SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # શાસ્ત્રચક્ષુ રૂપી દિવ્યનેત્રોના ધારક, સ્વસમયવિસ્તાર નિશ્ચયજ્ઞ, શાસ્ત્ર પારગામી એવા બહુશ્રુતોનો ભાવોની નિર્મળતા સહ જે અનુરાગ તે બહુશ્રુત ભકિત # અંગ,અનંગ,પ્રકીર્ણક આદિ અનેક શ્રુત-તેનો અર્થ તથા સૂત્રાર્થ ના યોગથી તેને બહુશ્રુત કહેવાય છે.આવા બહુ શ્રુતની પરમભાવ શુધ્ધિ સહ ભકિત,આશન પ્રદાન, અંજલીકરણ, વન્દન,સેવા અધ્યાયનાદિ તતે બહુશ્રુત ભકિત,જેથકીતીર્થકર નામકર્માસ્રવ થાય (૧૩)પ્રવચન ભકિતજ પ્રવચન માં શુધ્ધ નિષ્ઠા પૂર્વક અનુરાગ રાખવો તે ૪ પ્રવચન એટલે આગમ શાસ્ત્ર વગરે શ્રુત -પ્રતિદિન નવા નવા કૃતનો અભ્યાસ, અભ્યસ્ત શ્રતનું પ્રતિદિન પરાવર્તન, અન્યને શ્રુત ભણાવવું, શ્રતનો પ્રચાર કરવો શ્રત ભકિત કરવી વગેરે અનેક રીતે પ્રવચન ભકિત થઈ શકે છે. જ પ્રવચનનો અર્થદ્વાદશાંગી છે. દ્વાદશાંગી કે તદનુસારના આગમો તેના પાંચ અંગો ચારેઅનુયોગ ગ્રન્થો વગેરે જે કંઈ શાસન માં વર્તમાન કાળે ઉપલબ્ધ હોય તે લખવાલખાવવા-સાચવવા વિધિપૂર્વક પઠન-પાઠન કરવું-કરાવવું, તેની પ્રતિષ્ઠા વધારવી , અપ્રતિષ્ઠા,આક્ષેપ કે નિંદાનું નિવારણ કરવું તેના પૂજા-ભકિત બહુમાન કરવા-જ્ઞાનીઓનું બહુમાન કરવું વગેરે $ પ્રવચનમાં ભાવવિશુધ્ધિ પૂર્વકનો અનુરાગ તે પ્રવચન ભકિત 4 प्रोच्यतेऽनेनजीवादयः पदार्था इति प्रवचनम् -પ્રવચન એટલે આગમ શ્રુતજ્ઞાન. તેની પરમ ભાવ વિશુધ્ધિ પૂર્વક ભક્િત વન્દન, પર્યાપાસના,વિહિત ક્રમ પૂર્વક અધ્યયન, શ્રવણ,શ્રધ્ધાદિ લક્ષણ તે પ્રવચન ભકિત જેના વડે તીર્થંકર નામ કર્માસ્રવ થાય છે. (૧૪)આવશ્યક-અપરિહાશિ - સામાયિકાદિ છ આવશ્યકોનું અનુષ્ઠાન ભાવથી ન છોડવું તેને આવશ્યક-અપરિહાણિ કહે છે ૪ અવશ્ય કરવા યોગ્ય તે આવશ્યક સામાન્યથી સામાયિક આદિ છ આવશ્યક છે – આવશ્યક શબ્દથી માત્ર પ્રતિક્રમણ એવો અર્થન કરતા સંયમ નિર્વાહ માટેની જરૂરી સર્વ ક્રિયાઓ સમજવી-સંયમની સર્વ પ્રકારની ક્રિયાઓ ભાવથી સમયસર વિધિ પૂર્વક કરવી એ આવશ્યક અપરિહાણી છે ૪ સામાયિક વગેરે આવશ્યકોનો કયારેય પરિત્યાગ ન થાય એવા ભાવ પૂર્વક અનુષ્ઠાન કરવું તે આવશ્યક અપરિહાણિ # જે-જે વખતે જે-જે આવશ્યકો કરવાની આજ્ઞા છે તે-તે વખતે તે યોગ્ય રીતે આદરવા-આચરવા ૪ સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન આદિ આવશ્યકોને ક્રમાનુસાર તથા યથા વિહિત સમય કરતા રહેવું તે આવશ્યક –અપરિહાણી છે સામાયિક-સર્વસાધના ત્યાગ પૂર્વક-સમભાવમાં રહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy