SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૩ -જ્ઞાન વિનય,દર્શનવિનય,ચારિત્રવિનય,ઉપચારવિનય (૧) જ્ઞાનવિનય:- કાળ,વિનય,બહુમાન,ઉપધાનાદિ આઠ પ્રકારે (૨) વવિનયઃ- નિઃશંક,નિકાંક્ષ,નિર્વિચકિત્સાદિ આઠ પ્રકારે (૩)વારિત્રવિનય :- પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એ આઠ ભેદ (૪)૩૫વારવિનય અભ્યુત્થાન, અંજલી, ચાઅનપ્રદાન વગેરે - આવા પ્રકારના વિનય પરિણામથી પરિણત એવો કર્તા તે વિનય સમ્પન્ન કહેવાય છે. તેનો જ ભાવ તે વિનય સમ્પન્નતા અને આ વિનય સમ્પન્નતા તેતીર્થંકર નામકર્મનો આસવ છે. विनयतेऽनेनाष्टप्रकारं कर्मेतिविनयः ज्ञानदर्शन चारित्रोपचारभेदाच्चतुर्धा : अतिगाम्भीर्यादितत् सम्भृततेत्यर्थः । अनेन तीर्थकरनाम्नः आस्रवो भवति । (૩)શીલ-વ્રત-અનતિચારઃ શીલ અનતિચાર અને વ્રત અનતિચાર એમ બે વસ્તુ સાથે છે ૐ અહિંસા સત્ય આદિ મૂળગુણ રૂપ વ્રતો અને તે વ્રતોના પાલનમાં ઉપયોગી એવા ઉત્તર ગુણરૂપ વ્રત,અભિગ્રહ,નિયમાદિતેશીલ. આ વ્રત અને શીલ એ બંનેના પાલનમાં જરા પણ પ્રમાદ ન કરવો તે ૧૩૭ શીલ અને વ્રતોનું પ્રમાદ રહિત નિરતિચાર પણે પાલન કરવું તે શીલ વ્રતાનતિચાર [વ્રતની વ્યાખ્યા ૬.૭-પૂ. પ્રમાદની વ્યાખ્યા ૬.૮-સૂ. ] શીલ એટલે કે ઉત્તર ગુણ પ્રત્યાખ્યાનમાં અતિચાર ન લાગવા દેવો અને વ્રત એટલે મૂળગુણ પ્રત્યાખ્યાનમાં અતિચાર ન લાગવો દેવો પણ અપ્રમત રહેવું તે અહિંસાઆદિવ્રત તથા તેના પરિપાલન ને માટે ક્રોધવર્જન આદિ શીલના વિષયમાં કાયા,વચન,તથા મનની નિર્દોષ પ્રવૃત્તિ તે શીલવ્રતેષ્વનાતિચાર કહેવાય શ્રાવકને આશ્રીને કહીએ તો પાંચ અણુવ્રત અને સાત શીલ વ્રતોમાં નિરતિ ચાર પ્રવૃત્તિ. શીલ અને વ્રતના વિષયમાં આત્યાન્તિક કે ખૂબજ અપ્રમતતા તે અનતિચાર છે —શીલ એટલે ઉત્તરગુણ જેવાકે પિણ્ડવિશુધ્ધિ,સમિતિ ભાવના વગેરે,મુમુક્ષનું પ્રતિમાગ્રહણ લક્ષણ વગેરે સમાધિ હેતુથી શીલ શબ્દ થકી ઓળખાય છે -વ્રત એટલે પાંચ મહાવ્રત-રાત્રિભોજન વિરતિ પર્યન્ત કહેવાયેલ છે - આ શીલ અને આવ્રત તે શીલવ્રત તેના વિષયમાં અત્યન્ત સંયમ,શીલવ્રતના ગ્રહણ કાળથી આયુષ્યના ક્ષય પર્યન્ત વિશ્રાન્તિ લીધા સિવાય અપ્રમત્ત પણે પાલન કરવું,પ્રકૃષ્ટ પણે અપ્રમત્ત થવું અને શીલ કેવ્રતનેઅતિક્રમ્યાવિના-દોષલગાડયા વિના-આગમસિધ્ધાન્તનુસાર ઉત્સર્ગ અને અપવાદ નેલક્ષમાં રાખી અનુષ્ઠાન કરવું તે શીલ વ્રત અનતિચાર. આ તીર્થંકર નામકર્મનો આસ્રવ છે (૪)અભીક્ષણ જ્ઞાનોપયોગ: ૐ તત્વ વિશેના જ્ઞાનમાં સદા જાગૃત રહેવું તે અભીક્ષણ જ્ઞનોપયોગ વારંવાર-પ્રતિક્ષણ વાચના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય માં રત રહેવું તે અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy