Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 207
________________ ( ૧૧. અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દષ્ટિ છે ) અધ્યાત્મમાં આત્મદષ્ટિ હોવાથી સર્વ જીવો પ્રત્યે સમભાવ અને મનુષ્યમાં બંધુત્વ ભાવના વિકસાવે છે, વળી સમગ્ર જીવરાશિને એક આત્મભાવના સૂત્રમાં બાંધે છે. કારણ કે ચૈતન્ય માત્રનું લક્ષણ સિદ્ધત્વ છે. ભલે પછી જે બોધ પામે તે સિદ્ધ થાય, પરંતુ સર્વ ચૈતન્ય આદરણિય છે. વ્યક્તિ વ્યક્તિમાં પ્રકૃતિ, વૃત્તિ, પ્રવૃત્તિ વગેરેની ભિન્નતા છે. પણ વ્યક્તિ અન્ય કરતાં પોતે કંઈ વિશેષ છે તેવું સમજે છે ત્યારે સંઘર્ષ પેદા થાય છે. પરંતુ જ્યારે તે અન્યમાં પોતાના જેવો આત્મા જુએ છે ત્યારે અભેદ દષ્ટિનો સ્વીકાર કરે છે. તેથી સર્વ લેશો નાશ પામે છે. આવી અભેદદષ્ટિ અધ્યાત્મ પરિણામ વગર સંભવ નથી. ભૌતિક જગતમાં વિજ્ઞાન ક્ષેત્રે પદાર્થની ખોજનું મહત્ત્વ છે. પરમાર્થમાં ધર્મ વિજ્ઞાન ક્ષેત્રે શુદ્ધ દર્શનનું મહત્ત્વ છે. શુદ્ધ દર્શન અધ્યાત્મ યોગનું ચાલક બળ છે. આ યોગ એટલે જોડવું. ક્યાં ? પરિણામ કે ભાવનું મોણસ્વરૂપ સ્વયં શુધ્ધાત્મામાં જોડાવું તે યોગ છે. જેટલો જેટલો યોગ સાધ્ય થાય તેટલું આત્મદર્શન વિકાસ પામે છે. પ્રત્યેક સાધક સાધના કાળમાં અમુક સીમાએ પહોંચી યોગી હોય છે. વળી વૈરાગ્ય અને અધ્યાત્મના નિરંતર અભ્યાસ વડે તે સીમાઓને ઉલ્લંઘી અયોગી બને છે. અર્થાત અનાદિ યોગનો સંપૂર્ણ નિરોધ કરી મુક્ત થાય છે. મનુષ્યનું વ્યાવહારિક જીવન બાહ્ય સ્થિતિઓ વડે પ્રભાવિત હોય છે. બાહ્ય સંયોગો એનું ચાલક બળ બને છે ત્યારે જાગૃત અવસ્થામાં એ સંયોગોને તે વાસ્તવિક માને છે. અને સ્વપ્ન સમયે જોયેલી સૃષ્ટિને જાગૃત થતાં અવાસ્તવિક માને છે. પરંતુ યોગી બાહ્ય સંયોગો અને સ્થિતિને સ્વપ્નવત માની તેનાથી પ્રભાવિત થતો નથી પરંતુ યોગ નિરોધ વડે તે નિઃસંગ બને છે. પછી તેને સ્થળ કે કાળ બાધા પમાડતા નથી. દેહમાં પુરાયેલો દેહી ૧૯૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220