SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [6]અનુવૃત્તિ - સ માસવ: સૂત્ર.૬ ૨ થી આમ્રવની અનુવૃત્તિ 0 8િઅભિનવટીકા -તીર્થકર નામકર્મબંધના હેતુઓ અથવા આગ્નવો માટેસહજ સામાન્ય ૨૦સ્થાનકો આપણે ત્યાં પ્રસિધ્ધ છે લોકપ્રકાશ ગ્રન્થ સર્ગઃ૩૦માં આ ૨૦ કારણો જણાવેલા છે. આ વીશ સ્થાનક નો સંગ્રહ આવશ્યક સૂત્ર તથા જ્ઞાતા ધર્મકથાગમાં પણ કરાયેલો છે અહીં વિવફા ભેદે જે ૧ આગ્નવો જણાવ્યા છે તેની તુલનાત્મક વિચારણા પછી થી કરીશું સર્વપ્રથમ અહીં તત્વાર્થસૂત્રના ક્રમમુજબ એક કપદોની અભિનવટીકા રજૂ કરેલી છે. (૧)દર્શન વિશુધ્ધિઃછે વીતરાગે કહેલા તત્વો ઉપર નિર્મળ અને દૃઢ રુચિ તે દર્શન શુધ્ધિ છે શંકાદિ પાંચ અતિચાર રહિત સમ્યગ્દર્શનનું પાલન સિમ્ય દર્શન નું વર્ણન - .૨ માં થઈ ગયું છે અને પાંચ અતિ ચારોનું વર્ણન મ.૭-પૂ૨૮માં આવશે] છે દર્શન વિશુધ્ધિ એટલે સમકિત ગુણની શુધ્ધિ –નિઃશંકાદિ આઠ આચારો પાળવાથી સમકિત ગુણનું સારી રીતે પાલન થઈ શકે છે -શ્રાવકના સમ્યક્તવ્રતના પાંચ અતિચારોટાળવાથી પણ દર્શન ગુણનીવિશુધ્ધિથઈ શકે છે $ દર્શન વિશુધ્ધિ અર્થાત સમ્યગ્દર્શનની વિશેષ શુધ્ધાવસ્થા # જિનેશ્વર પરમાત્માએ કહેલા નિગ્રન્થ સ્વરૂપ મોક્ષમાર્ગ પર રુચિ રાખવી તે દર્શન વિશુધ્ધિ છે. જેના નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સિત્વ, અમૂઢ દ્રષ્ટિતા, ઉપવૃંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ અંગો છે. $ આવી દર્શન વિશુધ્ધિ-ક્ષાયોપથમિક, ઔપથમિક, અને ક્ષાયિક એમ ત્રણે પ્રકારે સંભવે છે. તેનાથી તીર્થંકર નામકર્મનો આસ્રવ થાય છે. दर्शनविशुद्धिरिति सम्यग्दर्शननिर्मलता शङ्काद्यपायाभावेन, समादर्शनस्थिरता इत्यर्थः तीर्थकरनाम्नः आनवो भवति । (૨)વિનય સંપન્નતાઃ# જ્ઞાનાદિ મોક્ષમાર્ગ અને તેનાં સાધનો પ્રત્યે યોગ્ય રીતે બહુમાન કરવું છે સમ્યગૃજ્ઞાન આદિ મોક્ષના સાધનોનો તથા ઉપકારી આચાર્ય આદિનો યોગ્ય સત્કાર,સન્માન બહુમાન વગેરે કરવું વિનયનું વિસ્તૃત વર્ણન ૧ ના સૂ. ૨રૂમાં છે.] ૪ સમ્યગ્દર્શનાદિ ગુણો અને અરિહંતાદિક ગુણી એમ દશ પ્રકારના ઓની સેવાપ્રતિપત્તિ,હાર્દિક ભકિત,બહુમાન,ગુણોની સ્તુતિ, અવગુણો ઢાંકવા, આશાતના કરવી, વગેરેથી વિનય સાચવી શકાય છેઆ વિનય એ ધર્મવૃક્ષનું મૂળ છે $ વિનય સંપન્નતા એટલે વિનયગુણની પૂર્ણતા ' જ સમ્યજ્ઞાન આદિ મોક્ષના સાધનોને વિશે તથા જ્ઞાનના નિમિત્ત એવા ગુરુ આદિમાં યોગ્ય રીતે સત્કાર આદિ કરવા તથા કષાયની નિવૃત્તિ કરવી તેને વિનય સંપન્નતા કહે છે # રત્નત્રય અને રત્નત્રયના ધારકોનો મહાન આદર તે વિનય સંપન્નતા કહેલી છે $ વિનયએટલે જેના દ્વારા આઠ પ્રકારના કર્મદૂર લઈ જવાય છે [વિનીતે તેના મુખ્ય ચાર ભેદ કહ્યા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy