Book Title: Shrutsagar 2016 11 Volume 03 06
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर नवम्बर-२०१६ એ કોઇ પણ સ્ત્રીની સાથે પત્રવ્યવહાર ન કરે. વળી આ વિદ્યાર્થીઓ ઉપર કેટલાક અનુભવીઓ દેખરેખ પણ રાખતા હોય. આવા ગુરુકુળમાં જૈન ધર્મ અને અન્ય ધર્મોનાં તત્ત્વોનો તુલનાત્મક અભ્યાસ કરાવવા માટે પૂરેપૂરા કેળવાયેલા મનુષ્યો રાખેલા હોય. સંસ્કૃત, માગધી, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી જેવી ભાષાઓનું અહીં ખાસ અધ્યયન કરાવાતું હોય, નિયમિત અભ્યાસ માટે શિક્ષણનો સમય દર્શાવતાં ટાઈમટેબલો બરાબર ઘડવામાં આવેલાં હોય. તન, મન અને ધનને આત્મભોગ આપીને કામ કરે તેવા શિક્ષકો અહીં હોવા જોઈએ. બ્રહ્મચર્યની મહત્તા દર્શાવતાં પુસ્તકોનો અભ્યાસ થતો હોય. વળી,જમાનાને અનુસરીને ધાર્મિક શિક્ષણ આપતા ધર્મગુરુઓ આ સંસ્થામાં સાત સાત વર્ષ સુધી કામ કરવા બંધાયેલા હોય અને તેમને રહેવા માટે થોડેક દૂર યોગ્ય સ્થાનની સગવડ પણ હોય. આવું ગુરુકુળ સ્થાપવામાં આવે તો હજારો જૈન વિદ્યાર્થીઓ બ્રહ્મચર્ય સાચવીને અભ્યાસ કરીને તૈયાર થાય અને જૈનોની જાહોજલાલીના વાવટા ફરકવા માંડે. આ પ્રકારના ગુરુકુળ માટે લાખો રૂપિયા ખર્ચનારા જૈનો જૈન ધર્મનો ઉદ્ધાર કરી પરમ પદ પામે છે. આવા ગુરુકુળમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યા બાદ એકેક લાખ મનુષ્ય જેવી શક્તિથી ગૃહસ્થ ધર્મ કે સાધુ ધર્મની સેવા ઉઠાવી લેશે. આમ થાય તો આપણે અસલ સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ એમાં મને લેશ માત્ર શંકા નથી. ઘણા સાધુઓ તથા શ્રાવકોના મનમાં આવા વિચારો જાગે છે, પરંતુ દસ-પંદર આત્મભોગ આપનારા શૂરવીર જૈનો બહાર પડે તો જૈન ગુરુકુળ જેવી સંસ્થા સ્થાપી શકાય એમાં લેશ માત્ર પણ શંકા નથી. આવી યોજનાના વિચાર માટે જૈન વિદ્વાનોની એક જાહેર સભા મળવી જોઈએ અને આ વિષયને જાહેર પત્રોમાં ખૂબ ચર્ચવો. પરિણામે દરેકનું ધ્યાન આ બાબત ભણી ખેંચાય. જૈન પ્રજાની સાચે સાચી ઉન્નતિ કરવી હોય તો જૈન ગુરૂકુળ સ્થાપવું જોઈએ. જેમ શ્રી હેમચંદ્રાચાર્યે ઘણી ઉન્નતિ સાધી, તેમ ગુરુકુળનો એક એક વિદ્યાર્થી બાહોશ વક્તા અને જ્ઞાની થવાથી હજારો સામે ટક્કર ઝીલી શકશે અને હજારો મનુષ્યોને પોતાના ધર્મ તરફ આકર્ષી શકશે. બ્રહ્મચર્ય ધારણ કરતા વિદ્યાર્થી ઘણું કામ કરી શકશે. આથી જ આવું ગુરુકુળ સ્થાપવાની અત્યંત આવશ્યકતા છે. - દુર્લભધર્મ ઈ.સન ૧૯૮૧ વર્ષ-૧ અંક-૩માંથી સાભાર (વધુ આવતા અંકે) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36