Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 203
________________ નહિ પણ જિનભક્તિમાં સમર્પિત થઈ જાવ. મને ગમે તે પદાર્થો વગર ચાલશે પણ પરમાત્માને મળ્યા વગર ભક્તિ વગર તેના ગુણગાન ગાયા વગર, તેના બહુમાન વગર નહિ ચાલે. આ પરમતત્ત્વ એવું ઉપકારક છે કે તમે તે પ્રત્યે ઝૂક્યા કે તમને તારવાની તેમની જવાબદારી થાય છે. તે તમને તેમના યોગબળ વડે ફૂરણા આપે છે, જે વડે તમે ઔચિત્ય આચરો છો, અને સ્વ-પરના હિતમાં જ વર્તો છો. તેમાં વળી જિનવાણી, સતશાસ્ત્રનો બોધ મળે, મન આત્મા પ્રત્યે વળે, સોનામાં સુગંધ ભળે. જિનવાણીનું પ્રભુત્વ એવું છે કે તે પાંત્રીસ અતિશયો – વિશિષ્ટતા સહિત વ્યક્ત થાય છે, તેથી જે જીવને જેવા બોધની, જે ભૂમિકાએ જેની જરૂર છે, તે રીતે સ્પર્શે છે. એ વાણીના બોધનો ધોધ શાસ્ત્રરૂપી સાગરમાં ઝિલાયો, એટલે તેનું પ્રભુત્વ પણ તે જ રીતે પ્રગટ થાય. એ વાણીનું શ્રવણ જીવ જે ભૂમિકામાં છે તે પ્રમાણે બોધદાયક થાય. રોહણક ચોર અભયમંત્રીથી બચવા દોડ્યો જાય છે, જંગલની કેડીએથી પસાર થાય છે ત્યાં તેના કાને મધુર સ્વર સંભળાય છે. અને તેને ખ્યાલ આવે છે કે આતો પેલા જ્ઞાતપુત્ર મહાવીરની વાણી છે, અરે ! મેં તો પિતાને વચન આપ્યું છે. કે મહાવીરની વાણી નહિ સાંભળું. એટલે તરત જ બંને કાનમાં આંગળી દબાવી દે છે. પરંતુ કોણ જાણે એના કયા ભાગ્ય જાગ્યા ? કે દોડતા દોડતા પગમાં કાંટો વાગ્યો. શારીરિક રીતે તે બળવાન હતો. કાંટાને કાઢવા રોકાય તો પકડાઈ જવાય, અને વળી મહાવીરના શબ્દો કાને પડે. એટલે દોડે છે પણ હવે કાંટો પગમાં ઊંડો ઊતરી ગયો હતો. વેદના થાય છે. તે પોતાને દુર્ભાગી માને છે. પિતાને આપેલું વચન ન પળાય તેનો અફસોસ થાય છે. પણ તેને માનેલા દુર્ભાગ્યમાં જ તેનું સદ્ભાગ્ય છુપાયેલું હતું. તે દોડવાને અસમર્થ બને છે. એક હાથે કાંટો નીકળે તેમ નથી. એટલે બંને હાથે કાંટો કાઢવા માટે કાનમાંથી આંગળીઓ કાઢવી પડી અને અને શબ્દોનું શ્રવણ થયું. દેવદેવીઓ ધરતીથી અધ્ધર ચાલે, દેવદેવીઓની આંખો પલક ન થાય, દેવદેવીઓને પસીનો ન વળે, દેવદેવીઓની ફૂલની માળા ન કરમાય, ૧૯૨ ૪ શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220