Book Title: Vandittu Pratikraman Author(s): T U Mehta Publisher: Neki Pankaj Shah Florida USA View full book textPage 2
________________ સામાયિક અને પ્રતિક્રમણ જૈનોમાં સામાયિક અને પ્રતિક્રમણ એ બે શબ્દો વધારે પ્રચલિત છે. સામાયિકમાં અડતાલીસ મિનિટ લગી વાંચન, મનન અને નિદિધ્યાસન કરીને સમતાયોગ સાધવાનો હોય છે. સાધુઓ અને સાધ્વીઓ સમતાયોગને સાધીને જ દીક્ષિત થાય છે. એટલે એમને સામાયિક કરવાનું હોતું નથી. કારણ કે ચોવીસે કલાક એમની સામાયિક હોય છે. પણ ગૃહસ્થાશ્રમી શ્રાવક-શ્રાવિકાઓ સામાયિક કરે છે. એટલે કે સમતાયોગ સાધવાની તાલીમ મેળવે છે. પ્રતિક્રમણ એટલે આખા દિવસમાં જે જે કંઈ ક્રિયાઓ (મનથી, વચનથી અને કાયાથી) કરી હોય તેનું ચિંતન કરવાનું હોય છે. જેને આલોચના શબ્દથી ઓળખવવામાં આવે છે. એમાં જે ભૂલ દેખાય છે તેનું નિંદામણ કરવાનું હોય છે. જેને નિંદના શબ્દથી ઓળખવામાં આવે છે. એવી જ રીતે સારી વસ્તુ સ્થાપવાની હોય છે. એટલે કે ભૂલોને દૂર કરી નવા સંકલ્પો કરવાના હોય છે. જેને ગઈણા કહેવામાં આવે છે. આ પ્રતિક્રમણમાં ક્ષમાપનાનો પાઠ પણ આવે છે. ક્ષમાપના એટલે માફી માંગવી. ખાસ કરીને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની ક્ષમા માગવાની હોય છે. એવી જ રીતે પ્રાણીમાત્રની પણ ક્ષમા માગવાની હોય છે. જેવો અપરાધ કે ભૂલ ખ્યાલમાં આવે કે તરત (પાણીવાળી હાથની રેખા સુકાય નહીં તે પહેલાં) માફી માગી લેવી જોઈએ. આમ બધા ધર્મો પોતાના છે અને તેથી કોઇપણ ધર્મની અસાતના (અપમાન) અવિનય, અભકિત કે અપરાધ નહિ કરવો જોઈએ અને કદાચ થઈ જાય તો તેની તુરત માફી માગી લેવી જોઈએ. આ છે પ્રતિક્રમણનો સાર. મારા રણાપુરના સમૌન એકાંતવાસમાં – તે સમયના કાષ્ઠમૌનમાં, જે કંઈ લખાતું તેમાં એક પ્રકારનું કુદરતમય જીવનનું ઓજસ હતું. આજે પણ જ્યારે એ દિવસો યાદ કરું છું ત્યારે એક અવનવો રોમાંચ ખડો થાય છે. આ પ્રતિક્રમણ તે દિવસોની પ્રસાદીરૂપ છે. - સંતબાલ. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44