SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય દાદા ભગવાન' કોણ ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન' સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્યું અધ્યાત્મનું અભૂત આશ્વર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’ નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘ અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ( ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.'' પુણ્ય કરવાનાં રસ્તાઓ શાસ્ત્રોએ ને ધર્મગુરુઓએ અનેક વર્ણવ્યા છે. તેમાંનું એક છે દાન. દાન એટલે બીજાંને આપણું કંઈક આપી તેને સુખ આપવું તે. દાન આપવાની પ્રથા તો મનુષ્યના જીવનમાં નાનપણથી અપનાવવામાં આવી છે. અને નાનું બાળક હોય તેને ય મંદિરમાં લઈ જાય તો બહાર ગરીબ માણસોને પૈસા અપાવડાવે છે, ખાવાનું અપાવડાવે છે, મંદિરમાં દાનની પેટીમાં પૈસા નખાવડાવે છે. આમ બાળપણથી દાનના સંસ્કાર મળતાં જ હોય છે. દાન આપતાં અંદરની અજાગૃતિ હોય તો આપીને ય કેવી ખોટ ખવાય છે, તેનું સૂક્ષ્મ નીરુપણ પરમ પૂજ્ય દાદાશ્રીએ કર્યું છે. દાન દેતાં કઈ જાગૃતિ રાખવી ? ઊંચામાં ઊંચું દાન કર્યું ? દાન કેવાં કેવાં પ્રકારે હોઈ શકે ? એની પાછળ ભાવનાઓ કેવી ઘટે ? દાન કોને દેવાય ? વિ.વિ. અનેક દાનસંબંધી વિગતો જે દાદાશ્રીની જ્ઞાનવાણી દ્વારા વહી છે. તે પ્રસ્તુત પુસ્તિકામાં સંકલિત કરી પ્રકાશિત કરવામાં આવી છે. જે સુજ્ઞ વાંચકને દાન દેવામાં ઉત્તમ માર્ગદર્શિકા બની રહેશે ! આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંક પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાન સિદ્ધિ આપેલ. પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન તેમના પગલે પગલે તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ લઈને હજારો મોક્ષાર્થી સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. - ડૉ. નીરુબહેન અમીન
SR No.008851
Book TitleDaan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size390 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy