Book Title: Shrutsagar 2016 11 Volume 03 06
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 28 SHRUTSAGAR November-2016 કૌમુદી મિત્રાણાનંદરૂપકમ્ કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન કવિશ્રી, રામચંદ્રસૂરિ વિરચિત રુપકોનાં ૧૦ પ્રકારોમાંથી આ નાટકનો પ્રકાર પ્રકરણ છે. અહિં નાયક એક સચિવ હોય છે. આ નાટકમાં નાયક ધીરાદાત્ત છે અને નાયિકા મધ્યમવર્ગ પરિવારની છે. સાથેસાથ દાસ, સેવક, આદિ પાત્ર નો ઉલ્લેખ પણ કરેલો છે. આ શ્રૃંગારરસ પ્રધાન રૂપક છે. ગ્રંથમાલા દ્વારા પ્રકાશિત વિશિષ્ટ પુસ્તકોનો પરિચય – સિંઘી જૈન ગ્રંથમાળા” દ્વારા અનેક પુસ્તકોનું સંસ્કરણ થયેલું છે. જેમાં ઐતિહાસિક, તાત્ત્વિક, કથાત્મક અને ચરિત્રાત્મક ગ્રંથો પ્રકાશિત થયેલાં છે. આ ગ્રંથમાળામાં સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથોનું પ્રકાશન કાર્ય શરૂ કર્યું હતું. જેમાં સૌ પ્રથમ પ્રબંધચિંતામણિ' પ્રકાશિત ગ્રંથનું સંસ્કરણ કર્યુ હતું અને આ ગ્રંથમાળાનાં ૬૦ થી વધુ પ્રકાશનો છે. તેમની નિશ્ચિત સંખ્યા ઉપલબ્ધ નથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા જ્ઞાનમંદિરમાં આ ગ્રંથમાળાનાં ૬૨ પ્રકાશનો માત્ર ઉપલબ્ધ જ નહીં પરંતુ સુરક્ષિત પણ છે. જેમાં કેટલાક ગ્રંથાકનું પુનઃપ્રકાશન થયું છે. જેનો પ્રાયઃ છેલ્લો ગ્રંથાંક -૭૭ કૌમુદી મિત્રાણાનંદરૂપકમ્ છે. જેમાંથી ૨૩ ગ્રંથાક એવા છે જે જ્ઞાનમંદિરમાં ઉપલબ્ધ નથી.(૧૫, ૩૭, ૩૮, ૫૦ અને ૫ થી ૭૦) જેમાં અન્ય પ્રકાશકો દ્વારા સિંઘી જૈન ગ્રંથમાલાના પુનઃ પ્રકાશિત ગ્રંથોની યાદી જોઈએ તો તે આ પ્રમાણે છે ધર્મોપદેશમાલા-ભટૂંકર પ્રકાશન અમદાવાદ વિ.સં. ૨૦૬૬. કીર્તિકૌમુદીમહાકાવ્ય તથા સુકૃત સંકીર્તનમહાકાવ્ય-ભટૂંકર પ્રકાશન-વિ.સં૨૦૬૬. સંદેશાસક –સંભવનાથ મહારાજ ટ્રસ્ટ –સતારા(મહારાષ્ટ્ર) –વિ.સં.૨૦૦૧. સુતકીર્તિકલ્લોલિન્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિ સંગ્રહ –સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ ટ્રસ્ટ-સુરત – પ્રકાશન વર્ષ ઉપલબ્ધ નથી. પ્રબંધચિંતામણિ (ઐતિહાસિક પ્રબંધાત્મક) શ્રી મેરૂતુંગાચાર્ય વિરચિત પ્રબંધચિંતામણિ નામક પ્રસિદ્ધ ઐતિહાસિક-પ્રબંધ સંગ્રહાત્મક સંસ્કૃત ગ્રંથ છે. ગુજરાતનાં પ્રાચીન ઇતિહાસને વિશિષ્ટ કૃતિ અને સ્મૃતિના આધારભૂત જેટલાં પ્રબંધાત્મક તથા ચરિત્રાત્મક ગ્રંથ-નિબંધ સંસ્કૃત પ્રાકૃત તથા પ્રાચીન દેશી ભાષામાં ઉપલબ્ધ છે તે ગ્રંથોમાં આ સૌથી વિશિષ્ટ અને મહત્વનું સ્થાન ધરાવે છે. “સર્વેVિ प्रबंधाः प्रबन्धचिंतामणितो ज्ञेयाः' ધર્માલ્યુદય મહાકાવ્ય નું પુનઃ પ્રકાશન શ્રી ભદ્રંકર પ્રકાશન અમદાવાદ દ્વારા વિ.સં ૨૦૬૬ માં થયેલ છે. પ્રબંધકોશનું પુનર્મુદ્રણ આશાપુરણ પાર્શ્વનાથ જૈન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36