________________
શ્રી રત્નાકર પચ્ચીશીનો ગુજરાતી અનુવાદ.
હરિગીત છંદ. મંદિર છે મુક્તિતણી માંગલ્યક્રીડાના પ્રભુ, ને ઇંદ્ર નર ને દેવના સેવા કરે તારી વિભુ, સર્વજ્ઞ છે સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણા. ૧ ત્રણ જગતના આધાર ને અવતાર હે કરૂણ તણા, વળી વૈદ્ય હે દુરવાર આ સંસારનાં દુઃખે તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણે છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરૂં. ૨ શું બાળકે માબાપ પાસે બાળકીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું ના ઉચ્ચરે; તેમજ તમારી પાસ તારક આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. મેં દાન તે દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ શુભ ભાવ પણ ભાગ્યે નહિ, એ ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું, હારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪ હુ ક્રોધ અગ્નિથી બન્યો વળી લેભ સર્પ ડ મને, ગળે માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને; મન મારૂં માયાજાળમાં મેહન મહા મુંઝાય છે, ચડી ચાર ચાર હાથમાં ચેતન ઘણે ચગદાય છે. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com