________________
વાંઢાને વેવિશાળ કરવા મોકલ્યો
તે પોતાનું કરી આવ્યો...
ધીરુ મોદીની આ પંક્તિઓ : પંખી હોય તે માળો બનાવે, પાંજરા નહીં. માણસ ઘણું ઘણું બનાવી શકે છે. પણ પાંજરાં બનાવવામાં એને ખાસ લગાવ છે. એથી જ તો ખુલ્લા કાન જેવી મકાનની બારીને પણ સળિયા જડાવવાનું એ ચૂકતો નથી. અને દ્વાર ! માત્ર બંધ કરવા માટે જ હોય છે. દ્વાર બંધ કરીને માણસ અંદર પુરાઈ જાય. દ્વાર બંધ કરીને માણસ બહાર જાય. ખુલ્લા સમુદ્રમાં વહી જવાની દ્વારિકા તો એ ન જ બને. અને એટલે જ તો માણસ ખૂલી ગયેલી આંખે મરવાનું પણ પસંદ નથી કરતો.
બિલાડીને તમે દૂધ લેવા મોકલો, દૂધ બિલાડીના પેટમાં જ પહોંચી જાય. બે બિલાડી વચ્ચેના ઝઘડામાં ન્યાય તોળવા તમે વાંદરાની નિયુક્તિ કરો, વાંદરો પોતે જ લાભ ખાટી જાય. સ્વાથધ માણસને તમે પરમાર્થનાં કાર્યો માટેની અનુકૂળતા કરી આપો, એ પોતાના જ સ્વાર્થની પુષ્ટિ કરતો રહે.
ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અંધ માણસ જેમ ખુદને પણ જોઈ શકવા સમર્થ હોતો નથી તેમ સ્વાર્થોધ માણસ પોતાના સિવાયના અન્ય કોઈના ય ભલાને કે સ્વાર્થને જોઈ શકવા સમર્થ હોતો નથી. ભૂલેચૂકે જો તમે એની સાથે દોસ્તી જમાવી બેઠા તો સરવાળે તમારા નસીબમાં આંસુ સિવાય બીજું કશું જ બચે નહીં.
એક મહત્ત્વની વાત કહું ?
તમે પાણીમાં મીઠું નાખો, થાય શું? પાણી મીઠાને ખાઈ જાય. તમે અગ્નિમાં લાકડાં નાખો, લાકડાનું થાય શું? અગ્નિ લાકડાંને ખાઈ જાય. તમે નદીઓ સાગરને સમર્પિત કરી દો. નદીઓનું થાય શું? સાગર નદીઓને સ્વાહા કરી જાય. બસ,
સ્વાર્થોધને તમે કાંઈ પણ આપો, સ્વાર્થોધ એ તમામને ઓહિયાં કરી જાય. ટૂંકમાં, | ઉપકારો લેવાના બધાયના પણ કરવાનો કોઈના પર પણ નહીં, આ સ્વાર્થોધની આગવી વિશેષતા !
બે જ કામો આપણે કરવાનાં છે. સ્વાર્થોધ બનવાનું નથી અને સ્વાર્થોધ સાથે બેસવાનું નથી. કોઈ પણ કારણસર જો સ્વાર્થોધ બની બેઠા આપણે તો ધર્મપ્રાપ્તિની યોગ્યતા તો આપણે ગુમાવી જ બેઠા પરંતુ સજ્જનતાની ભૂમિકાથી પણ આપણે વંચિત રહી ગયા ! અને જો સ્વાર્થધના રવાડે ચડી બેઠા આપણે તો સદ્ગુણોથી અને સત્કાર્યોથી, સમાધિથી અને સ્વસ્થતાથી, સદ્ગતિથી અને સદ્બુદ્ધિથી દૂર ધકેલાઈ ગયા આપણે !
પાંજરાંનો આખરે આ જ અર્થ છે ને ? બંધ થઈ જવું અથવા તો કેદ થઈ જવું. સ્વાર્થોધ પોતાના જ સ્વાર્થમાં બંધ થઈ ગયો હોય છે અને પોતાની જ માન્યતામાં કેદ થઈ ગયો હોય છે. નથી એના જીવનમાં એ અન્ય કોઈને ય પ્રવેશ આપી શકતો કે નથી એ પોતે અન્ય કોઈના ય જીવનમાં ગૌરવપૂર્વક પ્રવેશ પામી શકતો !
આવા મડદા કરતાં ય વધુ ગંધાતા સ્વાર્થોધમાં આપણો નંબર ન જ હોવો જોઈએ એ જેમ મહત્ત્વનું છે તેમ એવા હીન આત્મા સાથે આપણો આત્મીયતાનો સંબંધ ન હોય એ પણ એટલું જ મહત્ત્વનું છે. ગંગાનું મીઠું પણ પાણી સાગરમાં જઈને જો ખારું બની જાય છે તો ઉત્તમ એવો પણ આત્મા અધમના સંગે અધમ બની જાય છે, એ વાસ્તવિકતા આપણી આંખો સામે ન હોય એ તો શું ચાલે?