Book Title: Siddha Hem Llaghu Vrutti Avchuri Parishkar
Author(s): Jitendravijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 11
________________ પ્રરૂપે છે. તે સમજાયું. ટૂંકમાં “શ્રુત’ એ સાગર છે, દીપક છે, અમૃતમય ભોજન છે, દુઃખીને સુખ આપનાર વૈદ્ય-ડૉકટર છે. યાવત્ ઉધમી પુરુષને કેવળજ્ઞાન ને મોક્ષ પણ આપે છે. કહેવાનું તાત્પર્ય એજ કે સંયમી જીવનના ૧૦/૧૨ વર્ષ પછી જે સમ્પાદન વૃત્તિ જાગી તેથી સં. ૨૦૦૧માં પોતાના દાદા-પિતાના નામને સંકલિત કરી નવજીવન ગ્રંથમાળાના ઉપક્રમે ક્રમશઃ દશ પાદ પ્રકાશિત કરી વિદ્યાપિપાસુ ચરણોમાં અર્પણ કરી ધન્યતાનો અનુભવ શરૂ કર્યો. એક બાજુ સંસ્કૃત-જ્યોતિષ સાહિત્ય સેવાનો વિચાર વેગવંત બન્યો તો બીજી તરફ પાઠશાળાઓના શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે પાઠ્યપુસ્તક, અર્થ સહિતનું જ્ઞાન અને પરીક્ષા-ઈનામ માટે શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામે સં. ૨૦૦૪માં સંસ્થાની સ્થાપના કરી. પાઠશાળાઓને પ્રાણવાન બનાવવા પ્રાથમિકજ્ઞાનના ફેલાવા માટે શ્રી ગણેશ કર્યા. સં. ૨૦૩૧માં બેંગલોર સંઘે સાહિત્યભૂષણ’ પદવીથી વિભૂષિત ક્ય. જીવનમાં સાત ભાષાના ૭૦/૭૨ પુસ્તકોનું લેખન, સંપાદન, પ્રકાશન પૂજ્યશ્રીના હાથે થયું. કહેવાનું તાત્પર્ય એજ કે-શિક્ષણ ક્ષેત્રે પગલા માંડવાથી સંસ્કૃત ગ્રંથના પ્રકાશનનો એક તરફ અલ્પવિરામ સંયોગો અનુસાર થયો જ્યારે વિવિધ ભાષી પાઠ્યપુસ્તકોને પ્રકાશિત કરવાનું કામ વિકસવા લાગ્યું. છેક આ કમ સં. ૨૦૩૬ સુધી પ્રગતિ કરતો રહ્યો. અંતે સં. ૨૦૩૬ના જેઠ સુદ ૭ના આ જ્ઞાનદીપ પ્રગટાવનાર સંયમવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ આત્મા સદાને માટે વિલીન થઈ ગયો. કુદરતનું કાંઈક નવું જ કરવા-કહેવા માગતી હશે એ દ્રષ્ટિએ લગભગ ૩૫ વર્ષ સુધી એ મહાગ્રંથના હસ્તલીખીત પાના અદ્રશ્ય રહ્યા. અચાનક એ અનમોલ વારસો પૂ. ગુરુદેવશ્રીના લઘુબંધુ પ્રવિણચંદ્ર જીવનચંદ્ર ઝવેરીના દ્વારા પૂ. મુનિરાજશ્રીના વિનયી શિષ્ય પ્રવર્તક પૂજ્ય મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મ.સા.ને પ્રાપ્ત થયો.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 470