SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૐ શાસ્ત્રભ્યાસ, મનન,ચિંતન વગેરે આઠ પ્રકારે જ્ઞાનાચારનું પાલન કરવું અને એ રીતે સતત જ્ઞાનાભ્યાસમાં રત રહેવું ૧૩૮ નીરંતર જ્ઞાનોપયોગ રાખવોતે જીવાદિપદાર્થોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રૂપે જાણવા વાળા મત્યાદિ પાંચ જ્ઞાન છે અજ્ઞાન નિવૃત્તિ તેનું સાક્ષાત્ ફળ છે,હિતાહિતનો વિવેક તે વ્યવહિત ફળ છે આવા જ્ઞાનની ભાવનામાં સદા તત્પર રહેવું તે અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ છે. - જીવાદિ પદાર્થરૂપ સ્વતત્વ વિષયક સમ્યગજ્ઞાનમાં નિરન્તર જોડાયેલા રહેવું તે અભીક્ષ્ણ એટલે વારંવાર કે પ્રતિક્ષણ જ્ઞાન એટલે દ્વાદશાંગી,પ્રવચન,તેનો ઉપયોગ તે જ્ઞાનોપયોગ અહીં ઉપયોગનો અર્થ પ્રણિધાન કરેલ છે —અર્થાત્ પ્રતિક્ષણ કે વારંવાર દ્વાદશાંગી -પ્રવચન આદિ રૂપ જ્ઞાનનું પ્રણિધન અથવા આત્માનો તે સંબંધિ વ્યાપાર કે જે વાચના,પૃચ્છના,પરાર્વતના અનુપેક્ષા કે ધર્મો પદેશ રૂપે હોય છે તે તીર્થંકર નામકર્મનો આસ્રવ કરે છે (૫)અભીક્ષણ સંવેગઃ સાંસારિક ભોગો જે ખરી રીતે સુખને બદલે દુઃખના જ સાધનો છે તેમનાથી ડરતા રહેવું,એટલે તેમની લાલચમાં કદી ન પડવું એ અભીક્ષ્ણ સંવેગ સંસારના સુખો પણદુઃખરૂપ લાગવાથી મોક્ષ સુખ મેળવવાની ઇચ્છા ઉત્પન્ન થયેલ શુભ આત્મ પરિણામ [સંવેગ લાવવાના ઉપાયો માટે .૭-મૂ.૭જોવાજેવું છે] વૈરાગ્ય ભાવના સતત પણે જાગતી રહેવી તે અભીક્ષણ સંવેગ સંવેગ ગુણ ધારણ કરવો અર્થાત્ સંસાર અને તેના કારણો થી સદા ભયભીત રહેવું શરીર,માનસ આદિ અનેક પ્રકારના પ્રિયવિયોગ અને અપ્રિય સંયોગ, ઇષ્ટનો અલાભ આદિરૂપ સાંસારિક દુઃખોથી નિત્યભિરૂતા હોવી તે અભિષ્ણ સંવેગ છે સંસારના દુઃખોથી નિરંતર ડરતું રહેવું તે સંવેગ સંવનનું સંવેદ | સંવેગ એટલે બીક કે વિચલન. સંસાર માં જાતિ,જરા,મરણના સ્વભાવને કારણે થતા દુઃખથી, પ્રિયના વિયોગથી, ભય પરિણામ, પ્રતિક્ષણ જગત્નો સ્વભાવ અનિત્ય અને અશુચિ વાળોછેતેવી ચિન્તાથી---- સાંસારિકસુખ ની ઇચ્છાનો અભાવ થવો કે તેનાથી દૂર થવાના જે પરિણામો ઉપજે તો તેનાથી તીર્થંકર નામ કર્માસ્રવ થાય છે (૫)યથાશકિત(દાન)ત્યાગ: જરાપણ શકિત છૂપાવ્યા સિવાય આહારદાન, અભયદાન, જ્ઞાનાદાન વગેરે દાનો (અર્થાત્ ત્યાગ)વિવેક પૂર્વક કરવા તે યથાશકિત ત્યાગ પોતાની શકિત પ્રમાણે ન્યાયોપાર્જિત વસ્ત્ર, પાત્ર આદિનું સુપાત્રમાં દાન આપવું [દાનનું સ્વરૂપ માટે ૬.૭-સૂ.૨૩,૩૪ જોવું] યથાશકિત સુપાત્ર માં દાન અને સંપત્તિ વગેરે ઉપરનો મોહ નો જે ત્યાગ તે યથા શકિત ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy