SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૩ ૧૩૯ $ યથા શકિત એટલે પોતાની શકિત મુજબ. શકિતથી વધુ પણ નહિં અને ઓછું પણ નહીં એ રીતે ત્યાગ કરવો અર્થાત દાનદેવું તે. ૪ બીજાની પ્રીતિને માટે પોતાની વસ્તુ આપવી તે ત્યાગ છે. જેમ કે આહાર દાનથી પાત્રને તે દિવસે પ્રીતિ થાય છે, અભયદાનથી તે જીવને તે ભવમાટે દુઃખ છૂટી જાય છે માટે તેને સંતોષ થાય છે જ્ઞાનાદાનતો અનેક હજારો ભવોના દુઃખનો છુટકારો અપાવનાર છે આ ત્રણે દાન વિધિ પૂર્વક દેવાય તે ત્યાગ છે. $ ત્રણે પ્રકારે ત્યાગ કહ્યો છે. આહાર દાનથી, અભયદાનથી, જ્ઞાનાદાન થી, તેને શકિત અનુસાર વિધિ પૂર્વક દેવું તે યથાશકિત ત્યાગ યથાશક્તિ: શક્તિ એટલે સામર્થ્ય,સત્વનો ઉત્કર્ષયથા એટલે પોતાને અનુરૂપ હોય તેટલું યથાશકિત ત્યાગ એટલે પોતાને અનુરૂપ-સામર્થ્ય અપેક્ષાએ ત્યાગ. પોતાની ન્યાયો પાર્જિત સંપત્તિનું અનુકંપા નિર્જિત આત્માનું ગ્રહના આલંબનને માટે પ્રાણી ઓને દાન કરવું વિશેષ થી કહી એતો વિધિ પૂર્વક સાધુ ભગવંતો ને જ દાન દેવા પૂર્વક સ્વ સંપત્તિનો ત્યાગ કરવો તેને યથાશકિત ત્યાગ કહે છે જેના વડે તીર્થકર નામકર્માસ્રવ થાય છે (૭)યથાશકિત તપઃજ જરાયે શકિત છૂપાવ્યા સિવાય વિવેકપૂર્વક દરેક જાતની સહનશીલતા કેળવવી તે. # પોતાની શકિત અનુસાર બાહ્ય-અભ્યતર તપનું સેવન કરવું -તપના વિસ્તૃત વર્ણન માટે મ૨-મૂજોવું ૪ બાર પ્રકારના તપ [જેનું વર્ણન સૂત્રકાર પોતે જ નવમા અધ્યાયમાં કરશે તેનું યથા શકિત આચરણ કરવું ૪ પોતાની શકિતને ગોપવ્યા સિવાય તથા મોક્ષમાર્ગથી અવિપરીત એવો કાયફલેશ વગેરે જે તપ કરવો તે તપ છે -આ શરીર દુઃખનું કારણ છે, અશુચિ છે, ગમે તેટલા ભોગોને ભોગવવા છતાં તેની તૃપ્તિ થતી નથી–તેમ છતાં આ જ અશુચીમય શરીર આપણને શીલવ્રત આદિગુણોના સંચયમાં આત્માને સહાયતા કરે છે. એવું વિચારી વિષય વિરકત થઈ આત્મકાર્યમાં શરીર નો નોકરની જેમ ઉપયોગ કરવો ઉચિત છે એમ સમજી યથાશકિત તપ કરવું # શક્તિ ન છુપાવી ને મોક્ષમાર્ગને અનૂકુળ- શરીરને ક્લેશ આપવો તે યથાશકિત તપછે. $ “પોતાને અનુરૂપ શકિત સામર્થ્ય અપેક્ષાએ” તે યથાશકિત તપ એટલે કર્મને તાપવા કે શોષવા તે તપ -આ તપ છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારે કહ્યો છે - આપનું યથાશકિત સેવન, અનુષ્ઠાન કે આરાધન કરવું અને તે પણ લોકોની પૂજાઅભિલાષાની તૃષ્ણાથી નિરપેક્ષ થઈને કરવું તે તીર્થકર નામકર્મનો આસ્રવ કરાવે છે (૮)સંઘ સાધુ સમાધિ કરણ - $ ચતુર્વિધ શ્રી સંઘ અને તેમાં પણ વિશેષ કરીને સાધુને સમાધિ પહોચાડવી અર્થાત તે સ્વસ્થ રહે તેમ કરવું એ સંઘ સાધુ સમાધિ કરણ # સંઘ અને સાધુને શાંતિ ઉપજે તેમ વર્તવું. સંઘમાં પોતે અશાંતિ ઉભી ન કરે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy