SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પોતાના નિમિત્ત સિવાય અન્થથી થયેલ અશાંતિનું નિવારણ કરે; સાધુ-સાધ્વીના સંયમ પાલન તથા તેમાં વિશેષ સ્થિરતા આવે તેવું બધું કરી છૂટવું –સંઘમાં સાધુનો સમાવેશ થઈ જ જાય છે છતાં અહીં સાધુનો અલગ નિર્દેશ કર્યો છે તે તેની પ્રધાનતાને જણાવવા માટે છે # સંઘમાં શાંતિ અને સંપ જાળવી રાખવામાં સહાયક થવું તથા અશાંતિ કુસંપ દૂર કરવા-કરાવવા -સાધુભગવંતોને પણ સંયમપાલનમાં અનુકૂળતા થાય તેમ કરવું તથા તેમની રત્નત્રયી આરાધનમાં શાંતિ સમાધિ જળવાય તે જોવું ૪ ચતુર્વિધ શ્રી સંઘ તથા તેમાં રહેલા સાધુઓના તપની રક્ષા કરવી તેને સંઘ સાધુસમાધિ કહે છે $ જે રીતે ભંડાર વગેરેમાં આગ લાગે ત્યારે તેને પ્રયત્ન પૂર્વક શાન્ત કરાય છે તે રીતે અનેકવ્રત શીલથી સમૃધ્ધ મુનિગણ આદિસંઘમાં કોઈ વિઘ્ન ઉદ્ભવેત્યારે તેનું નિવારણ કરવું એ સંઘ-સાધુ સમાધિ છે ૪ સંઘ-એટલે સમુહ, સમ્યક્ત-જ્ઞાનચરણ ના આધારભૂત સાધુઆદિ ચતુર્વિધ શ્રી સંઘ –સમાધિ એટલે સમાધાન, સ્વસ્થતા,નિરૂપદૃવત્વ –કરણ એટલે સાધુ સંઘને સમાધિ ઉત્પન્ન કરાવવી તે - સંઘ તથા સાધુને એ રીતે સમાધિ રખાવવી કે જેથી જ્ઞાન, દર્શન,ચાત્રિમાં વૃધ્ધિ થાય તે સંઘ-સાધુ સમાધિકરણ એ તીર્થકર નામકર્મનો આસ્રવ કરે છે. संघ: ज्ञानादि आधारः साध्वादिसमूहः तस्यसमाधि: स्वस्थता एतत् करणं-साधवः च। (૯)સંધ-સાધુ વૈયાવૃત્યકરણઃ ગમે તેટલી મુશ્કેલીમાં આવી પડેલ સાધુ વગેરે શ્રી સંઘને યોગ્ય રીતે તેમની મુશ્કેલીનું નિવારણ કરવા પ્રયત્ન કરવો તે સંઘ-સાધુ વૈયાવૃત્યકરણ ૪ સાધુઓને આહર, પાણી,ઔષધ,સેવા વગેરે થકી અને આર્થિક કે અન્ય કોઈ આપત્તિમાં આવેલા શ્રાવકોને તેની પ્રતિકુળતા દૂર કરી અથવા વડે ભક્તિ કરવી-વૈિયાવચ્ય વર્ણન ૫.૧-૨૪] . જ સાધુ-મુનિ મહારાજાદિ સંઘની સેવા-ભકિત કરવી તે ૪ સંઘ-સાધુ વગેરે ગુણ પુરુષો ઉપર દુઃખ કે વિપત્તિ આવી જવાથી તેનું નિવારણવ્યાવૃત્તિ કરવી તેનું નામ વૈયાવૃત્ય છે # સાધુ-મુમુક્ષનને પ્રાસક આહર,ઉપધિ,શયા,ઔષધ, વિશ્રામણાદિથકી વૈયાવચ્ચ કરવી અર્થાત્ તેને પડતી મુશ્કેલીનું નિવારણ કરી આરાધનામાં સવિશેષ સ્થિર થાય તે રીતે ભકિત કરવી. તે મન-વચન-કાયાના ભાવોને અથવા શુધ્ધ પરિણામોને સાધુ વૈયાવચ્ચ કહેવાય છે અથવા શ્રી સંઘને સમાધિ ઉત્પન્ન કરાવવા માટે ચિત્તના પરિણામ તે સંઘસમાધિકરણ આ સંઘ અને સાધુ સમાધિકરણ થકી તીર્થકર નામ કર્માસ્રવ થાય છે . (૧૦)અહંતુ ભક્તિ-અરિહંતમાં શુધ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવોતેઅ-અરિહંત ભકિત ૪ રાગાદિ અઢારદોષોથી રહિત હોય તે અરિહંત ગુણોની સ્તુતિ, વંદન, પુષ્પાદિક થી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy