SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સાધર્મિક ઉપર રાખવો તે પ્રવચન વાત્સલ્ય જ અહીં પ્રવચન શબ્દથી શ્રતધર, બાળ,ગ્લાન,વૃધ્ધ,તપસ્વી શૈક્ષ,ગણ વગેરે મુનિ ભગવંતો[જેની વ્યાખ્યા ..૧-રૃ.૨૪માં છે) તેમના ઉપર સંગ્રહ,ઉપગ્રહ અને અનુગ્રહથી વાત્સલ્ય ભાવ રાખવો તે પ્રવચન વાત્સલ્ય -સંગ્રહ એટલે અભ્યાસ આદિમાટે આવેલા પર સમુદાયના સાધુને શાસ્ત્રોકત વિધિ પૂર્વક સ્વીકારવો, પોતાની પાસે રાખીને અભ્યાસ આદિ કરાવવું -ઉપગ્રહ એટલે સાધુઓને જરૂરી વસ્ત્ર,પાત્ર,વસતિ આદિ મેળવી આપવા -અનુગ્રહ એટલે શાસ્ત્રોકત વિધિ મુજબ સાધુઓને ભકત પાન આદિ લાવી આપવું 3 અથવા પ્રવચન એટલે પ્રવચનની અર્થાત જિનશાસનની આરાધના કરનારા સાધર્મિક જેમ માતા પોતાના પુત્ર ઉપર અકૃત્રિમ સ્નેહ રાખે છે તેમ સાઘર્મિક ઉપર અકૃત્રિમ સ્નેહ રાખવો એ પ્રવચન વાત્સલ્ય છે 3 અરિહંત પરમાત્માના શાસનનું પાલન કરનારા મૃતધર આદિના વિષયમાં નિષ્કામ સ્નેહ ધારણ કરવો તે પ્રવચન વત્સલતા શાસન તરફ નો વાત્સલ્ય ભાવ. પ્રવચનના અંગ ભૂત કૃતઘર આદિને ધર્મ આરાધનામાં વિઘ્નો હોયતો તે દૂર કરવા, અરિહંત ભગવાના શાસનમાં ધર્માનુષ્ઠાન આચરી રહેલા ઓ માટે શાસ્ત્રજ્ઞ પુરુષો માટે બાળ-વૃધ્ધ-તપસ્વી-શૈક્ષઆદિ માટે ઉપકરણાદિ યોગ્ય વસ્તુઓનો સંગ્રહ કરવો તેમના સંયમમાં મદદરૂપ થવું. જ જે સાધર્મિકનો સ્નેહ તે જ પ્રવચન નો સ્નેહ વાત્સલ્ય છે अर्हच्छसनानुष्ठायिनांश्रुतधराणां बालवृद्धतपस्विशैक्षग्लानादीनां च सङ्गहोपग्रहानुग्रहकारित्वं प्रवचनवत्सलमिति –વંદન,નમસ્કાર, પૂજા અને સત્કારને યોગ્ય હોવાથી તેઓ અન્ત કહેવાય -અન્તોનું શાસન-શાસન અર્થાત ઉપદેશ,આગમ] –તેનું અનુષ્ઠાન -આગમ વિહિત ક્રિયા -શ્રુતધર-આદિની વ્યાખ્યા માં .૬-પૂ.ર૪ છે -શ્રુતધર-આદિનો સંગ્રહ-ઉપગ્રહ-અનુગ્રહ -આત્રણે પદની વ્યાખ્યા આજ અભિનવટીકાની શરૂઆતમાં કરી છે -અહંન્તોના શાસનનું અનુષ્ઠાન કરતા મૃતધર આદિનો સંગ્રહ-ઉપગ્રહ-અનુગ્રહતે જ પ્રવચન વત્સલતા અહીં પ્રવચનનો અર્થ ભગવદ્ ભાષિત અર્થ પ્રતિપાદન પરિણત શ્રુતધર આદિ એ જ પ્રવચન પ્રિવચની]તે તીર્થકર કર્મનો આસ્રવ કરે છે આ તીર્થંકર નામકર્મના આસવ ૨૦ કે ૧૬? અહીં સૂત્રકારે -૧ ગણાવેલા છે અન્યત્ર ૨૦ કારણો પ્રસિધ્ધ છે તત્સમ્બન્ધ કોઈ જ શ્વેતામ્બર દિગમ્બર વૃત્તિકાર, વિવેચકે કંઇજ ટીપ્પણી કરી નથી અત્રે સિધ્ધસેનીય વૃત્તિમાં કરેલો સુંદર ખુલાસો રજૂ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy