઈએ એને. જેથી દારૂ ના પીવે. પછી છોકરો કહે કે “આ વર્ષમાં મારે લોન ભરાતી નથી. ત્યારે કહીએ કે હું લાવી આપું તને પાંચ હજાર, પણ આપી દેવાના વહેલા. એટલે પાંચ હજાર લાવી આપવાના. પછી આપણે પેલા પાંચ હજાર સંભારીએ. ‘પેલા વહેલા આપી દેવાના છે, એવું કહ્યું છે.” આવું સંભારીએ તો છોકરો કહે, ‘તમે કચકચ ના કરશો હમણે.” એટલે આપણે સમજી જવાનું. ‘બહુ સારું છે એ.’ એટલે ફરી લેવા જ ના આવને ! આપણને વાંધો નહીં, ‘કચકચ કરો છો' એવું કહે તેનો, પણ લેવા આવે નહીંને ! હોયને તો થોડું ઘણું રહી શકાય. અને છોકરાંને તો કેટલું આપવાનું હોય ? આપણા ફાધરે આપ્યું હોય, કંઈ ના આપ્યું હોય તોય આપણે કંઈ ને કંઈ આપવું જોઈએ. છોકરા દારૂડિયા બને ખરા, બહુ વૈભવ હોય તો ? પ્રશ્નકર્તા : હા, બને. છોકરાઓ દારૂડિયા ન બને એટલું તો આપવું જોઈએ ? દાદાશ્રી : એટલું જ આપવું જોઈએ. પ્રશ્નકર્તા : વધારે વૈભવ આપીએ તો એવું થઈ જાય. દાદાશ્રી : હા, એ હંમેશાં ય એનો મોક્ષ બગાડશે. હંમેશા પદ્ધતિસર જ સારું. છોકરાંને વધુ આપવું એ ગુનો છે. એ તો ફોરેનવાળા બધા સમજે છે ! કેવા ડાહ્યા છે !! આમને તો સાત પેઢી સુધીનો લોભ ! મારી સાતમી પેઢીના મારા છોકરાને ત્યાં આવું હોય. કેટલા લોભિયા છે આ લોકો ?! છોકરાને આપણે કમાતો-ધમાતો કરી આપવો જોઈએ એ આપણી ફરજ અને છોડીઓને આપણે પૈણાવી દેવી જોઈએ. છોડીઓને કંઈક આપવું જોઈએ. અત્યારે છોડીઓને પાર્ટ અપાવડાવે છે ને ભાગીદાર તરીકે ? પૈણાવીએ તે એમાં ખર્ચ થાયને ? તે ઉપરથી થોડું ઘણું આપીએ. એને જણસો આપી, તે આપીએ જ છીએને ! પણ પોતાનું તો પોતે વાપરવું જોઈએ. પ્રશ્નકર્તા: છોકરાંઓને ઘર-ધંધો આપવો અને દેવું આપવું ને ? દાદાશ્રી : આપણી પાસે મિલિયન ડોલર હોય કે અડધો મિલિયન ડોલર હોય તો ય છોકરો જે મકાનમાં રહેતો હોય, તે છોકરાને આપવાનું. તે પછી એક ધંધો કરી આપવો, એને ગમતો હોય છે. કયો ધંધો ગમે છે એ પૂછી અને એને જે ધંધો ઠીક લાગે એ કરી આપવાનો. અને પચ્ચીસત્રીસ હજાર બેંકના લઈ આપવા. લોન ઉપર તે ભર્યા કરે એની મેળે અને એટલે આપણી સેફસાઈડ આપણે રાખવાની અને પછી ખોટા ના દેખાઈએ, છોકરા પાસે. છોકરો કહેશે, ‘બાપા તો સારા છે, પણ મારો સ્વભાવ વાંકો છે. હું અવળું બોલ્યો તેથી. બાકી બાપા બહુ સારા છે !” એટલે છટકી, નાસવું આ જગતમાંથી. આદર્શ વીલ ! છોકરીને અમુક પ્રમાણમાં આપવું. છોકરાને આપવું, પણ અમુક પ્રમાણમાં. બાકી અડધી મૂડી તો આપણી પાસે રહેવા દેવી. એટલે પ્રાઈવેટ ! એટલે નહીં જાહેર કરેલી. બીજી બધી જાહેર કરવી અને કહેવું કે, અમારાં બે જણને જીવતાં સુધી જોઈએને ?” એટલે આપણે પદ્ધતિસર, સમજણપૂર્વક કામ કરવું. પ્રશ્નકર્તા: પણ માણસ મરી જાય, પછીનું વીલ કેવું હોવું જોઈએ ? દાદાશ્રી : ના, મર્યા પછી તો જે છે તે આપણી પાસે, અઢી લાખ રૂપિયા વધ્યા છે, તે તો આપણી હાજરીમાં જ મર્યા સુધી રહેવા જ ના દેવાં. બનતાં સુધી ઓવરડ્રાફટ કરાવી જ લેવા. દવાખાનાના, જ્ઞાનદાનના બધા ઓવરડ્રાફટ કઢાવી લેવા અને પછી વધે તે છોકરાઓને આપવા. તે Page #29 -------------------------------------------------------------------------- ________________ દાન ૪૯ ૫૦ દાન વધારવા ય ખરા થોડાક. એ લાલચ એમની છે ને, તે લાલચ હારુ પચાસ હજાર રાખવા. પછી બીજા બે લાખના તો ઓવરડ્રાફટ કઢાવી લેવાના, આવતે ભવ આપણે શું કરીએ ? આ બધા ગયા અવતારનાં ઓવરડ્રાફટ અત્યારે વાપરો છો, તો આ અવતારમાં ઓવરડ્રાફટ ના કાઢવો પડે ? હા, કોઈને આપણે આપ્યા નથી આ. આ લોકોના હિતને માટે, લોકકલ્યાણ માટે વાપર્યા એ છે તે ઓવરડ્રાફટ કહેવાય. છોકરાને આપીને તો પસ્તાયેલા, એવા પસ્તાયેલા કે ખરેખર ! છોકરાનું હિત કેવી રીતે કરવું, તે આપણે સમજવું જોઈએ. તે મારી જોડે આવીને વાતચીત કરી જવી. એટલે હું કહું છું કે ધૂળમાં જાય એના કરતાં કંઈ સારા રસ્તે જાય એવું કંઈક કરો. જોડે કામ લાગશે અને ત્યાં તો જતી વખતે ચાર નાળિયેર બંધાવશે ને ! અને તે ય છોકરો શું કહેશે, “જરા સસ્તામાંના, પાણી વગરનાં આપજો ને !” તમારા પૈસા જો વધારાના હોય તો સારે રસ્તે પૈસા વાપરજો, લોકોના સુખને માટે વાપરજો. એટલા જ તમારા, બાકી ગટરમાં...! આ તો આવું બધું ના બોલવું જોઈએ. છતાં બોલીએ છીએ અમે ! તે આમ હિસાબ ચૂકવાય ! પ્રશ્નકર્તા: એક માણસને આપણે પાંચસો રૂપિયા આપ્યા ને રૂપિયા પેલો પાછાં આપી ન શક્યો. અને બીજું, આપણે પાંચસો રૂપિયાનું દાન કર્યું. તો આ બેમાં શું તફાવત ? - દાદાશ્રી : આ દાન કર્યું એ જુદી વસ્તુ છે. એમાં દાન લે છે એ દેવાદાર બનતો નથી. તમારા દાનનો બદલો તમને બીજી રીતે મળે છે. દાન લેનાર માણસ એ બદલો નથી આપતો. જ્યારે પેલામાં તો તમે જેની પાસે રૂપિયા માગો છો, તેની મારફતે જ તમને અપાવવું પડે છે. પછી છેવટે દહેજ રૂપે પણ એ રૂપિયા આપશે. આપણામાં નથી કહેતા કે છોકરો છે ગરીબ કુટુંબનો, પણ કુટુંબ ખાનદાન છે. એટલે પચાસ હજાર એને દહેજ આપો ! આ શેની દહેજ આપે છે ! આ તો જે માંગતું છે એ જ આપે છે. એટલે આવો હિસાબ છે બધો. એક તો છોડી આપે છે ને રૂપિયા પણ આપે છે. એટલે આમ બધો હિસાબ ચૂકવાઈ જાય છે. ખાતરીદાર કહેતાર ! કોઈ પાંચ હજાર ડોલર તમારા હાથમાંથી લઈ ખેંચાવી જાય તો શું કરો ? પ્રશ્નકર્તા : એવા ઘણાં ખેંચાઈ ગયા છે. બધી મિલકતો પણ ચાલી ગઈ છે. દાદાશ્રી: તો શું કરો ? મનમાં કશું થતું નથી ? પ્રશ્નકર્તા: કાંઈ નહીં. દાદાશ્રી : એટલું સારું, ત્યારે તો ડાહ્યા છો. ખેંચાઈ જવા હારુ જ આવે છે. અહીં નહીં પેસે તો અહીં પેસી જશે. માટે સારી જગ્યાએ પેસાડી દેજો, નહીં તો બીજી જગ્યાએ તો પેસી જવાના જ છે. નાણાંનો સ્વભાવ જ એવો એટલે સારે રસ્તે નહીં જાય તો અવળે રસ્તે જશે. સારે રસ્તે થોડા ગયા ને અવળે રસ્તે વધારે ગયા. પ્રશ્નકર્તા : સારો રસ્તો બતાવો. ખબર શી રીતે પડે કે રસ્તો સારો કે ખરાબ ? દાદાશ્રી : સારો રસ્તો તો આમ.... અમે એક પૈસો લેતાં નથી. હું મારા ઘરનાં કપડાં પહેરું છું. આ દેહનો હું માલિક નથી ! છવ્વીસ વર્ષથી આ દેહનો હું માલિક નથી. આ વાણીનો હું માલિક નથી. હવે તમને જ્યારે કંઈક ખાતરી બેસે, મારી પર થોડો વિશ્વાસ બેસે, એટલે હું તમને કહું કે ભઈ, અમુક જગ્યાએ તમે પૈસો નાખો તો સારા રસ્તે વપરાશે. તમને મારી પર થોડી ખાતરી બેસે એટલે હું તમને કહું તો વાંધો ખરો ? પ્રશ્નકર્તા : ના. Page #30 -------------------------------------------------------------------------- ________________ દાન દાન દાદાશ્રી : એ જ સારો રસ્તો. બીજો કયો ? ખાતરીદાર કહેનારા હોવો જોઈએ. ખાતરીવાળો ! જેનું કમિશન ના હોય સહેજેય ! એક પાઈ પણ એમાં કમિશન ના હોય, ત્યારે એ ખાતરીવાળા કહેવાય ! એવું અમને દેખાડનાર મળ્યા નહીં. અમને જેમાં ને તેમાં કમિશન... (જાય એવું દેખાડનારા મળ્યા !). પ્રશ્નકર્તા : દાદા, અમને રસ્તો બતાવતા રહેજો. દાદાશ્રી : જ્યાં કંઈ પણ કમિશન છે ત્યાં ખોટે રસ્તે નાણું જાય છે ! હજુ તો આ સંઘના ચાર આના વપરાયા નથી, કોઈ કારકુન કે એને ખાતે ! બધા પોતાના ઘરના પૈસાથી કામ કરી લે છે એવો આ સંઘ, પવિત્ર સંઘ ! એટલે સાચો રસ્તો આ છે. જ્યારે નાખવા હોય તો નાખજો અને તે તમારી પાસે હોય તો, ના હોય તો નાખશો નહીં. હવે આ ભઈ કહે કે, “હું ફરી નાખું, દાદા ?” તો હું કહું, ના, બા, તું તારો ધંધો કર્યા કર. હવે એક ફેરો નાખ્યા એણે ! અહીં ફરી નાખવાની જરૂર નહીં ! હોય તો ગજા પ્રમાણે નાખો ! વજન દસ રતલ ઊંચકાતું હોય, તો આઠ રતલ ઊંચકો, અઢાર રતલ ના ઊંચકો. દુ:ખી થવા માટે નથી કરવાનું ! પણ સરપ્લસ નાણું અવળે રસ્તે ના જાય, એટલા માટે આ રસ્તો દેખાડીએ. આ નહીં તો લોભમાં ને લોભમાં ચિત્ત રહ્યા કરે, ભમ્યા કરે ! એટલે જ્ઞાની પુરુષ દેખાડે કે અમુક જગ્યાએ નાખજો. તાણું લાખો સીમંધર સ્વામીના દેશમાં ! વધારે નાણું હોય તો સીમંધર સ્વામીના દેરાસરમાં આપવા જેવું બીજું એકેય સ્થાન નથી. અને ઓછું નાણું હોય તો મહાત્માઓને જમાડવા જેવું બીજું એકુંય નથી ! અને એથી ઓછું નાણું હોય તો કોઈ દુ:ખીયાને ત્યાં આગળ આપજો. અને તે ય રોકડાથી નહીં, ખાવાનું-પીવાનું બધું પહોંચાડીને ! ઓછા નાણામાં ય દાન કરવું હોય તો પોષાય કે ના પોષાય ઓળખો સીમંધર સ્વામી ! આપણે અહીં આગળ તમે સીમંધર સ્વામીનું નામ તો સાંભળેલુંને? એ હાલ તીર્થંકર છે, મહાવિદેહ ક્ષેત્રમાં ! એમની હાજરી છે આજે. સીમંધર સ્વામીની ઉંમર કેટલી સાઇઠ-સિત્તેર વર્ષની હશે ? પોણા બે લાખ વર્ષની ઉંમર છે ! હજુ સવા લાખ વર્ષ જીવવાના છે ! આ એમની જોડે તાર, સાંધો મેળવી આપું છું. કારણ કે ત્યાં જવાનું છે. હજુ એક અવતાર બાકી રહેશે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. હજી એક અવતાર બાકી રહેશે. એમની પાસે બેસવાનું છે, એટલે સાંધો મેળવી આપું છું. અને આ ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. આખા વર્લ્ડનું કલ્યાણ થશે ! આખા વર્લ્ડનું કલ્યાણ થશે નિમિત્તથી. કારણ કે એ જીવતા છે. ગયેલા હોય ને એ કશું જ ધોળે નહીં, ખાલી પુણ્ય બંધાય. અનન્ય ભક્તિ, ત્યાં અપાય ! આપણે મોક્ષમાં જવાનું છે ત્યાં આગળ મોક્ષમાં જવાય એટલું પુણ્ય જોઈએ. અહીંયા તમે સીમંધર સ્વામીનું જેટલું કરશો, એટલું બધું તમારું આવી ગયું. બધું બહુ થઈ ગયું. એમાં એવું નથી કે આ ઓછું છે. એમાં તો તમે જે (આપવા માટે) ધાર્યું હોયને એ બધું કરો. એટલે બધું થઈ ગયું. પછી આથી વધારે કરવાની જરૂર નથી. પછી દવાખાના બાંધો કે બીજું બાંધો. એ બધું જુદે રસ્તે જાય. એય પુણ્ય ખરું પણ પાપાનુબંધી પુણ્ય. અનુબંધય પાપ કરાવડાવે અને આ પુણ્યાનુબંધી પુણ્ય. આ છે જીવતા જાગતા દેવ ! લક્ષ્મીના સદુપયોગનો સાચામાં સાચો રસ્તો કયો અત્યારે ? ત્યારે કહે, ‘બહાર દાન આપવું તે ?” કૉલેજમાં પૈસા આપવા તે ? ત્યારે કહે, ના, આપણા આ મહાત્માઓને ચા-પાણી, નાસ્તા કરાવો. એમને સંતોષ આપવો એ સારામાં સારો રસ્તો. આવા મહાત્મા વર્લ્ડમાં મળશે નહીં. ત્યાં Page #31 -------------------------------------------------------------------------- ________________ દાન ૫૩ ૫૪ દાન સત્યુગ જ દેખાય છે અને બધા આવ્યા હોય તો તમારું કેમ ભલું થાય એ જ આખો દહાડો ભાવના. નાણું ના હોય ને તો પેલાને ત્યાં જમો, કરો, રહો, એ બધું આપણું જ છે. સામસામી પરસ્પર છે. જેની પાસે સરપ્લસ છે તે વાપરો. અને વધારે હોય તો મનુષ્યમાત્રને સુખી કરો ને સારું છે અને એથી આગળ જીવમાત્રના સુખને માટે વાપરે. બાકી સ્કૂલોમાં આપો, કૉલેજોમાં આપો, તેની નામના મળશે પણ આ સાચું છે. આ મહાત્માઓ તદન સાચા છે એની ગેરેન્ટી આપું છું. ભલે ગમે તેવા હશે. પૈસેટકે ઓછા હશે, તોય એમની દાનત સાફ, ભાવના યે બહુ સુંદર છે. પ્રકૃતિ તો જુદી જુદી હોય જ. આ મહાત્માઓ તો જીવતા જાગતા દેવ છે. આત્મા મહીં પ્રગટ થયેલો છે. એક ક્ષણ પણ આત્માને ભૂલતાં નથી. ત્યાં આત્મા પ્રગટ થયેલો છે, ત્યાં ભગવાન છે. પ્રશ્નકર્તા: લોકોને જમાડીએ તે ઊગે નહીં ? દાદાશ્રી : એ ઊગે ને, પણ અહીંનું અહીં વાહ વાહ થાય એ જ. એનું ઉપરનું અહીંનું અહીં મળી જાય છે. અને પેલું ત્યાં મળે. વાહ વાહ ના થાય એ ત્યાં મળે. પ્રશ્નકર્તા : એટલે સાથે લઈ જવાનું, એમ ને ? દાદાશ્રી : પેલું સાથે લઈ જવાનું, આ તમે દસ આપ્યા એ સાથે લઈ જવાના અને અહીં વાહ વાહ થઈ ગઈ એટલે વપરાઈ ગયું. પ્રશ્નકર્તા : તો કાલથી બધાને જમાડવાનું બંધ કરી દેવું પડશે. દાદાશ્રી : તમારે જમાડવાનું એ તો ફરજિયાત જ છે. ફરજિયાતને તો કર્યા વગર છૂટકો જ ના થાય. આ તો એવું છે ને, આ મહાત્માઓને જમાડજો, બહારના લોકોને જમાડવું એ જુદી વસ્તુ છે. એ વાહ વાહનું કામ છે. અહીં કોઈ વાહ વાહ કહેવા માટે નથી આવ્યા. આ મહાત્માઓ તો, વર્લ્ડમાં કોઈ એવાં પુરુષો નથી મળવાના કે એવાં બ્રાહ્મણો નથી મળવાના, કે આવાં હોય, કે જેમને કંઈ પણ તમારું લેવાની ઈચ્છા નથી, કંઈ પણ દ્રષ્ટિ જ ફેર નથી એ મહાત્માઓને. આ મહાત્માઓ કેવા છે, જે કોઈ પણ જાતનો લાભ ઉઠાવવામાં નથી, ત્યારે એવા મહાત્માઓ ક્યાંથી હોય ?! આ તો જગત બધું લાગવાળું, આ મહાત્માઓ તો કરેક્ટ માણસો. આવાં માણસો જ ના હોયને, આ દુનિયામાં જ ન હોય ! એવું ઈચ્છા જ ના હોય કે આ ડૉક્ટર મારે કામના છે. એવું એમના મનમાં વિચારે ય ના આવે અને પેલા લોકોને તો તરત જ ડૉક્ટર આવ્યા, કો'ક દા'ડો કામના છે. એટલે મૂઆ શું આ ખાલી દવા પીવા સારું ?! સાજો છું તો ય દવા પીવા દોડે છે. આ મહાત્માઓ શું છે એ મારા જો શબ્દો સમજેને, એ ભગવાન જેવા છે પણ આ મહાત્માઓને ખબર નથી. આ આમને ચા-પાણી પાશે, જમાડશે, ખવડાવશે, મોટામાં મોટો યજ્ઞ કહેવાય, ફર્સ્ટ કોટીનો યજ્ઞ. બંગડીઓ વેચીને જમાડશેને તોય બહુ સારું. બંગડીઓ શાંતિ નહીં આપે. મહાત્માની જોડે બેસીએ તો દાનત ખોરી ના હોય. એટલે આ મહાત્માઓને તો જેટલા જમાડાય એટલા જમાડ-જમાડ કરવા. ચા પાશો તો ય બહુ થઈ ગયું. આવી સમજણ પાડવી પડે ! એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા ? ત્યારે મેં કહ્યું, આને પૈસા આપવાની સમજણ પડતી નથી. મેં કહ્યું, ‘તારી પાસે પૈસા છે ?” ત્યારે કહે છે, ‘હા’. ત્યારે મેં કહ્યું, ‘આવી રીતે આપજે.' હું જાણું કે આ માણસ દિલનો બહુ ચોખ્ખો અને ભોળા દિલનો છે. એને સાચી સમજણ પાડો. વાત એમ બની હતી કે અમે એક ભાઈને ત્યાં ગયેલા. એમણે એક Page #32 -------------------------------------------------------------------------- ________________ દાન ૫૫ ૫૬ દાન માણસને મને મૂકવા માટે મોકલ્યો. ખાલી મૂકવા માટે જ. પેલા ડૉક્ટરને કહે કે દાદાને ગાડીમાં મૂકવા તમે ના જશો. હું મૂકી આવીશ. તે મૂકવા પૂરતું આવ્યા ને તેમાં વાતચીત થાય ! એ ભાઈ મારી પાસે સલાહ માગતા હતા કે મારે પૈસા આપવા છે તો ક્યાં આપવા, કેવી રીતે આપવા ? ‘બંગલો બાંધ્યો ત્યારે તો પૈસા કમાયા હશો.' પછી ત્યારે કહે, ‘બંગલો બાંધ્યો, સિનેમા થિયેટર બાંધ્યું. હમણે સવા લાખ રૂપિયા તો મારા ગામમાં દાનમાં આપ્યા છે. ત્યારે મેં કહ્યું કે ‘વધારે કમાયા હો તો એકાદ આપ્તવાણી છપાવી દેજો.' તરત જ એ કહે, ‘તમે કહો એટલી જ વાર. આ તો મને ખબર જ નહીં આવી. મને કોઈ સમજણ પાડતું જ નથી.' પછી કહે છે, “આ મહિનામાં તરત જ છપાવી દઈશ.' પછી જઈને પૂછવા માંડ્યો કે કેટલા થાય ? ત્યારે કહ્યું કે, “વીસ હજાર થાય.” તરત જ કહે છે કે, “આટલી ચોપડી મારે છપાવી દેવાની !” મેં ઉતાવળ કરવાની ના કહી એ ભાઈને. એટલે આવા ભલા માણસ હોય કે જેને સમજણ ના પડતી હોય દાન આપવાની અને એય પૂછે તો એને દેખાડીએ. આપણે જાણીએ કે આ ભોળો છે. એને સમજણ પડતી નથી તો એને દેખાડીએ. બાકી સમજણવાળાને તો અમારે કહેવાની જરૂર નહીં ને ! નહીં તો એને દુઃખ થાય. અને દુઃખ થાય એ આપણે જોઈતા નથી. આપણને પૈસાની જરૂર જ નથી. સરપ્લસ હોય તો જ આપજો. કારણ કે જ્ઞાનદાન જેવું કોઈ દાન નથી જગતમાં ! કારણ કે આ જ્ઞાનની ચોપડીઓ કોઈ વાંચે, એમાં કેટલો બધો ફેરફાર થઈ જાય. એટલે હોય તો આપવાના, ના હોય તો આપણને કંઈ જરૂર જ નથી ત્યાં આગળ ! દાદાશ્રી : સરપ્લસ તો તમે આજે આપો ને કાલે ચિંતા થાય એવું ઊભું થાય એ ના કહેવાય. હજુ છ મહિના સુધી આપણને ઉપાધિ નથી પડવાની એવું આપણને લાગે તો કામ કરવું, નહીં તો કરવું નહીં. જો કે આ કામ કરશો તો તમારે ઉપાધિ નહીં જોવી પડે. આ કામ તો એની મેળે જ પૂરાઈ જાય છે. આ તો ભગવાનનું કામ છે. જે જે કરે છે એમનું એમ ને એમ સરભર થઈ જાય છે. પણ છતાં મારે તમને ચેતવણી આપવી જોઈએ. મારે શા હારુ તમને કહેવું જોઈએ કે આંધળુંબહેરું કરજો ? આંધળિયા કરજો એવું હું શા માટે કરવા કહું ? હું તો તમારા હિતને માટે ચેતવું છું કે “ગયા અવતારમાં જો તમે આપ્યું હતું, તેથી આ મળે છે અત્યારે અને અત્યારે આપશે તો ફરી મળશે. આ તો તમારો જ ઓવરડ્રાફટ છે. મારે કશું લેવા-દેવા ય નથી. હું તો તમને સારી જગ્યાએ નખાવડાવું છું, એટલું જ છે.” ગયા અવતારે આપ્યું હતું, તે આ અવતારમાં લઈએ છીએ. કંઈ બધામાં અક્કલ નથી ? ત્યારે કહે, “અક્કલથી નથી આપ્યા. ઉપરથી જ છે ! તમે બેન્કમાં ઓવરડ્રાફટ ક્રેડિટ કર્યો હશે, તે તમારા હાથમાં ચેક આવશે.” એટલે બુદ્ધિ સારી હોય ને તો પાછું જોઈન્ટ થઈ જાય બધું. લેતાં ય કેવી ઝીણી સમજણ ! અહીં ફક્ત પુસ્તકો જે છપાય એ જ અને એટલી ખાતરી ખરી કે આ પુસ્તકોના પૈસા આવી મળશે, એની મેળે જ. એને માટે નિમિત્ત છે પાછળ, એ બધા આવી મળે છે. એમને કંઈ બૂમ પાડવી કે ભીખ માગવી પડતી નથી. કોઈ પાસે માંગીએ તો એને દુઃખ થાય. તો કહેશે કે આટલા બધા ? “આટલા બધા કહ્યું કે તેની સાથે એને દુઃખ થાય છે. એવું આપણને ખાતરી થઈ ગઈને ? અને કોઈને દુઃખ થયું એટલે આપણો ધર્મ રહ્યો નહીં. એટલે સહેજે ય આપણાથી મંગાય નહીં. એ પોતે રાજીખુશીથી કહેતો હોય તો આપણાથી પૈસા લેવાય. એ પોતે જ્ઞાનદાનને સમજે તો જ લેવાય. એટલે જેણે જેણે આપ્યા છે કે, તે પોતે જ્ઞાનદાન સમજીને આપે સરપ્લસતું જ દાન ! પ્રશ્નકર્તા : સરપ્લસ કોને કહેવાય ? Page #33 -------------------------------------------------------------------------- ________________ દાન આવો છે મોક્ષમાર્ગ ! આ ભાઈ ભેલાડી દેતા હતા. તે પછી મને પૂછતા હતા કે શું મોક્ષનો માર્ગ ? મેં કહ્યું, “ આ જ મોક્ષનો માર્ગ. આથી બીજો મોક્ષનો માર્ગ કેવો હોય તે ? પોતાની પાસે હોય એ ભેલાડી દેવું મોક્ષને માટે. એનું નામ મોક્ષનો માર્ગ. છેવટે તો પૂળો મૂકવાનો છે ને ? છેવટે તો મૂળો મૂકીએ, દરેકને મૂક્યા વગર રહેવું પડે છે ? તમને કેવું લાગે છે ? જે પાસે છે એને ભેલાડી દેવું. અને તે સારાં કામ માટે, મોક્ષને માટે અગર મોક્ષાર્થીઓ, જિજ્ઞાસુઓ માટે અગર જ્ઞાનદાન માટે ભેલાડી દેવું, એ મોક્ષનો જ માર્ગ. છે. એની મેળે જ આપે છે. અત્યાર સુધી માગ્યું નથી. અહીં પુસ્તક છપાવ્યું હોયને તો પૈસા આપણા દીપે ને તે પુણ્ય હોય તો જ મેળ બેસે. પૈસા સારા હોય તો જ છપાવાય, નહીં તો છપાવાય નહીંને ને એ મેળ ખાય નહીંને ! હરીફાઈ ના હોય અહીં ! અને હરીફમાં એ બોલવાની જરૂર નહીં. આ હરીફની લાઈનવાળું નથી કે અહીં બોલી બોલ્યા કે આ આમને ઘી આટલું બોલ્યા ને આ આટલું બોલ્યા ! વીતરાગોને ત્યાં આવી હરીફાઈ હોય નહીં. પણ આ તો દુષમકાળમાં પેસી ગયું. દુષમકાળનાં લક્ષણો બધાં. હરીફાઈ કરવી એ તો ભયંકર રોગ છે. માણસ ચડસે ચઢે. આપણે ત્યાં કોઈ એવું લક્ષણ ના હોય. અહીં પૈસાની માગણી ના હોય. દાદાના હદયની વાત ! એટલા બધા કાગળો આવે છે કે આપણે શી રીતે પહોંચી વળવું એ જ મુશ્કેલી છે એટલે હવે બીજા લોકો છપાવી લેશે ત્યારે. આપણે તો આ ફ્રી ઑફ કોસ્ટ આપીએ એ પહેલી વખત, ફર્સ્ટ ટાઈમ. પછી એની મેળે લોકો છપાવી લે. આ તો આપણું આ જ્ઞાન ઊભું થયેલું છેને, તે ભૂસાઈ ના જાય. એટલા માટે છપાવી નાખવાનું અને કો'ક ને કો’ક મળી આવે, એની મેળે જ હા પાડે. આપણે ત્યાં અહીં ફરજિયાત વસ્તુ નથી. આપણે ત્યાં “લૉ’ નથી. ‘નો લૉ એ જ લૉ'. વહાલાને વહેતું મૂક્યું સમાધિ ! સમાધિ ક્યારે આવશે ? સંસારમાં જેની પર અતિશય વહાલ છે, એ વહેતું મૂકવામાં આવશે ત્યારે. સંસારમાં શેની પર અતિશય વહાલ છે ? લક્ષ્મીજી ઉપર. તો એને વહેતી મૂકો. ત્યારે કહે છે કે વહેતી મૂકે છે ત્યારે વધારે ને વધારે આવવા માંડી. ત્યારે મેં કહ્યું કે, “વધારે આવે તો વધારે વહેતી મૂકજો.” વહાલી ચીજને વહેતી મૂકો તો સમાધિ થાય. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન મુંબઈ : પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન, ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદાસાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૪ ફોનઃ (022) 4137616, Mobile: 9820-153953 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ, પ, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજ પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ - 380 014. ફોનઃ (09) 754,408, 7543979, ટેલીફેક્સ: 7545420 E-Mail : dimple@ad1.vsnl.net.in વડોદરા : શ્રી ધીરજભાઈ પટેલ, ‘જ્ઞાનાંજન', સી-૧૭, પલ્લવ પાર્ક સોસાયટી, વી.આઈ.પી. રોડ, કારેલીબાગ, વડોદરા. ફોનઃ (0265) 441627 રાજકોટ : શ્રી રૂપેશ મહેતા, એ-૩, નંદનવન એપાર્ટમેન્ટ, ગુજરાત સમાચાર પ્રેસની સામે, રાજકોટ. ફોન : (0281) 234597 સુરત : શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, 35, શાંતિવન સોસાયટી, લંબે હનુમાન રોડ, પંચરત્ન ટાવર પાછળ, સુરત. ફોન : (0261) 244964 U.S.A. : Dada Bhagwan Vignan Institue : Dr. Bachu Amin, 902 SW Mifflin Rd, Topeka, Kansas 66606. Tel.: (785) 271-0869 Fax : (785) 271-8641. E-mail : amino@attglobal.net Dr. Shirish Patel, 2659 Raven Circle, Corona, Ca 91720 Tel.: (909) 734-4715.Fax: (909) 734-4411 U.K. : Mr. Maganbhai Patel, 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel: 20 8245-1751 Mr. Ramesh Patel, 636, Kenton Road, Kenton Harrow. Tel.: 20 8204-0746 Fax: 20 8907-4885 E-mail : rameshpatel@636kenton.freeserve.co.uk Canada : Mr. Suryakant N. Patel, 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel.: (416) 247-8309 Africa : Mr. Manu Savla, PISU & Co., Box No. 18219, Nairobi, Kenya, Tel:(R) (254119744943(O) 554836 Fax:545237 Internet : WWW.dadashri.org