Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૐ શાસ્ત્રભ્યાસ, મનન,ચિંતન વગેરે આઠ પ્રકારે જ્ઞાનાચારનું પાલન કરવું અને એ રીતે સતત જ્ઞાનાભ્યાસમાં રત રહેવું
૧૩૮
નીરંતર જ્ઞાનોપયોગ રાખવોતે
જીવાદિપદાર્થોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રૂપે જાણવા વાળા મત્યાદિ પાંચ જ્ઞાન છે અજ્ઞાન નિવૃત્તિ તેનું સાક્ષાત્ ફળ છે,હિતાહિતનો વિવેક તે વ્યવહિત ફળ છે આવા જ્ઞાનની ભાવનામાં સદા તત્પર રહેવું તે અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ છે.
-
જીવાદિ પદાર્થરૂપ સ્વતત્વ વિષયક સમ્યગજ્ઞાનમાં નિરન્તર જોડાયેલા રહેવું તે અભીક્ષ્ણ એટલે વારંવાર કે પ્રતિક્ષણ
જ્ઞાન એટલે દ્વાદશાંગી,પ્રવચન,તેનો ઉપયોગ તે જ્ઞાનોપયોગ
અહીં ઉપયોગનો અર્થ પ્રણિધાન કરેલ છે
—અર્થાત્ પ્રતિક્ષણ કે વારંવાર દ્વાદશાંગી -પ્રવચન આદિ રૂપ જ્ઞાનનું પ્રણિધન અથવા આત્માનો તે સંબંધિ વ્યાપાર કે જે વાચના,પૃચ્છના,પરાર્વતના અનુપેક્ષા કે ધર્મો પદેશ રૂપે હોય છે તે તીર્થંકર નામકર્મનો આસ્રવ કરે છે
(૫)અભીક્ષણ સંવેગઃ
સાંસારિક ભોગો જે ખરી રીતે સુખને બદલે દુઃખના જ સાધનો છે તેમનાથી ડરતા રહેવું,એટલે તેમની લાલચમાં કદી ન પડવું એ અભીક્ષ્ણ સંવેગ
સંસારના સુખો પણદુઃખરૂપ લાગવાથી મોક્ષ સુખ મેળવવાની ઇચ્છા ઉત્પન્ન થયેલ શુભ આત્મ પરિણામ [સંવેગ લાવવાના ઉપાયો માટે .૭-મૂ.૭જોવાજેવું છે] વૈરાગ્ય ભાવના સતત પણે જાગતી રહેવી તે અભીક્ષણ સંવેગ
સંવેગ ગુણ ધારણ કરવો અર્થાત્ સંસાર અને તેના કારણો થી સદા ભયભીત રહેવું શરીર,માનસ આદિ અનેક પ્રકારના પ્રિયવિયોગ અને અપ્રિય સંયોગ, ઇષ્ટનો અલાભ આદિરૂપ સાંસારિક દુઃખોથી નિત્યભિરૂતા હોવી તે અભિષ્ણ સંવેગ છે
સંસારના દુઃખોથી નિરંતર ડરતું રહેવું તે સંવેગ
સંવનનું સંવેદ | સંવેગ એટલે બીક કે વિચલન. સંસાર માં જાતિ,જરા,મરણના સ્વભાવને કારણે થતા દુઃખથી, પ્રિયના વિયોગથી, ભય પરિણામ, પ્રતિક્ષણ જગત્નો સ્વભાવ અનિત્ય અને અશુચિ વાળોછેતેવી ચિન્તાથી---- સાંસારિકસુખ ની ઇચ્છાનો અભાવ થવો કે તેનાથી દૂર થવાના જે પરિણામો ઉપજે તો તેનાથી તીર્થંકર નામ કર્માસ્રવ થાય છે
(૫)યથાશકિત(દાન)ત્યાગ:
જરાપણ શકિત છૂપાવ્યા સિવાય આહારદાન, અભયદાન, જ્ઞાનાદાન વગેરે દાનો (અર્થાત્ ત્યાગ)વિવેક પૂર્વક કરવા તે યથાશકિત ત્યાગ
પોતાની શકિત પ્રમાણે ન્યાયોપાર્જિત વસ્ત્ર, પાત્ર આદિનું સુપાત્રમાં દાન આપવું [દાનનું સ્વરૂપ માટે ૬.૭-સૂ.૨૩,૩૪ જોવું] યથાશકિત સુપાત્ર માં દાન અને સંપત્તિ વગેરે ઉપરનો મોહ નો જે ત્યાગ તે યથા શકિત ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178