SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૩ -ચતુર્વિશતિ સ્તવ-તીર્થકરોના ગુણનું સંકિર્તન -વંદન -દ્વાદશ આવર્ત પૂર્વક મન-વચન-કાયાથી નમન કરવું –પ્રતિક્રમણ-કરેલા પાપનું પ્રાયશ્ચિત કે દોષોથી નિવૃત્ત થવું તે –કાયોત્સર્ગ-વિહિત સમય પર્યન્ત કાયાના મમત્વનો ત્યાગ –પ્રત્યાખ્યાન- ભાવિમાં થનારા દોષો-પાપોને રોકવાની પ્રતિજ્ઞા સામાયિક વગેરે ઉકત છ આવશ્યક રાત્રિ દિવસ દરમ્યાન અવશ્ય કરવા તે આવશ્યક. અવશ્ય આરાધવા યોગ્ય જ કે અનુપ્તેય -ભાવથી અર્થાત્ ઉપયોગ પૂર્વક આ અનુષ્ઠાનો ન જ છોડવા અર્થાત્ સતત ભાવથી તેને આદરવા તે આવશ્યક અપરિહાણી, જે તીર્થકર નામ કર્મસ્રવ કરે છે (૧૫)માર્ગપ્રભાવનાઃ મોક્ષમાર્ગને જીવનમાં ઉતારી અભિમાન,છોડી,જ્ઞાનાદિ બીજાને તેનો ઉપદેશ આપી તેનો પ્રભાવ વધારવો તે ‘‘માર્ગ પ્રભાવના’’ ૐ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ત્રણે નો સમન્વય મોક્ષ માર્ગ. આ માર્ગની પ્રભાવના અર્થાત્ સ્વયં મોક્ષ માર્ગનું પાલન કરવા સાથે અન્ય જીવો પણ મોક્ષમાર્ગ પામે એ માટે ઉપદેશ આદિ દ્વારા મોક્ષમાર્ગનો પ્રચાર કરવો સમ્યગ્દર્શનાદિ જે મોક્ષનો માર્ગ કહેલો છે તેનું સારી રીતે સન્માન કરવું, બીજાને પણ ઉપદેશ દઇને તેમ કરવા માટે સમજાવવું,તથા દરેક રીતે શારીરિક ચેષ્ટા તથા ઉપદેશ થકી મોક્ષમાર્ગનું મહાત્મ્ય પ્રગટ કરવું તેમાર્ગ પ્રભાવના ૧૪૩ જૈન શાસન અને રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ રૂપ શાશ્વત સનાતન ધર્મના અને તેના વિવિધ અનુષ્ઠાનો તથા અંગ પ્રત્યંગને લગતા ઉત્સવો માહાત્મ્ય-પ્રચાર ઉધાપનો વગેરેથી તેનો પ્રભાવ વધારવો જેથી જે તે વ્યકિત તથા સમગ્ર શાસન માટે લાભદાયી બને પરમ સમય રૂપી જુગનુઓ ના પ્રકાશને પરાભૂત કરવા વાળા જ્ઞાનરવિની પ્રભાથી ઇન્દ્રના સિંહાસન ને કંપાવી દેનાર મહોપવાસ આદિ સમ્યક્તપ થી તથા ભવ્યજનરૂપી કમળોને વિકસીત કરવાને માટે સૂર્યપ્રભાસમાન જિનપૂજા થકીસધર્મનો પ્રકાશ કરવો તે માર્ગ પ્રભાવના છે જ્ઞાન,તપ,દાન અને જિનપૂજાદિ વડે ધર્મનો પ્રકાશ કરવો તે માર્ગ પ્રભાવના છે ૐ તત્વાર્થ શ્રધ્ધાન્ રૂપ સકલ ગુણ આધાર રૂપ સમ્યગ્દર્શનાદિ ત્રય તે મોક્ષમાર્ગ —સકલ કર્મક્ષય રૂપી આત્માની અવસ્થા તે મોક્ષ આ મોક્ષનો જે માર્ગ અર્થાત્ રસ્તો તે મોક્ષમાર્ગ– આ મોક્ષમાર્ગની પ્રાપ્તિના જ્ઞાન ક્રિયા લક્ષણ રૂપ ઉપાય તેનું પ્રખ્યાપનકે પ્રકાશન તેને પ્રભાવના કહેલી છે આ પ્રભાવના પણ માન-અહંકાર છોડીને પોતે તે અનુષ્ઠાનની કાળ-વિનય-બહુમાનાદિ શ્રધ્ધા કરતો પોતે તે અનુષ્ઠાન કરે, બીજાને ઉપદેશ થકી તેનું પ્રતિપાદન કરે, અને એ રીતે અર્હત પ્રણિત એવા-સર્વથા કલ્યાણકારી, પાપરહિત માર્ગના એકાન્તિક,અત્યાન્તિક, નિરતિશયા બાધ કલ્યાણ ફળનું પ્રકાશન તે પ્રભાવના તે ખરેખર આ તીર્થંકર નામકર્મનો આસ્રવ છે. (૧૬)પ્રવચન વાત્સલ્યઃ- વાછરડા ઉપર ગાય જે રીતે રાખે છે તેવો નિષ્કામ સ્નેહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy