SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૩ ૧૪૫ (१)विंशते: कारणानां सूत्रकारेण किञ्चित् सूत्रे, किञ्चिद् भाष्ये, किञ्चिद् आदिग्रहणात् सिद्धपूजाक्षणलवध्यानभावनाख्यमुपात्तम् । (૨)સૂત્રમાં છેલ્લે વત્સમ શબ્દ પછી તિ શબ્દ કહ્યો છે. તેની સિધ્ધસેનીય તથા હારિભદ્રીય વ્યાખ્યામાં સ્પષ્ટ કથન છે કે ત શબ્દ ગદ્યર્થ:અર્થાત શબ્દ આદિના અર્થમાં વપરાયો છે. મતલબ આ ૧૬ કારણ વગેરે થકી તીર્થકર નામકર્મનો આસ્રવ થાય છે-તેના ત્રણ અર્થ વૃત્તિ અનુસાર થઈ શકે છે (૧)આ સોળ ગુણો થી તીર્થકર નામકર્મનો આસ્રવ થાય છે (૨)આસોળમાંના કોઈપણ એક કે વધુ ગુણોથી પણ તીર્થકર નામકર્મનો આસ્રવ થઈ શકે છે (૩)આ સોળ સિવાય અન્ય ગુણોનો પણ સંભવ છે કારણ કે સૂત્રકાર પોતે જ તિ શબ્દ મુકીને “વગેરે અર્થનું પ્રતિપાદન કરેલું છે જ લોકપ્રકાશ-સર્ગઃ૩૦ માં જણાવ્યા મુજબ તીર્થકર નામકર્મ બંધ (૧)અરિહંત (૨)સિધ્ધ(૩)પ્રવચન (૪)આચાર્ય (૫)સ્થવિર (૬)બહુશ્રુત (૭)તપસ્વી -આ સાતનું વાત્સલ્ય(૮)સદા જ્ઞાનોપયોગ (૯)નિરતિચાર સમ્યક્ત (૧૦)વિનય (૧૧)નિરતિચાર પડાવશ્યક (૧૨)નિરતિચારશીલવત પાલન (૧૩)ક્ષણલવ-સતત વૈરાગ્ય (૧૪)તપ (૧૫)દાન (૧૬)વૈયાવચ્ચ (૧૭)સમાધિસ્થાન (૧૮)અપૂર્વજ્ઞાનપ્રહણ (૧૯)શ્રુત બહુમાન (૨૦)પ્રવચન પ્રભાવના લોકપ્રકાશમાં જણાવ્યા મુજબ (૧)આ વીશ સ્થાનકો માંથી બે-ત્રણ કે સર્વસ્થાનોની આરાધના થકી પુરષ, સ્ત્રી કે નપુંસક વેદમાં વર્તતો મનુષ્ય તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે - શ્લોક-૧૮ મો (૨)તે વિશે શ્રી ભદ્રબાહુ સ્વામીના જણાવ્યા મુજબ - “નિશ્ચયે મનુષ્યગતિમાં - સ્ત્રી પુરુષ કે નપુંસક શુભલેશ્યાવાળો વીશમાંથી અન્યતર એક અથવા ઘણા સ્થાનોના સેવન વડે તીર્થંકર નામકર્મબાંધે * શ્રી આવશ્યક સૂત્રના મતાનુસાર તીર્થકર નામકર્મ સ્થાનકો (૧)અરિહંત (૨)સિધ્ધ(૩)પ્રવચન (૪)ગુરુ (૫)સ્થવિર (૬)બહુશ્રુત (૭)તપસ્વી - આ સાતનું વાત્સલ્ય(૮)વારંવાર જ્ઞાનોપયોગ (૯)દર્શન (૧૦)વિનય (૧૧)આવશ્યક (૧૨)નિરતિ ચાર શીલવ્રત (૧૩)ક્ષણલવ-સંવેગ (૧૪)તપ (૧૫)દાન (૧૬)વૈયાવચ્ચે (૧૭)સમાધિ (૧૮)અપૂર્વ જ્ઞાન ગ્રહણ (૧૯)શ્રુતભકિત (૨૦) પ્રવચન પ્રભાવના * વર્તમાન કાળે ગણાતા ૨૦ સ્થાનકરૂપ તીર્થકર નામકર્માસવ (૧)અરિહંત (૨)સિધ્ધ(૩)પ્રવચન (૪)આચાર્ય (૫)સ્થવિર (૬)વાચક (૭) સાધુ (૮)જ્ઞાન (૯)દર્શન (૧૦)વિનય (૧૧)ચારિત્ર (સંયમ) (૧૨)બ્રહ્મવ્રતધારી (૧૩)ક્રિયા (૧૪)તપ (૧૫)ગૌતમ-દાન] (૧૬)જિન આદિની વૈયાવચ્ચ (૧૭)ચારિત્ર- સંયમની સમાધિ (૧૮)અપૂર્વ જ્ઞાન (૧૯)શ્રુત (૨૦)તીર્થ અ. ૬/૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy