SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૨૩ ૧૪૧ પૂજા આદિ થી અરિહંતની ભકિત કરવી # અરિહંત પરમાત્માની ખૂબ ભાવથી, પૂષ્પાદિકથી પૂજા-સેવાભકિત કરવી, તેમની આજ્ઞા માનવી,દેવદૂત્રાદિની વૃધ્ધિ કરવી,મહાયાત્રા-મહાપૂજા કરાવવી, તીર્થો-પંચકલ્યાણ કાદિ ભૂમિની રક્ષા કરવી, યાત્રા કરવી, કલ્યાણક દિવસોમાં વિશેષ ભકિત કરવી તે છે અરિહંતોના વિષયમાં ઉત્કૃષ્ટભાવ વિશુધ્ધિથી યુકત ભક્તિનું હોવું તે અરિહંત ભક્તિ કેવળજ્ઞાનરૂપીનેત્રધારી,પરહિતપરાયણએવાઅઈન્ત પરમાત્માનો ભાવવિશુધ્ધિ પૂર્વક અનુરાગ કરવો તે અહંતભકિત ૪ પરમાર્થભાવની નિર્મળતા પૂર્વકની જે ભકિત અથવા પરમ ભાવાવિશુધ્ધિ યુકત જે ભકિત-અતિશય ઉકિર્તન, વંદન,સેવા,પુષ્પ, ધૂપ,ગબ્ધ,અર્ચન,પ્રતિમા ભરાવવી, પ્રતિમાસ્નાત્ર વગેરે રૂપ તીર્થકર નામ કર્માસ્રવ છે (૧૧)આચાર્ય ભકિત - ૪ આચાર્યમાં શુધ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવો તે આચાર્ય ભકિત * પાંચ ઇન્દ્રિયનો સંવર,પાંચઆચરનું પાલન વગેરે ૩૬ ગુણોથી યુકત હોય તે આચાર્ય આવા આચાર્યશ્રી પધારે ત્યારે બહુમાન પૂર્વક સામે જવું, વંદન કરવું, પ્રવેશ મહોત્સવ કરવો વગેરે રીતે આચાર્યદેવની ભકિત કરવી # શાસનના નેતા, શાસન ધુરંધર ધર્મના મુખ્ય રક્ષક અને પ્રેરક હોવાથી આચાર્ય ભગવંતોની ભાવથી ભકિત કરવી ૪ આચાર્યના વિષયમાં ઉત્કૃષ્ટ ભાવોની વિશુધ્ધિ પૂર્વકની ભકિત હોવી તે આચાર્ય ભક્તિ ૪ શ્રુતજ્ઞાન આદિ દિવ્ય નેત્રધારી,પરહિત વત્સલ, સ્વસમયમ વિસ્તાર નિશ્ચયજ્ઞ આચાર્ય નો ભાવવિશુધ્ધિ પૂર્વક અનુરાગ કરવો તે # પાંચ પ્રકારના આચારના આરાધક યતિજન ને આચરણીય ઉપદેશ કર્તા અથવા ધર્મોપદેશ,દીક્ષા-વ્રતોપદેશાદિને કારણે આચાર્ય કહેવાય છે તેમની પરમ ભાવવિશુધ્ધિ પૂર્વક ભકિત કરવી. સંભવતઃ સામેજવું, વંદન કરવું-સેવા કરવી,અધ્યયન-શ્રવણ કરવું વગેરે ને આચાર્ય ભકિત કહી છે કે જે તીર્થકર નામકર્મનો આસ્રવ કરે છે. સિધ્ધસેનીયટીકા મુજબ આચાર્ય પદમાં વાચનાચાર્ય ગુણને લીધે ઉપાધ્યાય-ભકિત પણ સમાષ્ટિ કરેલી છે (૧૨)બહુશ્રુત ભકિતઃ# બહુશ્રુતમાં શુધ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવો તે બહુશ્રુતિભકિત જ ઘણા શ્રુત-શાસ્ત્રના જાણકારને બહુશ્રુત કહેવાય છે. શ્રી હારિભદ્રીય ટીકાનુસારવસ્કૃત વેષાં તે વત્રુતા: પ્રસૃષ્ટ કૃતધર: રૂપાધ્યાય: ત્યર્થ: એમ કહીને બહુશ્રુતનો અર્થ ઉપાધ્યાય પણ કરેલો છે -આવા બહુશ્રુત પાસે વિધિ પૂર્વક અભ્યાસ કરવો, વિનય કરવો તેમના બહુશ્રુત પણાની પ્રશંસા અનુમોદના કરવી વગેરે બહુશ્રુત ભકિત છે - a દ્વાદશાંગી સાથે સંબંધ ધરાવતા ઘણાં શાસ્ત્રોના જ્ઞાતા પુરુષોની ખૂબ ભાવથી ભકિત કરવી તે બહુશ્રુત ભકિત # બહુશ્રુત ના વિષયમાં ઉત્કૃષ્ટભાવ વિશુધ્ધિ પૂર્વકની ભકિત નું હોવું તે બહુશ્રુત ભક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy